________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૩૪)
[ કિરાને લેબ નં. ૩૪૬.
થયો છે, અને એનું વર્ણન તથા વિવેચન શ્રી દેવદત્ત ર. ભાંડારકરે નીચે પ્રમાણે આપ્યું છે –
કિરાડુના ખંડેરોમાં આવેલા એક શિવ મંદિરમાંથી આ લેખ મળી આવ્યું છે. જોધપુર રાજ્યમાંના મલાણ જીલ્લાના મુખ્ય શહેર બાહડમેરથી વાયવ્ય કેણમાં સોળ માઈલને છેટે હાથમાં ગામ પાસે આ કિરાડુ ગામ આવેલું છે. ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત “ પ્રાકૃત અને સંસ્કૃત લેખેને સંગ્રહ ” નામના પુસ્તકના ૧૭૨ પૃષ્ઠ ઉપર આ લેખ અંગ્રેજી અનુવાદ સાથે છપાએલે છે. પરંતુ ઉક્ત પુસ્તકમાં આવેલા બીજા લેખેની માફક આ લેખ પણ બેદરકાર રીતેજ મુદ્રિત થએલો છે.
આ લેખ ૨૧ પંકિતમાં લખાએલે હઈ ૧” પ” પહેળે તથા ૧” ર” લાંબે છે. સત્તરમી લીટી સુધીમાં પત્થરને વચલે ભાગ ખરાબ થઈ ગયો છે, છતાં પણ મુદ્દાની બાબતો ઘણે ભાગે જળવાઈ રહી છે તેથી એકંદર રીતે લેખ સ્પષ્ટ જ છે. લેખની લીપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. જાણવા જેવી બાબત એ છે કે અક્ષર પછી આવેલ અક્ષરે બેવડો કરે છે. તથા બે ને બદલે તે વાપરે છેમાત્ર એક ઠેકાણે તેમ નથી, (જુઓ, ર–પંક્તિ ૨). તેરમી પંક્તિમાં “અમારી ” એવા શબ્દ વાપરેલા છે અને તે જે કે જૈન ધર્મશાસ્ત્રોમાં અજ્ઞાત નથી. તો પણ સાધારણ સંસ્કૃત સાહિત્યથી તે બાહ્ય છે. તેનો અર્થ “અહિંસા પાલન” એ થાય
લેખ ઉપર આરંભમાં જ “સંવત્ ૧૨૦૯ માઘ વદિ ૧૪ શનિ એ પ્રમાણે મિતિ આપેલી છે. તે વખતે કુમ (મા) રપાળ ચાવતી રાજા હતા અને શાસન પત્ર તથા જાહેરનામાઓ પ્રકટ કરવાનું કાર્ય મહાદેવ કરીને કરતો હતે. પંકિત ૪-૬ માં કુમારપાલના ખંડિયા રાજા-મહારાજા શ્રી આલણદેવનું નામ છે. જૈન કુમારપાલની મહે. રબાનીથી કિરાતકૂપ, લાટહદ અને શિવા તેને બક્ષીસમાં મળ્યાં
६४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org