________________
ઉપરના લેખે નં. ૮૬–૯૧ ]
(૧૩૦)
અવલોકન
નામે છે) ની સાથે અષભદેવની પ્રતિમાવડે અલંકૃત થયેલી આ દેવકુલિકા કરાવી. પ્રતિષ્ઠા કરનાર વિજ્યસેનસૂરિ.
લેખના પાછલા ભાગમાં વડગામ અને માંટગામ વસનારાં કેટલાક સ્ત્રી પુરૂષનાં નામ આપીને અંતે “વડગચ્છીય શ્રીચકેશ્વરસૂરિના અનુયાયી શ્રાવક સાજણે કરાવી” ( શું? તે જણાવી નથી) એમ લખ્યું છે.
૧૬ નંબરની દેવકુલિકા ઉપર.
સં. ૧૨૮૭ ચિત્રવેદી ૩. મહામાત્ય શ્રીતેજપાલે કરાવેલા નેમિનાથના ચિત્યમાં ધવલકિ ( હાલનું ધોલકા ) વાસ્તવ્ય શ્રીમાલજ્ઞાતીના ઠ. વીરચંદ્રના પુત્ર ઠ. રતનસીહના પુત્ર દોસી ઠ. પદમસીહે પિતાના પિતા રતનસીહ અને માતા કુમરદેવી જે મહં. નેનાના પુત્ર મહં. વીજાની પુત્રી થાય છે–તેમના કલ્યાણ માટે, સંભવનાથની પ્રતિમા સાથે આ દેવકુલિકા કરાવી.
( ૮૭-૮૮ ). આ બંને લેખે ૧૭ નંબરની દેવકુલિકાના દક્ષિણ અને પૂર્વ દ્વાર ઉપર કમથી કતરેલા છે.
મહામાત્ય તેજપાલે પિતાના પુત્ર લુણસિંહની રાયણું અને લખમા નામની બંને સ્ત્રીઓ માટે આ દેવકુલિકા કરાવી, એ લેખેને તાત્પર્ય છે.
( ૮૯ ) ૧૮ નંબરની દેવકુલિકા ઉપર.
મહે. તેજપાલે પિતાની સ્ત્રી અનુપમાદેવીના પુણ્યાર્થે, મુનિસુવતદેવની આ દેવકુલિકા કરાવી છે.
(૯૦-૯૧ ) ૧૯ નબરવાળી દેવકુલિકાના પશ્ચિમ અને દક્ષિણ દ્વાર ઉપર આ બે લેખે કરેલા છે.
પશ્ચિમઢારવાળા લેખમાં લખ્યું છે–મહુંતેજપાલે પિતાની
૨૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org