Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 26 , પૃથ્વીચંદ્ર અને ગુણસાગર : “એ...મ? હજી પણ તને સમજ પડતી નથી લે સમજાવું ?" આસ્તેથી તેના વદન પાસે પોતાનું વદન લઈ જઈ એક.... - “અરે આ...શું? ચેરીને ઉપરથી સરજોરી!) બાલા. કલાવતી જરા દૂર ખશી ગઈ–શરમાઈ ગઈ. અરે એમાં આટલો બધો રોષ ? તમારી રજાથી હું ગમે તે ચીજ લઉ તોય કાંઈ વાંધો ? વાહ ! આ તો. અજબ વાંધો !, - શંખરાજ કલાવતીના પાસે ગયે અને મંદમંદ અધર. ને ફરાવતો બોલ્યો, “રેષ ન કરશે કલા–દેવી !" . બને પતિ પત્ની મહાન હતાં. અદ્દભૂત વ્યક્તિત્વ ધરાવનાર હતાં. એક બીજાની શક્તિ પોતપોતાના પ્રમાણમાં ખુબ હતી, એતો જ્યારે કસોટીએ કસવાનો સમય આવશે ત્યારે ખબર, શંખરાજ બહાદૂર, વીરોનો વીર ને સમયને જાણ હતો. ત્યારે કલાવતી સતીઓમાં પણ શ્રેષ્ઠ હતી, એના પ્રબળ સતીત્વ આગળ રાજાનું વ્યક્તિત્વ પણ ગૌણ થઈ જતું. એ સતીત્વ સિવાય કલાવતીમાં સ્ત્રીને ઉચિત બીજા પણ અનેક ગુણે હતા. તેમજ ઉત્તરોત્તર ભાવીકાલમાં પણ બને ઉન્નત પદવી પ્રાપ્ત કરનાર ઉચ્ચ આત્માઓ હતા. પણ અત્યારે શું ? અત્યારે તો જેવો સમય તેવો જ દાવ જે કર્મોદય તેવી જ પ્રવૃત્તિ. જેવા સંયોગે તે જ વર્તાવ કે બીજું કાંઈ ? . પ્રેમને આધિન થયેલા માનની માફક શંખરાજ પણ અતૃપ્ત નયને પ્રિયા કલાવતીને નિહાળતા ને મંદમંદ પિતાના અધરને રમાડતો બેટો. “કલા.!ખરેખર અત્યારે તો તારા સ્નેહને હું વિશ થઈ ગયો છું. તારા સૌન્દર્યમાં પતંગની માફક મુંઝાઈ રહ્યો છું. અત્યારે તો હૈયું પણ હાથ નથી પ્રિયે ! .. Jun Gun Aaradhak Trust' P.P. Ac. Gunratnasuri M.S.