________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ
(૧૬૭)
[આરાસણ
આકઆëજીકલ સર્વે ઓફ ઈડિઆ, વેસ્ટર્ન સાર્કલ, ના સન્ ૧૯૦૫-૬ ના પ્રેસ રીપોર્ટમાં કુંભારીઆના એ જિન મંદિરે માટે વિસ્તારપૂર્વક લખાણ કરવામાં આવ્યું છે જેમાંથી કેટલાક ભાગ અત્ર આપ ઉપયોગી થઈ પડશે.
કુંભારીઆમાં જૈનેનાં સુંદર મંદિર આવેલાં છે જેમની યાત્રા કરવા પ્રતિવર્ષ ઘણું જેને જાય છે. દંતકથા એવી ચાલે છે કે વિમલસાહે ૩૬૦ જૈન મંદિર બંધાવ્યાં હતાં અને તેમાં અંબા માતાએ ઘણું દેલત આપી હતી. પછી અંબાજીએ તેને પૂછયું કે કેની મદદથી તે આ દેવાલય બંધાવ્યાં? ત્યારે તેણે કહ્યું કે “મહારા ગુરૂની કૃપાથી” માતાજીએ ત્રણવાર તેને આવી રીતે પૂછયું અને એને એજ જવાબ મળે. આવી કૃતજ્ઞતાથી ગુસ્સે થઈને તેમણે તેને કહ્યું કે જે જીવવું હોય તે હાસી જા, તેથી તે એક દેવાલયના યરામાં પેઠો અને આબુ પર્વત ઉપર નિકળે. ત્યાર બાદ માતાજીએ પાંચ દેવાલયે સિવાય સર્વ દેવાલયે બાળી નાખ્યા અને આ બળેલા પત્થરે હજુ પણ સર્વત્ર રખડતા જોવામાં આવે છે. ફાર્બસ સાહેબ કહે છે કે આ બનાવ કેઈ જવાળામુખી પર્વત ફાટવાથી બનેલું છે. પણ ગમે તેમ હોય તે પણ ત્યાં એટલા બધા બળેલા પત્થરો પડેલા છે કે જેથી ત્યાં પાંચ કરતાં વધારે મંદિરે હશે એમ અનુમાન થઈ શકે. ”
કુંભારીઆમાં મુખ્ય કરીને મંદિરે છે જેમાંનાં પાંચ જેનાં છે અને એક હિંદુનું છે. જૈનેનાં ચાર મંદિરે આકાર આબુ ઉપરના, તથા નાગડા અગરભદ્રેશ્વરના મંદિર જેવું છે. તે સર્વને ઉત્તર તરફ મુખ છે તથા આગળ પરસાળવાળી દેવકુલિકાઓની હાર તેમની આજુબાજુ આવેલી છે. આ મંદિરે વખતે વખત સમરાવવામાં આવ્યાં છે, તેથી કરીને જુનું અને નવું કામ ભેળસેળ થઈ ગયું છે. કેટલાક સ્ત, દ્વારે અને છતમાં કરેલું કેતરકામ ઘણું જ ઉત્તમ છે અને તે આબુનાં દેલવાડાના મંદિરના જેવું છે. મી. કાઉન્સના બતાવ્યા પ્રમાણે જ્યાં જ્યાં જુનું કામ રાખેલું છે તે નવા કામ કરતાં જુદું પડી જાય છે,
પ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org