________________
જાલેરને લેખ. નં. ઉપર ૩ (૨૪)
અવલોકન પરિણામે ધીરે ધીરે જૈન ધર્મ પણ બદ્ધ ધર્મની માફક નિર્વાણ દશાને પ્રાપ્ત થશે કે શું એ ભય કેટલાક વિદ્વાન અને વિચારવાન યતિવર્ગને ઉત્પન્ન થયા અને તેમણે પિતાની નિર્બળતાને ત્યાગ કરી શુદ્ધ જૈનાચારને સ્વીકાર કર્યો. આ લેખમાં વર્ણવેલા વાદી-દેવસૂરિને યતિસમૂહ પણ તેજ શુદ્ધાચારી હતે. જેમ જેમ આવા શુદ્ધાચારીની સંખ્યા વધતી ગઈ અને તેઓ ચિત્યવાસિની શિથિલતાઆચારહીનતાને પ્રકટપણે વિરોધ કરતા ગયા તેમ તેમ બને વર્ગોમાં પરસ્પર ભેદભાવની વૃદ્ધિ થવા લાગી અને પરિણામે વાદ-વિવાદની વૃદ્ધિ થઈ શત્રુભાવ જણાવા લાગ્યું. ચિત્યવાસિયે કે જેમની સંખ્યા અને સમાજમાં લાગવગ ઘણું પ્રબળ હતી તેઓ, આ નવીન ઉત્પન્ન થએલા વિધી વર્ગને દરેક રીતે બહિષ્કાર કરતા-કરાવતા, પોતાની સત્તા નીચે રહેલા જૈન મંદિરોમાં તેમને પ્રવેશતા અટકાવતા અને વધારે જોર ચાલતું ત્યાં ગામમાં પણ રહેવા માટે કનડતા. સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાલમાં આ સ્થિતિમાં ઘણેક ફેરફાર થઈ ગયે હતે, તે પણ કેટલાક જૂના અને પ્રધાન મંદિરમાં હજી પણ તેવી જ સ્થિતિ ચાલતી હતી. આજ કારણને લઈને કુમારપાલે પિતાના બંધાવેલા આ જાવાલિપુરના કુંવર વિહાર નામના મંદિરને શુદ્ધાચારી દેવાચાર્યના સમુદાયને સમર્પણ કર્યું હોય તેમ જણાય છે, કે જેથી વીતરાગભાવ પ્રાપ્ત કરવા-કરાવા માટે બંધાયેલા એ દેવસ્થાનને બીજાં મંદિરોની માફક જાગીર તરીકે ઉપગ ન થાય અને તે દુવારા આચારહીનતાને ઉત્તેજન ન મળે. ભાવુક ચતિવર્ગને, ચૈત્યવાસિયેની સત્તા નીચે રહેલા મંદિરમાં દેવદર્શન જવા માટે જે હરકતે અને કનડગત થતી, તે દૂર કરવા માટે, તે વખતે નવીન ચલે ઠેકાણે ઠેકાણે તૈયાર થતા હતા, અને તેમને “વિધિચૈત્ય” કહેવામાં આવતાં હતાં. આ લેખમાં વર્ણવેલું “કુમારવિહાર” ચિત્ય પણ તેમાનું જ એક ગણાવું જોઇએ.
લેખના બીજા ભાગમાં જણાવેલે ભાં. પાસુને પુત્ર ભાં. યશવીર, તે વખતે જાલેરના જૈન સમાજને એક મુખ્ય શ્રીમાન અને રાજમાન્ય
૨૨
૬પ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org