________________
અર્થ : સાધુવેષને ધારણ કરવા છતાં પણ આ જીવો ગૃહસ્થથી જરાય
ચડિયાતા નથી હોતા, કેમકે ગૃહસ્થ ધર્મથી તેઓ ઊડ્યા જ નથી અને
સાધુધર્મમાં (અંતરથી) પ્રવેશ્યા જ નથી. (५१) गृहेऽन्नमात्रदौर्लभ्यं, लभ्यन्ते मोदका व्रते ।
वैराग्यस्यायमर्थो हि, दुःखगर्भस्य लक्षणम् ।।७।। અર્થ: ઘરમાં ખાવાના ય ફાંફા છે અને સાધુ થઈએ તો રોજ લાડુ ખાવા
મળે છે !” આવી સમજણ જે વૈરાગ્યમાં છે તે દુઃખગર્ભ વૈરાગ્ય
કહેવાય. (५२) उत्सर्गे वाऽपवादे वा, व्यवहारेऽथ निश्चये ।
ज्ञाने कर्मणि वाऽयं चेन्न तदा ज्ञानगर्भता ।। ३५।। અર્થ : જો કોઈ વિરક્ત જણાતો મુનિ ઉત્સર્ગ કે અપવાદના વિષયમાં,
વ્યવહાર કે નિશ્ચયના વિષયમાં, જ્ઞાન કે ક્રિયાના વિષયમાં – ક્યાંય પણ એકાન્ત આગ્રહ, કદાગ્રહ સેવે તો તે મુનિનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ
તો ન જ કહેવાય. (५३) स्वागमेऽन्यागमार्थानां शतस्येव पराय॒के ।
नावतारबुधत्वं चेन्न तदा ज्ञानगर्भता ।। ३६।। અર્થ : જેમ પરાર્ધમાં સો સમાઈ જાય છે તેમ જિનાગમમાં અન્ય આગમોના
અર્થ સમાવી દેવાનું કૌશલ જો ન હોય તો તે મુનિનો વૈરાગ્ય
જ્ઞાનગર્ભ ન કહેવાય. (५४) नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने ।
माध्यस्थ्यं यदि नायातं न तदा ज्ञानगर्भता ।। ३७।। અર્થ : દરેક નય પોતાને અભિપ્રેત અર્થનું પ્રતિપાદન કરવા લાગે ત્યારે તેનું
પ્રતિપાદન સાચું જ લાગે પણ જ્યારે તેની સામે તેનો વિરોધી નય, તેનું ખંડન કરવા લાગે ત્યારે તે નય નિષ્ફળ, નકામો, અસત્ય ઠરી જતો લાગે. નિશ્ચયનય પોતાના મન્તવ્યને જોરશોરથી રજુ કરે ત્યારે તે જ સાચો લાગે પણ વ્યવહાર (પર) નય તરફથી તેનું ખંડન થવા લાગે એટલે
૧૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧