________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૪૧)
-
આબુ પર્વત
non
લેખ વિષે એટલું જ કહેવું જોઇએ કે ઉપર કહેલા ગુહિલ લેખ (નં. ૧૯૫૩)ની મિતિ [ વિ. ] સં. ૧૩૪ર છે અને બાકીનાઓની મિતિ ત્યાર પછીની છે.
નેમીનાથના દેવાલયના લેખોમાંના બે મોટા અને ઘણાજ ઉપયોગી તથા બીજા ત્રીસ નાના લેખો મી. કાઉન્સની નકલ પરથી છે. લ્યુડસે પ્રસિદ્ધ કર્યા છે (જુઓ પુ. ૮; પાન, ૨૦૦ ) હવે હું [ વિ. ] સંવત ૧૩૭૮ ને લેખ આપું છું જે ઋષભના દેવાલયમાં છે અને તેમાં માત્ર જાણવા લાયક એ છે કે તે દેવળ વિ. સં. ૧૦૮૮ (લગભગ ઈ. સ. ૧૦૩૧ ) માં કઈક વિમલે બંધાવ્યું છે; આ વિમલને અબુંદ ઉપર (ચાલુકય) ભીમદેવ (પહેલા) પતિ નીમ્યો હતો એવી હકીકત છે.
લેખનું વર્ણન કર્યા પહેલાં મારે કહેવું જોઈએ કે અહીં આપેલી દેવળ ને પાયો નાંખ્યાની મિતિ બીજી રીતે પણ આપણે જાણવામાં આવે છે. ઈડીઅન ઍન્ટીકરી, ૫. ૧૧, પાન ૨૪૮ માં ડાકટર કલૅટે ( Dr. Klatt) ખરતરગચ્છની એક પટ્ટાવલીમાંથી એક વિભાગ આપે છે. આ ફકરામાં કહેવા પ્રમાણે પ્રધાન વિમલ જે પિરવાડ (પ્રાગ્રાટ ) વંશ હતો અને જેણે ૧૩ સુલતાનોનાં છત્ર ભાંગી નાંખ્યાં અને ચંદ્રાવતી નગર વસાવ્યું તેણે અબુદ પર્વત ઉપર ઋષભદેવનું દેવાલય બંધાવ્યું.- આ દેવાલય હાલ પણ “વિમલ વસહી” ના નામથી ઓળખાય છે, અને એની પ્રતિષ્ઠા વર્ધમાનસૂરીએ ૧૦૮૮ માં કરી હતી. આજ હકીકત અને આજ મિતિ સાથે, પ્રો. વેબરના * કૅટલૅગ ઓફ ધી બરલીન મેન્યુસ્ક્રીપ્ટસ, ” પુસ્તક ૨ પા. ૧૦૩૬ ને ૧૦૩૭ ઉપર પૂર્ણ રીતે આપી છે અને ત્યાં, વિશેષમાં, એમ કહેવું છે કે દેવાલય બંધાવવાની જમીન બ્રાહ્મણે પાસેથી મેળવવામાં વિમળ સેનાના સિક્કા જમીન ઉપર પાથર્યા અને દેવળ બાંધવામાં તેણે ૧૮૫૩૦૦૦૦૦ ખર્ચા.
વળી પ્રો. પીટરસનના ચતુર્થ રીપોર્ટ, પાન. ૯૨ માં જિનપ્રભસૂરીના તીર્થકલ્પમાંથી લીધેલા એક ફકરામાં પણ આના સંબંધે ઉલ્લેખ છે; ત્યાં પણ • વિમલવસતિ” ની મિતિ ૧૦ ૮૮ આપી છે ૧ અને “લુણિગ વસતિ' ની
૧ મારામત પ્રમાણે છે. પીટરસને આપેલા ૩૯-૪૦ પોમાં કાંઇક ભૂલ છે પણ “વિમલ વસતિ 'બંધાગ્યાની મિતિ વિષે કોઈ પણ જાતની શંકા નથી.
. ૨ આ ફકરાઓમાં કહ્યા પ્રમાણે “ લુણિગ વસતિ” બાંધનાર ‘સૂત્રધાર” શનિદેવ હતા જેના વિષે પ્રબન્ધ ચિન્તામણિ, પાન. ૨૫૯ માં પ્રાસાદ-કારક સૂત્રધાર તરીકે ઉલ્લેખ છે. મી. કાઉસેસના લીસ્ટમાં નં. ૧૬૭૪ માં બાંધનારનું નામ આવે છે. આ લેખ વિ. સં. ૧૨૮૮ નો છે.
૫૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org