________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૩૧)
[ આબુ પર્વત
પુત્રી બઉલદેવીના શ્રેયાર્થે આ દેવકુલિકા કરાવી છે. અને દક્ષિણ દ્વારના લેખમાં લૂણસિંહની પુત્રી ગઉરાદેવીના હિતાર્થે આ દેવકુલિકા કરાવી છે.
( ૯ર-૯૩) ૨૦ અને ૨૨ નંબરવાળી દેવકુલિકા ઉપર છે (૨૧ નંબરની દે. ઉપર લેખ નથી.)
આ બંને લેખો ઉપરના ૮૩-૮૪–૮૫ નંબરવાળા લેખો જેવા જ છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટોએ કતરાવેલા છે. જુદા જુદા કુટુંબનાં મનુષ્યનાં નામે આપ્યાં છે. જે ઘણા ભાગે, આ મંત્રીઓના મેસાળ પક્ષના કે તેજપાલના સાસરા પક્ષના હશે.
(૯૪ થી ૯૯) આ ૬ લેખે અનુક્રમે ૨૫ થી ૩૦ નબર સુધીની દેવકુલિકાઓ ઉપર કતરેલા છે.
મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલને છ બહેને હતી. તેમના પુણ્યાર્થે આ જુદી જુદી દેવકુલિકાઓ તેજપાલે કરાવી છે અને દરેક ઉપર અકેક બહેનનું નામ આપેલું છે. આ ૭ બહેનના નામ આ પ્રમાણે છે
૧ ઝાલ્ડણદેવી, ૨ માઉ, ૩ સાઉ, ૪ ધણદેવો, ૫ સેહગા, ૬ વયજુ અને ૭ પદ્મલા. ( આ પલાનું નામ ૧૦૩ નંબરના લેખમાં છે.)
(૧૦૦–૧૦) આ બંને લેખમાંથી પ્રથમને લેખ ૩૦ નંબરની દેવકુલિકાના પશ્ચિમ દ્વાર ઉપર છે. અને બીજે ૩૧ નંબરની દે. ઉપર છે. પહેલે લેખ બહુ જ ખેટે લખાયેલું છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના બે કુટુંબોએ આ દેવકુલિકાઓમાં અમુક અમુક જિનની પ્રતિમાઓ કરાવી, એ લેખની હકીક્ત છે.
(૧૦૦) ૩ર નબરની દેવકુલિકાના પૂર્વદ્વાર ઉપર
૫૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org