________________
પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૪ )
[ રાત્રુંજય પર્વત
અને શ્રીમાલજ્ઞાતિના લઘુશાખીય સા, તુર્ક ( કા ) ( ભાર્યા તેજલદે ) ના પુત્ર સા. હાસુજીએ, પેાતાની સ્ત્રી હાસલદે, ભાઈ સા. વજી ( ભાર્યા વાદે) અને સા. દેવજી ( ભાર્યાં દેવલદે), પુત્ર ધર્મદાસ અને ગિની ખાઈ કુઅરી પ્રમુખ સકલ કુટુંબ સમેત, સિદ્ધાચલની યાત્રા કરી અને અદ્ભુત-આદિનાથના મંદિરના મડપનો કોટ સહિત ફરીથી ઉદ્ધાર કરાવ્યેા.
છેલ્લી ત્રણ પતિએમાંના ઘણા ખરા ભાગ ફૂટી ગયેલેા છે તેથી આચાર્યં વિગેરેનાં નામેા જતાં રહ્યાં છે. લેખની સ્થિતિ જોતાં જણાય છે કે લેખના એ ભાગ સ્વાભાવિક રીતેજ નષ્ટ થઈ ગયેલા નથી પર'તુ જાણી જોઇને કાઇએ તેને નાશ કરેલા છે. કારણ કે દરેક જગાએ જ્યારે નામના શબ્દો જતા રહ્યા છે ત્યારે ‘તત્પદાજાર’ • પંડિતોત્તમ ’. આદિ વિશેષણા સ્પષ્ટ જણાય છે. આથી અવશ્ય કેાઈ સ ́પ્રદાયદુરાગ્રહીની આ વર્તણુક હોવી જોઇએ.
( ૩૦ )
મ્હોટી ટુ'કમાં આદીશ્વરના મુખ્ય પ્રાસાદના દક્ષિણદ્વારની સામે આવેલા સહસ્રકૂટ-મદિરના પ્રવેશદ્વારની પાસે આ લેખ આવેલ છે. પ'કિત સખ્યા ૧૦ છે.
સ. ૧૬૯૬ ના વૈશાખ શુકલ પ રવિવારના દિવસે દીવમંદર નિવાસી સ`. સચા ( સ્ત્રી તેજમાઈ ) ના પુત્ર સ”. ગાવિંદજીએ ( શ્રી વયજખાઈ ) સ્વકુટુ'બ સાથે, શત્રુંજય ઉપર ઉચ્ચ મંદિર અનાવ્યુ. અને તેમાં સુપાર્શ્વનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. પ્રતિષ્ઠા કરનાર આચાય શ્રીવિજયસેનના પુટ્ટધર વિજયદેવસૂરિ છે, કે જેમની સાથે યુવરાજ વિજયસિહરિ પણ હતા. ( ૩૧-૩૧ )
એજ મંદિરના, એ સ્તંભો ઉપર, ન. ૩૧ અને ૩૨ ના લેખો કાતરેલા છે. પહેલા લેખ પદ્યમાં અને ટુંકા છે. ખીજે ગદ્યમાં અને તેના કરતાં વિસ્તૃત છે. ખ'નેમાં વર્ણન એકજ છે.
Jain Education International
૪૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org