________________
પ્રાચીન જેનલેખસંગ્રહ
(૨૪)
[ સાંડેરાવને લેખ નં. ૩૪૯
એ પ્રમાણે વપરાએલે છે, અને તેને અર્થ “પુરાધ્યક્ષ” અથવા નગર રક્ષક એ થાય છે, એ સિદ્ધ કરવાને હેમચંદ્ર તથા ત્રિવિકમ (ના કેષ) ના પ્રમાણેનાં અવતરણો આપ્યાં છે. આ ઉપરથી એમ જણાય છે કે કેટવાળ અગર “સીટી મેજીસ્ટ્રેટ”ના દરજજાની આ જગ્યા હશે. પરંતુ કેટલીક વખત લેખોમાં “ગામનાં પરા” ના અર્થમાં “તલ” શબ્દ વપરાય છે, તેથી શહેરમાં જેમ કેટવાળ હોય તેમ પરાંમાં તલાર હોઈ શકે.
આ લેખની મિતિ સંવત ૧૨૨૧ માઘ વદિ ર શુક્રવાર હોઈ કેલ્ડણદેવ રાજાના સમયમાં તે બનેલું છે. તેમાં કહેવું છે કે ચૈત્ર સુદિ ૧૩ ને કલ્યાણિક [ જે મહાવીરને જન્મત્સવ દિવસ છે અને હાલમાં કેટલાક વર્ષોથી જૈન સમાજમાં ઠેકાણે ઠેકાણે એ દિવસે
મહાવીર જયંતી ઉજવાય છે-સંગ્રાહક.] ઉજવવા માટે કેલ્હણદેવ રાજાની મા આનલદેવિએ સંડેરક ગચ્છના [મંદિરના] મળનાયક મહાવીર દેવને, રાજાના પિતાના ઉપભેગમાંથી યુગધરી એટલે જવારને એક “હાએલ” (એક હળથી એક દિવસમાં ખેડી શકાય તેટલી જમીનમાં પેદા થએલે) અર્પણ કર્યો. તથા એજ કલ્યાણિક અર્થે તલારાની આવકમાંથી રાષ્ટ્રકૂટો-પાત અને કેહુણ તથા તેમના ભત્રિજા એ ઉત્તમસિંહ, સૂકંગ, કલ્હણ, આહડ, આસલ, અણતિગ વિગેરેએ એક દ્રમ્મ આપે. તેવી જ રીતે ચિત્ર સુદિ ૧૩ ના દિવસે કલ્યાણક ઉજવવા માટે, રથકાર-ધનપાલ, સૂરપાલ, જેપાલ, સિગડા, અમિયપાલ, જીસવડ, દેલ્હણ વિગેરે જે બધા સંડેરકનાજ રહિવાસી હતા તેઓએ યુગધરીને એક “હાએલ ભેટ કર્યો.
નાડેલના તામ્રપત્રોમાં વર્ણવેલી કેલ્પણના પિતા આહણની સ્ત્રી આન્નલદેવી તે આ લેખમાંની કેલ્ડણદેવની માતા જ હેવી જોઈએ. આ છેલ્લા લેખમાં તેને રાષ્ટ્રોડવંશના સહુલની કન્યા તરીકે ઓળ ખાવી છે. રાષ્ટ્રડ એ રાષ્ટ્રટિજ છે. અને પાત વિગેરે જે ઉપર જણાવ્યા છે તે રાષ્ટ્રફિટ તેના પિતાનાં સગાં હશે એમ જણાય છે.
૬૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org