Book Title: Prachin Jain Lekh Sangraha Part 02
Author(s): Jinvijay
Publisher: Jinagna Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 755
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૨૨) [ સ્તંભનપરના લેખો ન. ૪૦ કરી હતી અને તેમાં એમને “વિજય મ હતા. હીરવિજ્યસૂરિના કથનથી જેવી રીતે બાદશાહે પિતાના સામ્રાજ્યમાં છ મહિના સુધી જીવહિંસી થતી બંધ કરી હતી તેવી જ રીતે એમના કથનથી પણ તેણે પુનઃ કર્યું હતું. વિશેષમાં તેણે આ વખતે ગાય, ભેંસ, બળદ, અને પાડાને મારવાને, સર્વથા અને સદાને માટે પ્રતિબંધ કર્યો હતે. * અહિંથી પછી, લેખના મુખ્ય નાયક જે પરીખ વજીએ રાજીઆ છે તેમની હકીક્ત શુરૂ થાય છે. ગન્ધારપુરમાં, પૂર્વે શ્રીમાલી વંશના પરીક્ષક કુટુંબને આલ્હ. ણસી નામે એક પ્રસિદ્ધ અને પુણ્યવાન ગૃહસ્થ થઈ ગયે. (૨૩) તેને પુત્ર દેહુણસી, તેને મુહલસી, તેને સમરા, તેને અર્જુન અને તેને ભીમ નામે પુત્ર થયે. (પ) ભીમને લાલૂ નામની ગૃહિણી થી સીમા નામે અર્વજનપ્રિય પુત્ર થયે, અને તેની સાક્ષાત લક્ષ્મી જેવી જસમાનેવી નામે પત્ની થઈ. (૨૪) એ પુણ્યશાલી દમ્પતીને વજુઆ અને રાજીના નામે બે પિતૃવત્સલ અને રાજજનમાન્ય શ્રેષ્ઠ પુત્ર થયા. (૨૬) વજીને વિમલાદેવી નામે અને રાજીઆને કમલાદેવી નામે પતિભક્તા પત્ની હતી. (૨૭) તેમાં મેટા ભાઈને એક મેઘજી નામે સુપુત્ર થ. (૨૮ પાછળથી વજી અને રાજીઆ બંને પ્રેમપરાયણ ભાઈઓ પિતાની જન્મભૂમિ ગધાર છેડી ખંભાતમાં આવી રહ્યા. (૨૯)ત્યાં બંને ભાઈઓએ પિતાના હાથે ઉપાર્જન કરેલી અઢળક લક્ષ્મીનો સમાગે વ્યય કરી ખૂબ યશ મેળવ્યું. (૩૦) તેમની કીતિ સર્વત્ર ખૂબ પ્રસરી અને તે તરફ સાર્વભૌમ બાદશાહ અકબરના અને આ તરફ પિડુંગાલના ગવર્નરના દરબારમાં તેમને ઘણું માન મળતું હતું. (૩૧) તે બંને ભાઈઓ, આચાર્ય હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના પરમ ભક્ત હતા અને તેમના ઉપદેશાનુસાર નિરંતર ધર્મકાર્યમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. (૩૨) આ બંને બંધુઓએ સંવત્ ૧૬૪૪ માં વિપુલ ધન ખર્ચ પાર્શ્વનાથ અને વર્તમાન એમ બે તીર્થકરની પ્રતિમાઓની ઘણા આડંબર અને હઠપૂર્વક વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૭૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780