________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૫૩)
[ આબુપર્વત
પછી, પુરાણોના કેટલાક કે આપ્યા છે જેમાં “દેવદાન ”ને લેપ કરવાથી થનારા પાપ ઇત્યાદિનું વર્ણન છે. કકુર જતસિંહના પુત્ર પારિખ પેથાએ આ શાસનપત્ર લખી આપ્યું.
આમાં શ્રીઅચલેશ્વરના મંદિરવાળા રાઉ૦ નંદિ, વશિષ્ઠદેવના મંદિરવાળા તપોધન ...(નામ જતું રહ્યું છે.) અંબાદેવીવાળા નીલકંઠ તથા ગામના સઘળા આગેવાન પઢયાર (લેકે) સાક્ષી થએલા છે.
(૧૩૪-૨૪૮) નબર ૧૩૪ થી ૨૪૮ સુધીના (૧૧૪) લેખે એજ મંદિરની જુદી જુદી દેવકુલિકાઓ ઉપર તથા તેમાં રહેલી પ્રતિમા વિગેરે ઉપર કતરેલા છે. આ બધા લેખે ન્હાના ન્હાના છે અને તેમાં સંવત્ , દાતાનું નામ અને પ્રતિષ્ઠા કરનાર આચાર્યના ઉલ્લેખ શિવાય બીજું કાંઈ વધારે જાણવા લાયક લખાણ નથી. એ લેખમાં નં. ૧,૩૪– ૩૮-૪૦-૪૧-૪૨-૪૪-૪૫-૪૮-૫૫–૫૯-૬૧-૬૪-૬૮-૭૯–૮૩-- ૮૫-૮૯-૯૧-૯૬-૨,૦૨-૦૬–૧૬-૧૯-૨૬-૩૩-૩૭–૩૮ અને ૨૪૪ ના (૨૮) લેખે સંવત્ ૧૩૭૮ ની સાલન છે. અર્થાત્ મુખ્ય લેખમાં જણાવ્યા પ્રમાણે માંડવ્યપુર (મંડેઉર) નિવાસી લલ અને વીજડે જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તે જ વખતના આ લેખે છે. આ લેખો ઉપરથી એમ જણાય છે કે લાલ અને વીજડે તે મૂળ મંદિરને ઉદ્ધાર કર્યો હતો અને બીજા દાતાઓએ કેટલીક દેવકુલિકાઓને ઉદ્ધાર કર્યો હતો તથા કેટલાકે પ્રતિમાઓ પધરાવી હતી. આ દાતાઓમાંથી ઘણા ખરા તે માંડવ્યપુરના જ રહેવાસી હતા. પ્રતિષ્ઠા કરનાર આચાર્યોમાં મુખ્ય ભાગ જ્ઞાનચંદ્રસૂરિએ જ ભજવે જણાય છે. તથાપિ નં. ૧૪૪-૪૫ માં માલધારી શ્રીતિલકસૂરિ, નં. ૧૬૮ માં સેમપ્રભસૂરિ, નં. ૨૦૨ માં હેમપ્રભસૂરિ શિષ્ય રામચંદ્રસૂરિ અને નં. ૨૦૬ ના લેખમાં ઉકકેશગચ્છીય કકદાચાર્ય સંતાનીય
પ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org