________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહ,
( ૧૬૯ )
મૈં આરાસણ
સામે આવેલી છે તે, તથા ઉપરના પાટડાની નીચે આવેલા આગળા ઉપરથી એમ જણુાય છે કે પહેલાં આવાં ખીજા તારા હતાં જે હાલમાં નાશ પામ્યાં છે. મદિરની મને ખાજુએ મળીને આઠ દેવ કુલિકાઓ છે. પાંચમા નખરની દેવકુલિકા છે તે બધી કરતાં મ્હાટી છે. મંદિરની જમણી બાજુ વાળી દેવકુલિકામાં આદિનાથની અને ડાખી બાજુવાળીમાં પાર્શ્વનાથની ભવ્ય મૂર્તિ વિરાજમાન્ છે. મ’ડપના મધ્ય ભાગ ઉપર હાલના જેવુ એક છાપરૂ આવેલુ છે જે ઘુમ્મટના આકારનુ છે અને જેને રંગ દઇ સુશેભિત કરવામાં આવ્યુ છે. તેની આજુબાજુએ ચામચીડીયાં તથા ચકલીઓને અટકાવે એવુ વાંસનુ પાંજરૂ બાંધેલુ' છે. મ`ડપના ખીજા ભાગની છત તથા ઓસરીની છંત સાદી અને હાલના જેવી છે. મંડપ અને એસરીના વચ્ચેના ભાગમાં એટલે કે મૂળ ગર્ભાગારની જમણી બાજુએ ઉપરના ભાંગેલા પાટડાને મદદગાર થવા માટે મેડાળ ત્રણ કમાને ચણી છે અને તે સાથેના સ્તંભ સુધી લંબાવેલી છે જેથી કરીને ઘણુ' કાતરકામ ઢંકાઇ જાય છે.” ( ૨૭૭ )
ઉપર વર્ણવેલા એ નેમીનાથના મંદિરમાં મૂલનાયક તરીકે જે પ્રતિમા પ્રતિષ્ઠિત છે તેના આસન નીચે આ નં૦ ૨૭૭ ને લેખ કાતરેલા છે. લેખાકત ઉલ્લેખના તાત્પર્ય આ પ્રમાણે છે—
સ. ૧૬૭૫ ના માઘસુદી ૪ ને શિનવારના દિવસે એકેશ ( એસવાલ ) જાતિના વૃદ્ધ શાખાવાળા જીહરા ( બેઠુરા ) રાજપાલે શ્રીનેમિનાથના મંદિરમાં નેમિનાથનુ બિંબ કરાવ્યું, તેની પ્રતિષ્ઠા હીરમેિજયસૂરિના પટ્ટધર આચાય શ્રીવિજયસેનસૂરિના શિષ્ય આચાય શ્રીવિજયદેવસૂરિએ, પંડિત કુશલસાગરગણિ આદિ સાધુ પરિવાર
સાથે કરી છે.
ધર્મ સાગરગણિવાળી સાગછપટ્ટાવજી માં જણાવેલુ' છે કે વાદી દેવસૂરિએ ( સમય વિ. સ'. ૧૧૭૪–૧૨૨૬) આરાસણમાં નેમિ
૨૨
Jain Education International
૧૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org