________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૧૧૦ ).
[આબુ પર્વત
૪૩ થી ૪૯ સુધીનાં કાવ્યોમાં, વસ્તુપાલ અને તેના પુત્ર જૈત્રસિંહ (અથવા જયંતસિંહ) જે લલિતાદેવીને પુત્ર હતા, તેની પ્રશંસા કરવામાં આવી છે. તથા તેજપાલ મંત્રીની બુદ્ધિ અને ઉદારતાનું વર્ણન કરવામાં આવ્યું છે. - આ પછી તેજપાલની પત્ની અનુપમાદેવીનું વશવર્ણન શરૂ થાય છે. ચંદ્રાવતી નગરીમાં પ્રાગ્વાટવંશમાં શ્રીગાગા નામે શેઠ થયે. ( પ. ૫૦) તેને પુત્ર ધરણિગ થે. (૫. પ૧) તેની સ્ત્રી ત્રિભુવનદેવી હતી જેનાથી અનુપમા નામે કન્યા થઈ. અને તે તેજપાલને પરણાવવામાં આવી. (૫. પર–૩) એ અનુપમા, નીતિ, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય અને ઉદારતા આદિ ગુણે કરી અનુપમ હતી. તેણે પિતાના ગુણથી પિતા અને શ્વશુરના બંને કુલે ઉજજવલ કર્યા હતાં. (પ. ૫૪) એ અનુપમા દેવીથી તેજપાલને લાવણ્યસિંહ (અથવા લુણસિંહ) નામે પુત્ર થે. (પ. ૫૫-૬) તેજપાલના હેટા ભાઈ મત્રિ મલ્લદેવને પણ તેની લીલુકા નામે પત્નિથી પૂર્ણસિંહ નામે પુત્ર થયે અને તેને પણ તેની સ્ત્રી અલ્હણદેવીથી પેથડ નામના સુપુત્ર જન્મે. (૫. પ૮) મંત્રી તેજપાલે પોતાની પત્ની અનુપમાદેવી અને પુત્ર લાવણ્યસિંહના કલ્યાણાર્થે, આ નેમિનાથનું મંદિર બનાવ્યું. (૫. ૬૦) તેજપાલ મંત્રિએ, શંખ જેવી ઉજલી–આરસ પહાણની શિલાઓ વડે આ ઉચ્ચ અને ભવ્ય નેમિનાથનું મંદિર બનાવ્યું છે. તેની આગળ એક વિશાલ મંડપ અને આજુબાજુ બલાન સહિત પર બીજા ન્હાના જિનમંદિર બનાવ્યાં છે. (પ. ૬૧) તથા, એમાં (૧) ચંડપ. (૨) ચંડપ્રસાદ. તથા તેની સ્ત્રી અનુપમાદેવીનું નામ ઉલિખિન છે. એના સમયના ૪ લેખો મળ્યા છે જેમાં સૌથી પ્રથમ તે સં. ૧૨૮૭ ને આ પ્રસ્તુત લેખ છે અને સાથી પાછળનો ઉકત સં. ૧૨૪૩ ને ડમાણીને દેવક્ષેત્ર સંબંધી છે. સોમસિંહ, પિતાની હયાતીમાં જ પિતાના પુત્ર કૃષ્ણરાજદેવ (અથવા કાન્હડદેવ) ને યુવરાજ બનાવી દીધો હતો અને તેના હાથખર્ચ માટે નાણે નામનું ગામ ( જે જોધપુર રાજ્યને ગોડવાડ ઈલાકામાં આવેલું છે ) આપ્યું હતુંसिरोही राज्य का इतिहास | पृष्ट, १५३-४ ।
૫૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org