________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૫૨ ) [જાલેર કિલ્લાના લેબેન. ૩૫૩,
કરતા અને “રાજ્યધુરા” ને ધારણ કરતા કાન્હડદેવનું નામ આપ્યું છે. સુવર્ણગિરિ એ ઉપરના લેખમાં જણાવેલ કનકાચલ જ છે અને તે જાલેરની કિલ્લાની ટેકરીનું નામ છે તે પ્રસિદ્ધ જ છે. કાન્હડદેવા તે સામંતસિંહને પુત્ર હતા. [ અને જાલેરને છેલ્લે સ્વતંત્ર રજ. પૂત રાજા હતા. સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ સંવત ૧૩૬૬ વા ૬૮ માં જાલેર ઉપર ચઢાઈ કરી તેમાં આ અને એને પુત્ર વીરમદેવ બંને માર્યા ગયા અને એની સાથે જાલેરના ચૌહાણ રાજ્યની પણ સમાપ્તિ થઈ. પદ્મનાભ કવિને રચેલે “કાન્હડદે પ્રબંધ' નામને જે ગુજરાતી રાસે રા. રા. શ્રી ડાહ્યાભાઈ પી. દેરાસરિએ વિદ્વત્તા ભરેલી સુંદર રીતે છપાવીને પ્રકટ કર્યો છે તેમાં આના સંબંધી સવિસ્તર હકીકત આપેલી છે.–સંગ્રાહક. ]
- કોઈક નરપતિ નામના ગ્રહ પોતાની સ્ત્રી નાયકદેવીના પુણ્યાર્થે, બજારમાં આવેલું પોતાનું મકાન કે જેમાં પરગામ જતા માલને સંગ્રહ કરવામાં આવતું હતું તે ધર્મદાય તરીકે ભેટ આપ્યું, અને તેનું જે ભાડું આવે તેનાથી દર વર્ષે પાર્શ્વનાથના દેવાલયમાં, તેના ગોષ્ઠિક (શ્રાવકે) એ પંચમીને બલિ કરે” [બલિ એટલે પૂજા આદિ ભણાવવામાં આવે તે] એ બાબત જણાવવા માટે આ લેખ કરવામાં આવ્યું છે. આ ભેટ આપવામાં, ભેટકર્તાના કુટુંબીઓ તથા સુવર્ણગિરિમાં જ રહેતે કઈક સંઘપતિ ગુણધર પણ તેને સાથી હતે. લેખમાં ભેટકર્તાના કુટુંબીઓનાં નામે અને વંશવૃક્ષ પણ આપ્યું છે. ઠાકુર આમ્બડને પુત્ર ઠાકુર જસ અને તેને પુત્ર સેની મહણસીંહ એ નરપતિને પિતા થાય. મહણ સીંહને બે પત્નિએ હતી. (૧) માલ્હણિ અને (૨) તિહણ. પહેલી પત્નીથી તેને રત્નસીંહ, ણ, માલ્હણ અને ગજસીંહ નામે પુત્ર થયા અને બીજી થી નરપતિ, જયતા અને વિજયપાલ પુત્રે થયા. આ બધા પુત્રો “સોની” ના ઉપનામથી ઓળખાતા હતા. નર પતિને બે સ્ત્રી હતીઃ (૧) નાયકદેવી, ને (૨) જાડુણદેવી. પહેલી સ્ત્રીથી થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org