________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૯૧)
[ રાણપુર
હશે. હાલમાં જંગલી પશુઓજ ત્યાં રહે છે. ” આ વર્ણન પછી તેમણે નીચેની ટીપ મૂકી છે. “ પિોરવાડ જ્ઞાતિના જન ધર્મના રાણાના એક પ્રધાને આ દેવાલયનો પાયો ઈ. સ. ૧૪૩૮ માં નાંખ્યો. ફંડ ઉભું કરીને તે દેવાલય પૂરું કરવામાં આવ્યું. તેને ત્રણ માળ છે અને તેને આધાર ૪૦ ફીટથી પણ ઉંચા પથ્થરના થાંભલાઓ ઉપર રહેલું છે. અંદરના ભાગમાં કાચના કડકાથી મીનાકારી કામ કરેલું છે. નીચેના દેવગ્રહોમાં જૈન તીર્થંકરની પ્રતિમાઓ મૂકેલી છે. તે વખતે હિંદી કારીગરી ઉતરતી સ્થિતિમાં હતી તેથી તેમાં બહુ સુંદરતા આપણે જોઈ શકીએ તેમ નથી પરંતુ તેના ઉપરથી ઉતરતી જતી કારીગરીનો ક્રમ આપણે કાઢી શકીએ. વળી આના ઉપરથી એમ પણ જણાય છે કે પહેલાંના મીનાકારીની રીત તે વખતે પણ હતી. મેં તે જોયું નહિ તેથી મને શક થાય છે. ”
આ પ્રમાણે ટોડને વૃત્તાંત જે કે ઘણે ભાગે ખરે છે, તો પણે તેમાં ખામીઓ છે. પ્રથમ તે તે દેવાલયને બાંધનાર પિોરવાડ જ્ઞાતિનો છે તે બરાબર છે; પરંતુ તે રાણા કુંભાનો પ્રધાન છે એ શા આધારે કહેલું છે ? વળી ટેંડ કહે છે કે “ ફંડ ઉભું કરીને એ દેવાલય પૂરું કર્યું એને અર્થ શો ? વલી તેમણે કહ્યું છે કે તે દેવાલય બાંધવાનો ખર્ચ દસ લાખ કરતાં વધુ થયો છે અને રાણાએ તેમાં ૮૦૦૦૦ પિંડ આપ્યા છે; આ વિગત કયા આધારે લખી છે? ત્રીજી બાબત એ છે કે તે દેવાલય એકાતમાં આવ્યું છે માટે મુસલમાનોના જુલમમાંથી બચ્યું છે એ કહેવું વ્યાજબી નથી. કેમાં એક એવી વાત ચાલે છે કે રાજપુતાના ઉપર જયારે ઔરંગઝેબે ચઢાઈ કરી ત્યારે તે આ દેવાલયમાં ચઢ હતો અને મૂર્તિઓ ભાંગવાની શરૂઆત પણ કરી હતી અને હાલ પણ કેટલાંક ભાગેલાં ‘પરિકરો ” તથા “તેર” છે જે લોકોના કહેવા પ્રમાણ ઓરંગઝેબે ભાગ્યાં હતાં. પરંતુ જે રાત્રે એ ભાંગવાનું કાર્ય શરૂ થયું તેજ રાત્રે તે અને તેની બેગમ માદાં પડયાં; બેગમે સ્વપ્નમાં રાત્રે ઋષભનાથ તીર્થકરને જોયા અને તેમને કહેતા સાંભળ્યા કે “તું તારા ધણી પાસે આ અનિષ્ટ કાર્ય બંધ કરાવી અને બીજે દીવસે મારી પ્રતિમા પાસે આરતિ કરાવ” આ પ્રમાણે ઔરંગઝેબે કર્યું અને મૂર્તિઓની પૂજા કરી. પૂર્વના સભામંડપમાં આવેલા એક સ્તંભ ઉપર એક
* ટડ એનાલ્સ એન્ડ એન્ટીકવિઝ આફ રાજસ્થાન ” પુ. ૧, ૫ ૨૬૮ (પ્રકાશ-લહારી અને કંપની, કલકત્તા, ૧૮૯૪)
પ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org