________________
પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૩૦૮ ) [કચ્છના ખાખર ગામના લેખ, નં. ૪૪૬
રાયપુર બંદરમાં કર્યું. તે દરમ્યાન તેમણે તત્કાલીન કચ્છના રાજા ભારમલજીને પેાતાની વિદ્વત્તાથી રજિત કરીને તેની પાસેથી કેટલાક વિશેષ દિવસેામાં જીવહિંસા અધ કરાવાને અમારી પહુ વજડાળ્યા. તથા રાવ ભારમલ્લજીએ ભુજ નગરમાં ‘ રાયવિહાર ’ નામે એક સુંદર જૈનમંદિર પણ મધાવ્યું. ભુજ નગરથી વિહાર કરી પ. વિવેક હ ગણિ કચ્છના જેસલા નામે મ’ડળ ( પ્રાંત )માં ગયા અને ત્યાં ખાખર ગામના સેકડા આસવાલાને ધર્મોપદેશ આપી શુદ્ધ શ્રાવકના આચાર વિગેરે શિખડાવી પૂર્ણ શ્રદ્ધાવાન કર્યાં. તે વખતે, ત્યાંના આગેવાન સા॰ વયસિક કરીને હતેા તેણે ઘ‘ઘરગેાત્રવાળા શા. શિવામેથા આદિની મદંતથી તપાગચ્છના યતિઓને રહેવા માટે એક નવીન ઉપાશ્રય કરાવ્યા. તથા, ગુજરાતમાંથી સલાટાને મેલાવી કેટલીક જિનપ્રતિમાએ તૈયાર કરાવી અને સ. ૧૬૫૭ ના માઘ સુદિ ૧૦ સેામવારના દિવસે ૫. વિવેક ગણિના હાથે તેમની પ્રતિષ્ઠા કરાવી. પછી તેજ ગામના ખીજા શ્રાવકાએ મળીને એક બીનું મંદિર અધાવવું શરૂ કર્યું. જેની સમાપ્તિ સ. ૧૬૫૯ ના ફાલ્ગુણુ વિદે૧૦ ના દિવસે થઈ. તદનંતર તેજ માસની સુદ ૧૦ ના દિવસે ઉકત પડિતજીએ તેની પ્રતિષ્ઠા કરી અને તે મદિરનું ‘ શત્રુંજયાવતાર ’ એવું નામ સ્થાપન કર્યું. આ પ્રમાણે આ લેખના સક્ષિપ્ત સાર છે. અક્ષરાથ ઉકત પ્રશ્નોત્તર પુષ્પમાા ' માં, જે ય. હીરાલાલ હ્યુસરાજનો કરેલા છે) નીચે પ્રમાણે આપેલા છે.
“ વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, નાટક, સગીત, જ્યાતિષ, છંદઃશાસ, અલકારશાસ્ત્ર, કઠિન એવાં તર્કશાસ્ત્ર, શિવમતનાં શાસ્ત્ર, જિનમતનાં શાસ્ત્ર, ચિંતામણિના મતનુ' પ્રચંડ ખ'ડન કરનારાં શાસ્ત્ર,૧ મીમાંસા શાસ્ત્ર, સ્મૃતિશાસ્ત્ર, પુરાણુશાસ્ત્ર, વેદશાસ્ત્ર તથા શ્રુતિની પદ્ધતિનાં છ
૧. આ ભાષાંતર, અસંબદ્ધ છે. • ચિંતામણિ અને પ્રચંડ ખંડન ( એટલે ‘ ખંડન ખાદ્ય ' ) શાસ્ર '. એમ જોઇએ,-સંગ્રાહક.
Jain Education International
૩૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org