________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૧૨૩)
[ આબુ પર્વત
(હાલનું ચારૂપ) નામના સ્થાનમાં આદિનાથનું બિંબ, એક મંદિર અને ૬ ચઉકિયા (વેદીઓ?) સહિત ગૂઢમંડપ બનાવ્યું. પૃષ્ટ ૭૧ ઉપર ખુલાસે કરવામાં આવ્યો છે, ત્યાં જાઓ.) આ ઉપરથી એમ સમજાય છે કે પ્રભાવ ચરિત્રવારના સમયમાં એ સ્થાન બહુ મહત્વનું અને પ્રાચીન ગણાતું હતું. એ જ ચરિત્રમાં વરસૂરીના પ્રબંધમાં લખવામાં આવ્યું છે કે-વીરસૂરિ પાટણ આવ્યા ત્યારે પ્રથમ તેઓ ચારૂપ આવીને રહ્યા હતા અને ત્યાં તેમનો સિદ્ધરાજ જયસિંહે તથા પાટણના સંઘે ખૂબ સત્કાર કર્યો હતો. ૧૪ મા સૈકામાં થઈ ગયેલા માંડવગઢના પ્રસિદ્ધ ધનાઢ્ય પેથડશાહે ચારૂપમાં એક શાંતિનાથનું મંદિર બનાવ્યું હતું, એમ સુકૃતસાર અને મુનિસુંદરસુરીની બનાવેલી ગુવ માં સ્પષ્ટ ઉલ્લેખ છે. ૩રાતiળા માં કેટલાક પ્રસિદ્ધ પ્રસિદ્ધ તીર્થસ્થળોનાં નામે ગણાવ્યાં છે તેમાં પણ ચારૂપ નું નામ જોવામાં આવે છે:--
“ બીજાઢ-૪- ડ-ટેશ્વર–વાવ–-ગાળ–સલેશ્વરવાહ –ાવળવાર્થવશ્વર-ચિત્રકૂટ-ગાઘાટ-પુર–સ્તમનપાર્શ્વનાગપુરતુમુલहाराद्यनेकतीर्थानि जगतीतले वर्तमानानि । "
આ સિવાય બીજાં પણ અનેક તીર્થમાળા આદિ પ્રકરણમાં તથા સ્વતંત્ર સ્તોત્ર-સ્તવનોમાં ચારૂપને એક પવિત્ર તીર્થ તરીકે કથવામાં આવ્યું છે. એ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે જુના સમયમાં એ સ્થાન બહુ પ્રસિદ્ધ હતું અને ત્યાં અનેક મંદિરો હતાં. વર્તમાનમાં એ ઠેકાણે પ્રાચીનતાદર્શક કોઈ વિશેષ પ્રમાણે દેખાતાં નથી. પરંતુ જે ખોદકામ કરવામાં આ વે તે કેટલીક મૂર્તિઓ વિગેરે મળી આવવાનો ખાસ સંભવ રહે છે. હું મહારી મુલખાત દરમ્યાન એ સ્થાને એક પરિકરને ખંડિત ભાગ જોયો હતો જેના ઉપર આ પ્રમાણે લેખ કોતરેલ હતો -- (૧) .. .. દ્દેિ ૧૩ શ્રીનાછે બીસીકુળરિવંતા રાજન
सुत श्रे० सोभा तथा श्रे० जसरा सुत (२) .........देवाभ्यां चारूपग्रामे श्रीमहातीर्थे श्रीपार्श्वनाथपरिकरकारित () તિતિં દ્વારિમિઃ |
આ લેખમાં જણાવેલા દેવચંદ્રસરી સાથે સંબંધ ધરાવનાર સંવત૧૩૦૧ ને એક લેખ પાટણમાં છે. તથા ખાસ એ આચાર્યની એક મૂર્તિ પણ પાટણના પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં વિરાજિત છે.
૫૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org