________________
ગામના લેખ. નં. ૩૩૭]
(૨૨૬).
અવલોકન,
અહીંથી પછી મેવાડના રાજવંશની નામાવલી આપવામાં આવી છે. તેમાં પ્રથમ જણાવ્યું છે કે, શ્રીમેદપાટ (મેવાડ) દેશમાં, સૂર્યવંશીય મહારાજા શિલાદિત્યના વંશમાં પૂર્વે ગુહિદત્ત, રાઉલ, બપ્પ અને ખુમ્માણનામના મહેટા રાજાઓ થઈ ગયા. તેમના વંશમાં પાછળથી રાણ હમીર, ખેતસીહ, લષમસીહ અને મેકલ થયા. મકલ પછી રાણા કુંભકર્ણ થયે અને તેને પુત્ર રાયમલ્લ થયે. આ રાયમલ્લ તે વખતે રાજ્ય કરતું હતું અને પુત્ર પૃથ્વીરાજ યુવરાજ પદ ભેગ વતે હતે.
આના પછી લખવામાં આવ્યું છે કે–ઉકેશવશ (ઓસવાલ જ્ઞાતિ) ના ભંડારી ગોત્રવાળા, રાઉલ લાખણના પુત્ર મંત્રી સુદાના વશમાં થએલા મયુર નામના સેઠને સાકૂલ નામે પુત્ર છે. તેને સીહા અને સમદા નામના બે પુત્ર થયા. તેમણે, ઉપર જણાવેલા યુવરાજ પૃથ્વીરાજની આજ્ઞાથી કર્મસી, ધારા, લાખા આદિ પિતાના કૈટુંબિક બંધુઓની સાથે, નંદકુલવતી પુરી (નાડલાઈ) માં, સંવત્ ૯૬૪ની સાલમાં યશભદ્ર સૂરિએ મંત્રશક્તિદ્વારા લાવેલી અને પાછળથી, મં. સાયરે કરાવેલા દેવકુલિકાઆદિના ઉદ્ધારના લીધે તેના જ નામે પ્રસિદ્ધિ પામેલી “સાયરવસતિ” માં, આદિનાથ તીર્થકરની પ્રતિમા સ્થાપન કરી. તેની પ્રતિષ્ઠા, ઉપર જણાવેલા શાંતિસૂરિના શિષ્ય ઈશ્વરસૂરિએકે જેમનું બીજું નામ દેવસુંદર પણ હતું—-કરી.
છેવટે જણાવ્યું છે કે–આ લધુ પ્રશસ્તિ પણ એ ઈશ્વરસૂરિએજ લખી છે અને સૂત્રધાર સોમાએ કરી છે.
આ લેખમાં જણાવેલા ખંડેરકગ૭ને આચાર્ય યશભદ્રસૂરિના સંબંધમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ વિધર્મસૂરિના નામે પ્રસિદ્ધ થએલ એતિહાસિક રાસસંગ્રહ ભાગ ૨ જે, જે.
(૩૩૭) આ લેખ, એજ મંદિરમાં મૂલ-નાયક તરીકે વિરાજિત આદિનાથની પ્રતિમા ઉપર લખેલ છે. મિતિ, સં૦ ૧૬૭૪ ના માઘ વદિ ૧, ગુરૂવાર,
૬૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org