Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/022617/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો અર્થસહિત પં. ચન્દ્રશેખરવિજ્યજી ભાગ-૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ ************* જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અર્થ સહિત) (ભાગ-૧) પ્રેરક : પં. ચન્દ્રશેખરવિજયજી સંગ્રાહક : મુનિશ્રી ગુણહંસવિજયજી ૩૩૨ ક્મલ પ્રકાશન ટ્રસ્ટ 米米米米米米米米米米米米米米 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: કમલ પ્રકાશન . જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફરોડ, અમદાવાદ-૧ ફોનઃ પ૩૫૫૮૨૩, પ૩૫૬૦૩૩ લેખક - પરિચયઃ સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી. આવૃત્તિ: પ્રથમ સંસ્કરણ : નકલ : ૨૦૦૦ તા. ૨૫-૧૦-૨૦૦૩, વિ. સં. ૨૦૫૯ મૂલ્ય રૂા. ૪૦/ ટાઈપસેટિંગ : અરિહંત ગ્રાફિક્સ ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ મુતક : નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. ફોન: ૫૫૦૮૬૩૧, ૮૦૪૬૨૧૯ જે સાધુ-સાધ્વીજી ભગવંતોને “જન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો” ના બે ભાગો જોઈતા હોય તેઓ કમલ પ્રકાશન ટ્રસ્ટના સરનામે જાણ કરે. સાધુ-સાધ્વીજીઓને ભેટ આપવામાં આવશે. મુમુક્ષુઓ માટે રૂા. ૬૦- રાખેલ છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિ.સં. ૨૦૫૯ની સાલનું ચાતુર્માસ મેં પાલીતાણાની તીર્થભૂમિમાં કર્યું. શ્રમણ-શ્રમણીઓ અને દીક્ષાર્થી ભાઈ-બેનોને શાસ્ત્રીય વાચનાઓ આપીને સંયમજીવનનું ઊર્ધીકરણ કરવાનો મારો ઉદેશ હતો. અપેક્ષા મુજબનું સુંદર પરિણામ મળ્યું. વાચનાઓનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી કાયમ માટે આંતર જાગૃતિ જળવાઈ રહે અને તે વધતી રહે, તે માટે બે બાબતો વિચારાઈ. (૧) “સંયમદૂત” જેવા નામનું માસિક પ્રગટ થાય જેમાં નકરી આત્મહિતકર વાતો હોય, જેનો સ્વાધ્યાય થતો રહે. વિ.સં. ૨૦૬૦ના બેસતા વર્ષે તેનો પહેલો અંક પ્રગટ થશે. .. (૨) બારથી પંદર શાસ્ત્રોમાંથી એક હજાર જેટલા અત્યન્ત સુંદર શ્લોકો ઉદ્ધત કરવા, બે ભાગમાં પુસ્તકાકારે પ્રગટ કરવા. (અનુવાદ સહિત) જો તે એક હજાર શ્લોકો (રોજનો એક શ્લોક ગોખાય તો ય ત્રણ વર્ષે પુરા ગોખાઈ જાય.) કઠસ્થ કરી લેવાય અને યથાશક્ય રોજ ૩૦૦ થી ૫૦૦ શ્લોકોનો અર્થચિંતન સાથે પાઠ થાય તો રોજબરોજ તાજો વૈરાગ્યભાવ આવિર્ભાવ થતો જાય. સંયમ-જીવનનો આનંદ વર્ધમાન બનતો રહે. એક હજાર શ્લોકોના બે ભાગ કરવામાં આવે, જેથી વિહારાદિમાં સાથે રાખવામાં સરળતા પડે. દેવ-ગુરુની કૃપાથી આ કાર્ય કમલ પ્રકાશન ટ્રસ્ટે એક જ માસમાં પૂર્ણ કર્યાથી ચાતુર્માસની પૂર્ણાહૂતિ પૂર્વે આ બે ભાગ “જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો” એવા નામકરણ સાથે પ્રગટ થઈ શક્યા અને વાચનાર્થીઓના હાથમાં અર્પણ થયા. જેમને તે જોઈએ તે સહુ દીક્ષિતો, દીક્ષાર્થીઓ તથા પંડિતો “કમલ પ્રકાશન ટ્રસ્ટને પત્ર લખીને (વિના મૂલ્ય) મંગાવી શકશે. ભિન્ન ભિન્ન ગ્રન્થોમાંથી શ્લોકો ઉદ્ધત કરીને સંગૃહીત કરવાનું કાર્ય મારા સુવિનીત શિષ્ય ગુણવંતવિજયજીએ કર્યું છે. પૂફ રીડીંગનું કાર્ય મારા શિષ્ય જિનપદ્મવિજયજીએ કર્યું છે. આ કાર્ય કરવા બદલ તેમને મારા અંતઃકરણના આશિષ પાઠવું છું.. પાલીતાણા ૨૦૫૯, આસો સુદ ૭મી ગુરુપાદપદ્મરણ તા. ૩-૧૦-૨૦૦૩ ૫. ચન્દ્રશેખરવિજય લિ. Page #5 -------------------------------------------------------------------------- ________________ આજે જ જોડાઈ જાઓ... આજે જ બેકારીની ચિંતામાંથી મુક્ત થાઓ લાખો ડિગ્રીધારી બેદારોની સામે જૈન યુવાનોને ૧૦૦% નોકરીની ગેરેંટી આપતી આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા પ્રેરણાદાતા-પૂ.પાદ પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. તથા પૂ. મહાનંદાશ્રીજી મ.સા. સૌજન્ય : સ્વ. સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપસી. સંયોજક : મુનિશ્રી જિતરક્ષિતવિજયજી સંસ્કૃત પાઠશાળા(સાબરમતી પાસે)ની આ છે કેટલીક વિશેષતાઓ હંમેશ વિદ્વાન ગુરુભગવંતોનો સત્સંગ વિદ્વાન પંડિતો અને સાધુભગવંતો દ્વારા પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત, પ્રાકૃતબુક, વ્યાકરણ, ન્યાયદર્શન વગેરેનો અભ્યાસ માસિક વિશિષ્ટ સ્પર્ધાઓ તથા અભ્યાસ ઉપર આકર્ષક પુરસ્કારો (સ્કોલરશીપ) કમ્પ્યૂટર ક્લાસીસ અંગ્રેજી, નામું, વિવિધ સ્પર્ધાઓ, પૂજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે શિખવાડાશે. ૭ ૭ ક્ષેત્રોની વ્યવસ્થા ૭ રહેવા-જમવાનું સંપૂર્ણ ફ્રી. પાઠશાળાનો શિક્ષક બધા ક્ષેત્રમાં હોશિયાર બનાવીને સંઘનો સારો કાર્યકર બનશે. ખૂબ જ મર્યાદત સંખ્યામાં પ્રવેશ આપવાનો છે. • ફોર્મ મેળવવાનું સ્થળ ઃ તપોવન સંસ્કારપીઠ મુ અમિયાપુર, પો. : સુઘડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨ ૪૨૪. - અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ ૨૭૭૭, નિશા પોળ, રીલિફ રોડ, અમદાવાદ. ફોન ઃ ૫૩૫૬૦૩૩, ૫૩૫૫૮૨૩ ઃ પાઠશાળાનું સ્થળ :: તપોવન સંસ્કારપીઠ મુ. અમિયાપુર, પો. : સુઘડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨ ૪૨૪. ફોન : (૦૭૯) ૩૨૭૬૨૭૩, ૩૨૭૬૩૪૧ મોબાઈલ : ૯૪૨૬૦૬૦૦૯૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 'ઉમળકાભય હેયે અમે સ્વીકારીએ છીએ 'આપનું સ્નેહભર્યું સૌજન્ય પૂજ્યપાદ પં. ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના નુતન પુસ્તકોમાંથી આપે આ પુસ્તક પસંદ કર્યું. 0000000000000000000000000000000000000000000000000000000000000 00000000000000000000000000000000000000000000000000000 ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્યશ્રી તરફ્ટી આપના પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ : સૌજન્ય : પૂજ્ય પંન્યાસ ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્ય જયભૂષણ મ.સા.ની પ્રેરણાથી “આશિષ જયંતીભાઈ મહેતા” ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦વા Page #7 -------------------------------------------------------------------------- ________________ તમારાં વહાલાં બાળકોને છેવટે ત્રણ વર્ષ માટે તો ‘તપોવન’માં મૂકો જ જૂન માસથી શરૂ થતું સત્ર ચારે બાજુ વિકૃતિના વાયરા વીંઝાઈ રહ્યા છે. ખૂબ જ નાનીદસથી ચૌદ વર્ષથી જ બાળકોમાં ખરાબ સંસ્કારો પડવા લાગ્યા છે. ‘ગંદું’ કહેવાય તે બધું તેમના જીવનમાં પેસવા લાગ્યું છે. સમાજ તરફ સૂક્ષ્મ નજર કરતાં આ અતિ કડવું દર્શન કોઈ પણ સંસ્કૃતિપ્રેમીને થશે અને તે તીખી ચીસ પાડી દેશે. સંસારી જીવોની વહાલામાં વહાલી ચીજ તેમના સંતાનો ગણાય. જો તેમનું જ જીવનગુલાબ ખીલ્યું ન ખીલ્યું ત્યાં જ કરમાવા લાગે; તેમાં દોષોના કીડા પડવા લાગે અને કરમાઈ જાય તો એ મા-બાપોએ ક્યાં જવું ? ક્યાં રોવું ? શું આપઘાત કરી નાખવો ? પોતાના ઘરમાં કે ગમે તેવાં બોર્ડિંગ વગેરેમાં રાખીને બાળકોને શિક્ષણ આપી શકાશે, પરંતુ સંસ્કારો તો નહિ જ આપી શકાય. ઘરમાં મા-બાપો જ ટી.વી. વગેરેથી સમયની બરબાદી કરતાં ચક્કરોમાં જ જો ફસાયા હોય અને બોર્ડિંગોના સંચાલકોને જ બાળ-સંસ્કરણ માટેની કોઈ ગંભીરતા ન હોય તો સંસ્કાર ત્યાં શી રીતે મળશે ? તપોવનમાં ધાર્મિક અને વ્યાવહારિક - બન્ને પ્રકારનું શિક્ષણ છે. એ શિક્ષણ પણ ઊંચી ગુણવત્તાવાળું છે; પરંતુ તેની સાથોસાથ અહીં બાળકોના જીવનબાગમાં સુસંસ્કારોના છોડોનું વાવેતર કરવાનું કાર્ય તેમજ શારીરિક, શૈક્ષણિક, સામાજિક વગેરે રીતે સુવ્યવસ્થિત કરવાની સાથે તેને માનસિક અને આધ્યાત્મિક રીતે અત્યન્ત સુંદર બનાવવાનું સૌથી પ્રધાન લક્ષ છે. તે વડીલોનો અને દેવગુરુનો ભક્ત બને; સહુનો મિત્ર બને, જાતનો પવિત્ર બને... અને એ બધું બનીને એ શૂરવીર બને; જેથી રાષ્ટ્રરક્ષા, Page #8 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાનો એ સબળ યોદ્ધો બને એ જ આ તપોવનનું એકમાત્ર લક્ષ છે. એનામાં ધાર્મિક્તા, માનવતા અને રાષ્ટ્રીયતા (રાષ્ટ્રદાઝ) જો લાવી ન શકાય તો તપોવનને નીચું જોવાનું થાય એવું તમામ કાર્યકરણનું મંતવ્ય છે. જો આ બધી વિચારણામાં અને એના આધારે ગોઠવાયેલા તપોવનના માળખામાં મા-બાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓનાં ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં (ધોરણ ૫ થી ૧૨ની શાળા માટે) કમસે કમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈએ. બાળક તો નાદાન છે. એના ભાવિના ઘડતરના આ કામમાં અને ક્યાંક અગવડતા પડે; એની ઘરેલું સ્વછંદતાને અહીં પોષણ ન મળે તેથી તે તપોવનમાં દાખલ થવામાં અરુચિ બતાવે તો કઠણ કાળજાના બનીને પણ મા-બાપોએ બાળકોના સમગ્ર જીવનના હિતમાં તેને ઓછામાં ઓછું ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં આપવાનો નિર્ણય કરવો જ જોઈએ. | ( યાદ રાખો ) લાડમાં કે લાગણીમાં મા-બાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં જ એવું મોટું નુકસાન થઈ જશે જે જીવનભરમાં ભરપાઈ થશે નહિ; જેનાથી આખું કુટુંબ ત્રાહિમામ પોકારી જશે. ના... હવે શા માટે ક્રિડ્યાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કોન્વેન્ટ-સ્કૂલમાં આપણાં બાળકો જાય ? ધો. ૪ સુધી કોન્વેન્ટમાં ભણનારા બાળકોને તપોવનમાં જરૂર મૂકી શકાશે. હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય. Page #9 -------------------------------------------------------------------------- ________________ દાનવીરો ! બીજા તપોવનમાં આપનું મોટું ઔદાર્ય દાખવો. રૂા. એક લાખનું દાન આપીને તપોવનના પ્રવેશદ્વારની સામે ઊભા થનારા વિરાટ-મારબલ ઉપર જીવનદાતા તરીકે આપનું નામ લખાવો. આપનું દાન કલમ ૮૦-જી મુજબ કરમુક્ત રહેશે. જીવન જાગૃતિ ટ્રસ્ટ એ નામથી આપનો ચેક કે ડ્રાફટ નીચેના સરનામે મોકલો. જી.પ્ર. સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૫૩૫૫૮૨૩, ૧૫૩૫૬૦૩૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી અધ્યાત્મસાર અધિકાર-૧લો પ્રબંધ-૧લો (9) जगदानन्दनः स्वामी, जयति ज्ञातनन्दनः उपजीवन्ति यद्वाचमद्यापि विबुधाः सुधाम् ॥५॥ અર્થ : સમગ્ર જગતને આનંદ આપવાનું સામર્થ્ય ધરાવતાં ભગવાન જ્ઞાતનન્દન-મહાવીર પરમાત્મા સર્વોત્કૃષ્ટતાને પામે છે, જેમની સુધાસમી વાણીને ડાહ્યા પુરુષો આજે ય સેવી રહ્યા છે. (२) कान्ताधरसुधास्वादाधूनां यज्जायते सुखम् । बिन्दु: पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ।। ९ ।। અર્થ : રંગીલા યુવાનોને લલનાના ઓચુંબનમાં જે સુખદ સંવેદન થાય છે તે તો અધ્યાત્મશાસ્ત્રોના આસ્વાદની મસ્તીના સાગર પાસે બિન્દુ માત્ર ગણાય. સાવ વામણું ગણાય. निर्दयः कामचण्डालः पण्डितानपि पीडयेत् । यदि नाध्यात्मशास्त्रार्थबोधयोधकृपा भवेत् ।। १५ ।। (3) અર્થ : અરે ! જો આ અધ્યાત્મશાસ્ત્રના અર્થના બોધરૂપી યોદ્ધાની કૃપા ન ઉતરે તો ચતુર્દશ વિદ્યાના પારગામી ધુરંધર પંડિતને ય પેલો ક્રૂર કામચંડાલ ‘ત્રાહિમામ્' પોકરાવી દે હોં ! भुजास्फालनहस्तास्यविकाराभिनयाः परे । (૪) अध्यात्मशास्त्रविज्ञास्तु वदन्त्यविकृतेक्षणाः ।। १९ ।। અર્થ : જેમણે અધ્યાત્મશાસ્ત્ર જાણ્યું નથી એ વક્તાઓ જ્યારે ભાષણો કરે છે ત્યારે બાહુઓનું આસ્ફાલન કરે છે, હાથના અનેક ચાળાં કરે છે, મોં મલકાવે છે કે ખડખડાટ હસવાનો અભિનય કરે છે. જ્યારે અધ્યનૃત્મશાસ્ત્રને પીને પચાવી ગયેલા મહાત્મા તો એવો કોઈ ચાળો કરતા નથી. રે ! આંખની કીકીને ચલવિચલ થવા દેતા નથી ! એમની વાણી એટલે જાણે ગંગોત્રીના નિર્મળ શીતલ નીરના ખળખળ વહી જતા પ્રવાહ જ જોઈ લો ! ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷M÷÷124443++++9÷÷÷÷÷÷÷÷÷÷÷÷!?***÷÷÷÷÷÷÷÷644$44$$$4÷÷÷÷÷÷÷÷÷IT જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૧) ધ્વનિનાં પુત્રવાહિ યથા સંસારવૃદ્ધયે | तथा पाण्डित्यदृप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ।। २३ ।। અર્થ : એક તો મોટો કોટાનકોટિ ધનનો સ્વામી હોય અને વળી પુત્ર, પત્ની વગેરે પરિવારથી સજ્જ હોય, પછી તો એનો સંસાર કૂદકે ને ભૂસકે વધતો જ જાય ને ? આ ય પંડિતાઈના અભિમાનથી છાટકો બન્યો હોય અને અધુરામાં પૂરું, અધ્યાત્મભાવવર્જિત પોથાઓનો પારગામી હોય, પછી સંસાર ન વધે તો બીજું થાય શું ? અધિકાર-૨જો (६) गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ।। २॥ અર્થ : જે આત્મા ઉપર હવે મોહનો બળવાન અધિકાર રહ્યો નથી તે આત્માની, આત્માને અનુલક્ષીને કરાતી જે શુદ્ધ ક્રિયા, તેને જિનેશ્વર ભગવંતોએ અધ્યાત્મ કહ્યો છે. (૭) અશુદ્ધાવિત્તિ શુદ્ધાયા: યિાહેતુ: સવાશયાત્ | ताम्र रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ।।१६।। અર્થ : અશુદ્ધ ક્રિયા પણ મોક્ષાભિલાષના સુંદર આશય સાથે હોય તો બેશક તે પણ શુદ્ધ ક્રિયાનો હેતુ બની જાય. તાંબા જેવા તાંબાને ય ધાતુવાદશાસ્ત્રમાં કહ્યા મુજબ સુવર્ણરસ ચડાવવામાં આવે તો તે ક્યાં સોનું નથી થઈ જતું ? અશુદ્ધ ક્રિયા છે તાંબુ, મોક્ષાભિલાષ છે સુવર્ણરસ અને શુદ્ધ ક્રિયા છે સુવર્ણ. (૮) યો યુવા ભવનેુખ્ય ધીર: સ્વાર્ વ્રતપાતને । स योग्यो भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ।। १८ ।। અર્થ : આપણા જેવા છદ્મસ્થને માટે આંતર-ભાવવિશેષને (અમુક ભાવને) જાણવાનું ઘણું મુશ્કેલ છે, એટલે વ્રતની યોગ્યતા જાણવા માટે આંતરભાવનો ઉપયોગ થઈ શકે તેમ નથી. માટે જે આત્મા (૧) ++++++++++++++||||||| ૨ +¿÷÷÷÷÷÷÷¡÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભવની નિસારતાને જાણતો હોય, અને તેથી (૨) વ્રતોના પાલનમાં ધીર બને તેવો હોય તે આત્માને વ્રતનું દાન થઈ શકે. (૧) શુદ્ધ નાનુરાગ રાઠાનાં જા તુ શુદ્ધતા ! गुणवत्परतन्त्राणां सा न क्वापि विहन्यते ।।२१।। અર્થ: જે ગુરૂ (૧) શુદ્ધમાર્ગના-જિનાજ્ઞાના-ક્ટર અનુરાગી અને આરાધક છે, (૨) જેઓ દંભમુક્ત છે, (૩) અને જેઓ પોતાના ગુણિયલ ગુરૂને પરતત્ર છે એવા ગુરૂમાં જે શુદ્ધતા છે એ ગમે તેવા પ્રસંગમાં પણ હણાતી નથી. એવા ગુરુમાં મૃષાવાદાદિ દોષરૂપ અશુદ્ધિ સંભવતી નથી. (૧૦) ગુર્વાલાપરવચ્ચે વ્યવક્ષા રાખે वीर्योल्लासक्रमात्प्राप्ता बहवः परमं पदम्।। २७।। અર્થ : જેમનામાં માત્ર ગુરૂપારતન્યનો સદાશય હતો એ સદાશયપૂર્વક જેમણે અગણિત અશુદ્ધિવાળી દ્રવ્યદીક્ષા લીધી હતી, છતાં પેલા સદાશયને લીધે અપૂર્વ વર્ષોલ્લાસ ક્યારેક જાગી ગયો અને અનન્ત આત્માઓ શુદ્ધ ક્રિયાને પામીને મુક્તિના મંગળધામે પહોંચી ગયા. I અધિકાર-૩જો (११) दम्भेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ।। ३।। અર્થ : રે ! દંભપૂર્વક વ્રતો લઈને પરમ પદની પ્રાપ્તિની અભિલાષા! ના, ના, દંભીને વળી પરમ પદ કેવું? લોઢાની નાવમાં ચડીને સમુદ્રને પેલે પાર જવાની ઈચ્છા ! કેવી વાહિયાત વાત ! (१२) किं व्रतेन तपोभिर्वा दम्भश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ।। ४।। અર્થ : રે ! સર્યું એ વ્રતોથી અને તપ-જપથી, જો જીવનમાંથી દંભનો પગદંડો ઉખેડી નાંખ્યો ન હોય ! શી જરૂર છે ઓલા દર્પણની કે મોટા દીવડાની, જો આંખે જ અંધાપો હોય તો ! જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) Page #13 -------------------------------------------------------------------------- ________________ (१३) केशलोचधराशय्या-भिक्षाब्रह्मव्रतादिकम् । दम्भेन दूष्यते सर्व त्रासेनेव महामणिः ।।५।। અર્થ: હાય ! આ દંભથી તો બધું ય ખરડાઈ જાય ! કેશલોચ, ધરતીએ સંથારો, ભિક્ષા અને બ્રહ્મચર્યાદિ વ્રતો ! બધું ય નકામું થઈ જાય ! ભલેને મહામૂલો મણિ હોય પણ એને ય છાંટ (મણિનો દોષ) લાગી જાય પછી એના મૂલ શા રહે? (१४) सुत्यजं रसलाम्पट्यं सुत्यजं देहभूषणम् । सुत्यजा: कामभोगाद्या दुस्त्यजं दम्भसेवनम् ।।६।। અર્થ : હજી બહુ સહેલો છે રસની લોલુપતાનો ત્યાગ. રે ! સરળ છે દેહની વિભૂષાનો બહિષ્કાર ! અને સુશક્ય છે કામભોગોનો ઈન્કાર ! પણ... લોઢાના ચણા ચાવવાથી ય વધુ મુશ્કેલ છે દાંભિકતાનો ધિક્કાર! (૧૧) વોષનિનો તોપૂના ચક્ નોરવું તથા ! इयतैव कदर्थ्यन्ते दम्भेन बत बालिशाः ।।७।। અર્થ: અરે ! આ મૂર્ખાઓની જમાત તો જુઓ ! એ લોકો દંભનો આંચળો ઓઢે એટલે એમના દોષો ઢંકાઈ જાય. લોકો થોડો પૂજા-સત્કાર કરે અને આ રીતે દુનિયામાં થોડું માનપાનનું ગૌરવ પણ મળી જાય ! બસ, આટલી જ એમની સિદ્ધિ ! (૧૬) વસતીનાં યથા શીનમશીનચૈવ વૃદ્ધ / दम्भेनाव्रतवृद्ध्यर्थं व्रतं वेषभृतां तथा ।।८।। અર્થ : અસતીના શીલ (પરને આકર્ષવા માટેના) અશીલની જ વૃદ્ધિ કરે છે ને? તેમ વેષધારીઓના વ્રત પણ દંભ દ્વારા પાપની જ વૃદ્ધિ કરે છે. (१७) जानाना अपि दम्भस्य स्फुरितं बालिशा जनाः । तत्रैव धृतविधासा: प्रस्खलन्ति पदे पदे ।।९।। અર્થ: રે ! કેવા નાદાન લોકો ! પ્રપંચી જીવનના આગામી કટુ વિપાકોના ભડકાઓને જાણવા છતાં તેવા જ જીવનમાં પોતાના સુખની દઢ કલ્પના કરતા ડગલે ને પગલે ઠોકરો ખાતા રહે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ (१८) अहो मोहस्य माहात्म्यं दीक्षां भागवतीमपि । दम्भेन यद्विलुम्पन्ति कज्जलेनेव रुपकम् ।। १०।। અર્થ : રે ! મોહની તો આ કેવી અકળ લીલા ! કે તે પારમેશ્વરી ઉજ્જવલ પ્રવ્રજ્યાને પણ દંભના દોષથી ખરડી નાંખે છે. કાજળથી ચિત્ર ખરડાય તેમ ! (93) સન્ને દિને, તની રોગો, વને વિિર્વને નિશા - ग्रन्थे मौयं कलिः सौख्ये धर्मे दम्भ उपप्लवः ।।११।। અર્થ : શતદલ કમલ ઉપર હિમનું પતન એ ત્રાસરૂપ છે. શરીરમાં રોગ એ ઉપદ્રવ છે. વનમાં આગ લાગવી કે ભરબપોરે અંધકાર છાઈ જવો કે ગ્રન્થલેખનમાં મૂર્ખતાનું પ્રદર્શન થવું કે સુખસભર સ્નેહીજનોમાં લેશ મચવો-એ બધા ય ઉપદ્રવો છે. તો ધર્મચર્યામાં દાંભિતા હોવી એ ય ત્રાસ જ નથી શું? (२०) अत एव न यो धर्तुं मूलोत्तरगुणानलम् । युक्ता सुश्राद्धता तस्य न तु दम्भेन जीवनम् ।।१२।। અર્થ : દંભની ભયાનકતા આટલી બધી છે માટે જ એમ કહી શકાય કે જેઓ ચરણસિત્તરી રૂપ મૂલગુણોને અને કરણસિત્તરી રૂપ ઉત્તરગુણોને સારી પેઠે ધારણ કરવાને સમર્થ નથી તેમણે તો સુંદર એવું શ્રાવકપણું સ્વીકારી લેવું એ જ યોગ્ય છે. પરન્તુ દંભનો મહોરો પહેરીને સાધુ તરીકે જીવવું એ તો બિલકુલ ઉચિત નથી. (२१) परिहर्तुं न यो लिङ्गमप्यलं दृढरागवान् । संविज्ञपाक्षिकः स स्यानिर्दम्भः साधुसेवकः ।। १३ ।। અર્થ : જેઓ સાધુવેષ ઉપર દઢ રાગ ધરાવે છે અને તેથી સાધુવેષ મૂકી દેવાનું તેમની તાકાત બહારનું કાર્ય બની જાય છે. ભલે, તો પણ આવા સાધુઓએ “સંવિજ્ઞ સાધુ' તરીકે જગતમાં પંકાવાનું ત્યાગી દઈને “સંવિજ્ઞ-પાક્ષિક તરીકે પોતાને જાહેર કરવા જોઈએ અને દંભમુક્ત બનીને સુવિહિત સાધુના સેવક બની રહેવું જોઈએ. (२२) निर्दम्भस्यावसन्नस्याप्यस्य शुद्धार्थभाषिणः ।। નિર્નરાં યતિના તત્તે પુનિE | 9૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) Page #15 -------------------------------------------------------------------------- ________________ અર્થ: આવા સાધુસેવક સંવિજ્ઞપાક્ષિક “અવસગ્ન કહેવાય છે. (૧) આવો સાધુ પણ દંભત્યાગ કરીને રહે.(૨) આચારમાં શૈથિલ્ય છતાં જિનવચનની શુદ્ધ પ્રરૂપણા કરતા કદી ય પાછો ન હટે. (૩) અને ગુણરાગી હોય તો તેની થોડી પણ યતના કર્મનિર્જરાને કરાવનારી બની રહે છે. (२३) व्रतभारासहत्वं ये विदन्तोऽप्यात्मनः स्फुटम् । दम्भाधतित्वमाख्यान्ति तेषां नामापि पाप्मने ।।१५।। અર્થ: પરન્તુ “વ્રતનો મેરૂભાર સહવાને પોતાનો આત્મા તદ્દન અસમર્થ છે એવું સારી રીતે જાણવા છતાં પણ જે વેષધારીઓ વિશ્વના ભાવુક આત્માઓ સાથે પ્રપંચના ખેલ ખેલી પોતાની જાતને “સુવિહિત યતિ' તરીકે બિરદાવે છે તેમનું તો નામ લેવું એ ય પાપ છે. (૨૪) ગુર્ત રે યતનાં સચવ શ્રાવિતામણિ | तैरहो यतिनाम्नैव दाम्भिकैर्वञ्च्यते जगत् ।।१६।। અર્થ : તે તે કાળને ઉચિત એવી યતનાયુક્ત આવશ્યક ક્રિયાને પણ જેઓ કરતા નથી તે ધૂર્તોએ તો “યતિ'ના નામથી જ આખા વિશ્વને ઠગ્યું! (२५) धर्मीति ख्यातिलोभेन प्रच्छादितनिजाश्रवः । तृणाय मन्यते विधं हीनोऽपि धृतकैतवः ।।१७।। અર્થ: રે ! કપટી દુનિયાની આ કેવી દુર્દશા ! લોકોમાં પોતાને ધર્મી કહેવડાવવાની મહત્ત્વાકાંક્ષાથી પોતાના પાપોના મેલને ઢાંકી રાખે છે! અને એ દંભી પોતે જ તણખલાં જેવા દીન, હીન હોવા છતાં આખા વિશ્વને તણખલા જેવું માને છે !!! (ર૬) રાસ્નોત્તતો ”ી પરેષાં વાપરવાતિઃ | बध्नाति कठिनं कर्म बाधकं योगजन्मनः ।।१८।। અર્થ: દંભી આત્મા આત્મશ્લાઘા અને પરનિન્દા કરી કરીને કાળા કર્મ બાંધે છે, જે કર્મ મુક્તિની યોગસાધનાના પરિપૂર્ણ જીવનની પ્રાપ્તિને અટકાવી રાખનાર બને છે. (२७) आत्मार्थिना ततस्त्याज्यो दम्भोऽनर्थनिबन्धनम् । शुद्धिः स्यादृजुभूतस्येत्यागमे प्रतिपादितम् ।।१९।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ અર્થ માટે જ આત્માર્થી જીવે, અગણિત અનર્થોના ઉત્પાદક આ દંભનો ત્યાગ કરી દેવો જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, “આત્મશુદ્ધિ તો સરળ આત્માની જ થાય અને સરળ આત્મામાં જ ધર્મ સ્થિર થાય છે.” (૨૮) નિનનુક્તિ િિન્નિષિદ્ધ વા ન સર્વથા | कार्ये भाव्यमदम्भेनेत्येषाऽऽज्ञा पारमेश्वरी ।।२०।। અર્થ : જિનેશ્વર ભગવંતોએ નથી તો કોઈ ધર્મનું એકાંતે વિધાન કર્યું, નથી તો કોઈ બાબતનો એકાંતે નિષેધ કર્યો ! એ પરમતારકોની તો એ જ આજ્ઞા છે કે વિહિત બધું કરો, નિષિદ્ધ બધું ત્યાગો પણ દંભમુક્ત બનીને જ. (२९) अध्यात्मरतचित्तानां दम्भः स्वल्पोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य सिन्धुं लङ्घयतामिव ।। २१ ।। અર્થ : અધ્યાત્મ-ભાવમાં જેમના ચિત્ત મસ્તાન બની ગયા છે એ આત્માઓને તો દંભનો લવલેશ પણ સ્પર્શવાનું ઉચિત નથી. રે ! દંભને એ સ્પર્શી શકતાં જ નથી. સમંદરને પાર ઉતરતા મુસાફરોની હોડીમાં એક નાનકડું પણ છિદ્ર કેમ નભાવી લેવાય? (३०) दम्भलेशोऽपि मल्ल्यादेः स्त्रीत्वानर्थनिबन्धनम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ।। २२ ।। અર્થ : રે ! આ રહ્યું સાક્ષાત્ દષ્ટાન્ત દંભની જીવલેણ ખતરનાકતાનું ! મલ્લિનાથ ભગવંતનો એક પૂર્વભવ! દંભનો કણિયો જ અડી ગયો હતો ને ? અને તેનું પરિણામ ? ખુદ તીર્થકરના ભવમાં જ સ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો ! આ ગંભીર બાબતને લક્ષ્યમાં રાખીને મહાત્માઓએ પોતાના જીવનમાંથી દંભના પાપને દૂર કરવા સતત યત્નશીલ બની રહેવું જોઈએ. અધિકાર-૪થો (३१) जना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि । प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता । જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना । भवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ।। ६ ।। અર્થ : અરે ! ગજબ થઈ ગયો, સાંભળો. કેટલાક માણસો કોઈ ગુરૂ ભોમિયાની સહાય વિના જ સંસારવનને પાર કરવાનું સાહસ કરવા તૈયાર થયા ! ગમે તે રીતે થોડા ધર્મરૂપી ધનની ભિક્ષા મહામુસીબતે મેળવીને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક વિકટ કિલ્લો આવ્યો. એનું નામ હતું લલનાસ્તન. આ બંદાઓ ત્યાં બેઠા ! પણ થોડી જ વાર થઈ ત્યાં તો મહાબળવાન કામ-ભિલ્લ આવ્યો અને એ બધાને સાવ લૂંટી લીધા ! અંગ ઉપર એક ચીંદરડી ય ન રહેવા દીધી ! માટે હે મુસાફરો ! સમજી રાખજો કે આ ભવાટવીમાં કોઈની પણ સહાય વિના જવાનું બિલકુલ ચિત નથી. (૩૨) દન્તિ જીન્તિ ક્ષળમય = લિન્તિ વહુધા | रुदन्ति क्रन्दन्ति क्षणमपि विवादं विदधते । पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशाः । भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ।। २० ।। અર્થ : સંસારમાં ચારે બાજુ રહેલા આ દેહધારીઓ તો જુઓ ! કેટલાક ખડખડાટ હસે છે, આનંદ-પ્રમોદ કરે છે, પણ પળ-બેપળમાં જ તેઓ શી ખબર ! શેંગીયા મોંવાળા થઈ જાય છે ! કેટલાક વળી પોક મૂકીને રડે છે, રાડો પાડે છે અને એકદમ વળી લડવા ય મંડી જાય છે ! કેટલાક નાસભાગ કરતા દેખાય છે, તો કેટલાક અમન-ચમન ઉડાવતા જણાય છે, કેટલાક વળી નાચતાનમાં પલોટાઈ ગયા જણાય છે. ઓહ ! કર્મને પરવશ આ જીવો વિવિધ પ્રકારના મોહના ઉન્માદમાં કેવા ફસડાઈ પડ્યા છે ! (३३) प्रियावाणीवीणाशयनतनुसम्बाधनसुख भवोऽयं पीयूषैर्घटित इति पूर्वं मतिरभूत् । ++++++++++++++++++++++++ *Elllllllllllllllll જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदा- । मिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ।। २३ ।। અર્થ : પ્રિયાની મધુર વાણીની વીણા, શયન અને શરીરમર્દન વગેરે સુખોથી પહેલાં તો અમને એમ જ લાગતું હતું કે વિધાતાએ આ સંસાર અમૃતમાંથી જ બનાવ્યો છે. પણ તત્ત્વોના રહસ્યને જાણ્યા પછી તો એકાએક અમને આ સંસારમાંથી રતિ સાવ ઊડી ગઈ છે. હવે તો અમારા આત્મામાં જ રતિ લાગી છે. (३४) भवे या राज्यश्रीर्गजतुरगगोसङ्ग्रहकृता । न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि । बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतयः । ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ।। २५।। અર્થ : સંસારમાં હાથી, ઘોડા, ગાય વગેરેના સંગ્રહવાળી રાજ્યલક્ષ્મી છે, તો શું પોતાના ચિત્તમાં જ જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ઉત્પન્ન થયેલી તેવી જ્ઞાનલક્ષ્મી નથી ? બાહ્ય જગતમાં વહાલી કહેવાતી સ્ત્રીઓ છે, તો શું ચિત્તમાં વહાલી આત્મરતિ નથી ? જો છે, તો પછી સ્વાધીન એવું સુખ જતું કરીને પરાધીન સુખની ઈચ્છા કોણ કરે? (३५) पराधीनं शर्म क्षयि विषयकाझौघमलिनम् । भवे भीते: स्थानं तदपि कुमतिस्तत्र रमते । बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते । निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ।।२६।। અર્થ : સંસારસુખમાં તે કેટલા દોષો બેઠા છે? તે પરાધીન છે, વિનશ્વર છે, વિષયાસક્તિથી મલિન બનેલું છે, ભયનું કારણ છે. આમ છતાં ય મલિન મતિવાળા માણસોને એમાં જ આનંદ આવે છે. જ્યારે જ્ઞાની આત્મા તો જે સ્વાધીન છે, શાશ્વત છે, ઈન્દ્રિયોની ઉત્સુકતાથી મુક્ત હોઈને નિર્મળ છે અને જે સર્વ ભયથી મુક્ત છે તેવા આધ્યાત્મિક સુખમાં જ લયલીન બની રહે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) Page #19 -------------------------------------------------------------------------- ________________ : પ્રબંધ-રેજો અધિકારપમો (३६) भवस्वरूपविज्ञानाद् द्वेषान्नैर्गुण्यदृष्टिजात् । तदिच्छोच्छेदरूपं द्राग् वैराग्यमुपजायते ।।१।। અર્થ : સંસારના સ્વરૂપનું જ્ઞાન થવાથી “સંસાર નિર્ગુણ છે એવી સ્પષ્ટ) દષ્ટિ પ્રાપ્ત થાય. એવી દષ્ટિ પ્રાપ્ત થયા પછી એ સંસાર ઉપર દ્વેષ (અરૂચિ) ઉત્પન્ન થાય. અને એ નફરતમાંથી સંસારભોગની ઈચ્છાનો નાશ થાય. આ “ભવેચ્છાનાશ એ જ વૈરાગ્ય છે. ટૂંકમાં અનાસક્તિ એ જ વૈરાગ્ય. (૩૭) વિષઃ ક્ષીય માનો નેસ્થરિવ પાવ ! प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्द्धते ।। ४।। અર્થ: રે ! વિષયોના ભોગ માણવાથી તે શું કામરાગ નાશ પામી જતો હશે? નાશ પામવાની વાત તો દૂર રહી પણ અગ્નિમાં ઈન્ધન નાંખતા જેમ અગ્નિ વધુ ને વધુ ભડકે બળે તેમ આ કામ પણ વિષય ભોગથી તો વધુ બળવાન બની જઈને વધુ ને વધુ પ્રજ્વળે છે. (३८) सौम्यत्वमिव सिंहानां पन्नगानामिव क्षमा । विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु दुर्लभम् ।।५।। અર્થ: નહિ, નહિ. વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય સંભવે જ નહિ. વિષયમાં પ્રવૃત્ત હોય અને વિષયોથી વિરક્ત હોય ? એ શી રીતે બને? જો વનકેસરીમાં સૌમ્યતા જોવા મળે, જો કાળોતરા નાગમાં ક્ષમા જોવા મળે તો વિષયોમાં પ્રવૃત્ત બનેલા આત્મામાં વૈરાગ્ય મળે ! રે ! વિષયભોગીને વૈરાગ્ય ! અતિ દુર્લભ ઘટના ! (૩૨) કૃત્વા વિષયત્યા પો વેરા વિધતિ अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति ।।६।। અર્થ : વિષયના ભોગ છોડ્યા વિના વૈરાગ્યની સાધના કરવાની ઈચ્છા રાખનારો કુપથ્યને છોડ્યા વિના રોગનાશને ઈચ્છતા દરદી જેવો કહેવાય ! જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ (४०) धर्मशक्तिं न हन्त्यत्र भोगयोगो बलीयसीं । हन्ति दीपापहो वायुर्व्वलन्तं न दवानलम् ।।२०।। અર્થ : નાનકડા અગ્નિને વાયુ હણી શકે પણ એ અગ્નિ પ્રચંડ દાવાનલ બની જાય તો ? તેને તો ન જ હણી શકે ને ! એ જ રીતે એક વખતની નાનકડી ધર્મશક્તિને જે ભોગયોગ હણી શકવા સમર્થ હતો તે, હવે ખૂબ બળવાન બની ગએલી વિરાટ ધર્મશક્તિને તો ન જ હણી શકે ને ? (૪૧) વાલીનિરોધાર્યનિવૃત્તિીર રવિન્ | निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ।। २२।। અર્થ : વળી વિષયોમાં પ્રવૃત્તિ (અનિવૃત્તિ) પણ કેટલીક વાર તો મોટા દોષોના નિવારણ કરવાની દૃષ્ટિએ પણ કરવામાં આવે છે. એટલે જેમ મોટા દોષની નિવૃત્તિ એ સારી વસ્તુ છે તેમ કેટલીક વાર યોગના સ્વામીઓને વિષયોમાં પ્રવૃત્તિ પણ એટલી જ સારી બની રહે છે. વિષયોમાં પ્રવૃત્તિ કરવા છતાં એ આત્માઓ વૈરાગ્ય (અનાસક્તિ)થી વાસિત બની રહે છે. (४२) बलेन प्रेर्यमाणानि करणानि बनेभवत् । न जातु वशतां यान्ति प्रत्युतानर्थवृद्धये ।। २९ ।। અર્થ : બળપૂર્વક મનને મારી દઈને ઈન્દ્રિયોના આવેગોને દબાવવાથી તે ક્યારેય પણ વશ થઈ શકતી નથી. ઉલટું, જંગલી હાથીની જેમ ભયંકર ઉત્પાત મચાવનારી બને છે. (४३) पश्यन्ति लज्जया नीचै?ानं च प्रयुञ्जते । आत्मानं धार्मिकाभासाः क्षिपन्ति नरकावटे ।। ३०।। અર્થ: સાચી સમજણ વિના જ ઈન્દ્રિયો ઉપર કોરો બલાત્કાર કરનારા આત્માઓ ધાર્મિકતાનો ડોળ જ કરતા હોય છે. રે ! ચાલે છે તો જાણે ભારે લજ્જાથી, સાવ નીચું જોઈને, પરંતુ અંતરમાં તો વિકારોના આર્તધ્યાનની હોળી ભભૂકતી હોય છે ! આવા જીવો પોતે જ પોતાની જાતને નારકના કુવામાં ફેંકી દે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ (જ) વશ્વ વરણાનાં તરિવર વર્તુમતિ | सद्भावविनियोगेन सदा स्वान्यविभागवित् ।।३१।। અર્થ : એટલે ઈન્દ્રિયોની ઉપર કશી સૂઝ વિનાનો બલાત્કાર કરવો એ વૈરાગ્યનો માર્ગ નથી. વિરક્ત આત્મા તો અનિત્યાદિ સદ્ભાવનાઓથી ભાવિત બને. એ ભાવનાઓનો આત્મા સાથે સંબંધ થાય એટલે અવશ્યમેવ એ આત્મા પોતીકું શું? અને પારકું શું? એનો વિભાગ સારી રીતે કરી જાણે. એમ થતાં જે આહારાદિ દ્રવ્યો પર છે તેને પરાયા તરીકે વિચારતો ઈન્દ્રિયોને કહે કે, “આ પરાયી વસ્તુમાં તારે શા માટે રાગ કરવો જોઈએ? જવા દે એની મહોબ્બત !” આમ સમજાવીને ઈન્દ્રિયોની ભોગયાચનાને શાન્ત કરી દે. આનું નામ ઈન્દ્રિયો સાથેની વિરક્ત આત્માની ઠગબાજી ! અથવા તો બીજો અર્થ એ પણ થઈ શકે કે જે ઇન્દ્રિયોને આહારાદિની લાલસા થઈ છે તેને વીતરાગદેવમાં કે જિનવાણી વગેરે સદૂભાવોમાં જોડી દેવી. આમ વિષયની ફેરબદલી કરી દેવા દ્વારા સદૈવ ઈન્દ્રિયોને ઠગવી. આવી હોશિયારી વિરક્ત આત્મા જ બતાવી શકે, કેમકે તે સ્વ-પરના ભેદજ્ઞાનનો સ્વામી બન્યો હોય છે. અધિકાર-છઠ્ઠો (४५) तद्वैराग्यं स्मृतं दुःखमोहज्ञानान्वयात्रिधा । तत्राद्यं विषयाप्राप्तेः संसारोद्वेगलक्षणम् ।।१।। અર્થ: વૈરાગ્યના ત્રણ પ્રકાર છેઃ (૧) દુઃખગર્ભ વૈરાગ્ય. (૨) મોહગર્ભ વૈરાગ્ય. (૩) જ્ઞાનગર્ભ વૈરાગ્ય. જેમાં દુઃખ કારણ બને છે તેવો જે વૈરાગ્ય તે દુઃખગર્ભિત કહેવાય. સાંસારિક વિષયોની અપ્રાપ્તિથી સંસાર ઉપર ઉગ થઈ જવો તે દુ:ખગર્ભિત વૈરાગ્ય કહેવાય. (४६) अत्राङ्गमनसोः खेदो ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते ।।२।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ અર્થ : દુઃખગર્ભ વૈરાગ્યથી સંસાર છોડતા જીવને લોચ, વિહારાદિથી કાયાને અને ગુર્વજ્ઞાપાલનથી મનને સતત ખેદ રહ્યા કરે છે ! દુઃખથી ત્રાસેલાને આ દુ:ખો ય શેં ગમે ? વળી એને જે કાંઈ થોડું પણ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય છે તે પણ તેના આત્માને તૃપ્ત કરી શકતું નથી. આવા આત્માને જો પોતાને મનગમતું કશુંક ક્યાંક મળી જાય તો તેનું બાહ્ય પતન થઈ જતા પણ વાર લાગતી નથી. (४७) दुःखाद्विरक्ताः प्रागेवेच्छन्ति प्रत्यागतेः पदम् । अधीरा इव सङ्ग्रामे, प्रविशन्तो वनादिकम् ।। ३ ।। અર્થ : દુઃખથી કંટાળીને ભાગી છૂટેલા એ આત્માઓ સાધુવેષ સ્વીકારવા પૂર્વે જ સાધુવેષમાં ય વળી કષ્ટ પડે તો ત્યાંથી પાછા આવી જવા માટેનું એક સ્થાન શોધી રાખતા હોય છે. ન છૂટકે યુદ્ધે ચઢતા કાયર પુરુષો યોગ્ય તક મળતા જ ત્યાંથી નાસી છૂટીને ક્યાંક સંતાઈ જવા માટે જેમ કમલવનાદિના સ્થાનને પહેલેથી જ નક્કી કરી રાખે છે તેમ. (४८) शुष्कतर्कादिकं किञ्चिद्वैद्यकादिकमप्यहो । पठन्ति ते शमनदीं, न तु सिद्धान्तपद्धतिम् ।। ४ ।। અર્થ : આવા વૈરાગ્યવાળા જીવો થોડા લુખ્ખા તર્ક વગેરે ભણી લે છે, કાંઈક વૈદક, જ્યોતિષ વગેરે પણ જાણી રાખે છે. પરંતુ એ બિચારા, શમના નીરથી ભરેલી નદી જેવા શાસ્ત્રમાર્ગને તો અડતા ય નથી. (૪૧) પ્રગ્ન્યપત્ત્તવવોથેન, નર્વોખાળ = વિષ્રતિ। तत्वान्तं नैव गच्छन्ति प्रशमामृतनिर्झरम् ।। ५ ।। અર્થ : એકાદ ગ્રન્થનું અધકચરૂં જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલામાં તો અભિમાનમાં આવી જઈને ધમધમી ઊઠે છે. પરંતુ પ્રશમ અમૃતના ઝરણા સમો શાસ્ત્રનો પાર તો કદી પામી શકતા નથી. (५०) वेषमात्रभृतोऽप्येते, गृहस्थान्नातिशेरते । न पूर्वोत्थायिनो यस्मान्नापि पश्चान्निपातिनः ।। ६।। ************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ અર્થ : સાધુવેષને ધારણ કરવા છતાં પણ આ જીવો ગૃહસ્થથી જરાય ચડિયાતા નથી હોતા, કેમકે ગૃહસ્થ ધર્મથી તેઓ ઊડ્યા જ નથી અને સાધુધર્મમાં (અંતરથી) પ્રવેશ્યા જ નથી. (५१) गृहेऽन्नमात्रदौर्लभ्यं, लभ्यन्ते मोदका व्रते । वैराग्यस्यायमर्थो हि, दुःखगर्भस्य लक्षणम् ।।७।। અર્થ: ઘરમાં ખાવાના ય ફાંફા છે અને સાધુ થઈએ તો રોજ લાડુ ખાવા મળે છે !” આવી સમજણ જે વૈરાગ્યમાં છે તે દુઃખગર્ભ વૈરાગ્ય કહેવાય. (५२) उत्सर्गे वाऽपवादे वा, व्यवहारेऽथ निश्चये । ज्ञाने कर्मणि वाऽयं चेन्न तदा ज्ञानगर्भता ।। ३५।। અર્થ : જો કોઈ વિરક્ત જણાતો મુનિ ઉત્સર્ગ કે અપવાદના વિષયમાં, વ્યવહાર કે નિશ્ચયના વિષયમાં, જ્ઞાન કે ક્રિયાના વિષયમાં – ક્યાંય પણ એકાન્ત આગ્રહ, કદાગ્રહ સેવે તો તે મુનિનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ તો ન જ કહેવાય. (५३) स्वागमेऽन्यागमार्थानां शतस्येव पराय॒के । नावतारबुधत्वं चेन्न तदा ज्ञानगर्भता ।। ३६।। અર્થ : જેમ પરાર્ધમાં સો સમાઈ જાય છે તેમ જિનાગમમાં અન્ય આગમોના અર્થ સમાવી દેવાનું કૌશલ જો ન હોય તો તે મુનિનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ ન કહેવાય. (५४) नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने । माध्यस्थ्यं यदि नायातं न तदा ज्ञानगर्भता ।। ३७।। અર્થ : દરેક નય પોતાને અભિપ્રેત અર્થનું પ્રતિપાદન કરવા લાગે ત્યારે તેનું પ્રતિપાદન સાચું જ લાગે પણ જ્યારે તેની સામે તેનો વિરોધી નય, તેનું ખંડન કરવા લાગે ત્યારે તે નય નિષ્ફળ, નકામો, અસત્ય ઠરી જતો લાગે. નિશ્ચયનય પોતાના મન્તવ્યને જોરશોરથી રજુ કરે ત્યારે તે જ સાચો લાગે પણ વ્યવહાર (પર) નય તરફથી તેનું ખંડન થવા લાગે એટલે ૧૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ તે નિશ્ચયનય સાવ ખોટો લાગે. આ વખતે તે તે નયને એકાત્તે વળગી જઈને કે એકાન્ત તિરસ્કારી દઈને જે આત્મા તે નયોના મન્તવ્ય પ્રત્યે માધ્યચ્યભાવ ધારણ કરી શકતો નથી તે આત્માનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેવાય નહિ. (५५) आज्ञयागमिकार्थानां, यौक्तिकानां च युक्तितः । न स्थाने योजकत्वं चेन्न तदा ज्ञानगर्भता ।। ३८।। અર્થ: વાદના બે પ્રકાર છે : હેતુવાદ અને આગમવાદ. યુક્તિથી (પ્રત્યક્ષાદિ પ્રમાણ આપવા દ્વારા) પદાર્થની સિદ્ધિ કરવા માટે થતો વાદ તે હેતુવાદ (યુક્તિવાદ) કહેવાય અને માત્ર આગમવચનને જ પ્રમાણ માનવા દ્વારા પદાર્થની સિદ્ધિ જે વાદથી થાય છે તે આગમવાદ કહેવાય. તેથી ઉલટું કરે – ઉચિત સ્થાને ઉચિત વાદની યોજના ન કરે – તો તે આત્માનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ ન કહેવાય. (५६) गीतार्थस्यैव वैराग्यं ज्ञानगर्भ ततः स्थितम् । उपचारादगीतस्याप्यभीष्टं तस्य निश्रया ।। ३९।। અર્થ : ઉપરોક્ત વાદોની ઉચિત સ્થાને યોજના વગેરે કરવાની તાકાત સ્વપર-સમયના જ્ઞાતા-ગીતાર્થમાં જ હોઈ શકે. એટલે હવે એ જ વાત સ્થિર થાય છે કે જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગીતાર્થને જ હોઈ શકે. વ્યવહારનયથી તો ગીતાર્થની નિશ્રામાં રહેતા અગીતાર્થને પણ જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહી શકાય. (૨૭) સૂવિ ર માધ્યă, સર્વત્ર હિતચિન્તન | क्रियायामादरो भूयान्, धर्मे लोकस्य योजनम् ।। ४०।। (५८) चेष्टा परस्य वृत्तान्ते, मूकान्धबधिरोपमा। उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ।। ४१ ।। (૧૨) ભવનોન્નાવવમન, મવસમ્પર્વર્તન સૂતિનુવિચ્છેવા, સમતામૃતગ્નિના ૪ર ! (૬૦) સ્વમાવાનૈવ વન દિવાનન્દમાત્સલા ! वैराग्यस्य तृतीयस्य, स्मृतेयं लक्षणावली ।। ४३ ।।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જ્ઞાનગર્ભ વૈરાગ્યવાળા મહાત્માના લક્ષણો : (૧) સૂક્ષ્મ દૃષ્ટિ. (૨) માધ્યસ્થ્ય. (૩) સર્વત્ર હિતચિન્તા. (૪) ક્રિયામાં ભારે આદર. (૫) ભવ્ય જીવોને ધર્મસન્મુખ બનાવવાની પ્રવૃત્તિ. (૬) પારકી વાતોમાં મૂંગા, આંધળા અને બહેરા માણસ જેવી પોતાની ચેષ્ટા હોય. (૭) સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ, નિર્ધનને પૈસો કમાવવામાં હોય છે તેવો. (૮) કામના ઉન્માદનું વમન. (૯) અભિમાનનું મર્દન. (૧૦) અસૂયાના તત્તુનો છેદ. (૧૧) સમતાસાગરમાં ગળાબૂડ લીનતા. (૧૨) ચિદાનંદમય સ્વભાવમાં નિશ્ચલતા. (૬૧) જ્ઞાનામિહાવેથ, પોસ્તુ સ્વોપમર્વતઃ । उपयोगः कदाचित् स्यान्निजाध्यात्मप्रसादतः ।। ४४ ।। અર્થ : ત્રણ પ્રકારના વિરાગમાં વસ્તુતઃ જ્ઞાનગર્ભ વિરાગ જ આદેય છે. બાકીના બે પ્રકારના-દુઃખગર્ભ અને મોહગર્ભ-વિરાગ પણ ક્યારેક ઉપયોગી બની જાય ખરા. એક આત્મા દુ:ખથી કે મોહથી સંસાર-વિરક્ત થાય અને પછી તેને જો જ્ઞાનગર્ભ વિરાગ થઈ જાય તો તે દુઃખગર્ભ કે મોહગર્ભ વિરાગ દૂર થઈ જાય. આમ દુઃખાદિ ગર્ભિત વિરાગથી પણ દીક્ષા લીધી તો તે આત્માને જ્ઞાનગર્ભ વૈરાગ્ય પ્રાપ્ત થવાનો અવસર સાંપડ્યો. એટલે આ રીતે દુ:ખાદિગર્ભ વિરાગ પણ ક્યારેક કેટલાકને આરાધના-માર્ગે ચડવામાં ઉપયોગી બની જાય ખરા. પણ એ માટે પોતાના અધ્યાત્મભાવ રૂપી રાજાની કૃપા તો આવશ્યક છે જ. અધિકાર-૭મો (૬૨) મધુર રસમાપ્ત નિબ્બતેદ્રસનાતો રસનોમિનાં નનમ્ । परिभाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो दृशोर्जलम् ।। १३ ।। અર્થ : મધુર રસને પામે છે તો બે ય; રાગી અને વિરાગી ! બે ય ને પાણી ય છૂટે છે ! રસરાગીને જીભમાંથી પાણી ચાલ્યું જાય છે ! ૧૬ +++++++++++++++++++++++++++¿¡¡¡÷÷÷÷||||||||||||||||||||||||||| મનનનનનનન+ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ રસવિરાગીને આંખોમાંથી પાણી વહ્યું જાય છે ! એ વિચારે છે, રસરાગના તે કેવા કેવા કરૂણ અંજામો! (६३) विपुलदिपुलाकचारण-प्रवलाशीविषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसामनुषगोपनताः पलालवत् ।। २३ ।। અર્થ : વિપુલઋદ્ધિ સ્વરૂપ પુલાકલબ્ધિ, ચારણલબ્ધિ, પ્રબળ આશીવિષ લબ્ધિ વગેરે વગેરે પ્રાપ્ત થવા છતાં વિરાગી આત્માઓને તેનું અભિમાન થતું નથી. દાણા મેળવવાના લક્ષ્યથી ખેતી કરતા ખેડૂતને સાથે સાથે ઘાસ પ્રાપ્ત થઈ જાય તેનું ખેડૂતને કાંઈ અભિમાન હોતું નથી. પ્રબંધ-૩ો. અધિકાર-૮મો (૬૪) વિષઃ વિં પરિવર્તિ મમતા ! त्यागात्कञ्चुकमात्रस्य भुजङ्गो न हि निर्विषः ।।२।। અર્થ : જો અંતરમાં મમતા જીવતી બેઠી છે તો બાહ્ય વિષયોનો ત્યાગ માત્ર કરી દેવાથી કશું વળવાનું નથી. કાંચળીનો ત્યાગ કરી દેવા માત્રથી સર્ષ નિર્વિષ થઈ જતો નથી. (६५) ममतान्धो हि यन्नास्ति, तत्पश्यति, न पश्यति । जात्यन्धस्तु यदस्त्येतद्भेद इत्यनयोर्महान् ।।१२।। અર્થ : જાતિથી અંધ અને મમતાથી અંધ-એ બે માં કેટલું મોટું અંતર છે? જાત્ય% તો આ વિશ્વમાં જે છે તેને જોઈ શકતો નથી અને મમતાન્ય તો જે નથી તેને જુવે છે. (સ્વજનો વગેરે પોતાના નથી છતાં તેમને પોતાના તરીકે જુએ છે.) અધિકાર-મો (૬૬) વિંદ તુમ સમતાં સાથો સ્વાર્થપ્રભુતા वैराणि नित्यवैराणामपि हन्त्युपतस्थुषाम् ।।११।। અર્થ : પોતાના જ હિત માટે જેને વધુ ને વધુ પુષ્ટ કરવામાં આવે છે તે સમતાની તો શી વાતો કરવી? એવા મુનિની પાસે ઉપસ્થિત થયેલા જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ નિત્યવૈરી પ્રાણીઓના વૈરને પણ તે દૂર કરી દે છે. (સ્વ માટે કરાતી સાધના પરના વૈરનો નાશ કરી દેવા સમર્થ બને છે !) (૬૭) િયાનેન તોમિર્જા, યમેશ્ય નિયમેશ્ય વિમ્ ।। થૈવ સમતા સેવ્યા, તરિકે સંસારવરિયો ||૧૨|| અર્થ : રે ! શી જરૂર છે દાનની ? શાને ખપ પડે છે તપનો ? યમ અને નિયમ પણ શા ઉપયોગના ? એક માત્ર સમતા-નાવડીને જ પકડી લ્યો! એકલી તે ભવસમુદ્રને આબાદ પાર ઉતારી દેશે. (६८) दूरे स्वर्गसुखं मुक्तिपदवी सा दवीयसी । મનઃસનિહિત દૃષ્ટ, સ્પષ્ટ તુ સમતાનુમ્ ||૧|| અર્થ : : દૂર છે સ્વર્ગના સુખ, મુક્તિસુખ તો વળી એથી ય દૂર છે, પણ મનમાં રહેલું સમતાનું સુખ તો આ રહ્યું : તદ્દન પ્રત્યક્ષ જ છે. (६९) क्षणं चेतः समाकृष्य, समता यदि सेव्यते । સ્વાત્તા મુલમન્વસ્ત્ર, ચક્રવતું નૈવ પાર્વતે ।।૧૬।। અર્થ : એક પળભર પણ ચિત્તને રાગ-રોષથી પાછું ખેંચી લઈને સમતાનું સેવન કરવામાં આવે તો આંતરસુખનો એવો કોઈ ચમકારો અનુભવવા મળે કે જેનું વર્ણન બીજાને કરી ન શકાય ! (૭૦) મારી ન થવા વૃત્તિ, સુä વિતમોશનમ્ । ' ન ખાનાતિ તથા ભોળો, ચોશિનાં સમતાસુલમ્ ।।૨૦।। અર્થ : પતિ સાથેના ભોગસુખની કુમારિકાને શી ખબર પડે ? યોગીઓના સમત્વભાવના અફાટ સુખની સંસારી જીવોને ગંધ પણ ક્યાંથી આવે ? (૭૧) ચારિત્રપુરુષપ્રાના:, સમતાહ્યા તા વિ। जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ।। २५ । અર્થ : જ્યારે ચારિત્રપુરુષના સમતા નામના પ્રાણ ચાલી જાય છે ત્યાર પછી લોકો દોડતા આવે છે, તે રખે સમજતા કે તેમને વંદના કરવા માટે આવે છે ! એ તો તેમના પ્રાણવિહોણા કલેવરનો મરણોત્સવ કરવા માટે આવેલા હોય છે. ૧૮ ||||||||| ♪♪♪♪♪♪♪♪♪♪♪÷÷÷÷÷÷†† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૭૨) ઘરોધદવિનોનું, શમર સશક્ત વિરિચય | चपल एष मनःकपिरखच्चकैः, रसवणिग् विदधातु मुनिस्तु किम् ॥४॥ અર્થ: રસનો વેપારી વણિમુનિ બિચારો શું કરે ? ચારિત્ર્ય યોગરૂપી એના ઘડાઓને ઊંધા પાડી દઈને એમાં ભરેલો * બધો ય શમરસ ચંચળ પેલો મન-મર્કટ ધરતી ઉપર એકદમ ઢોળી નાંખે છે ! (७३) चरणगोपुरभङ्गपरः स्फुरत् समयबोधतरूनपि पातयन् । भ्रमति यद्यतिमत्तमनोगजः, क्व कुशलं शिवराजपथे तदा ।।७।। અર્થ : મુનિવરને લોકો પૂછે છે કે, “મોક્ષનગરના રાજમાર્ગે તમને કુશળતા છે ને?' પણ કુશળતાની તો શી વાત કરવી ? આ મનરૂપી ગજરાજ હવે ગાંડોતૂર બન્યો છે. રે ! ચારિત્ર્યરૂપી કિલ્લાના દરવાજા તોડી નાંખવા એ કટિબદ્ધ બન્યો છે ! શાસ્ત્રબોધરૂપી વૃક્ષોને જડમૂળથી ઉખેડી દઈને ધરતી ઉપર ઢાળી રહ્યો છે ! (७४) अनिगृहीतमना विदधत्परां न वपुषा वचसा च शुभक्रियाम् । गुणमुपैति विराधनयाऽनया, बत दुरन्तभवभ्रममञ्चति ।।९।। અર્થ : જે મુમુક્ષુ પોતાના મનનો નિગ્રહ કરતો નથી તે ગમે તેટલી ક્રિયાઓ - વાણીથી કે કાયાથી – ભલે ને કરતો રહે તો પણ તેને કોઈ લાભ તો ન જ થાય, પરતુ “મનનો નિગ્રહ ન કરવા સ્વરૂપ વિરાધના કરવાથી અને વિરાટ આ ભવરાનમાં ભટક્યા જ કરવું પડે. (७५) मनसि लोलतरे विपरीततां, वचननेत्रकरेङ्गितगोपना । व्रजति धूर्ततया ह्यनयाऽखिलं, निबिडदम्भपरैर्मुषितं जगत् ।।११।। અર્થ : જ્યારે મન વધુ ચંચળ (અસ્થિર) બને છે ત્યારે એ આત્મા વાણીમાં જે ગુપ્તિ રાખે છે, નેત્રમાં જે નિર્વિકારિતા જાળવે છે અને હાથની ચેષ્ટામાં પણ જે યતના જાળવે છે તે બધું ય તેને તો સદ્ગતિનું ફળ આપવાને બદલે દુર્ગતિના ફળ ચખાડવા દ્વારા ઊંધું જ પડે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ અહો ! આમ પોતાનો આત્મા તો ઠગાયો પણ આ ધૂર્તતાથી તો આ ભયંકર દાંભિકોએ આખા જગતને ય ઠગ્યું ! - પ્રબંધ-જયો અધિકાર-૧૨મો (७६) मनाशुद्धिश्च सम्यक्त्वे सत्येव परमार्थतः ।। तद्विना मोहगर्भा सा, प्रत्यपायानुबन्धिनी ।।१।। અર્થ : નિશ્ચયનયની દૃષ્ટિએ પૂર્વોક્ત મનશુદ્ધિ સમ્યગ્દર્શનની હાજરીમાં જ હોઈ શકે છે. તેની ગેરહાજરીમાં જે મનશુદ્ધિ જણાય છે તે તો મોહ(અજ્ઞાન)ગર્ભિત હોય છે, જેનાથી અનેક આપત્તિઓની પરંપરાનું સર્જન થાય છે. (૭૭) તત્ત્વશ્રદાનને વ્ય, જરિત બિનરાજને ! | સર્વે નીવા ન દેવ્ય સૂત્રે તસ્વીમતીર્થ | દા અર્થ: શ્રી જિનેશ્વરદેવના શાસનમાં “તત્ત્વનું શ્રદ્ધાન' એ સમ્યકત્વ કહ્યું છે. અહીં તત્ત્વ શું? એના ઉત્તરમાં કહે છે કે “સર્વ જીવો (કોઈ પણ જીવ) હણવા યોગ્ય નથી એવું જે જ્ઞાન તેને સૂત્રમાં તત્ત્વશ્રદ્ધાન કહે છે. તે જ્ઞાન ઉપરની શ્રદ્ધા તે સમ્યક્ત છે. (૭૮) અર્થોડયમપરોડનર્થ, રૂતિ નિર્ધાર હરિ | आस्तिक्यं परमं चिह्न सम्यक्त्वस्य जगुर्जिनाः ।। ५७।। અર્થ : આ શુદ્ધ અહિંસા એ જ તત્ત્વ છે. એનું શ્રદ્ધાન એ જ સમ્યક્ત્વ છે. આ સમ્યકત્વનું મુખ્ય લક્ષણ આસ્તિક્ય છે. આસ્તિક્ય એટલે જિનોક્ત વચન એ જ અર્થ છે, એ જ પરમાર્થ છે, બાકીનું બધું અનર્થરૂપ છે એવો સચોટ અંતરનો નિર્ધાર, વિશ્વાસ, નિશ્ચય. + અધિકાર-૧૪માં (७९) अधीत्य किञ्चिच्च निशम्य किञ्चिदसद्ग्रहात्पण्डितमानिनो ये । मुखं सुखं चुम्बितमस्तु वाचो, लीलारहस्यं तु न तैर्जग्राहे ।।३।। અર્થ: થોડુંક ભણી લઈને, થોડું ઘણું સાંભળી લઈને કોઈ વાતનો કદાગ્રહ ૨૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ પકડીને જેઓ પોતાની જાતને “પંડિત માને છે તેમને વાણીના મુખને ચુંબન કરવાનું સુખ ભલે મળે, પણ વાણીના સંગની લીલાનું રહસ્ય તો તેઓ કદી પણ પામી ન શકે. (८०) व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः । अभूत्फलं यत्तु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ।।८।। અર્થ : નિહુનવોએ મહાવ્રતો આદર્યા, ઘોર તપ પણ તપ્યા, ખૂબ પ્રયત્નપૂર્વક પિણ્ડશુદ્ધિ પણ કરી, છતાં તેના મીઠાં ફળ તેમને ન મળ્યા તેમાં તેમના કદાગ્રહનો જ વાંક છે. (८१) गुरुप्रसादीक्रियमाणमर्थं गृह्णाति नासद्ग्रहवाँस्ततः किं । द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कण्टकभुङ्न भुङ्कते ।।१०।। અર્થ : ગુરૂકૃપાથી પ્રાપ્ત થતા અર્થોને કદાગ્રહી માણસ સ્વીકારતો નથી. પણ તેથી શું થઈ ગયું? ઊંટની સામે દ્રાક્ષની આખી લુમ ધરવામાં આવે પણ કાંટા જ ખાવાને ટેવાયેલા ઊંટ દ્રાક્ષને અડે ય નહિ તેમાં દ્રાક્ષનો દોષ થોડો જ કહેવાય ? (૮૨) કચ્છત્યિારસંતિં યે પુર્વત્તિ તેષાં ન તિર્થશેષ ! विष्टासु पुष्टाः किल वायसा नो मिष्टान्ननिष्ठाः प्रसभं भवन्ति ।। ११।। અર્થ : કદાગ્રહને લીધે જેઓ હલકા માણસોની સોબત કરે છે તેમને જ્ઞાની પુરુષો ઉપર પ્રેમ થતો નથી. વિષ્ઠામાં જ પુષ્ટ થતા કાગડા બળાત્કારે પણ મિષ્ટાન્નની પ્રીતિવાળા થતા નથી. (८३) आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत् स्वं च घटं च सद्यः। असद्ग्रहग्रस्तमतेस्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ।। १४ ।। અર્થ : કદાગ્રહથી ગ્રસ્ત બનેલી મતિવાળાને શ્રુતજ્ઞાન આપવામાં આવે તો તે શ્રુતનો નાશ થાય, એટલું જ નહિ પણ તેનો દુરુપયોગ કરવા દ્વારા તે કદાગ્રહી જીવનો ય નાશ થાય છે. સંસારમાં અનંતવાર મર્યા કરે છે.) એક તો ઘડો કાચો હોય અને પછી તેમાં પાણી ભર્યું હોય તો શું થાય? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ પાણી તો જાય અને સાથે ઘડો પણ જાય ! (८४) असद्ग्रहग्रस्तमतेः प्रदत्ते, हितोपदेशं खलु यो विमूढः । शुनीशरीरे स महोपकारी कस्तूरिकालेपनमादधाति ।।१५।। અર્થ: જે મૂઢાત્મા કદાગ્રહીને હિતોપદેશ આપે છે તે મહોપકારી (!) કુતરીના શરીરે કસ્તુરીનો લેપ કરે છે ! (८५) दम्भाय चातुर्यमघाय शास्त्रं, प्रतारणाय प्रतिभापटुत्वम् । गर्वाय धीरत्वमहो गुणानामसद्ग्रहस्थे विपरीतसृष्टिः ।। १८।। અર્થ: કદાગ્રહીની દુનિયામાં સદ્ગણોના બીજ પણ વિષફળને જન્મ આપે છે. એનું ચાતુર્ય દંભ માટે, શાસ્ત્રાધ્યયન પાપો કરવા માટે, પ્રતિભા અને પટુતા લોકોને ઠગવા માટે અને શૈર્ય અહંકાર માટે જ બને છે! કદાગ્રહીની દુનિયામાં ગુણોનું જબરું શીર્ષાસન થાય છે ! (८६) विद्या विवेको विनयो विशुद्धिः सिद्धान्तवाल्लभ्यमुदारता च । असद्ग्रहाधान्ति विनाशमेते गुणास्तृणानीव कणाद्दवाग्नेः ।।२०।। અર્થ: વિદ્યા, વિવેક, વિનય, ચિત્તવિશુદ્ધિ, સિદ્ધાન્તપ્રિયતા, ઉદારતા વગેરે સઘળા ય ગુણો કદાગ્રહને કારણે જ નાશ પામી જાય છે. દાવાનળના એક કણિયાથી ઘાસની ગંજી ભડભડ બળતી નાશ પામી જાય છે તેમ. (८७) स्वार्थः प्रियो नो गुणवाँस्तु कश्चिन्मूढेषु मैत्री न तु तत्त्ववित्सु। असद्ग्रहापादितविश्रमाणां स्थितिः किलासावधमाधमानाम् ।। २१ ।। અર્થ : કદાગ્રહીને સ્વાર્થ પ્રિય હોય છે, ગુણવાન આત્મા નહિ. એ મૂઢ માણસો સાથે મૈત્રી કરે છે, તત્વજ્ઞ પુરુષો સાથે નહિ. કદાગ્રહને લીધે જેણે પોતાની સાધનાની ઈતિશ્રી આવી ગયાનું માની લીધું છે તે અધમાધમ જીવોની આવી વિચિત્ર સ્થિતિ હોય છે ! અધિકાર-૧પમો. (८८) श्रुत्वा पैशाचिकी वार्ता कुलवध्वाश्च रक्षणम् । नित्यं संयमयोगेषु, व्यापृतात्मा भवेद्यतिः ।। १८।। ૨૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પિશાચનું કથન અને કુલવધૂના રક્ષણનો પ્રસંગ સાંભળીને યતિએ હંમેશા સંયમયોગોમાં દત્તચિત્ત બની રહેવું જોઈએ. (૧) શેઠ ઉપર પ્રસન્ન થયેલા પિશાચે શેઠને કહ્યું, “જે દિવસે કામ નહિ આપો તે દિવસે તમને જ ખાઈ જઈશ.” એક દિવસ કામ ખૂટ્યું. શેઠ ગભરાયા, પણ શેઠ બુદ્ધિમાન હતા. સીડી લાવીને મૂકી દીધી. ભૂતને કહ્યું, “બીજું કામ ન સોંપું ત્યાં સુધી આ સીડી ઉપર ચડ ઉતર કર્યા કર.” (૨) પતિ બહારગામ ગયો. ઘણા મહિનાઓ પસાર થયા. નવોઢાને કામવાસના જાગી. સસરાને ખબર પડી. ઘરની તમામ દાસીઓને રજા આપીને બધું કામ વહુ ઉપર નાંખ્યું. રાત પડે તો ય કામ પૂરું ન થાય. થાકીને લોથ થઈને સૂઈ જવા લાગી. વાસના ક્યાંય નાસી ગઈ. મુનિ પણ આ રીતે જ આવશ્યકાદિ ક્રિયાઓ સ્વરૂપ સંયમયોગોમાં ઓતપ્રોત રહે. (८९) विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ।। ४३ ।। અર્થ : જેઓ આત્માના યથાર્થજ્ઞાનને પ્રાપ્ત કરે છે એ આત્મજ્ઞાની મહાત્મા વિદ્યા-વિનયવાળા બ્રાહ્મણ કે ક્ષત્રિય, ગાય, હાથી, કૂતરો કે ચાંડાલ - બધાયમાં – સમભાવથી અવસ્થિત બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. (૧૦) ના વિજ્ઞાસુરથ જ્ઞાની રેતિ ચતુર્વિધ | उपासकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषत: ।। ७७।। અર્થ : ઈશ્વરના ઉપાસકોના ચાર પ્રકાર છે. (૧) આર્ત (દુઃખી) : સંસારના દુઃખોથી ત્રસ્ત જીવો. (૨) તત્ત્વજિજ્ઞાસુ દુ:ખનાશ, સુખપ્રાપ્તિની અભિલાષા વિનાના : પરમાત્મ-અનુગ્રહ મેળવીને જ પરમાત્મતત્ત્વના જિજ્ઞાસુ. (૩) ધનેચ્છઃ ધનાદિની કામનાવાળા જીવો. (૪) જ્ઞાની : કર્મયોગ અને ભક્તિયોગ વડે પરમાત્માને જ પરમ સત્ય માની તેમનું જ અસ્તિત્વ જગતમાં છે એવા જ્ઞાનવાળા. આ ચારમાંના પહેલાં ત્રણ ઉપાસકો ધન્ય છે, કેમકે તે ત્રણેયનું વસ્તુ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ . . પરમાત્મા” (લક્ષ્યરૂપે) છે. એટલે આ વસ્તુવિશેષને લીધે પહેલા ત્રણેય ધન્ય છે. • (९१) ज्ञानी तु शान्तविक्षेपो नित्यभक्तिर्विशिष्यते । अत्यासन्नो ह्यसौ भर्तुरन्तरात्मा सदाशयः ।। ७८ ।। અર્થ: ચોથા નંબરનો ઉપાસક જ્ઞાની તો રાગાદિ વિક્ષેપોની શાન્તિવાળો, સર્વજ્ઞ પરમાત્માની નિત્ય યોગભક્તિ કરતો પૂર્વોક્ત ત્રણ પ્રકારના ઉપાસકોથી જુદો જ તરી આવે છે. એ અત્યન્ત વિશિષ્ટ કોટિનો ઉપાસક છે, કેમકે દેહાદિને વિષે સાક્ષી તરીકે રહેલો એનો અત્તરાત્મા સદાશયવાળો હોઈને બ્રહ્મસ્વરૂપની અત્યન્ત નજદીક આવી પહોંચ્યો હોય છે. પ્રબંધ-પો અધિકાર ૧દમો (९२) क्रन्दनं रुदनं प्रोच्चैः शोचनं परिदेवनम् । ताडनं लुञ्चनं चेति लिङ्गान्यस्य विदुर्बुधाः ।।७।। અર્થ : આર્તધ્યાનના લિંગ (ચિહ્નો) : જ્યાં આર્તધ્યાન છે ત્યાં ક્રન્દન હોય, રૂદન હોય, શોક હોય અને પુનઃ પુનઃ કઠોર વચનનો પ્રલાપ હોય. એ જીવ માથું વગેરે પછાડતો હોય, માથાના વાળ ખેંચતો હોય અને છાતી ફૂટતો હોય. (९३) मोघं निन्दनिजं कृत्यं प्रशंसन्परसम्पदः । विस्मितः प्रार्थयन्नेताः प्रसक्तश्चैतदर्जने ।।८।। અર્થ : શિલ્પ, વાણિજ્ય વગેરે સંબંધિત પોતાના કૃત્યોમાં ખાસ કાંઈ ફળ ન નિપજતાં તેની વ્યર્થ નિન્દા કરતો હોય, સાંસારિક પરસંપત્તિની પ્રશંસા કરતો હોય, વિસ્મિત થયેલો હોય, તેની અભિલાષા કરતો હોય અને તે ઐશ્વર્ય મેળવવામાં આસક્ત હોય. આ બધા ય આર્તધ્યાનના કાર્યલિંગો છે. (९४) प्रमत्तश्चेन्द्रियार्थेषु गृद्धो धर्मपराङ्मुखः । जिनोक्तमपुरस्कुर्वन्नार्तध्याने प्रवर्तते ।।९।। ૨૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ અર્થ: આર્તધ્યાનના હેતુઃ ઇન્દ્રિયોના વિષયભોગની વાસનામાં જે પ્રમાદી હોય, ભોગોમાં આસક્ત હોય, ધર્મથી પરાઠુખ હોય અને જે જિનવચનને આગળ કરવામાં ઉદાસ જણાતો હોય તેવો આત્મા વારંવાર આર્તધ્યાનને પામે છે. (આર્તધ્યાનથી દૂર રહેવા ઈચ્છનારે તેના આ વિશેષ કારણો દૂર કરવા જોઈએ.) (९५) चञ्चलं हि मनः कृष्ण ! प्रमाथि बलवद् दृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ।। २२ ।। (९६) असंशयं महाबाहो ! मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौन्तेय ! वैराग्येण च गृह्यते ।। २३ ।। અર્થ: અર્જુન : હે કૃષ્ણ ! મન તો અતીવ ચંચળ છે, આત્માને વલોવી નાંખનારું છે, અત્યન્ત દઢ અને બળવાન છે. એટલે મને તો લાગે છે કે તેનો નિગ્રહ કરવો એ તો વાયુનો નિગ્રહ કરવા જેટલું અત્યન્ત દુષ્કર કાર્ય છે પછી આગળના યોગની તો વાત જ શી કરવી? અને સ્થિર મન વિના વળી યોગ કેવો? કૃષ્ણ : હે મહાબાહુ અર્જુન ! ચંચળ મનનો નિગ્રહ ખરેખર સુદુષ્કર છે પણ છતાં તે કુન્તીપુત્ર અર્જુન! અભ્યાસથી અને વૈરાગ્યથી એનો નિગ્રહ જરૂર થઈ શકે છે. (९७) प्रजहाति यदा कामान् सर्वान्पार्थ ! मनोगतान् ।। आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।। ६४।। અર્થ : બીજા દાર્શનિકોને સ્થિતપ્રજ્ઞ આત્માનું જ સ્વરૂપ ઈષ્ટ છે તે સઘળું ય ધર્મધ્યાનના ધ્યાતામાં ઘટી જાય છે. માટે ધર્મધ્યાની સ્થિતપ્રજ્ઞ કહેવાય.) શ્રી ભગવદ્ગીતામાં અર્જુનને સંબોધીને કૃષ્ણ કહે છે કે, હે અર્જુન ! મનોગત સઘળા કામભોગોને જ્યારે સાધક દૂર કરી દે છે અને ચિત્તાત્માથી પોતાના આત્મામાં જ જે તુષ્ટ રહે છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (९८) दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ।। ६५।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ અર્થ : દુઃખમાં જે દીન બનતો નથી, સુખની જેને સ્પૃહા નથી, જેના ચિત્તમાંથી રાગ, ભય અને ક્રોધાદિ કષાયો ચાલી ગયા છે તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (९९) यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । નામિનન્વતિ ન àષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા || ૬૬।। અર્થ : તે તે શુભાશુભ વસ્તુ પ્રાપ્ત કરીને પણ આત્મા તે બધાયમાં ઉદાસીન રહે-ન હોય ત્યાં આનંદ કે ન હોય ત્યાં દ્વેષ-તે આત્માની પ્રજ્ઞા પોતાના આત્મામાં સ્થિત છે. અર્થાત્ તે આત્મા સ્થિતપ્રજ્ઞ કહેવાય. અધિકાર-૧૭મો (१००) या निशा सकलभूतगणानां ध्यानिनो दिनमहोत्सव एषः । यत्र जाग्रति च तेऽभिनिविष्टा, ध्यानिनो भवति तत्र सुषुप्तिः ।। ३ ।। અર્થ : સર્વ પ્રાણીગણને તત્ત્વદષ્ટિ (આધ્યાત્મિક દૃષ્ટિ) અંધકારરૂપ બની છે માટે એમ કહી શકાય કે તેઓ તત્ત્વદષ્ટિમાં ઊંઘતા જ રહે છે. પણ તે જ તત્ત્વદૃષ્ટિમાં સંયમી આત્મા જાગતો હોવાથી તેને માટે તો તે દિવસ સમી છે. અને જે મિથ્યાષ્ટિમાં સંસારી આત્મા જાગૃત રહે છે ત્યાં સંયમી આત્મા પરાËખ બની રહે છે. જાણે કે ત્યાં ઊંઘતો જ રહે છે. અધિકાર-૧૮મો પ્રબંધ દો ( १०१ ) जलूका: सुखमानिन्यः पिबन्त्यो रुधिरं यथा । भुञ्जाना विषयान्यान्ति दशामन्तेऽतिदारुणाम् ।। ६६ ।। અર્થ : શરીરમાં રહેલા ખરાબ લોહીને બહાર કાઢવા માટે તે સ્થાને જળો બેસાડવામાં આવે છે. તે જળો પેલું ખરાબ લોહી પી જાય છે. એ વખતે તો એને ખૂબ સુખ થાય છે પણ લોહી પીને જાડી થઈ ગયેલી જળોને જ્યારે નીચોવી નાંખવામાં આવે ત્યારે તો તેને ભારે દુઃખ જ થાય ને ? લોહી પીવાના સુખનું જ આ પરિણામને ? આ રીતે વિષયોને ભોગવતી વખતે સુખ માનતા જીવો અન્ને (પરિણામે) નારકાદિમાં અતિ ભયંકર દશાને અનુભવે છે માટે જ ૨૬ નનનનનનન+ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ પુણ્યના ફળરૂપે મળતા સુખમાં પરિણામથી તો દુઃખતા જ છે. (૨૦૨) તીવ્રાનસાસંશુષ્યન્ પયસાયિમિવ यत्रौत्सुक्यात्सदाऽक्षाणां तप्तता तत्र किं सुखम् ।। ६७।। અર્થ: તીવ્ર અગ્નિના સંગથી તપીને લાલચોળ થઈ ગયેલા લોઢા ઉપર પાણી છાંટવામાં આવે તો એકદમ શોષાઈ જાય અને લોઢું તો જાણે એવું ને એવું જ તપેલું રહે. આ જ રીતે વિષયોની તીવ્ર ઉત્સુક્તા (ભોગની તીવ્ર કામના) સ્વરૂપ અગ્નિથી તપીને લાલચોળ થયેલી ઈન્દ્રિયોને જરાક રતિનું જળ મળે પણ તે તો ક્યાંય શોષાઈ જાય અને પેલો તપારો તો એવો ને એવો જ અનુભવાતો હોય ! અલ્પ સુખાનુભવના કાળમાં પણ ઈન્દ્રિયોના કારમા તપારામાં તે સુખ કેમ કહેવાય ? (१०३) क्रुद्धनागफणाभोगोपमो भोगोद्भवोऽखिलः । विलासश्चित्ररूपोऽपि भयहेतुर्विवेकिनाम् ।। ७२ ।। અર્થ : ક્રોધાયમાન થયેલા નાગની ફણાનો વિસ્તાર દેખાવમાં તો ભવ્ય લાગે, પણ હોય છે અત્યન્ત ભયજનકદુઃખજનક ! શબ્દાદિ ભોગોથી ઉત્પન્ન થયેલો ચિત્રવિચિત્ર સુખાનુભવનો વિલાસ દેખાવમાં ભલે સુંદર હોય કિન્તુ વિવેકી પુરુષને તો તેમાં ભયાનક દુઃખોની કારણતા દેખાતાં તે અત્યન્ત ભયંકર લાગે છે. (१०४) चित्तमेव हि संसारो रागक्लेशादिवासितम् । तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ।। ८३ ।। અર્થ: રાગાદિ ક્લેશોથી વાસિત ચિત્ત એ જ સંસાર છે અને તેનાથી મુક્ત એવું ચિત્ત એ જ મોક્ષ છે. એટલે જેમ જેમ એ કલેશાદિથી રહિત ચેતના થતી જાય તેમ તેમ આત્મા શુદ્ધ ભાવોનો કર્તા થતો જાય છે. (१०५) यत्र रोधः कषायाणां, ब्रह्मध्यानं जिनस्य च । ज्ञातव्यं तत्तपः शुद्धमवशिष्टं तु लङ्घनम् ।।१५७।। અર્થ : જ્યાં કષાયોનો નિરોધ છે, જિનેશ્વરદેવનું બ્રહ્મધ્યાન છે તે જ તપ શુદ્ધ જાણવો, બાકીના તો લાંઘણ જ કહેવાય. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ (१०६) बुभुक्षा देहकार्यं वा तपसो नास्ति लक्षणम् । __ तितिक्षाब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ।। १५८ ।। અર્થ : માત્ર ભૂખમરો વેઠવો કે માત્ર શરીરને શોષી નાંખવું એ કાંઈ તપનું | સ્વરૂપ નથી. પરન્તુ ક્ષમા, બ્રહ્મચર્ય, ગુપ્તિ વગેરેથી યુક્ત એવું જ્ઞાન તે જ તપનું લક્ષણ (શરીર) છે. (૧૦૭) શર્મતાપરું જ્ઞાનં તપસ્તમૈવ વેત્તિ : | प्राप्नोतु स हतस्वान्तो विपुलां निर्जरां कथम् ।। १६१ ।। અર્થ : “જે જ્ઞાન કર્મને તપાવે તે જ્ઞાન જ તપ છે. આવું જ જાણતો નથી તે હણાયેલા ચિત્તવાળો આત્મા તપ કરીને પણ વિપુલ નિર્જરા શી રીતે કરી શકે? (१०८) अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत् । अन्तं ज्ञानतपोयुक्तस्तत् क्षणेनैव संहरेत् ।। १६२ ।। અર્થ : કોટાનકોટિ જનમના તપથી જેટલું કર્મ અજ્ઞાની આત્મા ક્ષીણ કરે તેટલા કર્મનો જ્ઞાનતપથી યુક્ત મહાત્મા એક જ ક્ષણમાં નાશ કરી શકે છે. - પ્રબંધ-૭મો [ અધિકાર-૨૦મો (१०९) आलम्बनैः प्रशस्तैः प्रायो भावः प्रशस्त एव यतः । इति सालम्बनयोगी, मनः शुभालम्बनं दध्यात् ।।१५।। અર્થ : જો આલંબન પ્રશસ્ત હોય તો પ્રાય: ભાવ પ્રશસ્ત જ હોય, માટે જ આલંબનયુક્ત યોગીએ મનને શુભાલંબનમાં જોડવું જોઈએ. (११०) शोकमदमदनमत्सर-कलहकदाग्रहविषादवैराणि । क्षीयन्ते शान्तहदामनुभव एवात्र साक्षी नः ।।१८।। અર્થ : જે યોગી શાન્તચિત્ત બની ગયા છે તેના શોક, અભિમાન, કામ, દ્વેષ, કલહ, કદાગ્રહ, ખેદ અને વૈરના ભાવો નાશ પામી જાય છે. આ વિષયમાં અમારો અનુભવ જ સાક્ષી છે. (१११) अवलम्ब्येच्छायोगं, पूर्णाचारासहिष्णवश्च वयम् । भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ।। २९ ।। ૨૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ અર્થ : અમે તો પૂર્ણ આચારને (શાસ્રયોગની સાધનાને) પાળવા અસમર્થ છીએ એટલે ઈચ્છાયોગને અવલંબીને એ પરમ મુનિઓ પ્રત્યેની ભક્તિથી તેમના માર્ગને અનુસરીએ છીએ. (૧૧૨) અન્નાનિ ચાડત્ર યતના, નિર્વમ્મા સા ગુમાનુવન્ચરી । अज्ञानविषव्ययकृद्विवेचनं चात्मभावानाम् ।। ३० ।। અર્થ : : આ ઈચ્છાયોગમાં જે થોડી પણ યતના થાય છે તે જો નિર્દભાવવાળી હોય તો અવશ્ય શુભ પુણ્યકર્મનો અનુબન્ધ કરનારી બને છે. વળી ચિત્તમાં આત્માના શુભ ભાવોનું આ ઈચ્છાયોગમાં વિશદ અવધારણ થાય છે તે પેલા અજ્ઞાનવિષનો ક્ષય કરે છે. આમ આ ઈચ્છાયોગમાં શુભકર્મનો અનુબંધ અને અશુભ અજ્ઞાનનો ક્ષય બે ય પ્રાપ્ત થાય છે. (११३) सिद्धान्ततदङ्गानां शास्त्राणामस्तु परिचयः शक्त्या । પરમાનન્વનમૂતો, વર્શનપક્ષોડચમામ્ ।। રૂ૧|| અર્થ : સિદ્ધાન્ત અને તેના અંગો રૂપ શાસ્ત્રોનો બોધ તો ભલે અમારી શક્તિ મુજબ અમારી પાસે હો પરન્તુ મોક્ષ માટે અમારે આલંબનભૂત તો આ દર્શન (તત્ત્વશ્રદ્ધાન) પક્ષ જ છે. ( ११४) विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधीच्छूनाम् । વિધિનિષેધëતિ, પ્રવચનમત્તિ: સિદ્ધા નઃ || રૂ૨।। અર્થ : તે દર્શનપક્ષ આ છે. વિધિમાર્ગ કહેવો, તે માર્ગ પ્રત્યે પ્રીતિ-ભક્તિ ધારણ કરવી, તેના જિજ્ઞાસુને તે માર્ગની સિદ્ધિ કરી બતાડવી અને અવિધિનો નિષેધ કરવો. આ જ અમારી પ્રસિદ્ધ પ્રવચનભક્તિ છે. પ્રવચનાનુસારી જીવન જીવવારૂપ પ્રવચનભક્તિ તો અમારામાં નથી. (११५) अध्यात्मभावनोज्ज्वलचेतोवृत्योचितं हि नः कृत्यम् । पूर्णक्रियाभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ।। ३३॥ અર્થ : વિધિકથન વગેરે સ્વરૂપ જે પ્રવચનભક્તિ અમે કહી એ અમારું મૃત્ય †††††††††††††††††††††††††††·|·|·|·| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) +†††††##÷÷÷÷÷÷¡¡¡÷††††††††††††††††♪♪♪¡÷÷÷÷÷I♪♪♪♪♪♪♪♪♪♪|||† ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાયોગવાળા અમારા માટે ઉચિત જ છે, કેમકે ઈચ્છાયોગમાં અધ્યાત્મયોગ અને ભાવનાયોગ હોય... અને તે બે યોગથી ઉજ્જવળ બનતી જતી ચિત્તવૃત્તિ અમારામાં હોવાથી તેવી ચિત્તવૃત્તિથી યુક્ત એવું અમારે વિધિકથનાદિ કત્ય ઉચિત જ છે. આમ ઈચ્છાયોગમાં જે વિધિકથનાદિ કૃત્ય શક્ય છે તેનો અમે આરંભ (આદર) કરીએ છીએ, એટલું જ નહિ પણ સામર્થ્યયોગની જે પૂર્ણ ક્રિયા અમારા માટે આજે અશક્ય છે તેના અભિલાષક પણ છીએ. આ શક્યારંભ અને પૂર્ણક્રિયાભિલાષ-બે ય-આત્મશુદ્ધિને કરનારા છે. (११६) द्वयमिह शुभानुबन्धः शक्यारम्भश्च शुद्धपक्षश्च । अहितो विपर्ययः पुनरित्यनुभवसङ्गतः पन्थाः ।। ३४ ।। અર્થ: શક્યનો આરંભ કરવો અને જે અશક્ય હોય તેવા શુદ્ધ સંપૂર્ણ અનુષ્ઠાનના પક્ષપાતી બનવું આ બે ય શુભ અનુબન્ધને ઉત્પન્ન કરનારા છે. આનાથી વિપરીત કરવું તે આત્માને અહિતકર નીવડે છે. આ અનુભવસિદ્ધ મોક્ષમાર્ગ છે. (११७) ये त्वनुभवाविनिश्चतमार्गाश्चारित्रपरिणतिभ्रष्टाः । बाह्यक्रियया चरणाभिमानिनो ज्ञानिनोऽपि न ते ।। ३५।। અર્થ : જેઓ સ્વાનુભવથી અધ્યાત્મમાર્ગનો વિનિશ્ચય કરી શક્યા નથી અને તેથી જ ચારિત્ર્ય-પરિણામથી ભ્રષ્ટ થયા છે તે બાહ્ય ક્રિયાના આચરણથી જ પોતાને સંયમી તરીકે માનનારાઓ સંયમી તો નથી કિન્તુ જ્ઞાની પણ નથી. (११८) निन्द्यो न कोऽपि लोके, पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या । पूज्या गुणगरिमाढ्या, धार्यो रागो गुणलवेऽपि ।। ३८।। (११९) निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञां च । श्रद्धाविवेकसारं यतितव्यं योगिना नित्यम् ।। ३९ ।। (१२०) ग्राह्यं हितमपि बालादालापर्न दुर्जनस्य द्वेष्यम् । त्यक्तव्या च पराशा पाशा इव सङ्गमा ज्ञेयाः ।। ४०।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ (૧૨૧) સ્તુત્યા યો ન ાર્યઃ જોપોડપિ = નિન્દ્રયા ખને: વૃતયા | सेव्या धर्माचार्यास्तत्त्वं जिज्ञासनीयं च ।। ४१ ।। (૦૨૨) શૌર્ય Đર્યમવો વૈરાવ્યું યાત્મનિપ્રદ: હાર્ય । दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम् ।। ४२ ।। (१२३) भक्तिर्भगवति धार्या सेव्यो देशः सदा विविक्तश्च । स्थातव्यं सम्यक्त्वे विश्वस्यो न प्रमादरिपुः ।। ४३ ।। (१२४) ध्येयाऽऽत्मबोधनिष्ठा सर्वत्रैवागमः पुरस्कार्य: । त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्या च ।। ४४ ।। (૧૨૬) સાક્ષાત્કાર્ય તત્ત્વ, ચિદ્રપાનત્ત્વમેવુરર્માવ્યમ્ । हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ।। ४५ ।। અર્થ : ગ્રન્થકારશ્રીને અધ્યાત્મના અનુભવથી જે નિગૂઢ નવનીત પ્રાપ્ત થયું તે હવે હિતશિક્ષારૂપે ગ્રન્થનો ઉપસંહાર કરતાં જણાવે છે. (૧) લોકમાં કોઈની નિંદા કરવી નહિ, (૨) પાપિઠ આત્માનો પણ તિરસ્કાર ન કરતાં તેની તેવી ભવસ્થિતિ વિચારવી, (૩) ગુણિયલ પુરુષોને પૂજનીય માનવા, (૪) જ્યાં ગુણનો લેશ પણ દેખાતો હોય ત્યાં તે વ્યક્તિ ઉપર પ્રેમ રાખવો, (૫) આગમ-તત્ત્વનો નિશ્ચય કરીને લોકસંજ્ઞાનો ત્યાગ કરવો અને પછી યોગી પુરૂષે શ્રદ્ધા અને વિવેકની શુદ્ધિપૂર્વક સંયમ-યોગોમાં ઉદ્યમી બનવું, (૬) બાળક પાસેથી પણ હિતકર તત્ત્વ મેળવવું, (૭) દુષ્ટ પુરુષોના બકવાટથી તેમની ઉપર દ્વેષ ન કરવો, (૮) દેહાદિ તમામ પદ્રવ્યની પાસે કોઈ આશા રાખવી નહિ, (૯) સંયોગો બંધનસમા જાણવા, (૧૦) પ્રશંસાથી અભિમાન ન કરવું, (૧૧) લોકનિન્દાથી કોપ પણ ન કરવો, (૧૨) ધર્માચાર્યોની સેવા કરવી, (૧૩) તત્ત્વની જિજ્ઞાસા રાખવી, (૧૪) ચોરી કરવી નહિ, (૧૫) સંયમની શુદ્ધિ રાખવી, (૧૬) નિર્દમ્ભપણે જીવવું, (૧૭) વિરાગરસમાં તરબોળ રહેવું, (૧૮) આત્મનિગ્રહ કરતા રહેવો, (૧૯) સંસારના દોષોનું દર્શન કરવું, (૨૦) દેહાદિની અશુચિ વગેરે વિચારવા, (૨૧) જિનેશ્વર |+++++++++++#+++†††††¡÷†††††††††††††††††††|÷÷÷÷÷÷†††||÷÷÷÷||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ દેવ પ્રત્યે ભક્તિ-બહુમાન રાખવું, (૨૨) સર્વદા સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત સ્થાનમાં રહેવું, (૨૩) શ્રદ્ધામાં સ્થિર રહેવું, (૨૪) પ્રમાદશત્રુનો કદી વિશ્વાસ ન કરવો, (૨૫) આત્માના સ્વરૂપની પૂર્ણતા વિચારવી, (૨૬) સર્વત્ર જિનાજ્ઞાને જ આગળ કરવી, (૨૭) કુવિકલ્પોનો ત્યાગ કરવો, (૨૮) આપ્ત વૃદ્ધ પુરુષોને પગલે ચાલવું, (૨૯) આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો અને (૩૦) ચિદાનન્દની એ અનુભૂતિમાં સદૈવ મસ્તાન રહેવું. ૩૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા (૧) जइ ता तिलोगनाहो विसहइ बहुआई असरिसजणस्स । इअ जीअंतकराई एस खमा सव्वसाहूणं ।। ४॥ અર્થ : જો તે ત્રણ લોકના નાથ દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે હલકા માણસોના જાનથી મારી નાંખે તેવા પુષ્કળ ઉપસર્ગોને સહન કર્યા, તે વખતે અદ્ભુત ક્ષમા ધારણ કરી તે ક્ષમા તમામ સાધુઓએ ચખવી જોઈએ. (२) भद्दो विणीयविणओ पढमगणहरो समत्तसुअनाणी । जाणतो वि तमत्थं विम्हयहियओ सुणइ सव्वं । । ६ । । અર્થ : એકદમ સરળ, અત્યન્ત વિનયી, પ્રથમ ગણધર, ચૌદ પૂર્વસહિત સમસ્ત દ્વાદશાંગીના ધારક ગૌતમસ્વામીજી અર્થને જાણવા છતાં વિસ્મિત હૃદયવાળા થઈને પ્રભુને અર્થ પૂછે છે, અને પ્રભુએ ફરમાવેલો સઘળો અર્થ ઉત્કંઠિત થઈને સાંભળે છે. वेसोऽवि अप्पमाणो असंजमपएस वट्टमाणस्स । किं परियत्तियवेसं विसं न मारेइ खज्जंतं ।। २१ ।। અર્થ : ભલા, જે સાધુ શિથિલાચારી છે તે સાધુવેષ પહેરે એટલે શું તે મોક્ષ પામી જશે ? શું કોઈ માણસ અમુક વેષ પહેરીને ઝેર પીએ તો તે જીવતો રહેશે ? (3) (૪) धम्मं रक्खइ वेसो संकइ वेसेण दिक्खिओमि अहं । उम्मग्गेण पडतं रक्खइ राया जणवउव्व ।। २२ ।। અર્થ : વેષ આંતરધર્મનું રક્ષણ કરે છે. પોતાના વેષ ઉપર નજર પડતાં, ‘અરે, હું તો દીક્ષિત સાધુ છું’ એવું ભાન કરીને ખોટું કરતાં અટકી જાય છે. જેમ રાજા પ્રજાને ઉન્માર્ગે જતી અટકાવે છે તેમ વેષ આત્માને ધર્મભ્રષ્ટ થતો અટકાવે છે. (५) नियगमइ विगप्पिअ चिंतिएण सच्छंदबुद्धिरइएण । कत्तो पारत्तहियं कीरइ गुरु- अणुवएसेणं ।। २६ ।। ++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷†††♪♪♪♪♪÷÷÷÷÷÷÷+++++÷÷÷÷÷÷¦††††††††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) 33 Page #43 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જેને ગુર પાસેથી કોઈ શાસ્ત્રબોધ કે હિતશિક્ષા મળી નથી, જે પોતાની સ્વછંદ બુદ્ધિથી જ બધું ગોઠવી લે છે અને ચિન્તન કરે છે તે આત્માનું પરલોકે હિત (જિનશાસનયુક્ત સદ્ગતિની પ્રાપ્તિ) શી રીતે થાય? (६) पडिवज्जिउण दोसे नियए सम्मं च पायवडियाए । तो किर मिगावइए उप्पन्नं केवलं नाणं ।। ३४।। અર્થ : પોતાના દોષનો સારી રીતે સ્વીકાર કરેલા, ગુરુ ચંદનબાળાજીના પગમાં પડી ગયેલા મૃગાવતીજીને કૈવલ્ય ઉત્પન્ન થયું. (૭) સાહારે સુકું ય રાવલનું રુપાળોણું साहूण नाहिगारो अहिगारो धम्मकज्जेसु ।। ४०।। અર્થ: સુંદર આહારમાં, અનુકૂળ સુખોમાં, સુંદર આવાસોમાં, ઉદ્યાનોમાં અને મોહક વસ્ત્રાદિમાં આસક્તિ કરવાનો સાધુને અધિકાર નથી. માત્ર તપ, સ્વાધ્યાય, સાધુ-કરણી આદિ ધર્મકાર્યોમાં જ તેનો અધિકાર છે. (૮) સ૬ તારમહમણુ વ નવા વિ મુનિ ! अवि ते सरीरपीडं सहंति न लहंति य विरुद्धं ।। ४१ ।। અર્થ : સાધુ જંગલમાં હોય કે મહાભયની સ્થિતિમાં હોય તો ય બધી તન મનની પીડા સહી લે છે પણ તેને દૂર કરવા માટે અનેષણીય (દોષિત) તો નથી જ લેતા. (૧) ઉતેવરપુરવક્તવાહિદિ વરસરિદ્ધિ સિદી ! कामेहिं बहुविहेहिं य छंदिज्जंता वि नेच्छन्ति ।। ४९।। અર્થ : અન્તઃપુર, નગરો, લશ્કરો, હાથી વગેરે વાહનો, પુષ્કળ ધનના ભંડારો અને ઘણી જાતના પાંચ ઈન્દ્રિયોના ભોગસુખો મહામુનિઓને સમર્પિત કરાય - ખૂબ કાકલુદીપૂર્વક-તો ય તેઓ તેને ઈચ્છતા નથી. (१०) रायकुलेसु वि जाया भीया जरमरणगब्भवसहीणं । साहु सहंति सव्वं नीयाण वि पेसपेसाणं ।। ५६।। અર્થ : રાજકુળોમાં ઉત્પન્ન થઈને વૈરાગ્ય પામેલા પુણ્યાત્માઓ તમામ ૩૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના કષ્ટોને સહન કરે છે. અરે ! પોતાના નીચકક્ષાના ગણાય તેવા નોકરોના અપમાનોને પણ સહે છે. એનું કારણ એક જ છે કે તેઓ ઘડપણ, મોત, ગર્ભાવાસ વગેરેના કાતીલ દુ:ખોથી અત્યન્ત ભયભીત હોય છે. આ દુઃખો ન પડે તે માટે જિનાજ્ઞાપાલન કરવામાં જે સહેવું પડે તે બધું સહે છે. (११) ते धन्ना ते साहू तेर्सि नमो जे अकज्जपडिविरया । धीरा वयमसिहारं चरंति जह थूलिभद्दमुणी ।। ५९।। અર્થ: તે મુનિઓને ધન્ય છે, તે ખરા સાધુ છે, અમે તેમને ભાવભરી વંદનાઓ કરીએ છીએ જેઓ જિનાજ્ઞાની વિરાધનાના પાપથી સદા છેટા રહે છે. જેમ સ્થૂલિભદ્રજીએ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કર્યું તેમ જેઓ ગંભીર બનીને તલવારની ધાર ઉપર ચાલવા જેવું ચારિત્ર પાળે છે. (१२) जो कुणइ अप्पमाणं गुरुवयणं न य लहेइ उवएसं । सो पच्छा तह सोअइ उवकोसघरे जह तवस्सी ।। ६१ ।। અર્થ : જે સાધુ ગુરુવચનને અપ્રમાણ ગણે, તેમનું વચન ન સ્વીકારે તેમને પાછળથી પસ્તાવાનો સમય આવે, ઉપકોશાની હવેલીએ દોડી ગયેલા તપસ્વીની જેમ. (૧૩) નવું ટાળી, નવું મોળી, ન મુકી, નફ વ ની તવરસી વા ! પસ્થિતો સ સર્વમ, વંમવિ ન રોય મન્ન દરૂા. અર્થ: ભલે તે કાયોત્સર્ગ કરતો હોય, મૌની હોય, તેના માથે મુંડન હોય, તે છાલીઆ વસ્ત્રો પહેરતો હોય, ઉગ્ર તપસ્વી હોય પણ જો તે અબ્રહ્મની ઈચ્છા કરતો હોય તો તે બ્રહ્મા હોય તો ય મારો આદર નહિ થાય. (१४) तो पढियं तो गुणियं तो मुणियं, तो अ चेइओ अप्पा । आवडियपेल्लियामंतिओ वि जइ न कुणइ अकज्जं ।। ६४।। અર્થ: તેણે ભણ્ય-ગયું કહેવાય, શાસ્ત્ર જાણ્યું કહેવાય, આત્માને ઓળખ્યો ગણાય કે જે કુશીલ માણસની જાળમાં ફસાયો છતાં, જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ મિત્રોએ કુકર્મ કરવાની પ્રેરણા કરી દીધી હોય, કોઈ સ્ત્રીએ ખરાબ કામ કરવાનું આમંત્રણ આપ્યું હોય છતાં તે અકાર્ય ન કરે. (१५) पगडियसव्वसल्लो गुरुपायमूलंमि लहइ साहुपयं । अविसुद्धस्स न वड्ढइ गुणसेढी तत्तिया ठाइ ।। ६५।। અર્થ: જે સાધુ ગુરુચરણે બેસીને પોતાના તમામ પાપોને પ્રગટ કરી દે છે તે સાધુ સાધુપણાથી પતિત થયો હોય તો ય પુનઃ સાધુપદ પામે છે. જો સાધુ આમ ન કરે તો તેની અશુદ્ધિને લીધે તેનામાં ગુણવૃદ્ધિ થતી નથી. જે ગુણશ્રેણિ છે તે સ્થગિત થાય છે. (१६) अइसुढिओत्ति गुणसमुइओ त्ति जो न सहइ जइपसंसं । सो परिहाइ परभवे जहा महापीढ-पीढरिसी ।। ६८।। અર્થ: કોઈ ‘’ નામનો સાધુ “નામના સાધુની પ્રશંસા કરે કે આ સાધુ મૂલોત્તર ગુણોમાં એકદમ દઢ છે. તે વૈયાવૃત્ય વગેરે ઘણા ગુણોથી સંપન્ન છે.” આવી “” સાધુએ કરેલી “વ સાધુની પ્રશંસાને જે સહન ન કરે તે પીઠ અને મહાપીઠની જેમ વળતે ભવે સ્ત્રીપણું પામે. (१७) परपरिवायं गिण्हइ अट्ठमयविरल्लणे सया रमइ । डज्झइ परसिरीए सकसाओ दुक्खिओ निच्चं ।। ६९।। અર્થ : જે બીજાઓની નબળી વાતોને પકડે છે, આઠ મદોનું પોષણ કરે છે, બીજાનો ઉત્કર્ષ જોઈને દાઝે બળે છે તે કષાયવાળો પુરુષ સદા દુઃખી રહે છે. (१८) विग्गहविवायरुइणो कुलगणसंघेण बाहिरकयस्स । नत्थि किर देवलोए वि देवसमिइसु अवगासो ।। ७०।। અર્થ : જે સાધુને ઝઘડા કરવામાં અને વાતે વાતે વિવાદ કરવામાં રસ છે, એથી જે કુળ, ગણ અને સંઘમાંથી બહિષ્કૃત થયેલો છે તેવા સાધુને દેવલોકની દેવસભામાં પણ પ્રવેશ મળતો નથી. ' (१९) जइ ता जणसंववहारवज्जियमकज्जमायरइ अन्नो । जो तं पुणो विकत्थइ परस्स वसणेण सो दुहिओ ।। ७१।। ૩૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જે શિષ્ટલોકોને અમાન્ય દોષો છે તેનું સેવન કરે છે તે અકાર્ય કરનાર આત્માને તો આલોક-પરલોકે દુઃખ પડે જ છે, પરંતુ તેવા પાપી માણસની નિન્દા જે માણસ કરે તે પણ દુઃખી થાય છે. (२०) सुठुवि उज्जममाणं पंचेव करिति रित्तयं सामण्णं । अप्पथुई परनिन्दा जिब्भोवत्था कसाया य ।। ७२ ।। અર્થ : જે સાધુ તપ-જપ-સંયમનું આરાધન ખૂબ ઉત્કૃષ્ટ રીતે કરે છે તેના સાધુપણાને આ પાંચ વસ્તુઓ કચરો કરી નાંખે છે : પગલૂછણિયું બનાવી દે છે. (૧) સ્વપ્રશંસા (૨) પરનિન્દા (૩) રસનાની લંપટતા (૪) જાતીય-વાસના અને (૫) કષાયો. (२१) परपरिवायमईओ दूसइ वयणेहिं जेहिं जेहिं परं । ते ते पावइ दोसे परपरिवाइ इअ अपिच्छो ।। ७३ ।। અર્થ: બીજાઓના છતાં કે અછતાં દોષોને જાહેરમાં લાવીને લોકોમાં નિંદા કરનારા માણસમાં તે દોષો પેસી જાય છે. (२२) थद्धा च्छिद्दप्पेही अवण्णवाइ सयंमइ चवला । वंका कोहणसीला सीसा उव्वेअगा गुरुणो ।। ७४ ।। અર્થ: ગુરુ સામે અભિમાન કરનારા, ગુરુના પણ દોષો જોનારા, ગુરુનિંદક, સ્વતન્ન મિજાજના, અસ્થિર ચિત્તવાળા, વક્ર અને ક્રોધી એવા શિષ્યો ગુરુને ઉગ કરાવનારા બને છે. (२३) जस्स गुरुम्मि न भत्ति न य बहुमाणो न गौरवं न भयं ।। न वि लज्जा न वि नेहो गुरुकुलवासेण किं तस्स ।। ७५।। અર્થ : જેની ગુરુ પ્રત્યે ભક્તિ નથી, હાર્દિક બહુમાન નથી, સન્માનભાવ નથી, તેમનાથી કોઈ ભય નથી, લાજ નથી, ગુરુ પ્રત્યે સ્નેહ પણ નથી એવો કોઈ સાધુ ગુરુકુલવાસમાં હોય તો ય તેનાથી શું ફાયદો? (२४) एगदिवसं पि जीवो पव्वज्जमुवगओ अनन्नमणो । जइ वि न पावइ मुक्खं अवस्सं वेमाणिओ होइ ।। ९०।। અર્થ : જો મનના અત્યન્ત શુદ્ધ અધ્યવસાયોની સાથે કોઈ આત્મા એક જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ દિવસ માટે પણ સાધુ થાય તો અવશ્ય મોક્ષ પામી જાય. અને જો કદાચ તેને મોક્ષ ન મળે તો તે વૈમાનિક દેવ તો અવશ્ય થાય. (२५) जो चंदणेण बाहुं आलिंपइ वासिणा वि तच्छेइ । संथुणइ जो अ निंदइ महरिसिणो तत्थ समभावा ।। ९२ ।। અર્થ: કોઈ શરીર ઉપર ઠંડું ચંદન લગાડે કે શરીરને વાંસલીની ધારથી છોલી નાંખે. કોઈ પ્રશંસા કરે કે કોઈ નિન્દા કરે... જે મહાત્માઓ છે તે સહુ પ્રત્યે સમભાવવાળા હોય છે. (२६) मिण गोणसंगुलीहिं गणेहिं व दंतचक्कलाई से । इच्छंति भाणिउणं कज्जं तु त एव जाणंति ।। ९४ ।। અર્થ : “ઓ શિષ્ય ! આંગળીઓથી સ્પર્શીને તું સાપને માપ અથવા તેના દાંત (દતસ્થાનો) ગણી આપ.” ગુરુએ આટલું કહ્યું કે તરત શિષ્ય તહત્તિ' (ઇચ્છ) કહ્યું અને તે કાર્ય કરવા માટે નીકળી ગયો. કયું કાર્ય સાધવા માટે ગુરુએ આમ કહ્યું? તેનો વિચાર પણ ન કર્યો, કેમકે તે જાણતો હતો કે એ બધી વાત ગુરુ જાણે. આપણને તેનું શું કામ? (૨૭) વારવિડ યા સેવં વાર્થ વયંતિ લાયેરિયા | તં તદ સહિષ્ણવ્યું ભવિā વાર તહિં ! ૧૧ - અર્થ: ક્યારેક-પ્રયોજનને સમજનાર-ગુરુ જો શિષ્યને કહે કે, “વત્સ ! કાગડા ધોળા છે.” તો શિષ્ય તે વાતને સ્વીકારવી. અહીં એવું વિચારવું કે, “ગુરુ કદી ખોટું કહે નહિ. તેમની વાત પાછળ ચોક્કસ કોઈ ભેદ રહેલો હશે એટલે મારે શંકા-કુશંકા કરવી જોઈએ નહિ.” (२८) जो गिण्हइ गुरुवयणं भण्णंतं भावओ विसुद्धमणो । ओसहमिव पिज्जंतं तं तस्स सुहावहं होइ ।। ९६।। અર્થ: ગુરુના મુખેથી નીકળતી આજ્ઞાને જે શિષ્ય તરત ઝીલી લે છે તે પણ અત્યંત પ્રસન્નતાથી અને નિર્મળ મનથી... તેવા શિષ્યની તો શી વાત કરવી? જેમ ઔષધ લેવાથી રોગ જાય તેમ આવા શિષ્યોનો કર્મરોગ ભાગી જાય. (२९) अणुवत्तगा विणीआ बहुक्खमा निच्चभत्तिमंता य । गुरुकूलवासी अमुई धन्ना सीसा इह सुसीला ।। ९७।। ૧૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ગુરુની ઈચ્છાને અનુસરનારા, વિનયી, રોષરહિત, ખૂબ ક્ષમાવાન, હંમેશ માટે ગુરુભક્ત, ગુરુકૂલમાં રહેનારા, જ્ઞાનાદિ કાર્ય સિદ્ધ થઈ જાય પછી પણ ગુરુનો ત્યાગ નહિ કરનારા અને સારા શીલ (ચારિત્ર અથવા સ્વભાવ)વાળા શિષ્યો આ જગતમાં ધન્ય બની ગયા કહેવાય. (३०) जीवंतस्स इह जसो कित्ती य मयस्स परभवे धम्मो । सगुणस्स य निग्गुणस्स य अजसो अकित्ती अहम्मो य ।।९८।। અર્થ : જે ગુણવંત શિષ્ય છે તેને આ ભવમાં જીવે ત્યાં સુધી યશ મળે છે. મરે તે પછી પરભવમાં ધર્મની પ્રાપ્તિ છે. જે નિર્ગુણ શિષ્ય છે તેના લલાટમાં આ લોકે અપયશ અને અપકીર્તિ તથા પરભવે અધર્મની પ્રાપ્તિ લખાયેલી છે. (३१) आयरियभत्तिरागो कस्स सुनक्खत्तमहरिसी सरिसो । अपि जीविअं ववसिन चेव गुरुपरिभवो सहिओ ।। १००।। અર્થ: પેલા સુનક્ષત્ર (અને સર્વાનુભૂતિ) મહર્ષિ જેવો ગુરુ ઉપર ભક્તિરાગ કોને હશે? જેણે પોતાના પ્રાણ દઈ દીધા પણ ગુરુની તર્જના તો ન જ સહી. (३२) पुण्णेहिं चोइआ पुरक्कडेहिं सिरिभायणं भविअसत्ता । गुरुमागमेसिभहा देवयमिव पज्जुवासंति ।। १०१।। અર્થ : જેઓ પૂર્વે બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યકર્મના ઉદયથી ગુરુ-સેવા તરફ પ્રેરાએલા છે, જેઓ અભ્યન્તર લક્ષ્મીનું પાત્ર બન્યા છે, નજીકના આગામી કાળમાં જેમનું આત્મહિત થવાનું નિશ્ચિત છે તે સરળ શિષ્યો પોતાના ગુરુની સેવા દેવની જેમ કરતા હોય છે. (३३) जो चयइ उत्तरगुणे मूलगुणेऽवि अचिरेण सो चयइ । जह जह कुणइ पमायं पिल्लिज्जइ तह कसाएहिं ।। ११७।। અર્થ : જે સાધુ ઉત્તરગુણમાં ગરબડ કરે છે તે બહુ જલ્દી મૂલગુણો ગુમાવે છે. તે જેમ જેમ પ્રમાદ કરે છે તેમ તેમ તે કષાયોની ઉત્તેજનાથી પીસાતો જાય છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૨૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ (३४) भवसयसहस्सदुलहे जाइजरामरणसागरुत्तारे । जिणवयणमि गुणायर ! खणमवि मा काहिसि पमायं ।। १२३ ।। અર્થ: હે ગુણોના ભંડાર પુરુષ ! લાખો ભવો પછી પણ જેને પામવાનું મુશ્કેલ છે, વળી જન્મ, જરા, મરણના સાગરમાંથી જીવને પાર ઉતારી દેનાર છે એવા જિનવચનને વિષે ક્ષણમાત્ર પણ તું પ્રમાદ કરીશ નહિ. (३५) अक्कोसणतज्जणताडणा अवमाणहीलणाओ अ । मुणिणो मुणियपरभवा दृढपहारिव्य विसहति ।। १३६।। અર્થ : જેમણે પરલોકને બરોબર લક્ષમાં લઈ લીધો છે તેવા મુનિઓ બીજાઓ તરફથી થતા આક્રોશ, તિરસ્કાર, મારપીટ-બધું પેલા દઢપ્રહારીની જેમ સહન કરે છે. (३६) दुज्जणमुहकोदंडा वयणसरा पुव्वकम्मनिम्माया । साहूण ते न लग्गा खंतिफलयंवहंताणं ।। १३८ ।। અર્થ: દુર્જનનું મુખ એ બાણ છે. એમાંથી કુવચનરૂપી તીરો છૂટે છે. આ પૂર્વે બાંધેલા અશુભકર્મોનું પરિણામ છે. પણ સાધુઓને તે તીર ભોંકાયું નથી, કેમકે સાધુઓ ક્ષમાની ઢાલ વહે છે. (૩૭) પત્થરેહણો જીવો પત્થર મિસ્ક | मिगारिओ सरं पप्प सरुप्पत्तिं विमग्गइ ।। १३९ ।। અર્થ : (જ અવિવેકી છે તેને જ ક્રોધ આવવાનો સંભવ છે) પથ્થરથી હણાયેલો કૂતરો પથ્થરને બચકાં ભરવા ઈચ્છે છે ત્યારે સિંહ બાણને પામી (બાણ નહિ પણ) બાણની ઉત્પત્તિ (બાણનો ફેંકનાર) તરફ દૃષ્ટિ લઈ જાય છે. (३८) तह पुट्विं किं न कयं न बाहए जेण मे समत्थो वि । इण्डिं किं कस्स व कुप्पिमुत्ति धीरा अणुष्पिच्छा ।। १४०।। અર્થ : (મુનિ વિચારે છે કે, મેં પૂર્વજન્મમાં સારું કર્મ કર્યું હોત તો મારો પુણ્યોદય હોત. તેથી સમર્થ માણસ પણ મને પીડા આપી શકત નહિ. એટલે સારું કર્મ ન કરવા રૂપ આ મારો જ દોષ છે. તો હવે ૪૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ અત્યારે શા માટે (નિષ્કારણ) કોના ઉપર ગુસ્સો કરું? આ પ્રમાણે વિચારીને ધીરતાવાળા મહાત્માઓ સામી વ્યક્તિ ઉપર વિહ્વળ ન બને. (३९) अमुणिअपरमत्थाणं बंधुजणसिणेहवइयरो होइ । अवगयसंसारसहाव निच्छयाणं समं हिययं ।। १४३।। અર્થ: જે આત્માઓએ સંસાર સ્વરૂપનો પરમાર્થ (બધું અસાર છે.) જાણ્યો નથી એવા સામાન્ય માણસોને સ્વજનો પ્રત્યે સ્નેહનો સંબંધ થાય છે. જેણે સંસારના સ્વભાવનું નિશ્ચયાત્મક સ્વરૂપ જાણ્યું છે તેનું હૃદય તો સર્વજનો પ્રત્યે સમાન છે. (४०) अवरुप्परसंवाहं सुक्खं तुच्छं सरीरपीडा य । सारण वारण चोयण गुरुजणआयत्तया य गणे ।। १५५।। અર્થ : ગચ્છમાં રહેવાથી પરસ્પરનું (સાધર્મિક) મિલન થાય, સુખ-ભૌતિક સુખ-સામાન્ય નહિવત) બની જાય, શરીરને પીડાઓ થાય, વડીલો તરફથી સારણા, વારણા, ચોયણા થતી રહે, ગુરુને પરાધીન રહેવાનું થાય. (४१) इक्कस्स कओ धम्मो सच्छंदगइमइपयारस्स । किं वा करेउ इक्को परिहरउ कहमकज्जं वा ।। १५६।। અર્થ: સ્વચ્છંદીપણે વર્તવાની ગતિમાં જેની મતિનો ફેલાવો છે તેવા મુનિને ધર્મ ક્યાંથી સંભવે? વળી તે એકલો તપ, ક્રિયા વગેરે શી રીતે કરી શકશે ? અકાર્યોનો પરિહાર પણ કેવી રીતે કરશે? (४२) कत्तो सुत्तत्थागम पडिपुच्छण चोयणा य इक्कस्स । विणओ वेयावच्चं आराहणया य मरणंते ।। १५७।। અર્થ : એકલો સાધુ સૂત્ર અને અર્થનો લાભ કોની પાસેથી પામશે ? વળી એમાં ઉત્પન્ન થતી શંકાઓ કોને પૂછશે? તેની ભૂલો બદલ કોણ ઠપકો આપશે ? તેને વડીલ જ નહિ હોય તો કોનો વિનય કરશે? તેની સાથે સાધુઓનું વૃન્દ નહિ હોય તો વૈયાવચ્ચ કરવાનો લાભ શી રીતે મેળવશે ? તેને મરતી વખતે નિર્ધામણા કોણ કરાવે ? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ (४३) पिल्लिज्जेसणमिक्को पइन्नपमयाजणाउ निच्च भयं । काउं मणो वि अकज्जं न तरंइ काउण बहुमज्झे ।। १५८ ।। અર્થ : એકલો મુનિ આહારશુદ્ધિનું ઉલ્લંઘન કરી દે, તેને સ્ત્રીથી પતન થવાનો નિત્ય ભય રહે. જો ઘણા મુનિઓ હોય તો તેમની વચ્ચે રહેલો અકાર્ય કરવા માંગે તો પણ ન કરી શકે. (४४) एगदिवसेण बहुआ सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ चइज्ज आलंबणं लद्धं ।। १६० ।। અર્થ : મુનિજીવનના પર્યાયનો એક દિવસ પણ અનેક શુભ અને અશુભ પરિણામોથી ભરપૂર બની શકે છે. એમાં એકાદ અશુભ પરિણામ જ્યારે જાગે અને તે વખતે અશુભને ઉત્તેજિત કરતું આલંબન મળી જાય તો તે આત્મા ચારિત્રધર્મનો ત્યાગ કરી દે તે અત્યંત શક્ય છે (४५) जो अविकलं तवसंजमं च साहू करिज्ज पच्छावि । अन्नियसुयव्व सो नियगमट्ठमचिरेण साहेइ ।। १७१।। અર્થ : જે આત્મા શરૂઆતના-પૂર્વાર્ધના-ભવમાં ઘણા પાપો કરે પણ જો પાછળના કાળમાં તપ અને સંયમની આરાધના નિરતિચારપણે કરે (અતિચારાદિનું શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરે તો તે સાધુપણું નિરતિચાર કહેવાય) તો તેના તે ભવોના પાપો તો સળગી જાય પણ -ભવોભવના પાપો ભેગા બળીને ઝપાટાબંધ ખતમ થઈ જાય. લાગ પડે તો તે આત્મા પરમાત્મા બની જાય. (૪૬) ઘર-ર-તુરાવલ મત્ત ફુવા વિ નામ સ્મૃતિ | इक्को नवरि न दम्मइ निरंकुसो अप्पणो अप्पा ।। १८३ ।। અર્થ : ગધેડા, ઊંટ, ઘોડા કે બળદ; અરે મદોન્મત્ત હાથી પણ વશ કરી શકાય કિન્તુ નિરંકુશ પોતાનો આત્મા વશ કરી શકાતો નથી. (૪૭) વાં સંતો સંનને તવેળા ચ | माऽहं परेहिं दम्मतो बंधणेहिं वहेहि य ।। १८४ ।। અર્થ: (ખરી વાત તો એ જ છે કે બીજી બાબતોમાં પડવા કરતાં) આત્માનું જ ઉગ્ર તપ અને વિશદ્ધ ચારિત્રનું પાલન કરવારૂપે નિયત્રણ કરવું. ૪૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ આમ થાય તો બીજાઓ-પરમાધામી, માલિક વગેરે દ્વારા દુર્ગતિઓમાં બંધનો અને મારપીટ કરવારૂપે નિયત્રંણમાંથી મુક્તિ મળે. (४८) अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुइमो । अप्पा दंतो सुही होइ अस्सिं लोए परत्थ य ।। १८५।। અર્થ: માનવજીવનનું કર્તવ્ય આ જ છે કે તેમાં પોતાના આત્માનું દમન કરવું. બાહ્ય શત્રુઓનું દમન તો હજી સહેલાઈથી કરી શકાય પણ આંતરશત્રુઓનું દમન અતિ મુશ્કેલ છે. પણ જો આત્માનું દમન થઈ જાય તો આલોક અને પરલોકમાં તે સાચા અર્થમાં સુખી થાય. (४९) सीलव्वयाइं जो बहुफलाई हंतूण य सुक्खमहिलसइ । धीइदुब्बलो तवस्सी कोडीए कागिणिं किणइ ।। १८८।। અર્થ: બિચારો સુખશીલ આત્મા ! સાધુવેષ પામ્યો પણ તેમાં ય જે શીલ અને મહાવ્રતોનું ફળ કલ્પી ન શકાય એટલું પ્રચંડ છે તેની ઉપેક્ષા કરીને તુચ્છ એવા ભૌતિક આનંદોને ચાટે છે. આ જીવ બુદ્ધિમાં રહેલી અતૃપ્તિ (અસંતોષ)ને લીધે જે ઇન્દ્રિયોના ભોગાતિરેકથી શરીર ખોઈ બેઠો છે આથી એવો દુબળો થયો છે કે કોક જોનારાને તપસ્વી લાગે. હાય ! એક પૈસો મેળવવા જતાં એક ક્રોડ સોનામહોરો ગુમાવે છે ! (५०) पुरनिद्धमणे जक्खो महुरा मंगु तहेव सुयनिहसो । વો સુવિદિયનાં વિસૂરફ વર્લ્ડ ર દિ / 999ી. અર્થ: શ્રુતજ્ઞાનની ચકાસણી માટે કસોટીના પત્થર જેવા મહાગ્રુતધર, મથુરામાં આચાર્ય મંગુ નગરની ખાળના યક્ષ થયા. પોતાના સુવિહિત શિષ્યોને (જીભ બતાડીને) બોધ દેવા લાગ્યા અને હૃદયમાં ખૂબ સંતાપ પામ્યા. (५१) निग्गंतूण घराओ न कओ धम्मो मए जिणक्खाओ । इडिरससायगुरुयत्तणेण न य चेइयो अप्पा ।। १९२ ।। અર્થ : “હાય ! ઘરવાસમાંથી નીકળીને તારક તીર્થંકરદેવોએ પ્રરૂપેલો ધર્મ મેં સેવ્યો નહિ. ઊલટું ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવને ખૂબ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ સેવ્યા. મારા આત્માને હું જાણી શક્યો નહિ.’ (આચાર્ય મંગુનો જીવ યક્ષ વિચારે છે.) (५२) ओसन्नविहारेणं हा जह झीणंमि आउए सव्वे । किं काहामि अहन्नो संपइ सोयामि अप्पाणं ।। १९३।। અર્થ : હાય ! શિથિલ ચારિત્રથી હું એવું જીવ્યો કે મારું આયુ ક્ષીણ થઈ ગયું. હવે હું અભાગી શું કરીશ ? હવે તો મારે મારા આત્મા ઉપર જ શોક કરવાનો રહ્યો ને ?’ (૧૩) ઢા નીવ ! પાવ નિિિસ નાનોળીસચાર્ં વર્તુગાડું । भवसयसहस्सदुल्लहं पि जिणमयं एरिसं लधुं ।। १९४ ।। અર્થ : ઓ જીવ ! તું પાપી ! દુરાત્મા ! લાખો ભવોએ પણ ન મળે તેવા જિનાગમને પામીને ય એનો અમલ નહિ કરવાને લીધે તું બહુ સેંકડો એકેન્દ્રિયાદિ જાતિમાં અને શીત, ઉષ્ણ વગેરે યોનિઓમાં રખડ્યા કરીશ. (५४) परितप्पिएण तणुओ साहारो जइ घणं न उज्जमइ । सेणियराया तं तह परितप्पंतो गओ नरयं ।। १९६।। અર્થ : જો જીવ તપ અને સંયમ વિષે ઉદ્યમ ન કરે અને માત્ર દુષ્કૃતોની ગહ કરવા રૂપે અંતરથી તપ્યા કરે : અર્થાત્ તપ-સંયમને સેવવાને બદલે દુષ્કૃતગહનો આધાર લે તો તેથી કાંઈ ચાલે નહિ. હા, દુષ્કૃતગર્હા કરવાથી જે શિથીલ કર્મબંધો હોય તે દૂર થાય પણ ચીંકણા કર્મબંધો હટે નહિ. શ્રેણિક રાજાએ પ્રભુને પામ્યા પછી કેટલી બધી દુષ્કૃતગહ કરી પણ તો ય તેમને નરકમાં તો જવું જ પડ્યું ! (५५) जाणिज्जइ चिंतिज्जइ जम्मजरामरणसंभवं दुक्खं । न य विसएस विरज्जइ अहो सुबद्धो कवडगंठी ।। २०४ ।। અર્થ : સદ્ગુરુનો ઉપદેશ સાંભળીને જીવ એ વાત બરોબર જાણે છે અને તેની ઉપર ખૂબ ચિંતન કરે છે કે જન્મ, જરા, મરણ વગેરે દુઃખોથી સંસાર ભરેલો છે. પણ હાય, તો ય તે વિષયસુખોથી વૈરાગ્ય પામતો નથી. ૪૪ ***** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ ખરેખર મોહની ગાંઠ આત્મા સાથે બરોબર ચોંટી ગઈ લાગે છે. (५६) जाणइ य जहा मरिज्जइ अमरंतं पि हु जरा विणासेइ । न य उव्विग्गो लोगो अहो रहस्सं सुनिम्मायं ।। २०५।। અર્થ : લોકો જાણે છે કે સર્વ પ્રાણીઓ પોતાના આયુક્ષયે નિશ્ચિત કરવાના છે. વળી ન મરે તો ય તે પૂર્વે ઘડપણ તો વળગી જ પડવાનું છે. તો ય લોકો સંસારથી ઉદ્વેગ પામતા નથી. આ કેટલું મોટું આશ્ચર્ય કહેવાય ! વિધાતા વડે ગુપ્ત રીતે આ કેવું રહસ્ય નિર્માણ કરાયું છે! (૧૭) નો સેવ વિ ના થામ સાફ સુનો દોડું ! पावेइ वेमणस्सं दुक्खाणि अ अत्तदोसेणं ।। २११।। અર્થ : જે આત્મા કામનું સેવન કરે છે તે શું પામે છે? બિચારો, (૧) શક્તિનો ક્ષય કરે છે, (૨) દુર્બળ થાય છે, (૩) ચિત્તમાં ઉદ્વેગ રહે છે અને (૪) પોતાના દોષોથી પોતે દુ:ખી રહ્યા કરે છે. (५८) जे घरसरणपसत्ता छक्कायरिऊ सकिंचणा अजया । नवरं मोत्तुण घरं घरसंकमणं कयं तेहिं ।। २२०।। અર્થ : ઘરને ત્યાગેલો સાધુ જો ઘરની મરામતમાં લાગી પડેલો હોય, એથી જે ષડૂજીવનકાયનો હિંસક બન્યો હોય, જે ધન વગેરેનો સંગ્રહ કરતો હોય, જેનામાં જયણાધર્મ જણાતો ન હોય એના માટે તો એમ કહેવું પડે કે તેણે એક ઘર મૂકીને બીજા ઘરમાં પ્રવેશ કર્યો. (५९) उस्सुत्तमायरंतो बंधइ कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ मायामोसं च कुव्वइ य ।। २२१ ।। અર્થ : સૂત્રવિરુદ્ધ આચરણ કરતો આત્મા નિકાચિત કર્મબંધ કરી દે છે. એથી એનો સંસાર ખૂબ વધી જાય છે. બિચારો, માયા-મૃષાનો ભોગ બને છે. (૬૦) કાનાવો સંવાસો વીસમો સંથવો પનો . हीणायारेहिं समं सव्वजिणिंदेहिं पडिकुट्ठो ।। २२३ ।। અર્થ : હિન આચરણવાળા પાસત્કાદિકની સાથે વાતચીત કરવી, ભેગા જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ રહેવું, વિશ્વાસ કરવો, પરિચય કરવો, લેવા-દેવાનો વ્યવહાર કરવો - આ બધી વાતોનો જિનેશ્વરદેવોએ સાફ નિષેધ કર્યો છે. (9) સુવિદિય વંદાવંતો નાફ પડ્યું તુ સુહાગો दुविहपहविप्पमुक्को कहमप्पं न याणइ मूढो ।। २२९ ।। અર્થ: સુવિહિત સાધુને વંદન કરતાં જે અટકાવે નહિ તે કુસાધુ પોતાને ભવિષ્યમાં પણ સત્પથ ઉપર મૂકી શકતો નથી. આમ તે સાધુમાર્ગ અને શ્રાવકમાર્ગથી ભ્રષ્ટ થાય છે. શું તે મૂઢ પોતાની આ અવદશાને સમજી શક્યો નહિ હોય ? (ઘર) સીન્ન વિ અ ત પિ સીસા સુનિ મદુરર્દિ | मग्गे ठवंति पुणरवि जह सेलगपंथगो नायं ।। २४७ ।। અર્થ : એવું પણ ક્યારેક બની શકે જ્યારે ગુરુ ચારિત્રધર્મના પાલનમાં શિથિલ બન્યા હોય. આવા વખતે સુશિષ્યોએ તર્કબદ્ધ અને મધુર વચનો દ્વારા ગુરુને માર્ગસ્થ બનાવવા જોઈએ. આ માટે શાસ્ત્રમાં શેલક ગુરુ અને પંથક શિષ્યની વાત આવે છે. (६३) अवि नाम चक्कवट्टी चइज्ज सव्वं पि चक्कवट्टिसुहं । न य ओसन्नविहारी दुहिओ ओसन्नयं चयइ ।। २५५ ।। અર્થ: હજી ચક્રવર્તી છ ખંડનું રાજ તજીને ઉત્તમકક્ષાનો સાધુ બની શકશે, પણ સાવ શિથિલ બનેલો સાધુ પોતાની શિથિલતાઓને દૂર નહિ કરી શકે. (૬૪) નરલ્યો સસિરીયા વહુ મારૂ દત્તાત્રફુહિશો ! पडिओ मि भए भाउ अ तो मे जाएह तं देहं ।। २५६।। (६५) को तेण जीवरहिएण संपयं जाइएण हुज्ज गुणो ? जइ सि पुरा जायंतो तो नरए नेव निवडतो ।। २५७।। અર્થ : નરકમાં રહેલો શશિપ્રભ રાજાનો જીવ (ધર્મ કરીને દેવ થયેલા) પોતાના ભાઈને કહે છે, “હે ભાઈ! પૂર્વના શરીરના લાલનપાલનથી આનંદમંગળ માનેલો હું (નરકથી ઉદ્ભવતાં) ભયમાં પડ્યો છું. માટે. મારા તે શરીરને તું કષ્ટ દે.” ૪૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ તેના ઉત્તરમાં તેનો ભાઈ સૂરપ્રભનો જીવ કહે છે, “જીવરહિત બનેલા તે શરીરને હવે વર્તમાનમાં કષ્ટ દેવાથી શો લાભ? જો પહેલાં તું જીવતો હતો ત્યારે) તે શરીરને તપ વગેરેના કષ્ટો આપ્યા હોત તો તું આ નરકમાં આવી પડત નહિ.” (६६) जावाऽऽउ सावसेसं जाव य थोवो वि अत्थि ववसाओ । ताव करिज्जप्पहि मा ससिराया व सोइहिसि ।।२५८ ।। અર્થ : જ્યાં સુધી આયુષ્ય બાકી છે, જ્યાં સુધી મનમાં થોડોક પણ ઉત્સાહ (વ્યવસાય) રહ્યો છે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેવું જોઈએ. શશિરાજાની જેમ પાછળથી શોક કરવાનો પ્રસંગ ન આવવો જોઈએ. (६७) धित्तुण वि सामन्नं संजमजोगेसु होई जो सिढिलो । पडइ जइ वयणिज्जे सोअइ अ गओ कुदेवत्तं ।।२५९।। અર્થ: સાધુપણું (સાધુવેષ) લઈને પણ જે આત્મા સંયમના યોગોમાં શિથિલ બને છે તે સાધુ આલોકમાં નિન્દા (વચનીયતા) પામે છે અને પરલોકે હલકી દેવગતિ પામે છે. હવે ત્યાં તે પૂર્વભવે થયેલી ભૂલો ઉપર પશ્ચાત્તાપ કરે છે. (६८) सुच्चा ते जीअलोए जिणवयणं जे नरा न याणंति । सुच्चाण वि ते सुच्चा जे नाउण न वि करंति ।।२६०।। અર્થ: આ જીવલોકમાં જે સાધુઓ જિનાજ્ઞા શું છે? તે જાણતા નથી તેઓ ઉપર શોક કરવો જોઈએ. પણ તેઓ ઉપર તો ખૂબ વિશેષ શોક કરવો જોઈએ કે જે સાધુઓ જિનાજ્ઞાને જાણ્યા પછી પણ તેનું પાલન કરતા નથી. (६९) जस्स गुरुंमि परिभवो साहुसु अणायरो खमा तुच्छा । धम्मे य अणहिलासो अहिलासो दुग्गइए उ ।।२६३ ।। અર્થ : જે સાધુ ગુરુ પ્રત્યે સદ્ભાવ ધરાવતો નથી, જેને સાધુઓ પ્રત્યે અનાદર છે, જેની ક્ષમા હલકી કક્ષાની છે, જેને ધર્મ કરવાની ઈચ્છા નથી તે સાધુ દુર્ગતિનો ઇચ્છુક છે એમ કહેવું પડે. - જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ७० ) सयलंमि वि जीवलोए तेण इह घोसिओ अमाघाओ । इक्कं पि जो दुहत्तं सत्तं बोहेङ जिणवयणे ।। २६८ ।। અર્થ : આ જગતમાં તે જ્ઞાનદાતા ગુરુ એક પણ સંસારી જીવને જિનવચનના વિષયમાં ‘અત્યન્ત ઉપાદેય' તરીકે બોધ આપે છે ઃ તેને સાધુ બનાવે છે તે ગુરુ ચૌદ રાજલોકમાં અમારિ (અમાઘાત) ની ઘોષણા કરે છે. (७१) सम्मत्तदायगाणं दुप्पडियारं भवेसु बहुएसु । सव्वगुणमेलियाहि वि उवयारसहस्सकोडिहिं ।। २६९ ।। अर्थ : ઃ ગુરુ ઉપર શિષ્ય ઘણા ભવોમાં ક્રોડો ઉપકારો કરે - ગુરુએ કરેલા સર્વ ઉપકારોની સામે - સમ્યક્ત્વના દાતા ગુરુનો ઉપકાર વાળવો અતિ मुडेस छे. ( ७२ ) संसारचारए चारए व्व आवीलियस्स बंधेहिं । उव्वग्गो जस्स मणो सो किर आसन्नसिद्धिपहो ।। २८९ ।। (७३) आसन्नकालभवसिद्धिअस्स जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु न रज्जइ सव्वत्थामेसु उज्जमइ ।। २९० ।। अर्थ : ઃ કારાગૃહ જેવા સંસારના ચાર ગતિના ભ્રમણમાં કર્મના બંધનોથી પરેશાન થયેલા જે જીવનું મન ખિન્ન રહેતું હોય તે જીવ નજીકના ભવમાં મોક્ષ પામશે તેમ જાણવું. એવા જીવનું લક્ષણ એ છે કે તેને વિષયસુખના ભોગવટામાં રસ ન હોય અને તે પૂરી તાકાતથી ધર્મ કરવામાં તત્પર હોય. (७४) हुज्ज व न देहबलं धिइमइसत्तेण जइ न उज्जमसिं । अच्छिहिसि चिरं कालं बलं च कालं च सोअंतो ।। २९१ ।। (७५) लद्धिल्लियं च बोहिं अकरितोऽणागयं च पत्थितो । अन्नं दाई बोहिं लब्भिहिसि कयरेण मुल्लेण ।। २९२ ।। (७६) संघयणकालबलदुसमाइ रूयालंबणाई घित्तुणं । सव्वं चिय नियम-धुरं निरुज्जमाओ पमुच्च॑ति ।। २९३ ।। ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷:::::::::::::::::::::::::::::::::::::::::÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ४८ Page #58 -------------------------------------------------------------------------- ________________ અર્થ: હે શિષ્ય ! તારી પાસે દેહનું બળ ન હોય, તેથી ધૃતિ, બુદ્ધિ અને સત્ત્વશાલિતાથી તું ધર્મમાં ઉદ્યમ નહિ કરે, અને તારા દેહની નિર્બળતાને તથા કાળની વિષમતાને આગળ કર્યા કરીશ તો દીર્ઘકાળ સુધી તું શોકમગ્ન રહીશ કે હું ધર્મ હારી ગયો. હે મૂર્ખ ! આ ભવે પ્રાપ્ત કરેલા જિનધર્મ (બોધિ)ને તું આચરે નહિ અને ભાવમાં તને જિનધર્મ પ્રાપ્ત થાય એવું ઈચ્છતો તું આગામી ભવમાં જિનધર્મ (બોધિ)ને પામીશ તો ય તેનું શું મૂલ્યાંકન કરી શકીશ ? પ્રમાદી માણસો એવું બોલતા હોય છે કે, “આ કાળમાં શી રીતે ધર્મ થાય? કેમકે ધર્મને અનુકૂળ સંઘયણ-બળ ક્યાં છે? કાળ પણ કેવો દુઃષમાકાળ છે? શરીર પણ ક્યાં નિરોગી રહે છે ?” પ્રમાદી માણસો આવા આલંબનો પકડીને બધી ધર્મ-નિયમોની ધુરાને છોડી દે છે. (७७) कालस्स य परिहाणी संजमजोगाई नत्थि खेत्ताई । जयणाए वट्टियव्वं न हु जयणा भंजए अंगं ।। २९४।। અર્થ: કાળ ઉત્તરોત્તર ક્ષીણ થતો જાય છે અને સંયમના યોગોને સુપેરે આરાધી શકાય તેવા ક્ષેત્રો મળતા નથી. હવે આ સ્થિતિમાં શી રીતે સંયમાદિ ધર્મોને આરાધી શકાય? ગ્રન્થકારશ્રી જવાબ આપે છે કે, “આ બચાવ બરોબર નથી. યતનાથી વર્તવું જોઈએ. જો તેમ થાય તો સંયમધર્મનો અંગભંગ ન થાય.” (७८) जुगमित्तंतरदिट्ठी पयं पयं चक्खुणा विसोहिंतो । अव्वक्खित्ताउत्तो इरियासमिओ मुणी होइ ।। २९६ ।। અર્થ : યુગ (ગાડાનું પૈડું લગભગ ચાર હાથ પ્રમાણ હોય) પ્રમાણ ક્ષેત્રમાં સાધુ દષ્ટિ રાખીને ચાલે : પગલે પગલે ચક્ષુ વડે ધરતીનું સારી રીતે નિરીક્ષણ કરતો, શબ્દાદિક વિષયોમાં ચિત્તને નહિ જવા દેતો : જીવનિરીક્ષણમાં જ ઓતપ્રોત એવો ઈર્યા (ગમનાગમન) સમિતિમાં સાધુ લીન હોય. , જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ (७९) कज्जे भासइ भासं अणवज्जमकारणे न भासइ अ । विग्गहविसुत्तियपरिवज्जिओ अ जई भासणासमिओ ।। २९७ ।। અર્થ: (૧) જ્યારે આવશ્યક કાર્ય આવી પડ્યું હોય ત્યારે નિરવદ્ય બોલવું. (૨) નિરર્થક નહિ બોલવું.... એ ભાષાસમિતિ છે. ભાષાસમિતિયુક્ત આત્મા ઝઘડાઓથી અને આર્તધ્યાનથી મુક્ત રહી શકે છે. (૮૦) વાયાસણો મોયલો ય સોહે ! सो एसणाइसमिओ आजीवी अन्नहा होइ ।। २९८ ।। અર્થ : ગોચરી જવામાં બેતાલીસ દોષો લાગે અને ગોચરી વાપરતાં પાંચ દોષો લાગે. આ સુડતાલીશ દોષોથી રહિત જેનું જીવન હોય તે સાધુ કહેવાય. અન્યથા તે પેટ માટે ચરી ખાનારો નકલી સાધુ કહેવાય. (८१) पुब्बिं चर्पा परिक्खिय पमज्जिउं जो ठवेइ गिण्हइ वा । आयाणभंडमत्तनिक्खेवणाइ समिओ मुणी होइ ।। २९९ ।। અર્થ: પહેલાં ચક્ષુથી બરોબર સ્થાનને જોઈ લઈને પછી તે સ્થાનને રજોહરણથી પૂંજી લેવું અને પછી તે સ્થાને કાંઈક પણ મૂકવું કે ત્યાંથી કાંઈક લેવું. આ રીતે ગ્રહણ (આદાન) અને વસ્તુનું મૂકવું (નિક્ષેપણ) વગેરે જે મુનિ કરે તે આ સમિતિથી સમિત મુનિ કહેવાય. (८२) उच्चार-पासवण-खेल-जल्ल-सिंघाणए च पाणविही । સુવિફ૩૫ણે નિસિરતો દોફ તસ્લમો / રૂ૦૦ અર્થ : અંડિલ, માત્રુ, કફ, શરીરનો મેલ, નાકનો મેલ(ગુંગા), “ચ” શબ્દથી ભોજન વગેરે વિસર્જન કરવા લાયક વસ્તુઓને અત્યન્ત જંતુરહિત, વનસ્પતિરહિત જગ્યામાં વિસર્જન કરતો સાધુ પારિષ્ઠાપનિકા સમિતિથી સમિત કહેવાય છે. (८३) गुणदोसबहुविसेसं पयं पयं जाणिउण नीसेसं । दोसेसु जणो न विरज्जइत्ति कम्माण अहिगारो ।। ३१५ ।। અર્થ? મોક્ષપ્રાપક ગુણોમાં અને સંસારવર્ધક દોષોમાં જે મોટો ફરક છે તે ૫૦. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ બરોબર કોઈ આત્મા જાણી લે અને તે પછી પણ તે આત્મા દોષોથી વિરક્ત ન થાય તો એ વાત નક્કી સમજી લેવી કે આ કર્મોનું તોફાન છે. કર્મો એમની ઉપર ત્રાટકે છે. (८४) जह जह बहुस्सुओ सम्मओ अ सीसगणसंपरिवुडो अ । अविणिच्छियओ अ समए तह तह सिद्धंतपडिणीओ ।। ३२३ ।। અર્થ: જીવ જેમ જેમ બહુશ્રુત (વિદ્વાન) થયો તથા ઘણા (અજ્ઞાની) જીવોને માન્ય થઈ ગયો, વળી જેને ઘણા શિષ્યો થઈ ગયા છતાં જો તે સિદ્ધાન્તના રહસ્યોથી અજ્ઞાત હોય તો તે સિદ્ધાંતોનો શત્રુ થઈ જાય. (८५) जो निच्चकालं तवसंजमुज्जुओ न वि करेइ सज्झायं । अलसं सुहसीलजणं न वि तं ठावेइ साहुपए ।। ३४०।। (८६) विणओ सासणे मूलं विणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स कओ धम्मो को तवो ।। ३४१ ।। અર્થ : જે સાધુ અખંડિતપણે તપ અને સંયમધર્મનું સેવન કરે છે પણ સ્વાધ્યાય બિલકુલ કરતો નથી તેવા આળસુ અને સુખશીલ સાધુને લોકો હૈયે મુનિપદ ઉપર સ્થાપિત કરતા નથી. સ્વાધ્યાયની સફળતા વિનયમાં છે. જે વિનીત છે તે જ સંયમી છે. વિનયથી ચૂકેલો સાધુ ગમે તેવો તપ, સંયમાદિ ધર્મ કરે પણ તેની કોઈ ગણતરી ગીતાર્થો કરતા નથી. (८७) जइ ता असक्कणिज्जं न तरसि काउण तो इमं कीस । अप्पायत्तं न कुणसि संजमजयणं जइजोगं ।। ३४४।। અર્થ : ઓ શિષ્ય! જો તું ઉગ્ર તપ વગેરે કરવાને અસમર્થ હોય તો તારાથી થઈ શકે એવા સાધુઓને યોગ્ય સંયમને - ક્રોધાદિ દોષો ઉપરના નિયત્રણને કેમ આચરતો નથી ? (૮૮) નાર્યાનિ વેદસંદર્યામિ નાગણ વિધિ વિન્ના | अह पुण सज्जो अ निरुज्जमो अ तो संजमो कत्तो ।। ३४५।। અર્થ : જો દેહમાં સંદેહ (રોગાદિનો સંશય) ઉત્પન્ન થાય તો તેણે આરોગ્ય પ્રાપ્તિ માટે અપવાદોનું સેવન કરવું પડે તો તેમ કરવું. પણ જેવો તે જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ નિરોગી (સજ્જ) બની જાય પછી તરત અપવાદસેવન દૂર કરવું. જો હવે તે નિર્દોષ જીવનચર્યામાં ઉદ્યમી ન બને તો તેનામાં સંયમ શી રીતે કહેવાશે? (८९) गुणहीणो गुणरयणायरेसु जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलइ सम्मत्तं कोमलं तस्स ।। ३५१ ।। અર્થ: જે (ચારિત્રાદિ) ગુણહીન (‘અમે પણ સાધુ છીએ” એમ કરી) પોતાને ગુણસાગર સાધુઓની તુલ્ય માને-મનાવે છે તે ઉત્તમ તપસ્વીઓને (‘આ તો માયાવી છે. લોકને ઠગનારા છે.” એમ કરી) હલકા પાડે છે. (તે મિથ્યાદષ્ટિ જ છે, કેમકે) તેનું સમ્યક્ત નિસાર છે. (સમ્યક્ત ગુણવાન પ્રત્યે પ્રમોદથી સાધ્ય છે.) (९०) जं जयइ अगीयत्थो जं च अगीयत्थनिस्सिओ जयइ । वट्टावेइ गच्छं अणंतसंसारिओ होइ ।। ३९८ ।। અર્થ : જે અગીતાર્થ એવો સાધુ સ્વયં જ્ઞાનાચારાદિ તપ-ક્રિયાના અનુષ્ઠાનોમાં યત્ન (યતના) કરે છે અને જે અગીતાર્થ, અગીતાર્થની નિશ્રામાં રહીને પણ આ બધું ઉત્કટ રીતે આરાધે છે : અરે, ગચ્છ ચલાવે છે તે અગીતાર્થ સાધુ અનંતસંસારી થાય છે. (39) અરતિય પરિવા સંગમરગુજ્જનમ સીમંતા ! ' निग्गंतूण गणाओ हिंडंति पमायरण्णमि ।। ४२२ ।। અર્થ : જે જ્ઞાની રસાદિ ત્રણ ગારવોમાં ફસાઈ ગયા છે અને સંયમ ક્રિયાદિકમાં સીદાય છે, તેમાં ઉદ્યમ કરતા નથી, ગણમાંથી છૂટા પડીને પ્રમાદ-અરણ્યમાં ભટકે છે તે સાધુઓ જ્ઞાની છતાં મોક્ષફળને પામી શકતા નથી. (९२) छज्जीवनिकायमहव्वयाण परिपालणाइ-जइधम्मो । जइ पुण ताई न रक्खइ भणाहि को नाम सो धम्मो ।। ४२९ ।। અર્થઃ પડ઼જીવનિકાયની રક્ષા અને મહાવ્રતોનું સારી રીતે પાલન તે સાધુપણાનો ધર્મ છે. જો તેનું પાલન ન થાય તો બીજો કયો ધર્મ સેવીને લાભ થાય ? પર જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ (९३) छज्जीवनिकायदयाविवज्जिओ नेव दिक्खिओ न गिही । जइधम्माओ चुक्को चुक्कइ गिहीदाणधम्माओ ।। ४३०।। અર્થ : જે સાધુ જીવનિકાયની દયા કરતો નથી તે દીક્ષિત-દીક્ષા પામેલો સાધુ ન કહેવાય. વળી તે સાધુવેષ ધારણ કરે છે માટે તે ગૃહસ્થ પણ ન કહેવાય. તે સાધુધર્મથી ચૂકેલો છે તેમ ગૃહસ્થ દ્વારા થતા દાનાદિ ગૃહસ્થધર્મથી પણ ચૂકેલો છે. (સાધુવેષધારી ગૃહસ્થની જેમ ધનાદિકનું દાન શી રીતે કરી શકશે ?) (९४) जइयाणेणं चत्तं अप्पणयं नाणदंसणचरित्तं । तइया तस्स परेसु अणुकंपा नत्थि जीवेसु ।। ४३४।। અર્થ : જે નિર્ભાગી સાધુએ પોતાના જ્ઞાન-દર્શનચારિત્રરૂપ આત્માનો ત્યાગ કર્યો પોતાના આત્માની દયા ન પાળી, ત્યારે તેને બીજા જીવો ઉપર દયા આવે ક્યાંથી ? (९५) तवनियमसुट्ठिआणं कल्लाणं जीवि पि मरणं पि । जीवंतऽज्जति गुणा मया वि पुण सुग्गइं जंति ।। ४४३ ।। અર્થ : તપ, નિયમ વગેરેમાં જેઓના તન-મન સ્થિર છે તેમનું જીવન કલ્યાણસ્વરૂપ છે. તેમનું મરણ પણ કલ્યાણ સ્વરૂપ છે. જીવતા રહીને તેઓ ગુણો પામે છે. મર્યા બાદ સગતિને પામે છે. એમને તો બે હાથમાં લાડવો છે. (९६) जइ ता तणकंचणलठ्ठरयणसरिसोवमो जणो जाओ । तइया नणु वुच्छिन्नो अहिलासो दव्वहरणम्मि ।। ४५८ ।। અર્થ : જ્યારે તણખલું અને સોનું, ઢેકું અને રત્નમાં આત્માને સમાન બુદ્ધિ થાય ત્યારે એમ કહી શકાય કે તેની ધનનું દ્રવ્યનું) અપહરણ કરવાની ઈચ્છા ખતમ થઈ ગઈ છે. (९७) कुतो चिंता सुचरियतवस्स गुणसुट्ठिअस्स साहुस्स । सोगइगमपडिहत्थो जो अच्छइ नियमभरियभरो ।। ४७०।। અર્થ: જે આત્મા સદ્ગતિમાં જવા માટે દક્ષ (પ્રતિહસ્ત) છે, અનેક નિયમો કરવા વડે જાણે જીવનમાં ધર્મનો ભંડાર ભરી દીધો છે તેવા તપસ્વી જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા). ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ અને ગુણીઅલ તથા ચારિત્રધર સાધુને મરણકાળે દુર્ગતિ થવાની કોઈ ચિંતા ન હોય. (९८) कह कह करेमि कह मा करेमि कह कह कयं बहुकयं मे । जो हिययसंपसारं करेइ सो अह करेइ हियं ।। ४७५ ।। અર્થ: “હું કેવી કેવી રીતે ધર્મ કરું? કેવી રીતે ન કરું? કેવી રીતે કરેલું ધર્માનુષ્ઠાન મને બહુ ગુણકારી થાય? આ રીતે જે પુરુષના હૈયે મંથન ચાલતું હોય તે પુરુષ આત્મહિત કરી શકે. (९९) सिढिलो अणायरकओ अवसवसकओ तहा कयावकओ । सययं पमत्तसीलस्स संजमो केरिसो होज्जा ।। ४७६ ।। અર્થ: તેને સંયમ શી રીતે કહેવાય જેમાં તે જીવ શિથિલ હોય, અનાદર સાથે સંયમનું સેવન કરતો હોય, ગુર્નાદિકની પરતત્રતાને વશ થઈને સંયમ (પરાણે) પળાતું હોય, થોડુંક પાલન કરેલું હોય અને થોડુંક પાલન ન પણ કરેલું હોય (કય-અવય), સતત પ્રમાદ સેવાતો હોય તો... (તેવા સાધુને સંયમી શી રીતે કહેવો?) (१००) न तहिं दिवसा पक्खा मासा वरिसा वि संगणिज्जंति । जे मूलउत्तरगुणा अक्खलिआ ते गणिज्जति ।। ४७९ ।। અર્થ: સાધુજીવનના પ્રમાદાદિ દોષોવાળા તે દિવસો, પખવાડિયાઓ, મહિનાઓ કે વર્ષો ગણતરીમાં ન લેવાય. જે સમય મૂલ અને ઉત્તર-ગુણોની નિરતિચાર આરાધનાવાળો પસાર થયો હોય તેની જ ગણના થાય. (१०१) जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिआ मि गुणा । अगुणेसु अ न हु खलिओ कह सो करिज्ज अप्पहिअं ।।४८०।। અર્થ : જે સાધુ હંમેશ એ વિચાર કરતો નથી કે, “આજે મેં ક્યા કયા ગુણોને | વિકસાવ્યા? કોઈ દોષમાં મારી સ્કૂલના તો નથી થઈને?” તે સાધુ શી રીતે આત્મહિત કરી શકશે? (૧૦૨) એ તારી વવર્ત વરાયા સુવ્યિઠ્ઠાઇi इंदस्स देवलोगो न कहिज्जइ जाणमाणस्स ।। ४९०।। ૫૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ અર્થ: ચારિત્રપાલનમાં જે સાધુ આળસુ છે અને બુદ્ધ છે તેને વૈરાગ્યપ્રદ બોધ કોણ દે ? (પોતાને બધી વાતે હોંશિયાર ગણનાર બુદ્ધ દુર્વિદગ્ધ) કહેવાય.) દેવલોકના સ્વરૂપને જાણનાર ઈન્દ્ર પાસે દેવલોકનું વર્ણન ન થાય તેમ પોતાને બધી વાતના જાણકાર માનનાર પ્રમાદી સાધુને ઉપદેશદાન કરાય નહિ. એ ઉપદેશદાતા પણ બુદ્ધ કહેવાય. (१०३) कंचणमणि-सोवाणं थंभसहस्सूसिअं सुवण्णतलं । जो कारिज जिणहरं तओ वि तवसंजमो अहिओ ।। ४९४ ।। અર્થ : એક એવું દેરાસર કે જે ચન્દ્રકાન્તાદિ મણિઓના પગથિયાવાળું હોય, જેમાં એક હજાર સ્તંભો હોય, જેનું તળ સોનાનું હોય-આવા ગગનચુંબી, નયનરમ્ય જિનાલયનું નિર્માણ કરનાર સમકિતી જીવની શુદ્ધિપ્રાપ્તિ અને પુણ્યબંધ કરતાં ખૂબ વધુ શુદ્ધિ અને પુણ્ય તપ-સંયમમાં નિરત સર્વવિરતિધર સાધુ પેદા કરે. ટૂંકમાં, દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા ઘણી અધિક છે. (१०४) जइ न तरसि धारेउं मूलगुणभरं सउत्तरगुणं च । मुत्तूण तो तिभूमी सुसावगत्तं वरतरागं ।। ५०१ ।। (१०५) अरिहंतचेइआणं सुसाहूपूयारओ दढायारो । सुसावगो वरतरं न साहुवेसेण चुअधम्मो ।। ५०२ ।। (१०६) सव्वं ति भाणिउणं विरइ खलु जस्स सविआ नत्थि । सो सव्वविरइवाइ चुक्कइ देसं च सव्वं च ।। ५०३ ।। (१०७) जो जहवायं न कुणइ मिच्छदिट्ठि तओ हु को अन्नो । वड्ढेइ अ मिच्छत्तं परस्स संकं जणेमाणो ।। ५०४ ।। અર્થ : ઓ, સાધુ! જો તું મૂલોત્તર ગુણોને પાળવાને સમર્થ ન હોય તો તારી જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને તારું વિહારક્ષેત્ર છોડીને ખૂબ સુંદર શ્રાવકપણું પાળ. (ત્રણ ભૂમિઓમાં તેના થયેલા પતનને જોઈને લોકો અધર્મ પામવાની સંભાવના રહે.) ઓ સાધુ ! જો તું સાધુપણું પાળવાને અસમર્થ હો તો (૧) જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ અરિહંતોની પૂજા કર. (૨) સુસાધુઓની સેવામાં તત્પર રહે. (૩) આચારપાલનમાં કટ્ટર બન. સાધુપણાથી ભ્રષ્ટ થઈને સાધુવેષમાં રહેવા કરતાં સુશ્રાવક બનીને રહેવું સારું. જે સાધુવેષધારીએ સવ્વ સાવજ્જ જોગં પચ્ચક્ઝામિ' બોલીને દીક્ષા લેતા પ્રતિજ્ઞા કરી છે અને પછી તે પ્રમાણે પડજીવનિકાયની હિંસા કરે છે : તેની રક્ષા કરતો નથી. આવો વિરતિ ચૂકેલો વિરતિધારી દેશવિરતિ શ્રાવકપણાને અને સર્વવિરતિ સાધુપણાને-બન્નેને-ચૂકી જાય છે. જેવું બોલ્યો છે તેવું જે સાધુ પાળતો નથી તે સત્યવાદી નથી પણ મૃષાવાદી છે. તે મિથ્યાદષ્ટિ છે. આના સિવાય બીજો ક્યો મોટો મિથ્યાત્વી હશે? આ સાધુ પોતાના જીવનમાં બોલવા-પાળવા વચ્ચે વિસંવાદ ખડો કરીને લોકોના મનમાં એવી શંકા ઉત્પન્ન કરાવે છે કે શું અરિહંતોએ આવું જૂઠાડું સાધુજીવન પ્રરૂપ્યું હશે? જેમાં બોલે તે પ્રમાણે પાળવાનો નિયમ નહિ હોય? જેમાં બધી છૂટ હશે? જેમાં માયા રમાતી હશે ? અનેકોને આ રીતે મિથ્યાત્વની લ્હાણી કરતો સાધુ કેટલો મોટો મિથ્યાત્વી કહેવાય ? (१०८) आणाए च्चिय चरणं तब्भंगे किं न भग्गंति । आणं च अइक्कंतो कस्साएसा कुणए सेसं ।। ५०५।। અર્થ : અરિહંતની આજ્ઞાનું પાલનમાં (શક્યના પાલનમાં, અશક્યના પક્ષપાતમાં) જ ચારિત્રધર્મનું પાલન છે. જો આજ્ઞાનો ભંગ કર્યો તો શું ન ભાંગ્યું? (બધું ભાંગી નાંખ્યું) હવે તે જે કોઈ તપ, જપ કરે છે તે કોની આજ્ઞાથી કરે છે? (૧૦૧) સંસાર માં સવંતો ભકુરિત્તસ તિરાની વિસ્ત ! पंचमहव्वयतुंगो पागारो भल्लिओ जेण ।। ५०६ ।। અર્થ: જે સાધુ પાંચ મહાવ્રતોના પાલનરૂપ કિલ્લાને ભાંગી નાંખે તે ભ્રષ્ટચારિત્રી અને માત્ર સાધુવેષધારી સાધુનો સંસાર અનંત બની જાય. એણે સાધુવેષ છોડી દેવો જોઈએ. પણ એ જાણે છે કે તે છોડી જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ પ૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ દીધા પછી મારી આજીવિકા મુશ્કેલીમાં મુકાઈ જશે એટલે વેષને પકડી રાખતો હોય છે. આવો સાધુ એ ભિક્ષુ ન કહેવાય પણ ભિક્ષુક (ભિખારી) હોય. (११०) न करेमि त्ति भणित्ता तं चेव निसेवए पुणो पावं । पच्चक्खमुसावाइ मायानियडीपसंगो य ।। ५०७।। અર્થ : “હું આ પાપ નહિ કરું ઈત્યાદિરૂપે-ત્રિકરણ યોગ-પ્રતિજ્ઞા કરીને પાપ કરે તે સાધુ પ્રત્યક્ષ રીતે મૃષાવાદી કહેવાય. બાહ્યથી માયાવી અને અંદરથી કપટી કહેવાય. (१११) लोए वि जो ससूगो अलिअं सहसा न भासए किंचि । अह दिक्खिओ वि अलियं भासइ तो किंच दिक्खाए ।। ५०८ ।। અર્થ : લોકમાં ય ગૃહસ્થ થોડાક પણ કોમળ ચિત્તપરિણામવાળો હોય (સશૂક) તો એકાએક થોડુંક પણ જૂઠું બોલતો નથી, અર્થાત્ જે બોલે છે તે ધીરજપૂર્વક વિચારીને બોલે છે, તો જે સાધુ છે તે શી રીતે જૂઠું બોલવાની અલના પામે ? એમ કરે તો તેનામાં દીક્ષા ક્યાં રહી? (११२) महव्वय-अणुव्वयाई छंडेउं जो तवं चरइ अन्नं । सो अन्नाणी मूढो नावाबुड्डो मुणेअव्यो ।। ५०९।। અર્થ : મહાવ્રતો (સાધુ) કે અણુવ્રતો (શ્રાવક)ના પાલનમાં શિથિલ રહેવું અને ઉગ્ર તપ વગેરે કરવો તેવો સાધુ મહામૂઢ છે, અજ્ઞાની છે. તે હાથમાં નાવડી આવી જવા છતાં ડૂબી જાય છે તેમ જાણવું. (११३) सुबहुं पासत्थजणं नाउण जो न होइ मज्झत्थो । न य साहेइ सकज्जं कागं च करेइ अप्पाणं ।। ५१०।। અર્થ : જે સાધુ પોતાની સાથે જ્યાં ત્યાં અથડાઈ જતાં શિથિલાચારી સાધુઓ (પાસસ્થા)ની સાથે નિંદાદિક કરવા લાગી જાય છે પણ મૌન (મધ્યસ્થભાવે) નથી રહેતો અને મૌન રહીને સ્વાત્મહિતમાં રત નથી રહેતો તે સાધુ પોતાની હાલત કાગડા જેવી કરી દે છે. એટલે કે તે સાધુઓના દોષોની વિક્કામાં ચાંચ નાંખવા દ્વારા પોતે કાગડા જેવો પોતાને બનાવી દે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) પ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ (११४) परिचिंतिउण निउणं जइ नियमभरो न तीरए वोढुं । परचित्तरंजणेण न वेसमित्तेण: साहारो ।। ५११।। અર્થ: જે કોઈ સાધુ પોતે લીધેલા મહાવ્રતોનો અને ઉત્તરગુણોનો ભાર બરોબર ઉઠાવી શકે તેમ ન હોય તો એ બાબતમાં જાત સાથે અને ગુરુ સાથે પૂરતો વિચાર કરી લેવો. જો અશક્તિ જણાય તો વેષ છોડી દેવો. સુશ્રાવક બની જવું. બીજાઓને ખુશ રાખવા માટે વેષભાર ઉઠાવવો તેથી કાંઈ જીવની દુર્ગતિ અટકવાની નથી. તેમાં માત્ર વેષ સહાયક બની શક્તો નથી. (११५) सुज्झइ जइ सुचरणो सुज्झइ सुसावओ वि गुणकलिओ । ओसन्नचरणकरणो सुज्झइ संविग्गपक्खाइ ।। ५१३।। અર્થ : જિનશાસનમાં સુ-ચારિત્રી સાધુ બાવ્રતધારી શ્રાવક અને શિથિલ છતાં સુસાધુઓના જીવનનો કટ્ટર પક્ષપાતી સંવિગ્નપાક્ષિક સાધુ - આ ત્રણ અવશ્ય મોક્ષ પામી શકે છે. આ ત્રણેય મોક્ષમાર્ગ છે (११६) ओसन्नो अत्तट्ठा परमप्पाणं च हणइ दिक्खंतो । तं छुहइ दुग्गइए अहिययरं बुड्डइ सयं च ।। ५१७ ।। (११७) जह सरणमुवगयाणं जीवाणं निकिंतए सिरे जो उ । एवं आयरियो वि हु उस्सुत्तं पन्नवंतो य ।। ५१८।। અર્થ : સંવિગ્નપાક્ષિક (શિથિલ સાધુ) પોતાની સેવા વગેરેના સ્વાર્થથી જો કોઈને પોતાનો શિષ્ય બનાવે તો સ્વ-પર ઉભયના ભાવપ્રાણોને હરે. પેલાને દુર્ગતિભેગો કરે અને સ્વયં પણ ભવસાગરમાં વિશેષ ડૂબે. જેવી રીતે શરણાર્થીનું તાસકમાં તેણે મૂકીને આપેલું માથું કાપી ન લેવાય દુર્ગતિમાં ન મોકલાય), તેને હાર પહેરાવાય (સદ્ગતિમાં મોકલાય) તેમ ગુરુએ શિષ્યને ઉત્સુત્ર જીવન અને ઉત્સુત્ર પ્રરૂપણા ન દેવાય. તેથી તે ગુરુ દુર્ગતિમાં જાય. ૫૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ * સ્થાન * * * _ ઐસિંહની યોગસાર પ્રથમ પ્રકારે માંકડ – (9) ચેનેવારથિત માવાનું તચારો પરિપત્ર सर्वजन्तुसमस्यास्य न परात्मविभागिता #ि અર્થ : પરમાત્માને, “આ મારો છે, આ પારકો છે.” એવો ભેદભાવ હોતો નથી. તેમને તો સર્વ જીવો એકસરખા છે. એટલે જે જીવ તેમનું ભાવથી આરાધના કરે છે તેનું તે અવશ્ય કલ્યાણ કરે છે. कृतकृत्योऽयमाराद्धः स्यादाज्ञापालनात् पुनः । आज्ञा तु निर्मलं चित्तं कर्तव्यं स्फटिकोपमम् ।। २१ ।। (૩). ज्ञानदर्शनशीलानि पोषणीयानि सर्वदा । रागद्वेषादयो दोषा हन्तव्याश्च क्षणे क्षणे ।। २२।। (૪) एतावत्येव तस्याज्ञा कर्मद्रुमकुठारिका । समस्तद्वादशांगार्थसारभूताऽतिदुर्लभा ।। २३ ।। અર્થ: કૃતકૃત્ય બનેલા આ પરમાત્માની આરાધના (પૂજા) કરવી હોય તો તેમની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવું જોઈએ. ભગવાનની મુખ્ય એક જ આશા છે કે, “હે જીવ! (૧) તું તારું ચિત્ત ટિક જેવું નિર્મળ રાખ, (૨) આવી સિદ્ધિ પામવા માટે તું સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપી રત્નત્રયીને તારા જીવનમાં આત્મસાત કર, અને (૩) તે માટે તું તારા રાગાદિ દોષોને પ્રત્યેક પળે ખતમ કરતો રહે.' ભગવાનની આટલી જ આજ્ઞા છે. આજ્ઞા કર્મરૂપી વૃક્ષને જડમૂળથી ઉખેડી નાંખતી કુહાડી છે. સમસ્ત દ્વાદશાંગીનો આ સાર છે. ભવચક્રમાં જીવને ક્વચિત જ આજ્ઞાપાલનની સૌભાગ્યવંતી તક પ્રાપ્ત થતી હોય છે. विधस्य वत्सलेनापि त्रैलोक्यप्रभुणाऽपि च । साक्षाद् विहरमाणेन श्रीवीरेण तदा किल ।। २४ ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ (૬) ત વ રક્ષિત રાખવા અવતારમ્ | इयं यः स्वीकृता भक्तिनिर्भरैरभयादिभिः ।। २५।। (७) यैस्तु पापभराक्रान्तैः कालशौरिकादिभिः । | ન સ્વીતા ભવામોથી તે પ્રષ્યિત્તિ તુહિતા ! રદ્દા અર્થ : જ્યારે વિશ્વવત્સલ ત્રિલોકનાથ પરમાત્મા મહાવીરદેવ આ ધરતી ઉપર સાક્ષાત વિચરતા હતા ત્યારે દુઃખોના અસ્તિત્વથી ભયાનક બનેલા આ ભવસાગરમાંથી તે પ્રભુભક્ત અભયકુમારાદિ જ ઉગરી ગયા કે જેમણે પરમાત્માની આજ્ઞાને શિરસાવંદ્ય કરી. પુષ્કળ પાપના પોટલાં બાંધી ચૂકેલા કાલસૌરિક કસાઈ વગેરે જે લોકોએ પરમાત્માની આજ્ઞાને સ્વીકારી નહિ તે બિચારાઓ આ ભવસાગરમાં અત્યન્ત દુઃખી થઈને ભટકતા રહેવાના છે. (૮) સર્વનન્તુહિતાગડવાવ મોક્ષેત્રપતિઃ | चरिताऽऽज्ञैव चारित्रमाजैव भवभञ्जनी ।। २७ ।। અર્થ : આજ્ઞા જ સર્વજીવોનું હિત કરનારી છે. આજ્ઞા જ મોક્ષનો એકમાત્ર માર્ગ છે. આચરણમાં મૂકેલી આજ્ઞા જ ચારિત્રધર્મ છે. આજ્ઞા જ ભવભ્રમણને ખતમ કરનારી છે. (૧) મદ્ વિતિરથ યથાશક્ટ્રિ પુનહિ ! ततः प्रक्षरितः सिंहः कर्मनिर्मथनं प्रति ।। ३२ ।। અર્થ : જો દ્રવ્યસ્તવ કરતાં ગૃહસ્થને સર્વવિરતિરૂપ ભાવસ્તવ પણ પ્રાપ્ત થઈ જાય તો તો કમાલ થઈ ગઈ! તે ગૃહસ્થ કર્મોનો ઘાત કરવા માટે વિફરેલો સિંહ બની જાય. (१०) श्रावको बहुकर्माऽपि पूजाधैः शुभभावतः । दलयित्वाऽखिलं कर्म शिवमाप्नोति सत्वरम् ।। ३३ ।। અર્થ: અઢળક અશુભ કર્મો કરવા પડે છે છતાં દેશવિરતિધર શ્રાવક દેવાધિદેવની દ્રવ્યસ્તવરૂપી ભક્તિના શુભભાવથી સકળ કર્મોનો ક્ષય કરીને સત્વર મોક્ષ પામી શકે છે. ૬૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ (११) येनाज्ञा यावदाराद्धा स तावल्लभते सुखम् । यावद् विराधिता येन तावद् दुःखं लभेत सः ।। ३४।। અર્થ: જે જીવે જેટલું આજ્ઞાપાલન આરાધ્યું તે જીવ તેટલું સુખ પામે. જેટલી તેણે આજ્ઞાને વિરાધી તેટલું તે દુઃખ પામે. (૧૨) સવા તત્યાનને સ્ત્રીને પરમાત્માત્મનાત્મનિ | सम्यक् स ज्ञायते ज्ञातो मोक्षं च कुरुते प्रभुः ।। ३५।। અર્થ: જે આત્માઓ ભગવાનની આજ્ઞાઓને બરોબર પાળે છે, જેઓ આજ્ઞામય બની ગયા છે તેઓ પોતાનામાં પરમાત્માને ખૂબ સારી રીતે નિહાળી શકે છે. આ પરમાત્મદર્શન તે આત્માને મોક્ષ આપે છે. (१३) ममैव देवो देवः स्यात् तव नैवेति केवलम् । मत्सरस्फूर्जितं सर्वमज्ञानानां विजृम्भितम् ।। ३७।। અર્થ : “મારા જ દેવ તે દેવ છે, તારા દેવ, દેવ નથી જ.” આ બધું અજ્ઞાનતાનું તોફાન છે. ઈર્ષ્યાથી નીકળેલું વચન છે. (૧૪) સ્વરૂાં વીતરી – પુનસ્તી ન રાતા | रागो यद्यत्र तंत्रान्ये दोषा द्वेषादयो ध्रुवम् ।। ३९।। અર્થ : પરમાત્માનું જ સ્વરૂપ છે તે વીતરાગતા છે. જે પરમાત્મા હોય તે સરાગ હોઈ શકે નહિ. વળી, જેનામાં રાગ હોય તેનામાં દ્વેષ વગેરે દોષો નિશ્ચિતપણે હોય. (૧૧) સૈવેષિતો રેવા યં મવિનુમતિ | इत्थं माध्यस्थ्यमास्थाय तत्त्वबुद्ध्याऽवधार्यताम् ।। ४०।। અર્થ : દોષોથી દૂષિત આત્માને પરમાત્મા કહી શકાય નહિ. માધ્યશ્મભાવ ધારણ કરીને આ વાત તત્ત્વબુદ્ધિથી સહુએ વિચારવી જોઈએ. (૧૬) ધા રા'મિ. સર્વસંવશોર | दूषितेन शुभेनाऽपि देवेनैव हि तेन किम् ।। ४१ ।। અર્થ: સકળ સંક્લેશના મૂળરૂપ રાગાદિ દોષોથી જેમનો આત્મા દૂષિત બનેલો હોય તે દવ' (અન્ય રીતે) સારા હોય તો પણ તેમને “દેવ” તો શી રીતે મનાય ? " જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ (१७) वीतरागं यतो ध्यायन् वीतरागो भवेद् भवी । इलिका भ्रमरीभीता ध्यायन्ती भ्रमरी यथा ।। ४२।। અર્થ: વીતરાગસ્વરૂપનું ધ્યાન ધરતો ભવ્યાત્મા વીતરાગ બને, ભીતિથી ભમરીનું ધ્યાન કરતી ઈયળ ભમરી થાય છે તેમ. (૧૮) રવિષિત ધ્યાયનું રાિિવવશો ભવેત્ | સામુ: મિની સ્થાપન થયા વામૈવિદ્યઃ | ૪રૂ અર્થ: રાગાદિ દોષોથી જે આત્મા દૂષિત છે તેનું જો ધ્યાન ધરાય તો ધ્યાતાને પણ રાગાદિ દોષો જાગ્રત થાય. સ્ત્રીનું ધ્યાન કરતો કામુક માણસ કામવિશ્વલ જ થાય ને? (૧૨) ય વ વીતરી જ તેવો નિશ્ચીયતાં તત: | भविनां भवदम्भोलि: स्वतुल्यपदवीप्रदः ।। ४६।। અર્થ : એટલે હવે એ વાતનો નિશ્ચય કરવો જોઈએ કે જે વીતરાગ છે તે જ દેવ છે. ભવ્યજીવોના સંસારરૂપી પર્વતને ખતમ કરતા વજસમા છે. પોતાના જેવી જ પદવીના દાતા છે. - દ્વિતીય પ્રસ્તાવ (२०) सर्वेऽपि साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः । क्लिश्यन्ते स्वाग्रहग्रस्ता दृष्टिरागेण मोहिताः ।। ४७।। અર્થ : વર્તમાનકાળમાં લગભગ બધા જીવો તત્ત્વથી પરાક્ખ બનેલા છે. દૃષ્ટિરાગથી ગાંડા બનેલા કદાગ્રહથી પીડિત તે લોકો ખૂબ સંક્લેશમાં રહે છે. (२१) दृष्टिरागो महामोहो दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो दृष्टिरागो महाज्वरः ।। ४८।। અર્થ : દૃષ્ટિરાગ એ ભયંકર અજ્ઞાન છે. તે સંસારભ્રમણનું અમોઘ કારણ છે. એ ભયંકર યમરાજ છે. એ ભયંકર કોટિનો જ્વર છે. (૨૨) ઘરે હિતમત્તિમૈત્રી, મુરિતા ગુનો નમ્ | उपेक्षा दोषमाध्यस्थ्यं, करुणा दुःखमोक्षधीः ।। ५१।। ૬૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પોતાનાથી બીજા-એટલે સર્વજીવોનું હિત થાય તેવી ભાવના એ મૈત્રીભાવના છે. જે જીવોમાં કોઈ ને કોઈ શક્તિની, લબ્ધિની, પુષ્પાઈની કે સમજણ વગેરેની વિશેષતા પડી છે તે જોઈને આનંદ પામવો તે મુદિતા (પ્રમોદ) ભાવના છે. અન્ય દુઃખી જીવોને જોઈને દુઃખી થઈ જવું એ કરૂણાભાવના છે. અન્ય પાપી જીવોને જોઈને તેમની ઉપેક્ષા કરવી તે માધ્યચ્ય ભાવના છે. (२३) मैत्री निखिलसत्त्वेषु प्रमोदो गुणशालिषु । माध्यस्थ्यमविनेयेषु करुणा दुःखदेहिषु ।। ५२ ।। (૨૪) ધર્મવડુમસ્થતા મૂ મહેમાવનાર / यैर्न ज्ञाता न चाभ्यस्ताः स तेषामतिदुर्लभः ।। ५३ ।। અર્થ : સર્વ જીવો પ્રત્યે મૈત્રી, ગુણીજનો પ્રત્યે પ્રમોદ, દુઃખિતો પ્રત્યે કરૂણા અને ઉદ્ધતાઈ વગેરે દોષવાળા જીવો પ્રત્યે માધ્યચ્ય ભાવના રાખવી જોઈએ. ધર્મરૂપી કલ્પવૃક્ષનું આ ભાવનાઓ મૂળ છે. જેમણે તેણે જાણી નથી કે જીવનમાં ઉતારી નથી તેમને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ બની રહે છે. (ર૧) સહો વિચિત્ર મોદીએં, તન્વેરિયન્મઃ | दोषा असन्तोऽपीक्ष्यन्ते परे सन्तोऽपि नात्मनि ।। ५४।। અર્થ : અરે, મોહદશાનો આ અંધાપો કેવો છે કે તેવા માણસો બીજાઓમાં ન હોય તેવા દોષોને જુએ છે અને પોતાનામાં રહેલા દોષોને જોતા નથી. (२६) मदीयं दर्शनं मुख्यं पाखण्डान्यपराणि तु । मदीय आगमः सारः परकीयास्त्वसारकाः ।। ५५ ।। અર્થ : મારું જ દર્શન (મત) શ્રેષ્ઠ છે અને બીજા દર્શનો પાખંડ છે. મારું જ શાસ્ત્ર સારભૂત છે અને બીજાના શાસ્ત્રો અસાર છે. (૨૭) પરં પતિનં પત્તિ ન તુ હં મોદમોહિતાઃ | कुर्वन्तः परदोषाणां ग्रहणं भवकारणम् ।। ५८ ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ અર્થ: મોહદશાથી અંધ બનેલા જીવો બીજાને દોષોથી બરબાદ થતો જોઈ શકે છે પણ પોતાની તેવી બરબાદીને જોતો નથી. બીજાના દોષોને જોવામાં એ બિચારો સંસારભ્રમણ વધારી મૂકે છે. (૨૮) અથા પરસ્થ પત્તિ રોગાન અદ્યાત્મનસ્તા | सैवाजरामरत्वाय रससिद्धिस्तदा नृणाम् ।। ५९।। અર્થ : જે રીતે જીવ બીજાના દોષોને જુએ છે તે રીતે જો તે પોતાના દોષો જુએ તો ઘણા બધા જીવોને મોક્ષપદ પામવા માટેની તે દૃષ્ટિ રસસિદ્ધિ બની જાય. (२९) रागद्वेषविनाभूतं साम्यं तत्त्वं यदुच्यते । स्वशंसिनां क्व तत् तेषां परदूषणदायिनाम् ।। ६० ।। અર્થ: રાગદ્વેષના અભાવમાં જે સમત્વ પ્રગટ થાય છે તે સ્વપ્રશંસા અને પરનિન્દા કરનારા જીવોમાં તો સંભવે જ ક્યાંથી? (३०) मानेऽपमाने निन्दायां स्तुतौ वा लोष्ठुकाञ्चने । जीविते मरणे लाभालाभे रके महर्धिके ।। ६१।। (३१) शत्रौ मित्रे सुखे दुःखे हृषीकार्थे शुभाशुभे । सर्वत्रापि यदेकत्वं तत्त्वं तद् भेद्यतां परम् ।। ६२ ।। અર્થ : માનમાં કે અપમાનની સ્થિતિમાં, સ્વનિંદા કે સ્વપ્રશંસામાં, માટી કે સોનાના દર્શનમાં, જીવન કે મરણની સ્થિતિમાં, લાભ કે નુકસાનમાં, ગરીબ કે શ્રીમંતના આગમનમાં, શત્રુ કે મિત્રમાં, સુખમાં કે દુઃખમાં, ઈન્દ્રિયોના ઈષ્ટ કે અનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં સર્વત્ર જે સમચિત્તતા તે સાધનાનો સાર છે. બાકી બધો અસાર છે. (३२) अद्य कल्येऽपि कैवल्यं साम्येनानेन नान्यथा । प्रमाद: क्षणमप्यत्र ततः कर्तुं न साम्प्रतम् ।। ६५।। અર્થ : આજે કે કાલે-જ્યારે પણ જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું છે ત્યારે સમતા સાધ્યા પછી જ થવાનું છે. એટલે આજે જ સમતા સાધવાની બાબતમાં પ્રમાદ કરવો એ ઉચિત નથી. ૬૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ (૩૩) દ્વિ યુક્રેન વિશ્મીરોન વિંદ વાત્રા વિષ્ણુ વિષ્ણુના ' किं जिनेन्द्रेण रागाद्यैर्यदि स्वं कलुषं मनः ।। ६६।। (३४) किं नाग्न्येन सितै रक्तैः किं पटैः किं जटाभरैः । किं मुण्डमुण्डनेनापि साम्यं सर्वत्र नो यदि ।। ६७।। (३५) किं व्रतैः किं व्रताचारैः किं तपोभिर्जपैश्च किम् । किं ध्यानैः किं तथा ध्येयैर्न चित्तं यदि भास्वरम् ।। ६८।। (३६) किं क्लिष्टेन्द्रियरोधेन किं सदा पठनादिभिः । किं सर्वस्वप्रदानेन तत्त्वं नोन्मीलितं यदि ।। ६९।। અર્થ : જો પોતાનું ચિત્ત રાગ-દ્વેષની પરિણતિઓથી કલુષિત રહેતું હોય તો: ગૌતમ બુદ્ધને ય શું કરવાના ? મહાદેવને ભજવાનો ય શો અર્થ? બ્રહ્મા, વિષ્ણુથી પણ શું ઊપજશે? અરે, તીર્થકર ભગવાન પણ શા કામના ? જો ઈષ્ટાનિષ્ટ પદાર્થોમાં સમભાવની સિદ્ધિ ન થાય તો : નગ્ન રહેવાથી શું? કે ધોળા યા ભગવા કપડાં પહેરવાથી શું? જટા વધારવાથી શું ? માથું મૂંડાવવાથી ય શું? જો ચિત્ત નિર્મળ રહેતું ન હોય તો : વ્રતો અને વ્રતોના આચારોથી શું? તપ, જપ, ધ્યાન અને ધ્યાનના આલંબનોથી પણ શું? જો સમત્વ નામનું તત્ત્વ આત્મામાં પ્રગટ્યું ન હોય તો : કષ્ટદાયી એવા ઈન્દ્રિયનિગ્રહથી શું ? સતત જ્ઞાનાભ્યાસનો શો અર્થ? સર્વસ્વનું દાન કરી દેવાથી શો ફાયદો ? (૩૭) નાગ્યો મુવિન્દ્ર , રીવા વતુર્દશા | न श्राद्धादिप्रतिष्ठा वा तत्त्वं किन्त्वमलं मनः ।। ७०।। અર્થ : વસ્ત્ર કે મુહપત્તિ, પૂનમ કે ચૌદશ, શ્રાદ્ધપ્રતિષ્ઠા કે સાધુપ્રતિષ્ઠા એ કાંઈ તત્ત્વ નથી. તત્ત્વ એક જ છે, મનને નિર્મળ કરવું. (३८) दृष्ट्वा श्रीगौतम बुद्धैस्त्रिपञ्चशततापसैः । भरतप्रमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ?।। ७१।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ અર્થ: શ્રી ગૌતમ ગણધર ભગવંતને જોઈને બોધ (કવળજ્ઞાન) પામેલા પંદરસો તાપસીએ અને ભરતચક્રી, ગુણસાગર, પૃથ્વીચન્દ્ર, મરુદેવા માતા વગેરેએ બાહ્ય વ્યવહારધર્મના પાલનનો કદાગ્રહ ક્યાં રાખ્યો હતો ? લિંગ કે ક્રિયાકાંડરૂપ આરાધનાઓ વિના જ તેઓ કેવળજ્ઞાન પામ્યા હતા. ' (३९) तथा चिन्त्यं, तथा वाच्यं, चेष्टितव्यं तथा तथा । मलीमसं मनोऽत्यर्थं यथा निर्मलतां व्रजेत् ।। ७४ ।। અર્થ: તેવું વિચારો, તેવું બોલો, તેવું આચરો જેથી મલિન એવું મન ખૂબ નિર્મળ બનવા લાગે. (४०) चञ्चलस्यास्य चित्तस्य सदैवोत्पथचारिणः ।। उपयोगपरैः स्थेयं योगिभिर्योगकाङ्क्षिभिः ।। ७५ ।। અર્થ : આ ચિત્ત એકદમ ચંચળ છે, સદા ખોટા રસ્તે દોડી જનારું છે. જેમને યોગ”ની ઈચ્છા છે તેવા યોગીઓએ સતત સાવધાન રહેવું જોઈએ. (४१) सुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः । सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्तशोधनम् ।। ७६।। અર્થ : શરીર, વસ્ત્ર વગેરેને મેલાંધાણ રાખવા હજી સહેલાં છે, ઘોર અને ઉગ્ર તપ કરવું હજી સહેલું છે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો સહેલો છે પણ ચિત્તને પવિત્ર રાખવાનું કાર્ય દુષ્કર દુષ્કર છે. (४२) पापबुद्ध्या भवेत्पापं को मुग्धोऽपि न वेत्त्यदः । धर्मबुद्ध्या तु यत्पापं तच्चिन्त्यं निपुणैर्बुधैः ।। ७७ ।। અર્થ : પાપબુદ્ધિથી પાપ થાય છે આ વાત સામાન્ય માણસ પણ સમજી શકે છે. પરંતુ ધર્મબુદ્ધિ હોય છતાં પાપ થાય તે વાત ચતુર પુરુષોએ વિચારવી જોઈએ. (४३) अणुमात्रा अपि गुणा दृश्यन्ते स्वधियाऽऽत्मनि । . दोषास्तु पर्वतस्थूला अपि नैव कथञ्चन ।। ७८ ।। (૪૪) ત વ વેપરીન્ટેન વિજ્ઞાતિવ્યા પરં વાઃ | दिङ्मोह इव कोऽप्येष महामोहो महाबलः ।। ७९ ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૬૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પોતાનામાં અણુ જેટલા ગુણો હોય તો ય જીવને તે દેખાય છે અને પહાડ જેટલા મોટા દોષો દેખાતા જ નથી. આ તો દિશામોહ થવા જેવો મહાબળવાન ભ્રમ છે. ખરેખર તો આનાથી વિપરીત થવું જોઈએ એમ આપ્તવચન કહે છે. (४५) धर्मस्य बहुधाऽध्वानो लोके विभ्रमहेतवः । तेषु बाह्यफटाटोपात्तत्वविभ्रान्तदृष्टयः ।। ८० ॥ અર્થ : મગજમાં ભ્રમણા ઉત્પન્ન કરી દે તેવા કહેવાતા ધર્મના અનેક રસ્તાઓ લોકમાં જોવા મળે છે. તેમાં જેમને ‘તત્ત્વ’ દેખાઈ ગયું તે, તે માર્ગને પકડી લે છે અને તેમાં જ વાસ્તવિક ધર્મ છે એવો બાહ્ય માહોલ ઊભો કરી દે છે. તૃતીય પ્રસ્તાવ (૪૬) સદ્દગાનન્તસામ્યસ્ય વિમુલા મૂત્યુદ્ધેયઃ । इच्छन्ति दुःखदं दुःखोत्पाद्यं वैषयिकं सुखम् ।। ८५ ।। અર્થ : સ્વાભાવિક રીતે આનંદ દેનારા સમતાભાવથી વિમુખ થયેલા મૂઢબુદ્ધિવાળા લોકો એવા ભોગસુખને ઈચ્છે છે જે દુ:ખમાંથી ઉત્પન્ન થયું છે અને દુઃખને દેનારું છે. (४७) कषाया विषया दुःखमिति वेत्ति जनः स्फुटम् । तथापि तन्मुखः कस्माद् धावतीति न बुद्ध्यते ।। ८६ ।। અર્થ : કષાયો અને વિષયો દુઃખનું કારણ છે એવું સ્પષ્ટપણે જાણવા છતાં જીવ તેની ત૨ફ કેમ દોડે છે ? તે સમજાતું નથી. (४८) सर्वसङ्गपरित्यागः सुखमित्यपि वेत्ति सः । सम्मुखोऽपि भवेत् किं न तस्येत्यपि न बुद्ध्यते ।। ८७ ।। અર્થ : ‘સર્વ સંગોનો પરિત્યાગ એ જ સુખ છે' એવું જીવ જાણે છે તો પણ તે સુખની અભિમુખ તે કેમ નહિ થતો હોય ? (४९) सूक्ष्माः सूक्ष्मतरा भावा भेद्यन्ते सूक्ष्मबुद्धिभिः । एतद् द्वयं तु दुर्भेदं तेषामपि हि का गतिः ।। ८८ । ++++++++++++||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ******* ६७ Page #77 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જે સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસો સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ વસ્તુઓને પણ જાણી શકે તેઓને પણ આ બે બાબતો ભારે મુશ્કેલીથી સમજાય છે. તો હવે કરવું શું ? (५०) अपराधाक्षमा क्रोधो मानो जात्याद्यहंकृतिः । लोभः पदार्थतृष्णा च माया कपटचेष्टितम् ।। ८९ ।। અર્થ : બીજાના અપરાધો પ્રત્યે અસહિષ્ણુ બનવું તે ક્રોધ છે. જાતિ વગેરેનો અહંકાર તે માન છે. કપટપૂર્વકની ચાલ તે માયા છે. પરપદાર્થની તૃષ્ણા (આસક્તિ) તે લોભ છે. (५१) नोपेन्द्रस्य न चेन्द्रस्य तत् सुखं नैव चक्रिणः । साम्यामृतविनिर्मग्नो योगी प्राप्नोति यत्सुखम् ।। ९१ ।। અર્થ : સમતારૂપી અમૃતમાં મગ્ન થયેલો યોગી જે આત્માનંદને પ્રાપ્ત કરે છે તે આનંદ નથી મળતો વિષ્ણુને, ઈન્દ્રને કે ચક્રવર્તીને. (५२) रागोऽभीष्टेषु सर्वेषु द्वेषोऽनिष्टेषु वस्तुषु । क्रोधः कृतापराधेषु मानः परपराभवे ।। ९२ ।। (५३) लोभः परार्थसंप्राप्तौ माया च परवञ्चने । गते मृते तथा शोको हर्षश्चागतजातयोः ।। ९३ ।। (५४) अरतिर्विषयग्रामे याऽशुभे च शुभे रतिः । चौरादिभ्यो भयं चैव कुत्साकुत्सितवस्तुषु ।। ९४ ।। (५५) वेदोदयश्च संभोगे व्यलीयेत मुनेर्यदा । अन्तःशुद्धिकरं साम्यामृतमुज्जृम्भते तदा ।। ९५ ।। અર્થ : જ્યારે મુનિના ચિત્તમાંથી નીચે જણાવેલી વસ્તુઓ નાશ પામે ત્યારે અંતઃકરણની શુદ્ધિ કરતું સમતા નામનું અમૃત વિકાસ પામે છે. (૧) ઈષ્ટ વસ્તુઓમાંથી રાગ, (૨) અનિષ્ટ વસ્તુઓ તરફનો દ્વેષ, (૩) અપરાધીઓ ઉપર ક્રોધ, (૪) બીજા દ્વારા થતાં અપમાન વખતે અભિમાન, (૫) વસ્તુની પ્રાપ્તિમાં લોભ, (૬) બીજાને ઠગવામાં માયા, (૭) વસ્તુ જતાં કે મૃત્યુ થતાં શોક, (૮) વસ્તુ પ્રાપ્ત થતાં કે જન્મ થતાં આનંદ, (૯) અશુભ વિષયોમાં અતિ, (૧૦) શુભ ૬૮ *************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ વિષયોમાં રતિ, (૧૧) ચોર વગેરેથી ભય, (૧૨) બીભત્સ વસ્તુઓમાં જુગુપ્સા, (૧૩) સંભોગ કરીને વેદનો ઉદય. (५६) यदि त्वं साम्यसंतुष्टो विधं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्या किं स्वमेवैकं समं कुरु ।। १०२।। અર્થ : જો તું સમભાવથી તૃપ્ત થઈ ગયો હોય તો આખું વિશ્વ પણ તારાથી તૃપ્ત થશે. હવે લોકોને રીઝવવાથી તને શું લાભ છે? તું તને જ સમભાવવાળો કર. (५७) श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे । तथापि तत्त्वतस्तस्माज्जनोऽयं प्लवते बहिः ।। १०३।। અર્થ : શાસ્ત્રો, સાધુપણું અને યોગાભ્યાસનો વિસ્તાર સમભાવને સિદ્ધ કરવા માટે છે. આમ છતાં તે લોકો તેનાથી સમભાવને પામી શકતા નથી, કેમકે તેઓ બહિર્ભાવમાં જ કૂદકા મારતા હોય છે. (५८) स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमन्दिरम् । अस्वाधीनं परं मूढ ! समीकर्तुं किमाग्रहः ।। १०४।। અર્થ: દોષોથી ભરેલા અને વિષમભાવવાળા છતાં સ્વાધીન તને પોતાને ત્યજીને હે મૂઢ આત્મન્ ! જે તારે આધીન નથી તેવાને સમભાવવાળા કરવા માટે કેમ આગ્રહ રાખે છે ? (५९) यथा गुडादिदानेन यत्किञ्चित् त्याज्यते शिशुः । चलं चित्तं शुभध्यानेनाशुभं त्याज्यते तथा ।। १०७।। અર્થ : જેમ ગોળ વગેરે દઈને બાળક પાસેથી કોઈ (અશુભ) વસ્તુ છોડાવી શકાય છે તેમ શુભ ધ્યાન વડે ચંચળ ચિત્તમાંથી અશુભ ધ્યાન છોડાવી શકાય છે. तोषणीयो जगन्नाथस्तोषणीयश्च सद्गुरुः । तोषणीयस्तथा स्वात्मा किमन्यैर्वत तोषितैः ।। ११०।। (૬૭) વષાવિષયાન્તિો વહિરિયે નન: | किं तेन रुष्टतुष्टेन तोषरोषौ च तत्र किम् ।। १११।। (૨૦) જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ અર્થ: આ જગતમાં પરમાત્મા, સદ્ગુરુ અને પોતાનો આત્મા જ પ્રસન્ન કરવા લાયક છે. બીજાઓને ખુશ કરવાની કોઈ જરૂર નથી. વળી, આ લોક વિષય-કષાયમાં ગળાબૂડ ડૂબેલો છે, તેથી બહિર્દષ્ટિવાળો છે. તે ખુશ થાય કે નાખુશ થાય તેથી શું ફરક પડે છે? તેની ઉપર આપણે તોષ, રોષ શા માટે કરવા જોઈએ? (ધર) સસરાવારિખ પ્રાયો નોવાક સ્રાનનુમાવેતર ! द्वेषस्तेषु न कर्तव्यः संविभाव्य भवस्थितिम् ।। ११२।। અર્થ : કાળના પ્રભાવથી પ્રાય: લોકો સદાચારસંપન્ન નથી. તેમની ભવસ્થિતિ જ તેવી છે તેમ વિચારીને તેમના પ્રત્યે દ્વેષ કરવો નહિ. - ચતુર્થ પ્રસ્તાવ (૬૩) ઢીનો થતો નન્નુર્વાધિનો વિષયમિક | बाढं पतति संसारे स्वप्रतिज्ञाविलोपनात् ।। ११७।। અર્થ: સત્ત્વહીન સાધુ વિષય-વાસનાદિથી પીડાય છે તેથી પોતે લીધેલી પ્રતિજ્ઞાઓનો ભંગ કરે છે. પરિણામે ભયાનક સંસારમાં પટકાય છે. (६४) तावद्गुरुवचः शास्त्रं तावत् तावच्च भावनाः । कषायविषयैर्यावद् न मनस्तरलीभवेत् ।। ११९।। અર્થ : જ્યાં સુધી મન વિષયવાસનાથી કે કષાયોની પરિણતિથી ચલિત ન થાય ત્યાં સુધી જ ગુરુવચન માન્ય રહે છે અને શાસ્ત્રાજ્ઞાઓ તથા શુભ ભાવનાઓમાં મન રમ્યા કરે છે. (૬૫) ઋષાવિષયશાને થાવજોતિપુર્ણયમ્ | - યમેવ નયત્વે સ વીરતિન : || ૧૨૦ અર્થ : વિષયો અને કષાયો જીતી ન શકાય તેવા દુર્જય છે. તે તરફ જીવ દોડી રહ્યો છે. જો કોઈ જીવ તેમની ઉપર વિજય મેળવી લે તો વિજયી વીર લોકોમાં તે તિલક સમાન શ્રેષ્ઠ વીર છે. (६६) उपसर्गे सुधीरत्वं सुभीरुत्वमसंयमे । लोकातिगं द्वयमिदं मुनेः स्याद् यदि कस्यचित् ।। १२२ ।। ન ૭૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ઉપસર્ગોમાં પુષ્કળ ધીરતા અને અસંયમના આચરણમાં ખૂબ ડરપોકપણું – આ બે લોકોત્તર વસ્તુઓ તો કોક મુનિમાં જ હોઈ શકે. (૬૭) કુસદા વિષયાસ્તાવ વવાયા તિહુસ: | परीषहोपसर्गाश्चाधिकदुस्सहदुस्सहाः ।। १२३ ।। અર્થ : વિષયો દુ:સહ છે પણ કષાયો તો અતિદુઃસહ છે અને પરીષહો તથા ઉપસર્ગો તો એથી ય વધુ અતિદુસહ છે. (૬૮) ન ત્રિવમrશ્વ વન રેન વિનીયતે | मुनिवीरं विना कञ्चिच्चित्तनिग्रहकारिणम् ।। १२४ ।। અર્થ : ત્રણ જગતમાં જે અદ્વિતીય કક્ષાનો મલ્લ ગણાય તે કામરાજ કોનાથી જીતી શકાય? હા, ચિત્તનો નિગ્રહ કરનાર કોઈ વીર મુનિ જ તેને જીતી શકે. (६९) दूरे दूरतरे वाऽस्तु खड्गधारोपमं व्रतम् । हीनसत्त्वस्य ही चिन्ता स्वोदरस्यापि पूरणे ।। १३१ ।। અર્થ : સત્વહીન સાધુને તલવારની ધાર ઉપર ચાલવા જેવું મહાવ્રતપાલન તો શું થવાનું છે? એને તો પોતાનું પેટ ભરવાની જ ચિન્તા રહેતી હોય છે. (७०) यत् तदर्थं गृहस्थानां बहुचाटुशतानि सः । बहुधा च करोत्युच्चैः श्वेव दैन्यं प्रदर्शयन् ।। १३२।। અર્થ : કેમકે તે પોતાનો નિર્વાહ કરવા માટે કૂતરાની જેમ દીનતા દર્શાવતો (પૂછડી પટપટાવતો) સેંકડો જાતની ખુશામત કરે છે. (૭૧) સામે યોનાં યા તુ મેંદી વૃત્તિઃ પ્રરિતા | तस्यास्त्रस्यति नाम्नापि का कथाऽचरणे पुनः ।। १३६।। અર્થ : આગમશાસ્ત્રમાં સાધુઓને સિહ જેવી (અદીન) વૃત્તિ રાખવાનું જણાવાયું છે તેનું તો વર્ણન સાંભળીને જ આ શિથીલ) સાધુ ધ્રૂજવા લાગે છે તો તેનું આચરણ કરવાની તો વાત જ ક્યાં રહી? (૭૨) વિનુ સાતિસુ જ વસ્ત્રાદરિમૂજીંયા | कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ।। १३७।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ##### ### : ::: ######### ########## ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ (७३) कथयंश्च निमित्ताद्यं लाभालाभं शुभाशुभम् । कोटि काकिणिमात्रेण हारयेत् स्वं व्रतं त्यजन् ।। १३८ ।। અર્થ: પરંતુ તે ભૌતિક સુખની જ અભિલાષાવાળો બનીને વસ્ત્ર, આહાર આદિની આસક્તિને પોષવા માટે દોરા, ધાગા કરે છે. ગૃહસ્થોના ઘર સંબંધિત ચિંતા કરે છે. નિમિત્ત વગેરેને તથા લાભ-હાનિ, શુભાશુભ વગેરેને કહે છે. આમ પોતાના વ્રતનો ત્યાગ કરતો તે એક નયા પૈસા માટે કરોડ રૂપિયા ખોઈ બેસે છે ! (७४) चारित्रैश्वर्यसंपन्नं पुण्यप्राग्भारभाजनम् । मूढबुद्धिर्न वेत्ति स्वं त्रैलोक्योपरिवर्तिनम् ।। १३९ ।। (७५) ततश्च भिक्षुकप्रायं मन्यमानो विपर्ययात् । भावनिःस्वधनेशानां ललनानि करोत्यसौ ।। १४०।। અર્થ: બિચારો મૂઢબુદ્ધિ! એટલું ય સમજતો નથી કે પોતે ચારિત્રસંપન્ન છે, મહાન પુણ્યનો સ્વામી છે અને ત્રણેય લોકના જીવોથી ઘણી ઊંચી કક્ષાએ બેઠેલો છે ! વળી, બુદ્ધિ ઊંધી થતાં પોતાને ભિખારી જેવો માનતો એ સાધુ ભાવરૂપી ધન વિનાના ધનવાનોની ખુશામત કરતો રહે છે. (७६) प्रशान्तस्य निरीहस्य सदानन्दस्य योगिनः । इन्द्रादयोऽपि ते रङ्कप्रायाः स्युः किमुतापराः ।। १४१ ।। અર્થ : જેની આંતરવૃત્તિઓ શાંત થઈ છે, જેને કોઈ સ્પૃહા નથી અને જે સદા આનંદમાં મગ્ન છે તેવા યોગી આગળ ઈન્દ્ર વગેરે પણ રંક જેવા છે તો બીજાઓની તો શી વાત કરવી? (७७) सुखाभिलाषिणोऽत्यर्थं ग्रस्ता ऋळ्यादिगारवैः । प्रवाहवाहिनो ह्यत्र दृश्यन्ते सर्वजन्तवः ।। १४८ ।। અર્થ : જે ભોગસુખના અત્યન્ત ઇચ્છુક છે તે જીવો ઋદ્ધિ, રસ અને શાતાના ગારવથી ગ્રસ્ત હોય છે, એટલે જ બીજા જીવોની પાછળ તેઓ તણાતા રહેતા હોય છે. ૭૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ (७८) मानुष्यं दुर्लभं लब्ध्वा ये न लोकोत्तरं फलम् । गृणन्ति सुखमायत्यां पशवस्ते नरा अपि ।। १५५ ।। અર્થ : જેઓ દુર્લભ માનવભવ પામીને ભવિષ્યમાં સુખ દેનારા લોકોત્તર ફળને ગ્રહણ કરતા નથી તે મનુષ્ય હોવા છતાં પણ પશુ છે. પાંચમો પ્રસ્તાવ (७९) अशुभं वा शुभं वापि स्वस्वकर्मफलोदयम् । भुञ्जानानां हि जीवानां हर्ता कर्ता न कश्चन ।। १६० ।। અર્થ : પોતપોતાના કર્મોના ફલના ઉદયોને - પછી તે અશુભ હોઈને દુઃખ દેનારા હોય કે શુભ હોઈને સુખ દેનારા હોય તેમને – જીવ ભોગવતો હોય છે. આ સુખદુ:ખનો કર્તા પોતે જ છે, અન્ય કોઈ નથી. (८०) आजन्माज्ञानचेष्टाः स्वा निन्द्यास्ताः प्राकृतैरपि । विचिन्त्य मूढ ! वैदग्ध्यगर्वं कुर्वन्न लज्जसे ।। १६२ ।। અર્થ : હે મૂર્ખ ! સામાન્ય મનુષ્યો પણ નિન્દા કરે તેવી હલકી અજ્ઞાનગત ચેષ્ટાઓ-જન્મથી માંડીને આજ સુધીની-તેં કરી છે, જે તારા ખ્યાલમાં જ છે, છતાં તું તારી પંડિતાઈ દુનિયામાં દેખાડવા નીકળ્યો છે ? (૮૧) ચિત્ય કે વિજ્ઞાનન્તિ સર્વાર્થેવુ સિદ્ધિતમ્ । सर्वप्रियंकरा ये च ते नरा विरला जने ।। १६७ ।। (૮૨) વિત્યં પરમો વન્યુરોધિત્વ પરમં મુલમ્ । धर्मादिमूलमौचित्यं औचित्यं जनमान्यता ।। १६८ ।। અર્થ : સર્વ કાર્યોમાં સિદ્ધિ અપાવતા ઔચિત્યધર્મને જેઓ જાણે છે અને જેઓ સર્વનું પ્રિય કરે છે તેવા મનુષ્યો આ લોકમાં વિરલ હોય છે. ઔચિત્ય એ પરમબંધુ છે, પરમસુખ છે, ધર્માદિકનું મૂળ છે, લોકમાન્યતાનું પ્રબળ કારણ છે. (૮૩) ભૈરવેશ્યાનોત્સુયમનોત્નુંવચાવ્ય મુખ્યતા | सुस्थता च परानन्दस्तदपेक्षां क्षयेद् मुनिः ।। १७६ ।। અર્થ : કોઈપણ વસ્તુની અપેક્ષા છોડી દેવાથી ઉત્સુકતાનો (અધીરાઈનો) ++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ #÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷||||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ નાશ થાય છે. ઉત્સુકતાનો નાશ થવાથી સ્વસ્થતા પ્રગટે છે. આ સ્વસ્થતા એ જ શ્રેષ્ઠ આત્માનંદ છે, માટે મુનિએ સહુ પ્રથમ અપેક્ષાનો નાશ કરવો જોઈએ. (८४) अधर्मो जिह्मता यावद् धर्मः स्यात् यावदार्जवम् । अधर्मधर्मयोरेतद् द्वयमादिमकारणम् ।। १७७ ।। અર્થ : જ્યાં સુધી વક્રતા (કપટ) છે ત્યાં સુધી અધર્મ છે, જ્યાં સુધી સરળતા છે ત્યાં સુધી ધર્મ છે. અધર્મ અને ધર્મના આ બે મુખ્ય કારણો છે. (८५) सुखमार्जवशीलत्वं सुखं नीचैश्च वर्त्तनम् । सुखमिन्द्रियसंतोषः सुखं सर्वत्र मैत्र्यकम् ।। १७८ ।। અર્થ : સરળ સ્વભાવ તે સુખ છે. નમ્ર વર્તન તે સુખ છે. ઈન્દ્રિયોના વિષયોમાં સંતોષ તે સુખ છે. સર્વત્ર મૈત્રીભાવ તે સુખ છે. (૮૬) અનન્તાન્ પુજાવર્તાનાત્મનેન્દ્રિયાવિg | भ्रान्तोऽसि च्छेदभेदादिवेदनाभिरभिद्रुतः ।। १८४ । (૮૭) સામ્પ્રત તુ તૃટીમૂવ સર્વવું:હવાનનમ્ । व्रतदुःखं कियत्कालं सह मा मा विषीद भोः ।। १८५ ।। અર્થ : હે આત્મન્ ! એકેન્દ્રિયાદિ યોનિઓમાં અનન્ત પુદ્ગલપરાવર્તો પર્યન્ત તું રખડ્યો છે. ત્યાં છેદન-ભેદન આદિ વેદનાઓ તેં સહી છે. હવે મક્કમ બનીને સર્વદુઃખોને બાળી દેવા માટે દાવાનળ જેવા વ્રતોના કષ્ટને થોડાક કાળ માટે તું સહી લે. તેમાં વિષાદ ન કર. (८८) उपदेशादिना किञ्चित् कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ।। १८६ ।। અર્થ : બીજા જીવને ઉપદેશ દઈને કોઈપણ રીતે કાંઈક પણ ધર્મ હજી કરાવી શકાય, પણ પોતાની જાતને હિતમાં જોડવી કે અહિતથી છોડાવવી એ તો મહામુનિઓ માટે પણ મુશ્કેલ બનતું હોય છે. (८९) यदा दुःखं सुखत्वेन दुःखत्वेन सुखं यदा । मुनिर्वेत्ति तदा तस्य मोक्षलक्ष्मी: स्वयंवरा ।। १८७ ।। નનનન+નનન+ ७४ ++++++++++ [††††♪♪¡¡¡¡♪♪♪♪♪||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જ્યારે મુનિને દુઃખમાં સુખ અનુભવાય અને સુખમાં દુ:ખની અનુભૂતિ થાય ત્યારે તેણે જાણવું કે મોક્ષલક્ષ્મી સામેથી ચાલી આવીને તેના ગળામાં વરમાળા નાંખી દેવાની છે. (९०) जन्मभूत्वात् पुलिन्दानां वनवासे यथा रतिः । तथा विदिततत्त्वानां यदि स्यात् किमतः परम् ।। १९२ ।। અર્થ : જેમ ભીલ વગેરે લોકોને પોતાની જન્મભૂમિ હોવાના કારણે વનવાસમાં આનંદ મળે છે તેમ તત્ત્વના જ્ઞાની યોગીને પણ જો વનવાસમાં આનંદ આવી જાય તો તેને બીજું જોઈએ પણ શું? (39) શરીરમાનર્વિદુઘા વહુદિનઃ | संयोज्य साम्प्रतं जीव ! भविष्यसि कथं स्वयम् ।। १९७।। અર્થ: હે આત્મન્ ! ઘણા જીવોને ઘણી રીતે તું શારીરિક અને માનસિક દુઃખો સાથે જોડે છે. હાય ! તો દુ:ખ દેનારા તારું ભાવિ શું? (९२) धर्मं न कुरुषे मूर्ख ! प्रमादस्य वशंवदः । कल्ये हि त्रास्यते कस्त्वां नरके दुःखविह्वलम् ।। १९८ ।। અર્થ : હે મૂર્ખ ! પ્રમાદને વશ પડેલો તું અત્યારે ધર્મ (ત્યાગ, તપ વગેરે) કરતો નથી તો પછી નરકમાં દુઃખથી ત્રાસી ગયેલા તને કાલે કોણ બચાવશે ? (९३) कन्धरावद्धपापाश्मा भवाब्धौ यद्यधोगतः । क्व धर्मरज्जुसंप्राप्तिः पुनरुच्छलनाय ते ।। १९९।। અર્થ : જો તું ગળામાં પાપરૂપી પથ્થર બાંધીને ભવસાગરના તળિયે જતો રહીશ તો બહાર આવવા માટે તને ધર્મરૂપી દોરડું શી રીતે મળશે? (९४) दु:खकूपेऽत्र संसारे सुखलेशभ्रमोऽपि यः ।। सोऽपि दुःखसहस्रेणानुविद्धोऽतः कुतः सुखम् ।। २००।। અર્થ: દુઃખના કુવા જેવા આ સંસારમાં સુખના લેશનો જે ભ્રમ થાય છે તે પણ હજારો દુઃખોથી વીંટાયેલ છે. તેથી સંસારમાં સુખ ક્યાંથી લાવવું? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ (९५) दुःखितानखिलान् जन्तून् पश्यतीह यथा यथा । तथा तथा भवस्यास्य विशुद्धात्मा विरज्यति ।। २०१।। અર્થ: વિશુદ્ધ આત્મા જેમ જેમ દુઃખી જીવોને જુએ છે તેમ તેમ આ સંસારથી તે વિરક્ત થતો જાય છે. ૭૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ કુલકસંગ્રહ (૧) ગુણાનુરાગ કુલકમ્ ( १ ) उत्तमगुणाणुराओ निवसइ हिययंमि जस्स पुरिसस्स । आतित्थयरपयाओ न दुल्लहा तस्स रिद्धीओ ।। અર્થ : જે પુરુષના હૃદયમાં બ્રહ્મચર્ય, ક્ષમા વગેરે ઉત્તમ ગુણો પ્રત્યે અનુરાગ છે એ પુરુષને તો તીર્થંકરપદ સુધીની ઋદ્ધિઓ પણ દુર્લભ નથી. (૨) તે પન્ના તે પુના, તેલુ પગામો વિપ્ન માઁ નિષ્યં । जेसिं गुणाणुराओ, अकित्तिमो होइ अणवरयं ॥ અર્થ : એ આત્માઓ ધન્ય છે, એ મહાત્માઓ પુણ્યવાન છે, તેઓને મારો નિત્ય નમસ્કાર થાઓ કે જે આત્માઓની પાસે સતત અકૃત્રિમ= વાસ્તવિક ગુણાનુરાગ છે. (३) किं बहुणा भणिएणं, किं वा तविएण किं व दाणेणं । इक्कं गुणाणुरायं, सिक्खह सुक्खाण कुलभवणं ॥ અર્થ : વધારે ભણીને શું કામ છે ? વધારે તપ કરીને પણ શું કામ છે ? વધારે દાન આપવાનું પણ શું કામ છે ? ઓ ભવ્યજીવો ! તમે તમામ સુખોના કુલભવન એવા એકમાત્ર ગુણાનુરાગને શીખો, આત્મસાત્ કરો. (४) जइवि चरसि तवं विउलं पढसि सुयं करिसि विविहकट्ठाई । न धरसि गुणाणुरायं, परेसु ता निष्फलं सयलं ।। અર્થ : ઓ આત્મન્ ! તું કદાચ વિપુલ તપ કરશે, પુષ્કળ શાસ્ત્રો ભણશે, લોચ, વિહારાદિ વિવિધ કષ્ટો પણ કરશે. પણ યાદ રાખ, જો તું બીજાઓને વિશે ગુણાનુરાગ ધારણ નહિ કરે, બીજાઓના ગુણોને જોઈને હર્ષ નહિ પામે, ઈર્ષ્યા કરશે તો તારું બધું જ તપાદિ નિષ્ફળ થશે. (4) सोऊण गुणुक्करिसं अन्नस्स करेसि मच्छरं जइवि । ता नूणं संसारे पराभवं सहसि सव्वत्थ ।। ¡¡¡¡¡¡¡¡¡¡¡L♪♪♪††††††††††♪♪♪♪♪♪†††††††††††††††††††††††††††††† #††††††††÷÷÷÷÷♪♪♪♪↓↓↓↓↓↓↓↓ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૭૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ અર્થ : બીજાના ગુણોના ઉત્કર્ષને સાંભળીને જો તું ઈર્ષ્યા કરશે, હૃદયમાં બળશે તો નક્કી માનજે કે આ સંસારમાં તારે બધે જ પરાભવને= તિરસ્કારને સહન કરવો પડશે. કેમકે ઈર્ષાળુઓના પુણ્યો બળી જાય છે.) (૬) गुणवंताण नराणं ईसाभरतिमिरपूरिओ भणसि । जइ कहवि दोसलेसं ता भमसि भवे अपारम्मि ।। અર્થ: ઈર્ષાના સમૂહરૂપી અંધકારથી ભરેલો એવો તું જો કોઈ પણ રીતે એ ગુણવાન્ આત્માઓના દોષોનો લેશ પણ બોલીશ, એમની લેશ પણ નિંદા કરીશ તો અપાર સમુદ્રમાં તું ભમીશ. (૭) = સન્મસેફ નીવો, ગુi ર હોઉં ૨ નમિ | तं परलोए पावई अब्भासेणं पुणो तेणं ।। અર્થ : જીવ આ જન્મમાં ગુણો કે દોષો જેનો અભ્યાસ કરે, જેને વારંવાર સેવે એ જ ગુણ કે દોષ એ અભ્યાસના કારણે એને આવતા ભવમાં મળે. માટે જ ક્રોધીઓ સાપ થાય, ઈર્ષાળુઓ કૂતરા થાય.) (८) जो जंपइ परदोसे गुणसयभरिओ वि मच्छरभरेणं । सो विउसाणमसारो पलालपुंज ब्व पडिभाइ ।। અર્થ : સેંકડો ગુણોનો ભંડાર એવો પણ જે જીવ એક માત્ર ઈષ્પદોષને લીધે પારકાના દોષો જ બોલ્યા કરે છે એ જીવ વિદ્વાનોને તો ઘાસના પૂળાની જેમ તુચ્છ-અસાર લાગે છે. એના સેંકડો ગુણોની એ વિદ્વાનો કોઈ જ કિંમત કરતા નથી. (૧) નો પરવોએ શિષ્ટ, સંતાડસંતવિ ગુમાવેગે ! सो अप्पाणं बंधइ, पावेण निरत्थएणावि ।। અર્થ: બીજામાં દોષો હોય કે ન હોય, પણ જે આત્મા ઈષ્ય વગેરે દુષ્ટભાવોને લીધે પારકાના છતાં-અછતાં દોષોને ગ્રહણ કરે છે એ તો બિચારો નકામો પોતાના આત્માને પાપથી બાંધે છે. (१०) तं नियमा मुत्तव्वं जत्तो उप्पज्जए कसायग्गी । तं वत्थु धारिज्जा जेणुवसमो कसायाणं ।। ૭૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ અર્થ : તે વસ્તુ અવશ્ય છોડી દેવી કે જેનાથી હૃદયમાં કષાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય. (પછી એ કષાય ક્રોધ, માન, માયા કે લોભ ચારમાંથી કોઈપણ હોય.) તે જ વસ્તુ ધારણ કરવી કે જેનાથી કષાયોનો ઉપશમ થાય. (११) जइ इच्छह गुरुयत्तं, तिहुयणमज्झम्मि अप्पणो नियमा । ता सव्वपयत्तेणं परदोसविवज्जणं कुणह ।। અર્થ : હે આત્મન ! શું તું એમ ઈચ્છે છે કે, આ ત્રણ લોકની અંદર તારા આત્માની મોટાઈ થાય, તારી સર્વત્ર યશ-કીર્તિ ફેલાય, તો એક કામ કર ! તારી તમામ શક્તિ લગાડી દઈ પરદોષદર્શન-પરદોષનિંદા છોડી દે. (१२) जे अहमअहम अहमा, गुरुकम्मा धम्मवज्जिया पुरिसा । ते विय न निंदणिज्जा, किंतु दया तेसु कायव्वा ।। અર્થ: આ જગતમાં જે જીવો અધમ છે, અધમાધમ છે, ભારેકર્મી છે, ધર્મ વિનાના છે. ઓ જીવ ! તું એમની પણ નિંદા ન કરીશ. તું માત્ર તેઓ ઉપર કરૂણા જ ધારણ કરજે. (१३) पासत्थाइसु अहुणा संजमसिढिलेसु मुक्कजोगेसु । नो गरिहा कायव्वा, नेव पसंसा सहामज्झे ।। અર્થ: આ હુંડા અવસર્પિણી દુઃષમાકાળમાં શિથીલ સંયમજીવન જીવનારા, મન-વચન-કાયાના શુભયોગોને ફેંકી દેનારા ઘણા પાસત્યાદિ સાધુઓ હોવાના જ. તું એમની નિંદા ન કરીશ. અને સભામાં – જાહેરમાં એમની પ્રશંસા પણ ન કરીશ. (લોકો એમના તરફ ખેંચાય તો લોકોનું અહિત થાય.) (१४) काऊण तेसु करुणं जइ मन्नइ तो पयासए मग्गं । अह रुसइ तो नियमा न तेसिं दोसं पयासेइ ।। અર્થ : તેઓ ઉપર કરૂણા કરજે અને જો તને લાગે કે તેઓ તારી વાત માનશે તો એમને સાચો માર્ગ બતાવજે. પણ તારો ઉપદેશ સાંભળી એ શિથિલ સાધુઓ ગુસ્સે થઈ જાય તો પણ એમના દોષોને ઉઘાડા ન જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ પાડીશ. (પણ મૌન થઈ જજે.) (१५) संपइ दूसमसमए दीसइ थोवो वि जस्स धम्मगुणो । बहुमाणो कायव्वो, तस्स सया धम्मबुद्धीए ।। અર્થ : હે આત્મન્ ! આ તો હુંડા અવસર્પિણીનો દુઃષમાકાળ-અતિભયંકર કાળ છે. આ કાળમાં તને જે કોઈમાં થોડોક પણ ધર્મગુણ દેખાય તો તું સદા ધર્મબુદ્ધિથી એના ઉપર બહુમાન કરજે. (१६) जउ परगच्छ सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणो । तेसिं गुणाणुरायं मा मुंसु मच्छरप्पहओ ।। અર્થ : પારકા ગચ્છમાં કે સ્વગચ્છમાં જે સાધુઓ સંવિગ્ન=વૈરાગી, બહુશ્રુત=વિદ્વાન=જ્ઞાની હોય તેઓ પ્રત્યેનો ગુણાનુરાગ માત્ર ઈર્ષ્યાના પાપે ન છોડીશ. (१७) गुणरयणमंडियाणं बहुमाणं जो करेइ सुद्धमणो । सुलहा अन्नभवंमि य, तस्स गुणा हुंति नियमेणं ।। અર્થ : શુદ્ધ મનવાળો જે આત્મા ગુણોરૂપી રત્નોથી શોભી રહેલા બીજાઓ ઉપર બહુમાનભાવને ધારણ કરે છે એ આત્માને એ તમામ ગુણો આવતા ભવમાં સુલભ થઈ જાય છે. હે જીવ ! આમાં લેશ પણ શંકા ન રાખીશ. (૨) ગુરુપ્રદક્ષિણા કુલકન્ (૧૮) ગોલમ-સુહમ્મ-નવુ-મો-સિખ્ખમવાઞારિયા । अन्नेवि जुगप्पहाणा तइं दिट्ठे सुगुरु ते दिट्ठा ।। અર્થ : હે ભવોદધિતારક ગુરુદેવ ! આ શાસનમાં જે ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબૂસ્વામી, પ્રભવસ્વામી, શસ્થંભવસૂરિ વગેરે આચાર્યો-મહાપુરુષો થઈ ગયા અને એ સિવાય પણ જે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ વગેરે યુગપ્રધાનો થઈ ગયા, આપના દર્શન માત્રથી મને એ તમામના દર્શનનો લાભ થઈ ગયો. (અર્થાત્ આપ જ મારા માટે ગૌતમાદિ મહામુનિઓ જેવા છો.) :::::::::::÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૮૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ (१९) अज्ज कयत्थो जम्मो अज्जकयत्थं च जीवियं काम जेण तुह दंसणामय-रसेण सित्ताई नयणाई ।। અર્થ : ઓ ગુરુમાતા ! આજે મારો જન્મ કૃતાર્થ-સફળ થયો. આજે મારું જીવન પણ સફળ થઈ ગયું, કેમકે આજે આપના દર્શનરૂપી અમૃતરસ વડે મારી આંખો સિંચાઈ. (ર૦) સો સો તું નારં સો નો સો સામનો થનો | जत्थ पहु ! तुम्ह पाया, विहरंति सयावि सुपसन्ना ।। અર્થ : હે પતિતપાવન ગુરુવર! તે દેશ ધન્ય છે, તે નગર ધન્ય છે, તે ગામ ધન્ય છે, તે આશ્રમ-ઉપાશ્રય પણ ધન્ય છે કે જ્યાં સદાય સુપ્રસન્ન એવી આપ વિચરો છો, જ્યાં આપના પાવન પગલાઓ પડે છે. (२१) हत्था ते सुकयत्था, जे किईकम्मं कुणंति तुह चलणे । वाणी बहुगुणखाणी, सुगुरुगुणा वण्णिआ जीए ।। અર્થ : ઓ વિશુદ્ધ બ્રહ્મચર્યના ધારક ગુરુદેવ ! તે હાથ સુકૃતાર્થ છે, સફળ છે, ધન્ય છે કે જેઓ આપના ચરણોનો સ્પર્શ કરે છે, આપના ચરણોની સેવા કરે છે. એ વાણી ઘણા ગુણોની ખાણ છે કે જે વાણી વડે સદ્ગુરુ એવા આપના ગુણો ગવાય છે. (२२) अवयरिया सुरधेणू संजाया मह गिहे कणयबुट्ठी । दारिदं अज्ज गयं, दिढे तुह सुगुरु मुहकमले ।। અર્થ: હે ક્ષમાભંડાર ! આજે તો મારા ઘરે કામધેનુ ગાય ઉતરી, આજે મારા ઘરે સુવર્ણની વૃષ્ટિ થઈ, આજે મારી દરિદ્રતા ભાંગી ગઈ, કેમકે આજે મને આપના મુખકમળના દર્શન થયા. (૨૩) ચિંતામળિસરિષ્ઠ, સન્મત્ત પવિયં મg સન્ન | संसारो दूरीकओ, दिढे तुह सुगुरु मुहकमले । અર્થ : ઓ ગુણનિધિ ! આજે મને ચિંતામણિ રત્ન તુલ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ, આજે મારો સંસાર દૂર થઈ ગયો, કેમકે આજે મને આપના મુખકમળના દર્શન થયા. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલસંગ્રહ) ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ (ર૪) ના રિદ્ધી સમરા મુંનંતા પિયતમસંગુત્તા | सा पुण कित्तियमित्ता, दिढे तुह सुगुरु मुहकमले ।। અર્થ: ઓ નિઃસ્પૃહ શિરોમણિ! પેલા દેવલોકના દેવો પોતાની પ્રિયતમાઓ સાથે પુષ્કળ દેવતાઈ સુખો ભોગવે છે, પણ આપના મુખકમળના દર્શનથી મને જે આનંદ થયો છે એની આગળ તો એ દેવતાઈ સુખોની શી વિસાત? બિચારા તૃણમાત્ર જેટલા મને લાગે છે. (ર૧) મન-વ-વેરા િમ ગં પર્વ ક્ઝિર્થ સયા ભવં ! तं सयलं अज्ज गयं, दिढे तुह सुगुरु मुहकमले ।। અર્થ : ઓ કરૂણાજલધિ ! આજ સુધી મેં મન, વચન, કાયાથી જેટલા પાપો કર્યા છે એ બધા જ પાપો આપના મુખકમળના દર્શન માત્રથી નાશ પામી ગયા. (२६) दुल्लहो जिणिंदधम्मो दुल्लहो जीवाण माणुसो जम्मो । लद्धेवि मणुअजम्मे, अइदुल्लहा सुगुरुसामग्गी ।। અર્થ: હે શાસનપ્રભાવક ગુરુદેવ ! આ જગત્માં જિનેશ્વરોએ સ્થાપેલો જૈનધર્મ દુર્લભ છે એમ મનુષ્યજન્મની પ્રાપ્તિ પણ દુર્લભ છે. કદાચ આ મનુષ્યજન્મ મળી જાય, પણ આપના જેવા સદ્ગુરુઓની પ્રાપ્તિ તો અતિદુર્લભ છે. (२७) जत्थ न दीसंति सुगुरु पच्चूसे उट्ठिएहिं सुपसन्ना । तत्थ कहं जाणिज्जइ जिणवयणं अमिअसारिच्छं ।। અર્થ : જે શિષ્યોને સવારે ઉઠતાની સાથે પોતાના સુપ્રસન્ન ગુરુનું દર્શન પ્રાપ્ત થતું નથી એ શિષ્યો અમૃત સરીખા જિનવચનોને શી રીતે જાણશે? (સદ્ગુરુ હોય તો જિનવચન જણાવે, એ તો નથી.) (२८) जह पाउसंमि मोरा, दिणयरउदयम्मि कमलवणसंडा । વિદતિ તેજ તચ્ચિા (?) તદ અખ્ત વંસને તુ છે અર્થ : જેમ પેલા મોરલાઓ વર્ષાઋતુમાં આનંદ પામે છે, જેમ સૂર્યનો ઉદય થતાંની સાથે કમળો ખીલી ઉઠે છે તેમ આપના દર્શનથી અમે પણ ખૂબ આનંદ પામીએ છીએ. ૮૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૩) સંવિગ્ન સાધુયોગ્ય નિયમકુલકમ (२९) भुवणिक्कपईवसमं वीरं नियगुरुपए अ नमिऊणं । चिरइ अरदिक्खि आणं जुग्गे नियमे पवक्खामि ॥ અર્થ : : ત્રણ ભુવનમાં એક માત્ર પ્રદીપ સમાન એવા વીરસ્વામીને અને મારા ગુરુદેવના ચરણોને નમસ્કાર કરીને લાંબા દીક્ષાપર્યાયવાળા કે નૂતન દીક્ષિત બે ય પ્રકારના સાધુઓને યોગ્ય એવા નિયમો બતાવીશ. (३०) निअउअरपूरणफला, आजीविअमित्तं होइ पवज्जा । धूलिहडीरायत्तण- सरिसा सव्वेसिं हसणिज्जा ।। અર્થ : જે સાધુઓ નીચે બતાવેલા નિયમો ન પાળે તેઓની દીક્ષા માત્ર પોતાના પેટ ભરવા પૂરતી જ થઈ રહે છે. એટલે કે એમની દીક્ષા આજીવિકારૂપ જ બની રહે છે. અને જેમ પેલો હોળીનો રાજા બધાને હાસ્યાસ્પદ બને છે એમ આ સાધુઓની દીક્ષા પણ બધાને હાસ્યાસ્પદ, મશ્કરી કરવા યોગ્ય બની રહે છે. (३१) तम्हा पंचायाराराहणहेउं गहिज्ज इअ निअमे । लोआइकट्ठरुवा, पव्वज्जा जह भवे सफला । અર્થ : (આવું ન થાય) તે માટે પાંચે ય આચારોના પાલન માટે આ નીચે બતાવાતા નિયમો ગ્રહણ કરવા જોઈએ કે જેથી લોચ, વિહારાદિ કષ્ટ રૂપ આ દીક્ષા સફળ બને. (નહિ તો એ દીક્ષા નિષ્ફળ જ બનશે.) (૩૨) નાળાડડરાદળહેડ, પવિત્ર, પંચાદવનાં મૈં । परिवाडिओ गिण्हे, पणगाहाणं च सट्टा य ।। અર્થ : જ્ઞાનની આરાધના માટે હું રોજ નવી પાંચ ગાથા ગોખીશ. (છેવટે ૪,૩,૨,૧ નો પણ નિયમ લેવાય.) અને મારા ગુરુદેવ પાસે ક્રમશઃ એ ગાથાઓનો અર્થ પણ ગ્રહણ કરીશ. (३३) वासासु पंचसया, अट्ठ य सिसिरे अ तिन्नि गिम्हंमि । पइदियहं सज्झायं करेमि सिद्धंतगुणणेणं ।। અર્થ : હું ચોમાસામાં રોજ પ ં∞ ગાથાનો સ્વાધ્યાય કરીશ. શિયાળામાં +++++++++÷÷÷÷÷÷÷÷††÷÷÷÷†††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷¦¦¦¦¦†††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ રોજ ૮૦૦ ગાથાનો સ્વાધ્યાય કરીશ. ઉનાળામાં રોજ ૩૦૦ ગાથાનો સ્વાધ્યાય કરીશ. સ્વાધ્યાય એટલે ગાથાઓનું પુનરાવર્તન ! (સામાન્યથી દિવસના સમયમાં નવો નવો અભ્યાસ કરાય એટલે જૂની ગાથાઓનો પાઠ રાત્રે થાય. શિયાળામાં રાત્રિ મોટી માટે ૮૦૦ ગાથા કહી છે. શક્તિ પ્રમાણે ઓછો પણ નિયમ લેવાય.) (३४) परमिट्ठनवपयाणं सयमेगं पइदिणं समरामि अहं । अह दंसणआयारे, गहेमि नियमे इमे सम्मं ॥ અર્થ : : હું રોજ ૧૦૮ નવકાર ગણીશ તથા દર્શનાચારમાં આ પ્રમાણે સમ્યક્ નિયમો લઈશ. (કોઈપણ યોગ્ય જપનો નિયમ લેવાય.) (३५) अट्ठमीचउद्दस्सीसुं सव्वाइं वि चेइआई बंदिज्जा । सव्वे वि तहा मुणिणो सेस दिणे चेइअं इक्कं ।। અર્થ : આઠમ-ચૌદસના દિવસે સઘળાં દેરાસરોએ દર્શન કરીશ, વંદન કરીશ અને આ બે તિથિઓમાં જુદા જુદા ઉપાશ્રયે રહેલા તમામ મુનિઓને વંદન કરીશ. બાકીના દિવસે એક એક દેરાસરે વંદન કરીશ. (૩૬) અદ ચારિત્તાયારે, નિગમ દળ રેમિ ભાવેનં । बहिभूगमणाईसुं वज्जे वत्ताई ईरियत्थं ॥ અર્થ : હવે ચારિત્રાચારમાં ભાવથી નિયમોનો સ્વીકાર કરીશ. બહાર સ્થંડિલ જતા, વિહાર કરતા, દેરાસરાદિ જતાં ઈર્યાસમિતિ પાળવા માટે બીજા સાધુ વગેરે સાથે લેશ પણ વાતચીત નહિ કરું. (३७) अपमज्जियगमणम्मि अ संडासा पमज्जिउं च उवविसणे । पाउंछणयं च विणा उवविसणे पंचनमुक्कारा । અર્થ : (રાત્રિ વગેરે સમયે) પૂંજ્યા-પ્રમાર્ઝા વિના નહિ ચાલું, બેસતી વખતે પગની વચ્ચેનો ભાગ વગેરે પૂંજીને બેસીશ. અને એ પણ આસન ઉપર બેસીશ. સીધો જમીન પર નહિ બેસું. આમાં કોઈપણ ભૂલ થાય તો એક ભૂલ દીઠ પાંચ નવકાર ગણીશ. (એવું ગમે તે પ્રાયશ્ચિત્ત ધારી શકાય.) ++++++++++++++++++++++++++++++||||||||||| ૮૪ †††††††††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ (३८) उघाडेण मुहेणं नो भासे अहव जत्तिया वारा । भासे तत्तिअमित्ता लोगस्स करेमि उस्सग्गं ।। અર્થ : હું મુહપત્તી વિના ઉઘાડા મુખે નહિ બોલું. જો ભૂલથી, પ્રમાદથી બોલાઈ જાય તો જેટલી વાર મુહપત્તી વિના બોલાશે એટલા લોગસ્સ ગણીશ. ( ३९ ) असणे तह पडिक्कमणे, वयणं वज्जे विसेसकज्ज विणा । सक्कीयमुवहिं च तहा पडिलेहंतो न बेमि सया ।। અર્થ : વાપરતી વખતે અને પ્રતિક્રમણમાં ગાઢ કારણ વિના હું બોલીશ નહિ તથા મારી ઉપધિનું પ્રતિલેખન કરતી વખતે હું ક્યારેય નહિ બોલું. (४०) सक्कीयमुवहिमाइ पमज्जिउं निक्खिवेमि गिमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ।। અર્થ : દાંડો, પાત્રા, પુસ્તક, વસ્ત્રાદિ કોઈપણ વસ્તુ મૂકતા કે લેતા પહેલા એ મૂકવાની જગ્યા અને એ વસ્તુ પૂંજીને પછી મૂકીશ. (વસ્તુ મૂકતી વખતે જ્યાં મૂકવાનું હોય તે જગ્યા પૂંજવી. વસ્તુ લેતી વખતે વસ્તુ જ્યાંથી પકડવાની હોય એ સ્થાન પૂંજવું. નાના-નાના જીવો બચાવવા માટે આ જયણા છે.) જો હું આ પ્રમાર્જના ન કરું, ભૂલી જાઉં તો ત્યાં જ એક નવકાર ગણીશ. ( ४१ ) जत्थ व तत्थ व उज्झणि दंडगउवहीणं अंबिलं कुव्वे । सयमेगं सज्झायं उस्सग्गे वा गणेमि अहं ।। અર્થ : દાંડો, કામળી, ઝોળી વગેરે ઉપધિ જો હું ગમે ત્યાં મૂકી દઉં તો એ નિમિત્તે એક આંબિલ કરીશ. (વસ્તુ ગમે ત્યાં મૂકી દીધા બાદ એ ખોવાઈ જાય, બીજાના હાથમાં જાય તો અધિકરણ બને) અથવા તો પછી કાઉસ્સગ્ગમાં ૧૦૦ ગાથાનો પાઠ કરીશ. (४२) मत्तगपरिवणम्मि अ, जीवविणासे करेमि निव्वियं । अविहीइ विहरिऊणं, परिठवणे अंबिलं कुव्वे ॥ અર્થ : : માત્રુ, સ્થંડિલ, કફ વગેરે પરઠવતી વખતે પ્રમાદાદિથી જો જીવ મરી જશે તો નીવી કરીશ. અને અવિધિથી આહાર-પાણી વહોરીને પછી #†††††††††††††††††††††††††††|||| ******** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ||||||||||||||||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|||||| ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ એ પરઠવવા પડે તો આંબિલ કરીશ. (આસક્તિથી વધારે લાવે, તપાસ કર્યા વિના આધાકર્મી કે સચિત્તાદિ વહોરી લાવે અને પછી પરઠવવું પડે.). (४३) अणुजाणह जस्सुग्गह कहेमि उच्चारमत्तगट्ठाणे । तह सन्नाडगलगजोग कप्पतिप्पाइ वोसिरे तिअगं ।। અર્થ : ચંડિલ-માત્રુ પરઠવતી વખતે એ પ્યાલો નીચે મૂકી) “અણજાણહ ફુગ્ગહો’ એ પ્રમાણે બોલીશ. અને એ પરઠવ્યા પછી ત્રણ વાર “વોસિરે બોલીશ. (૪૪) રામ મયણે વિવે નિશ્વિયં રેમ કરું ! कायकुच्चिट्ठाए पुणो उववासं अंविलं वा वि ।। અર્થ : મારું મન કોઈપણ વસ્તુમાં આસક્ત થશે તો એક નીવી કરીશ. એમ હું મારી જીભથી રાગભરેલી વાણી બોલીશ તો એક નીવી કરીશ. (આજની ખીચડી ઘણી સારી છે) અને જો શરીર વડે કોઈપણ કુચેષ્ટા થશે તો ઉપવાસ કે આંબિલ કરીશ. (મુખ્યત્વે અબ્રહ્મ વગેરે સંબંધી કુચેષ્ટાઓ જાણવી.) (૪૬) વૈદિયમાળ વરે, ફુરિસંવા રમિ નિચ્ચિયથી ! भयकोहाइवसेणं अलियवयणमि अंबिलयं ।। અર્થ: બેઇન્દ્રિય વગેરે જીવો મારા પ્રમાદથી મરશે તો જેટલી ઈન્દ્રિયવાળો જીવ મરશે એટલી નીવી કરીશ. તથા ભયથી, ક્રોધથી કે હાસ્યાદિથી જો ખોટું બોલીશ તો એક આંબિલ કરીશ. (४६) पढमालियाइ न गिण्हे घयाइवत्थूण गुरुअदिट्ठाणं । दंडगतप्पणगाइ, अदिन्नगहणे य अंबिलयं ।। અર્થ: નવકારશીમાં ગુરુએ ન જોયેલી ઘી વગેરે વસ્તુઓ ન લઈશ. (ગુરુદૃષ્ટિથી પવિત્ર ન થયેલી વિગઈઓ નુકસાન કરે. એમાં ય નવકારશીમાં વાપરે તો વધારે નુકસાન થાય.) તથા કોઈપણ સાધુના દાંડા, તાપણી, પાતરા વગેરે ઉપકરણો એમને પૂછીને જ લઈશ. ૮૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ પૂછ્યા વિના, એમની રજા વિના જો લઉં તો એક આંબિલ કરીશ. (४७) एगित्थीहिं वत्तिं, न करे परिवाडिदाणमवि तासि । इगवरिसारिहमुवहिं ठावे अहिगं न ठावेमि ।। અર્થ : એકલી સ્ત્રી સાથે (સાધ્વીઓ માટે એકલા પુરુષ સાથે) વાતચીત નહિ કરું. એકલી સ્ત્રીને પરિપાટિદાન-અધ્યાપન પણ નહિ કરાવું. અર્થાત્ એકલી સ્ત્રીઓને નહિ ભણાવું. તથા એક વર્ષ ચાલે એટલી ઉપધિ રાખીશ. એનાથી વધારે નહિ રાખું. (४८) महारोगे वि अ काढं, न करेमि निसाइ पाणीयं न पिबे । सायं दोघडियाणं, मज्झे नीरंपि न पिबेमि || અર્થ : મોટો રોગ થાય તો પણ ક્વાથ-આધાકર્મી ઉકાળા વગેરે નહિ કરાવીશ. રાત્રે પાણી નહીં પીઉં અને સાંજે છેલ્લી બે ઘડીમાં પાણી નહીં વાપરું. (છેવટે ૨૦,૧૦ મિનિટનો નિયમ) (४९) तवआयारे गिण्हे, अह नियमे कइवि सत्तीए । ', ओगाहियं न कप्पइ, छट्ठाइ तवं विणा उ जोगं च ।। અર્થ : હવે તપાચાર વિશે હું શક્તિ પ્રમાણે કેટલાક નિયમો ગ્રહણ કરીશ. છઠ્ઠ વગેરે તપ વિના કે યોગોહન વિના હું અવગાહિમનીવિયાતા પક્વાન્નાદિ નહિ વાપરું. (५०) निव्वियतिगं च अंबिल-दुगं विणु नो करेमि विगयमहं । विगइ दिणे खंडाई - णकारनियमो अ जाजीवं ॥ અર્થ : એકસાથે ત્રણ નીવી કે બે આંબિલ કર્યા પછીના દિવસે હું દૂધ વગેરે વિગઈ લઈશ. એ વિના વિગઈ નહિ લઉં. તથા જે દિવસે વિગઈ વાપરું એ દિવસે પણ એ દૂધ વગેરેમાં ખાંડાદિ સ્વાદ ઉત્પન્ન કરનારી વસ્તુ નહિ લઉં. આ નિયમ યાવજ્જીવ માટે લઉં છું. (५१) अट्ठमीचउदसीसुं, करे अहं निब्बियाई तिन्नेव । अंबिलदुगं च कुव्वे, उववासं वा जहासत्ति અર્થ : આઠમ-ચૌદશના દિવસે હું ત્રણ નીવી કરીશ અથવા બે આંબિલ કે 2llllllllll ++++++++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓↓ 1111111111111111********************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ એક ઉપવાસ મારી શક્તિ પ્રમાણે કરીશ. (૧૨) વૈચિત્તાŞાયા, વિષે વિશે મિહા મહેઞવ્યા | जीयम्मि जओ भणिअं पच्छित्तमभिग्गहाभावे ।। અર્થ : આ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને રોજેરોજ અવનવા અભિગ્રહો લેવા જોઈએ, કેમકે જીતકલ્પમાં આ અભિગ્રહો ન લેનારાને પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. (५३) विरियायारनियमे गिहे कइवि जहासत्ति । दिण पणगाहाइणं, अत्थं गिहे मणेण सया ।। અર્થ : વીર્યાચારના કેટલાક નિયમો યથાશક્તિ ગ્રહણ કરું છું. એમાં રોજ પાંચ ગાથાઓના અર્થ ગ્રહણ કરીશ, પછી મનથી એનું ચિંતન કરીશ. (५४) पणवारं दिणमज्झे पमाययंताण देमि हियसिक्खं । एगं परिठवेमि अ मत्तयं सव्वसाहूणं ।। અર્થ : આખા દિવસમાં સંયમયોગોમાં તે તે પ્રમાદ કરનારા મારા ગુરુભાઈ વગેરેને પાંચ વાર હિતશિક્ષા આપીશ. તથા તમામ સાધુઓનું એકવાર માત્રક (માત્રાદિનો પ્યાલો) પરઠવીશ. (५५) निधाइपमाएणं मंडलिभंगे करेमि अंबिलयं । नियमा करेमि एगं विस्सामणयं च साहूणं ।। અર્થ : નિદ્રા વગેરે પ્રમાદને લીધે જો પ્રતિક્રમણમાંડલીનો ભંગ કરૂં, અલગ પ્રતિક્રમણ કરું તો એ નિમિત્તે એક આંબિલ કરીશ તથા રોજ સાધુઓમાં એકવાર તો વૈયાવચ્ચ કરીશ. (५६) वसहीपवेसि निग्गंमि, निसीहिआवस्सियाण विस्सरणे । पायाऽपमज्जणे वि य, तत्थेव कहेमि नवकारं ।। અર્થ : ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે જો નિસીહિ બોલવાનું ભૂલી જાઉં, ઉપાશ્રયમાંથી નીકળતી વખતે જો આવહિ બોલવાનું ભૂલી જાઉં તથા ગામમાં પ્રવેશતા કે નીકળતા પગ પ્રમાર્જવાના ભૂલી જાઉં તો ત્યાં જ એક નવકાર ગણીશ. (જ્યારે ભૂલ ખ્યાલ આવે ત્યારે.) +++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷¡÷÷†÷÷÷÷†††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓↓↓i નનનનન+** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ८८ Page #98 -------------------------------------------------------------------------- ________________ (५७) • भयवं पसाउ करिउं इच्छाइ अभासणम्मि कुठेतुः । इच्छाकाराऽकरणे लहुसु साहूसु कज्जेसु ।। : ...-- અર્થ : “હે ભગવન્! આપ આપની અનુકૂળતા હોય તો મારા ઉપર કૃપા કરી આ લાભ મને આપો” ઈત્યાદિ વચનો વડીલોને વિશે જો હું ન બોલું તથા નાના સાધુઓને કામ સોંપતી વખતે “આપની ઈચ્છા અનુકૂળતા છે ને ?” એ રીતે ઇચ્છાકાર ન કરું. (५८) सव्वत्थवि खलिएसुं मिच्छाकारस्स अकरणे तह य । सयमन्त्राउ वि सरिए, कहियव्वो पंच नवकारो ।। અર્થ : કોઈપણ ભૂલ થાય ત્યારે મિચ્છા મિ દુક્કડ કરવાનું ભૂલી જાઉં.આવા કોઈપણ અપરાધ મને જાતે યાદ આવે કે બીજા મને યાદ કરાવે ત્યારે પાંચ નવકાર ગણીશ. (५९) वुड्ढस्स विणा पुच्छं, विसेसवत्थु न देमि गिण्हे वा । अन्नपि अ महकज्जं वुटुं पुच्छिय करेमि सया ।। અર્થ : વડીલને પૂછયા વિના બોલપેનાદિ કોઈપણ વિશેષ વસ્તુ કોઈને આપીશ નહિ કે કોઈની પાસેથી લઈશ નહિ. બીજું પણ મોટું કામ હંમેશા વડીલોને પૂછીને જ કરીશ. (કાળ પડતો ગયો છે એટલે નાના કાર્યો માટે વડીલોને પૂછીને કરવાની બાધા બતાવી નથી.) (૬૦) સુવ્યસંયાન વિ, નિયમ સુહાવિદ પાડ્યું છે किंचिवि वेरग्गेणं गिहिवासो छड्डिओ जेहिं ।। અર્થ: જેઓએ દીક્ષા લેતી વખતે થોડાક પણ વૈરાગ્યભાવથી સંસાર છોડ્યો હોય તેઓ દુર્બલ સંઘયણવાળા હોય, શરીરના નબળા હોય તો પણ આ બતાવેલા નિયમો એમના માટે પ્રાયઃ સરળ છે, સહેલા છે. (६१) संपइकाले वि इमे काउं सक्के करेइ नो निअमे । सो साहुत्त-गिहित्तण उभयभट्ठो मुणेयव्यो ।। અર્થ : વર્તમાનકાળમાં પણ આ નિયમોનું પાલન શક્ય છે, છતાં જે સાધુઓ એ નિયમો કરતા નથી તેઓ સાધુપણાથી અને શ્રાવકપણાથી બે ય થી ભ્રષ્ટ થયેલા જાણવા. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ (૬૨) નસ્સ હિલમ્મિ માવો, થોવો વિ ન હોય્ નિયમ હમિ । तस्स कहणं निरत्थयमसिरावणि कूवखणणं व ॥ અર્થ : જે સાધુને પોતાના હૃદયમાં આ નિયમો લેવાની લેશ પણ ભાવના ન હોય તેને આ બધા નિયમોની વાત કરવી નિરર્થક છે. જે જમીનમાં નીચે પાણીનું ઝરણું વહેતું જ નથી ત્યાં ખોદકામ કરવાથી શું લાભ થાય ? (६३) वुच्छिन्नो जिणकप्पो पडिमाकप्पो अ संपइ नत्थि । सुद्धो अ थेरकप्पो, संघयणाईण हाणीए ।। અર્થ : જિનકલ્પ તો વિચ્છેદ પામ્યો છે. બાર પ્રતિમાઓનો આચાર પણ વર્તમાનમાં નથી તથા સંઘયણ વગેરેની હાનિ થવાથી શુદ્ધ એવો સ્થવિરકલ્પ પણ નથી. (६४) तहवि जइ एअ नियमाराहणविहिए जज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होई ।। અર્થ : તો પણ જો સાધુ આ બતાવેલા નિયમોની આરાધનાની વિધિ દ્વારા ચારિત્રપાલનમાં સમ્યક્ ઉપયોગપૂર્વક પ્રયત્ન કરે તો એ સાધુ નિયમા આરાધક થાય. (૬૮) ઇઇ સવ્વે નિયમા, ને સમ્મ પાળયંતિ વે। तेसिं दिक्खा गहिआ, सफला सिवसुहफलं देइ ।। અર્થ : આ બતાવેલા બધા નિયમોને જે સાધુઓ વૈરાગ્યભાવથી સમ્યક્ રીતે પાળે છે તેઓની આ લીધેલી દીક્ષા સફળ થાય છે અને મોક્ષસુખ રૂપી ફળને આપે છે. (૪) પુણ્ય કુલકમ્ (६६) जिणचलणकमलसेवा सुगुरुपायपज्जुवासणं चेव । सज्झायवायवडत्तं लब्धंति पभूयपुण्णेहिं ।। અર્થ : હે આત્મન્ ! ઘણું બધું પુણ્ય ઉદયમાં આવે ત્યારે (૧) જિનેશ્વરોના ચરણકમળની સેવા મળે. (૨) સદ્ગુરુઓના ચરણની [††††♪♪¡¡¡¡¡¡¡¡¡H જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ +++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷+++÷÷÷÷|||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷♪♪♪♪♪♪♪ ૯૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ પર્ધપાસના મળે. (૩) સ્વાધ્યાય + વાદમાં વડાઈ = મોટાઈ મળે. (૬૭) સુદ્ધો વોદો સુëિ સંપાનો વસમું ચાલુd दक्खिण्णकरणं जं लभंति पभूयपुण्णेहिं ।। અર્થ: શુદ્ધ બોધ, સદ્ગુરુઓ સાથે સમાગમ, ઉપશમભાવ, દયાળુતા, દાક્ષિણ્યતા ગુણ-આ બધું પુષ્કળ પુણ્ય હોય તો જ પ્રાપ્ત થાય. (६८) संमत्ते निच्चलत्तं वयाण परिपालणं अमायत्तं । पढणं गुणणं विणओ लभंति पभूयपुण्णेहिं ।। અર્થ : સમ્યક્તમાં નિશ્ચલતા, લીધેલા વ્રતોનું સભ્યપાલન, અમાયાવિતા =સરળતા, પઠન, ગુણન, વિનય-આ બધું પણ પુષ્કળ પુણ્ય હોય તો જ મળે. (६९) अवियारं तारुण्णं जिणाणं राओ परोवयारत्तं । निक्कंपया य झाणे, लभंति पभूयपुण्णेहिं ।। અર્થ : યૌવન વિકારભાવો વિનાનું હોય, જિનેશ્વરો ઉપર રાગ, પરોપકાર, ધ્યાનમાં નિષ્કપતા-આ બધું પુષ્કળ પુણ્ય વડે પ્રાપ્ત થાય. (૭૦) પરર્નિવાપરિહારો સપસંસા સત્તળો અા વે संवेगो निव्वेओ लभंति पभूयपुण्णेहिं ।। અર્થ : પારકાઓની નિંદાનો ત્યાગ, પોતાના ગુણોની પ્રશંસાનો ત્યાગ, સંવેગ, નિર્વેદ-પુષ્કળ પુણ્યોદય દ્વારા જ આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય. (७१) दुक्कडगरिहा सुकडाणुमोयणं पायच्छित्ततवचरणं । सुहझाणनमुक्कारो, लब्भंति पभूयपुण्णेहिं ।। અર્થ : પોતાના પાપોની ગુરુસમક્ષ નિંદા, બીજાઓના સુકૃતોની ભારોભાર અનુમોદના, વિશુદ્ધતમ પ્રાયશ્ચિત્ત, તપનું આચરણ, શુભ ધ્યાન, નવકાર મહામંત્ર-આ બધું પુષ્કળ પુણ્યોદયે જ મળે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૯૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ s - (ક) શીલકુલકમ્ (७२) नियमित्तं नियभाया नियजणओ नियपियामहो वा वि । नियपुत्तो वि कुसीलो, न वल्लहो होइ लोआणं ।। અર્થ: પોતાનો મિત્ર, પોતાનો ભાઈ, પોતાના પિતા, પોતાના દાદા કે પોતાનો પુત્ર પણ જો ખરાબ ચારિત્રવાળો, બ્રહ્મચર્યમાં ખામીવાળો હોય તો લોકોને એ પ્રિય બનતો નથી. (७३) सव्वेसि पि वयाणं, भग्गाणं अत्थि कोइ पडिआरो । पक्कघडस्स व कन्ना, ना होइ सीलं पुणो भग्गं ।। અર્થ: બાકીના કોઈપણ વ્રતો ભાંગે તો આલોચના, નિંદા વગેરે દ્વારા એ ભાંગેલાને સાંધવાનું શક્ય છે. પણ જેમ પાકી ગયેલા ઘડાને કાંઠો ના લાગે એમ ભાંગી ગયેલું બ્રહ્મચર્ય ફરી સાંધવું પ્રાયઃ અશક્ય છે. (૧૧) શ્રી ગૌતમકુલકમ્, (७४) ते पंडिया जे विरया विरोहे, ते साहुणो जे समयं चरंति । ते सत्तिणो जे न चलंति धम्मं, ते बंधवा जे वसणे हवंति ।। અર્થ : જગતમાં પંડિતો તો તે કહેવાય જેઓ ક્યાંય ઝઘડા-વિરોધ કરતા નથી. સાધુઓ તો તે કહેવાય જેઓ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે. શક્તિમાન્ તો તે કહેવાય જે ક્યારેય ધર્મથી ચલિત નથી થતો. અને બાંધવ તો તે કહેવાય જે આપત્તિમાં ખડે પગે ઊભો રહે છે. (७५) कोहाभिभूया न सुहं लहंति माणसिणो सोयपरा हवंति । मायाविणो हुंति परस्स पेसा, लुद्धा महिच्छा नरयं उविंति ।। અર્થ : ક્રોધી જીવો ક્યારેય સુખી થતા નથી. અભિમાનીઓ કાયમ શોકમાં જ ડુબેલા રહે છે. માયાવીઓ બીજાઓના નોકર બને છે. લોભીઓ, મોટી ઈચ્છાવાળાઓ નરકગામી બને છે. (७६) सोहा भवे उग्गतवस्स खंति समाहिजोगो पसमस्स सोहा । नाणं सुझाणं चरणस्स सोहा, सीसस्स सोहा विणए पवित्ती ।। અર્થ : ઉગ્ર તપ એ ક્ષમાથી શોભી ઊઠે છે. પ્રશમની શોભા સમાધિયોગ છે. ચારિત્ર એ જ્ઞાન અને ધ્યાનથી દીપી ઊઠે છે. તો શિષ્ય વિનયમાં જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ * ૯૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ કરવા દ્વારા શોભે છે. (७७) अभूसणो सोहइ बंभयारी, अकिंचणो सोहइ दिक्खधारी । बुद्धिजुओ सोहइ रायमंति लज्जाजुओ सोहइ एगपत्ति (त्ती) ।। અર્થ : તે જ બ્રહ્મચારી શોભે છે કે જે આભુષણો નથી પહેરતો. વિભુષા નથી કરતો. તે જ દીક્ષિત શોભે છે કે જે અકિંચન છે, અપરિગ્રહી છે. તે જ રાજમંત્રી શોભે છે કે જે બુદ્ધિમાન છે. તે જ એક પત્નીવાળો પુરુષ શોભે છે કે જે લજ્જાળુ છે. (७८) न धम्मकज्जा परमत्थि कज्जं न पाणिहिंसा परमं अकज्जं । न पेमरागा परमत्थि बंधो न बोहिलाभा परमत्थि लाभो ।। અર્થ : ધર્મકાર્ય કરતા કોઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી. જીવોની હિંસા કરતા કોઈ મોટું પાપ નથી. પ્રેમરાગ જેવું કોઈ મોટું બંધન નથી તો બોધિલાભ જેવો કોઈ લાભ નથી. (७९) दाणं दरिदस्स पहुस्स खंति, इच्छा निरोहो य सुहोइयस्स । तारुण्णए इंदियनिग्गहो य चत्तारि एआणि सुदुक्कराणि ।। અર્થ : દરિદ્ર વ્યક્તિ દાન આપે, શક્તિશાળી માણસ ક્ષમા ધારણ કરે, સુખમાં ઉછરેલો આત્મા પોતાની ઈચ્છાનો નિરોધ કરે, યુવાન યૌવનમાં પોતાની ઈન્દ્રિયોનો નિગ્રહ કરે. આ ચાર વસ્તુઓ દુષ્કર છે. (૧૨) આત્માવબોધ કુલકમ્ (૮૦) વદિસંતરામેચા વિવિદ વદી વિંતિ તરસ લુહૂં | गुरुवयणाओ जेणं सुहझाणरसायणं पत्तं ।। અર્થ : જે શિષ્યો સદ્ગુરુઓની વાણી દ્વારા શુભધ્યાનરૂપી રસાયણને પામી ચૂક્યા છે તેઓને શારીરિક કે માનસિક વ્યાધિઓ દુ:ખ આપી શકતી નથી. (८१) जिअमप्पचिंतणपरं, न कोइ पीडेइ अहव पीडेइ । ता तस्स नत्थि दुक्खं, रिणमुक्कं मन्नमाणस्स ।। અર્થ : જે જીવ પોતાના આત્માનું ચિંતન કરવામાં લીન છે એને કોઈ જ પીડા કરતું નથી, પરેશાન કરતું નથી. છતાં કોઈ એ આત્માર્થીને જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ પીડા કરે તો પણ એ આત્માર્થી જીવને દુઃખ થતું નથી. એ તો એમ જ માને છે કે, ‘આ પીડા દ્વારા મારો કર્મોના દેવામાંથી છુટકારો થયો.’ ( ८२) दुक्खाण खाणी खलु रागदोसा ते हुंति चित्तम्मि चलाचलम् । अज्झप्पजोगेण चएइ चित्तं चलत्तमालाणिअ कुञ्जरुव्व ॥ અર્થ : ઓ આત્મન્ ! આ તારા રાગ-દ્વેષ એ જ તમામ દુઃખોની ખાણ છે. અને એ રાગ-દ્વેષ ચંચળ મનમાં ઉત્પન્ન થાય છે. જો તું અધ્યાત્મયોગ સાધી લે તો એના દ્વારા મન ચંચળતાને છોડી દે. પછી સ્થિર ચિત્તમાં રાગ-દ્વેષ નહિ જાગે. શું આલાનસ્તંભે બાંધેલો હાથી ચંચળ બની શકે ખરો ? (૮૩) નંદ્ધા સુરનરરિદ્ધી, વિસયા વિ સયા નિસેવિ ોળ । पुण संतोसेण विणा किं कत्थ वि निव्वुई जाया અર્થ : ઓ જીવ ! તેં અત્યાર સુધી અનંતીવાર દેવલોકની અને મનુષ્યલોકની ઋદ્વિ-સંપત્તિ મેળવી છે અને સદા તેં વિષયસુખો પણ સેવ્યા છે. પણ તું બોલ, શું તને સંતોષ ન હોવાથી ક્યાંય પણ આનંદ=નિવૃત્તિ થઈ છે ખરી ? (તો હવે સંતોષ ધારણ કર. અતૃપ્ત ન બન.) (८४) जं वाहिवालवेसानराण तुह वेरिआण साहीणे । વેદે તત્વ મમત્ત, નિત્ર ! ળમાળો વિવિ ઇતિ ? || અર્થ : ચેતન ! આ જે દેહ ઉપર તને ખૂબ મમતા છે એ તો તારા શત્રુ એવા વ્યાધિ, સાપ, અગ્નિને આધીન છે. (અર્થાત્ એ શત્રુઓ દ્વારા શરીર વિનાશ પામવાનું છે.) તો પછી આ શરીરમાં મમતા=રાગ કરીને પણ તું શું મેળવીશ ? (८५) वरभत्तपाणण्हाण य सिंगारविलेवणेहिं पुट्ठो वि । निअपहुणो विहडतो, सुणएण वि न सरिसो देहो ।। અર્થ : ઓ જીવ ! આ તારું શરીર તો કૂતરા જેટલી પણ વફાદારી ધરાવતું નથી. કૂતરો તો પોતાને સાચવનાર માલિકને ક્યારેય ન છોડે. જ્યારે આ શરીર ! તેં એને સારું ખવડાવ્યું, પીવડાવ્યું, એને નવડાવ્યું, +++++++++++++++|||||||||||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|||||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓÷÷÷÷÷÷÷|+|††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ୪ Page #104 -------------------------------------------------------------------------- ________________ શણગાર્યું, એના ઉપર અત્તર, ચંદનાદિના લેપ કર્યા છતાં એ શરીર એના સ્વામી એવા તને છોડીને જતું જ રહેવાનું છે. આ શરીર તો કૂતરા જેટલું ય સારું=વફાદાર નથી. (૮૬) દ્વિજ્ઞતિ ચિત્તમુદ્ધિ રત્નતિ મહિનામુ બહ મૂર્ત્ત नीलीमिलिए वत्थम्मि, धवलिमा किं चिरं ठाइ ।। અર્થ : ઓ ચેતન ! આ તારી મૂઢતા કેવી ? એક બાજુ તું ચિત્તની શુદ્ધિને ઇચ્છે છે, બીજી બાજુ સ્ત્રીઓમાં રાગ કરે છે. ઓ મૂર્ખ ! ગળીની સાથે મળેલા વસ્ત્રમાં ધોળાશ શું લાંબો કાળ ટકી શકે ? (૮૭) સયમેવ સિ માં, તેળ ય વાહિતિ તુમ યેવ । રે નીવ ! અળવેરિ, અન્નક્સ ય વૈશિ વિોર્સ અર્થ : રે જીવ ! તું જ તારી જાતે જ પાપકાર્યો કરે છે અને એના વડે બંધાયેલા કર્મો વડે તું જ ચાર ગતિમાં ભટકે છે. એટલે ખરેખર તો તું જ તારા આત્માનો શત્રુ છે. તો પછી તારા ઉપર આવી પડતા દુઃખોમાં તું બીજાને શા માટે દોષ દે છે ? (८८) इत्तिअकालं हुंतो पमायनिद्दाइगलियचे अन्नो । जइ जग्गओसि संपइ, गुरुवयणा ता न वेएसि ।। અર્થ : હે આત્મન્ ! ભલે આટલા કાળ સુધી પ્રમાદરૂપી નિદ્રાને લીધે તું ભાન વિનાનો રહ્યો. પણ હવે જો તું અત્યારે ગુરુના વચનોથી જાગેલો છે તો પછી કેમ તારા મૂળ સ્વરૂપને નથી જાણતો ? (८९) नाणमओ वि जडो विव, पहू वि चोरु व्व जत्थ जाओस । भवदुग्गमि किं तत्थ वससि साहीण- सिवनयरे ।। અર્થ : અરેરે ! આ કર્મોને લીધે તું અનંત જ્ઞાનમય હોવાછતાં જડ જેવો જ રહ્યો. તું સ્વામી હોવા છતાં ચોર જેવી તારી હાલત થઈ. આવા જે સંસારમાં તું આવી વિષમતાને પામ્યો છે તેમાં તું શા માટે રહે છે ? તારે તો શિવનગરમાં વસવાટ કરવો સ્વાધીન છે તો ત્યાં કેમ નથી જતો ? (९०) सुबहु अहिअं जह जह, तह तह गव्वेगं पुरिअं चित्तं । हिअअप्पबोहरहि अस्स, ओसहाउ उट्ठिओ वाही ।। ++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷/÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷†††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ અર્થ : કેવું આશ્ચર્ય ! જેમ જેમ આ જીવ વધારે ભણ્યો તેમ તેમ તેનું મન અભિમાનથી પુરાવા લાગ્યું. બિચારા આ હિતકારી એવા આત્મજ્ઞાન વિનાના જીવને તો શ્રુતજ્ઞાનરૂપી ઔષધમાંથી રોગ મટવાને બદલે અહંકાર રૂપી વ્યાધિ ઉત્પન્ન થયો. (९१) अप्पाणमबोहंता, परं विबोहंति केइ ते वि जडा । भण परियणम्मि छुहिए, सत्तागारेण किं कज्जं ।। અર્થ : તે બિચારાઓ જડ છે કે જેઓ પોતાની જાતને=આત્માને તો પ્રતિબોધ પમાડી શકતા નથી. અને છતાં તેઓ પારકાઓને બોધ પમાડવા નીકળ્યા છે. અરે, એ લોકો કેમ સમજતા નથી કે, ‘આપણો પરિવાર જ્યારે ભૂખ્યો મરતો હોય ત્યારે દાનશાળા ખોલવાથી શું લાભ ?’ (અર્થાત્ પહેલા આત્માને સુધાર, પછી પરોપકાર કર.) (९२) अवरो न निंदिअव्वो पसंसिअव्वो कया विन हु अप्पा । समभावो कायव्वो बोहस्स रहस्समिणमेव ।। અર્થ : આત્મજ્ઞાનનું રહસ્ય માત્ર આટલું જ છે કે, (૧) પારકા કોઈની પણ નિંદા ન કરવી. (૨) ક્યારેય પણ પોતાની પ્રશંસા ન કરવી. (૩) સુખ-દુ:ખ, માન-અપમાન વગેરે સર્વત્ર સમભાવ ધારણ કરવો. (९३) परसक्खित्तं भंजसु रंजसु अप्पाणमप्पणा चेव । वज्जसु विविहकहाओ, जइ इच्छसि अप्पविन्नाणं ।। અર્થ : ઓ ચેતન ! તું શું આત્મજ્ઞાન ઈચ્છે છે ને ? તો મારી ત્રણ વાતો સ્વીકાર. (૧) દરેક જગ્યાએ આત્માની સાક્ષી રાખ. પારકાની સાક્ષી છોડ. (બીજાઓ શું માનશે ? ઈત્યાદિ વિચાર છોડ.) (૨) તારા આત્માને જ તું તારા આત્મા દ્વારા જ પ્રસન્ન કર. (૩) વિવિધ વાતો =વિકથાઓ બધી જ છોડી દે. (९४) तं भणसु गणसु वायसु, झायसु उवइससु आयरेसु जिआ । खमित्तमपि विअक्खण आयारामे रमसि जेणं ।। અર્થ : વધારે તો શું કહું ? તું એ જ ભણ, એ જ ગણ, એ જ વાંચ, એ જ ધ્યાન કર, એ જ ઉપદેશ આપ, એ જ આચાર પાળ કે જેના દ્વારા ક્ષણવાર પણ તારા આત્મામાં લીન બને. +↓↓↓↓↓↓↓↓↓↓↓↓♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪↓†††††††††††† ૯૬ +♪♪♪♪♪♪♪♪+↓↓↓↓↓↓↓↓÷÷÷↓↓↓↓↓¦†††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ કરી છે (૧૩) શ્રી જીવાનુશાસ્તિ કુલા (૧૧) રે નીવ ! ચિંતરિ તુમ, નિમિત્તમાં જે ફ તુ ! असुहपरिणामजणियं फलमेयं पुव्वकमाणं ।। અર્થ: રે જીવ ! તું એટલું વિચારજે કે તને જે કંઈપણ દુઃખો પડે છે એમાં બીજાઓ તો નિમિત્તમાત્ર છે. હકીકતમાં તારા પૂર્વભવના ખરાબ પરિણામોથી ઉત્પન્ન થયેલા એ પૂર્વકનો જ આ વિપાકફળ છે. (९६) रे जीव ! कम्मभरिओ उवएसं कुणसि मूढ ! विवरीअं । दुग्गइगमणमणाणं, एस च्चिय हवइ परिणामो ।। અર્થ : ઓ મૂઢ ! તું આ શું કરે છે? ગુરુ તને જે કરવાનો ઉપદેશ આપે છે એ કરવાને બદલે ભારેકર્મી તું ઊંધું જ કરે છે. પણ સાચી વાત છે. જેઓ દુર્ગતિમાં જવાની ઈચ્છાવાળા હોય તેને આવા ઊંધું કરવાના જ પરિણામો જાગે. (९७) रे जीव ! मा विसायं जाहि तुमं पिच्छिऊण पररिद्धी । धम्मरहियाण कुत्तो संपज्जइ विविहसंपत्ती ।। અર્થ: હે જીવ ! તને ઋદ્ધિ-સમૃદ્ધિ નથી મળી અને એટલે તું બીજાઓની ઋદ્ધિ જોઈને વિષાદ-ખેદ કરે છે. પણ એ ખેદ છોડી દે, કેમકે તેં એવો કોઈ ધર્મ કર્યો નથી કે કરતો નથી તો પછી ધર્મરહિત જીવોને તો શી રીતે વિવિધ સંપત્તિઓ-સમૃદ્ધિઓ=સુખો મળે ? (९८) रे जीव ! किं न कालो, तुज्झ गओ परमुहं नीयंतस्स । जं इच्छियं न पत्तं, तं असिधारावयं चरसु ।। અર્થ : આત્મન્ ! ખોટું ન લગાડે તો એક વાત કરું? સુખો મેળવવા માટે સતત બીજાઓના જ મોઢાઓ જોતા એવા તારો કાળ શું નકામો નથી ગયો? અર્થાત્ તને એમાં સફળતા મળી નથી તો હવે જો તને તારી ઈચ્છિત વસ્તુ નથી જ મળી તો મારી વાત માન. અને આ તલવારની ધાર જેવા વ્રતોનું પાલન કર. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૯૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ (९९) जीविअं मरणेण समं उप्पज्जइ जुव्वणं सह जराए । रिद्धी विणाससहिआ हरिसविसाओ न कायव्यो ।। અર્થ: દરેક જીવન, મરણની સાથે જ ઉત્પન્ન થાય છે. દરેક યૌવન ઘડપણની સાથે જ જન્મ લે છે. દરેક ઋદ્ધિઓ પોતાના સર્વનાશની સાથે જ હોય છે. એટલે જીવન, યૌવન કે ઋદ્ધિની પ્રાપ્તિમાં હર્ષ કરવા જેવો નથી કે મરણ, ઘડપણ, ઋદ્ધિનાશમાં વિષાદ પણ કરવા જેવો નથી. (૧૪) ઈન્ડિયાદિવિકારનિરોધ કુલકમ (१००) जत्थ य विसयविराओ कसायचाओ गुणेसु अणुराओ । किरिआसु अप्पमाओ, सो धम्मो सिवसुहो लोए (वाओ) ।। અર્થ: તે જ ધર્મ આ જગમાં મોક્ષસુખ આપી શકે છે કે જે ધર્મમાં (૧) વિષયો પ્રત્યે વૈરાગ્યભાવ ટપકે છે. (૨) કષાયોનો ત્યાગ ચમકે છે. (૩) ગુણોમાં અનુરાગ છે. (૪) ક્રિયામાં અપ્રમાદ છે. ૯૮ જૈન શાસ્ત્રોના ચંટેલા શ્લોકો ભાગ-૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ 'ઉત્તરાધ્યયન સૂત્રમ (9) નાગદેસરે, ગુરમુરારિ | इंगियागारसंपण्णे, से विणीए त्ति वुच्चइ ।। અર્થ: તે સાધુઓ વિનયવાનું કહેવાય કે જેઓ (૧) ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. (૨) ગુરુની પાસે, ગુરુની સાથે રહે છે. (૩) ગુરુના આંખના ઈશારાદિ અને ગુરુના મુખના આકારમાત્રથી ગુરુના મનના અભિપ્રાયને જાણી લે છે. (२) जहा सुणी पूइकण्णी निक्कसिज्जइ सव्वसो । एवं दुस्सील पडिणीए मुहरी निक्कसिज्जइ ।। અર્થ : જેમ સડી ગયેલા કાનવાળી કુતરી બધેથી હટુ હ કરી બહાર કઢાય છે એમ ચારિત્ર ન પાળનારા, ગુરુના જ દુશ્મન બનનારા, ગુરુની સામે ગમે તેમ બોલનારા શિષ્યો પણ બધે જ હટ્ટ હર્ કરાય છે, અનાદર પામે છે. (3) જુલાસિનો ન થMા વંતિં સેવિગ્ન પંકિg / खुड्डेहिं सह संसगं हासं कीडं च वज्जए ।। અર્થ : ઓ શિષ્ય ! એક શિખામણ માનીશ? તારા ગુરુ તારા ઉપર અનુશાસન કરે=ઠપકો આપે તો તું ક્રોધ ન કરીશ. તું તો પંડિત છે. ક્ષમાને ધારણ કરજે. અને ખરાબ સાધુઓ સાથે પરિચયાદિ ન કરીશ તથા હાસ્ય-મશ્કરી-ક્રીડાનો ત્યાગ કરજે. એ. (४) आहच्च चण्डालियं कटु न निन्हुविज्ज कयाइवि । कडं कडेत्ति भासेज्जा, अकडं नो कडेत्तिय ।। અર્થ : કદાચ ક્રોધમાં આવીને તારાથી કડવા-અસત્ય વચન બોલાઈ પણ જાય પણ એ બોલ્યા બાદ ક્યારેય પણ એ તારી ભૂલને છુપાવવાનો પ્રયત્ન ન કરીશ કે, હું આમ બોલ્યો જ નથી. એને બદલે તેં જે ભૂલ કરી હોય તે સરળ બનીને સ્વીકારજે. કહેજે કે, “આ ભૂલ મેં કરી છે. અને જે ભૂલ તેં ન કરી હોય ત્યાં સ્પષ્ટ ના પાડજે કે, “આ મારી ભૂલ નથી. ' જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ). GG Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧) મા નિયસેવ સં વયમિચ્ચે પુની પુણો | कसं व ढुमाइन्ने पावगं परिवज्जए ।। અર્થ : ઓ શિષ્ય ! તું પેલા ગળીયા બળદ જેવો ન બનીશ, અર્થાત્ ગુરુએ વારંવાર તને એકની એક વાતમાં ઠપકો આપવો પડે, સૂચના કરવી પડે એવો ન બનીશ. પણ તું જાતિમાનું અશ્વ જેવો બનજે. જેમ એ અશ્વ લગામને જોતાંની સાથે પોતાનો અપરાધ સુધારી લે છે એમ તું પણ ગુરુના દર્શન માત્રથી, એમના એકાદ વચન માત્રથી પાપને છોડી દેજે. (६) अणासवा थूलवया कुसीला मिउंपि चण्डं पकरप्ति सीसा । चित्ताणुया लहु दक्खोववेया पसायए ते हु दुरासयंपि ।। અર્થ : આ તો કેવો આસમાન-જમીનનો ફરક ! જે શિષ્યો ગુરુના વચનને માનનારા નથી, જેઓ ગમે તેવા શબ્દો બોલનારા છે, જેઓ ચારિત્ર બરાબર પાળતા નથી તે શિષ્યો તો પોતાના એકદમ શાંત ગુરુને પણ પોતાના નિમિત્તે ચંદ્રાચાર્ય જેવા ક્રોધી બનાવી દે છે. જ્યારે ગુરુના ચિત્તને જ અનુસરનારા, ચપળ અને હોંશિયારીવાળા શિષ્યો તો ચંડરુદ્ર જેવા પોતાના દુષ્ટ આશયવાળા ગુરુને પણ પ્રસન્ન કરી દે છે. (૭) ના પુદ્દો વાપરે વિધિ મુદ્દો વા નારિયં ચ | कोहं असच्चं कुब्विज्जा धारिज्जा पियमप्पियं ।। અર્થ : જ્યાં સુધી ગુરુ તને કંઈ ન પૂછે ત્યાં સુધી (તારા અહંકારથી, તારું જ્ઞાનાદિ દેખાડવા) કંઈપણ ન બોલીશ. અને જ્યારે ગુરુ પૂછે ત્યારે ખોટું ન બોલીશ. તને હૃદયમાં ક્રોધ જાગે તો એને નિષ્ફળ કરજે. વચન કે કાયામાં એ ક્રોધ ન આવવા દઈશ. પ્રિય-અપ્રિય બધું જ ધારણ કરજે. રાગ-દ્વેષ ન કરીશ. ..(८) पडीणीयं च बुद्धाणं वाया अदुव कम्मणा ।। आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ वि ।। અર્થ : ધ્યાન રાખજે ! જાહેરમાં કે ખાનગીમાં ગુરુઓ, વડીલોની વિરુદ્ધ ૧૦૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ એકપણ વચન ન બોલીશ. એમની વિરુદ્ધ કોઈ કામ ન કરીશ. ક્યારેય આવી રીતે વચન કાયાથી એમનો શત્રુ ન બનીશ. (૧) મારિર્વેિ વાદિત્તો સુસિળીયો રે વારૂ વિ . पसायपेही नियागढी उवचिढे गुरुं सया ।। અર્થ : જ્યારે ગુરુ તને બોલાવે ત્યારે ક્યારેય મુંગો બેસી ન રહીશ. (પણ હા જી કહી તરત પાસે જજે.) પણ ગુરુની પ્રસન્નતા-કૃપા મેળવવા મોક્ષાર્થી એવો તું કાયમ ગુરુની પાસે ઉપસ્થિત થજે. (‘મત્યએણ વંદામિ બોલજે.) (१०) आसणगओ न पुच्छिज्जा नेव सेज्जागओ कयाइवि । आगम्मुक्कुडुओ सत्तो पुच्छिज्जा पंजली उडो ।। અર્થ: તારા આસન ઉપર બેઠા બેઠા ગુરુને કોઈ પ્રશ્નાદિ ન પૂછીશ. એમ સંથારામાં પડ્યો રહીને ગુરુને ક્યારેય કંઈ ન પૂછીશ. પણ જ્યારે કંઈપણ પૂછવું હોય તો ગુરુની પાસે જઈ, ઉભડક પગે બેસી, બે હાથ જોડી વિનયપૂર્વક પૂછજે. (99) હડ્ડયા ને વેડા છે, વાસા વહી ને कल्लाणमणुसासंतो पावदिद्वित्ति मन्नई ।। અર્થ : બિચારા પાપિષ્ઠ શિષ્યો ! પોતાના ગુરુ પોતાના જ હિત માટે કંઈક સૂચના કરે, ઠપકો આપે, લાફો ય મારે ત્યારે એ કુશિષ્યો વિચારે છે કે, “આ ગુરુ અને ખોટી ટકોર કરે છે. મને લાફો મારે છે. ખોટી રીતે મને ઠપકો આપે છે. મને દાંડાદિથી મારે છે.” (૧૨) વારિ રુવિયં જગ્યા પરિણા પસાયા | विज्झविज्ज पंजलीउडो वएज्ज न पुणुत्तिय ।। અર્થ : ઓ શિષ્ય ! જ્યારે તને ખબર પડે કે, તારા ગુરુ ખૂબ ગુસ્સે થયા છે ત્યારે સ્નેહપૂર્વક એમને પ્રસન્ન કરજે. હાથ જોડી એમની પાસે જઈ કહેજે કે, “ગુરુદેવ ! મારી ભૂલ થઈ. ક્ષમા કરો. ફરીથી આ ભૂલ નહિ કરું.” એ રીતે એમના ક્રોધાગ્નિને ઠારજે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ) ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ (93) મળવાર્થ વાર્ષિ નારાથરિયલ્સ 8 तं परिगिज्झ वायाए कम्मुणा उववायए ।। અર્થ : મુનિવર ! ગુરુના હાવભાવ, ઈંગિતાદિથી ગુરુના મનમાં શું ઈચ્છા છે? એ જો તને ખબર પડે તો તરત એમની પાસે જઈ તું કહેજે કે, “આપની ઈચ્છા આ પ્રમાણે જાણી, મારી એમ જ કરવાની ભાવના છે. અને એ રીતે એમની ઈચ્છા સ્વીકારી, પછી તરત એનો અમલ કરજે. એમ ગુરુની વાણી ઉપરથી ગુરુની ભાવના જાણી, એમની પાસે એ જ પ્રમાણે કરવાની પ્રતિજ્ઞા કરી તરત એનું આચરણ કરજે. (१४) अक्कोसिज्ज परो भिक्खू न तेसिं पडिसंजले । सरिसो होइ बालाणं तम्हा भिक्खू न संजले ।। અર્થ: શક્ય છે કે ગુરુ, ગુરુભાઈઓ, શ્રાવકો કદાચ સાધુ ઉપર આક્રોશ કરે, કડવા વચનો સંભળાવે તો પણ સાધુ એમના ઉપર બિલકુલ ક્રોધ ન કરે, કેમકે જો એમ કરે તો સાધુ અજ્ઞાની જેવો જ બની જાય. માટે સાધુ ક્રોધ ન કરે. (१५) सोच्चा णं फरुसा भासा दारुणा गामकंटया । तुसिणीओ उवेहेज्जा न ताओ मणसी करे ।। અર્થ: સાધુ તો એ શ્રોત્રેજિયમાં કાંટાની જેમ વાગતી, દારૂણ, કર્કશ ભાષા સાંભળ્યા પછી પણ મૌન જ રહે. એ વાણીની ઉપેક્ષા જ કરે. એટલું જ નહિ, પોતાના મનમાં પણ એ ભાષાના શબ્દો યાદ ન કરે, ન વિચારે. (१६) दुक्करं खलु भो निच्चं अणगारस्स भिक्षुणो । सव्वं से जाइअं होइ नत्थि किंचि अजाइअं ।। અર્થ: ઘર છોડી ચૂકેલા ભિક્ષુને માટે આ એક વસ્તુ તો ઘણી દુષ્કર છે કે, એ જીવે ત્યાં સુધી એની તણખલું, રાખ વગેરે તમામે તમામ વસ્તુઓ બીજા પાસે માંગીને જ મેળવેલી હોય. યાચના કર્યા વિના મેળવેલ તણખલું પણ સાધુ પાસે ન હોય. ૧૦૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ચત્તાર પર સુનહાળીદ બંખો ! माणुसत्तं सुइ सद्धा संजमम्मि अ वीरिकं ।। અર્થ: આ જગતમાં જીવને ચાર વસ્તુઓ ક્રમશઃ વધુ ને વધુ દુર્લભ છે. (૧) મનુષ્યભવ (૨) જિનવચનશ્રવણ (૩) જિનવચનશ્રદ્ધા (૪) સંયમપાલનમાં વર્ષોલ્લાસ. (१८) सुइं च लद्धं सद्धं च वीरिअं पुण दुल्लहं । बहवे रोअमाणावि नो य णं पडिवज्जए ।। અર્થ : જિનવચનનું શ્રવણ પામ્યા પછી, જિનવચનો ઉપર દઢ શ્રદ્ધા પામ્યા પછી પણ સંયમપાલનમાં અપૂર્વ વર્ષોલ્લાસ એ તો ખરેખર દુર્લભ છે. જુઓને ! શ્રેણિક વગેરે કેટલાય આત્માઓ જિનવચન ઉપર રુચિવાળા હોવા છતાં સંયમધર્મનો સ્વીકાર કરી શક્યા નથી. (१९) सोही उज्जुयभूअस्स धम्मो सुद्धस्स चिट्ठइ । निव्वाणं परमं जाइ घयसित्तिव्य पावए ।। અર્થ : જે આત્મા સરળ છે એને શુદ્ધિ મળે છે અને જે શુદ્ધિમાન બને છે એનામાં ધર્મ સ્થિર થાય છે. ઘીથી સીંચેલો અગ્નિ જેમ દેદીપ્યમાન બને એમ એ આત્મા પરમ નિર્વાણ પામે. (२०) जे केइ सरीरे सत्ता वण्णे स्वे अ सव्वसो । मणसा कायवक्केणं सव्वे ते दुक्खसंभवा ।। અર્થ : જે આત્માઓ પોતાના શરીરમાં મમતાવાળા છે, આસક્ત છે, એમ વર્ણ-રૂપાદિમાં આસક્ત છે, મન-વચન-કાયાથી આસક્ત થયેલા તે જીવો નક્કી પરલોકમાં દુઃખી દુઃખી થાય છે. (२१) अधुवे असासयम्मि संसारम्मि दुक्खपउराए । किं नाम होज्जतं कम्मयं जेणाहं दुग्गई न गच्छेज्जा ।। અર્થ : હે ભગવંત ! આ કાયમ ન રહેનારા, અશાશ્વત, દુઃખોથી ભરેલા એવા સંસારમાં એવું ક્યું અનુષ્ઠાન છે કે જે કરવાથી હું દુર્ગતિમાં ન જાઉં? આપ બતાવશો ? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) - ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ (२२) विजहित्तु पुव्वसंजोगं न सिणेहं कहिंचि कुव्विज्जा । असिणेह सिणेहकरेहिं दोसपओसेहिं मुच्चए भिक्खू ।। અર્થ : આત્મન્ ! સૌ પ્રથમ તું તારા માતા, પિતા,ભાઈ, બહેન વગેરે પૂર્વસ્વજનો સાથેનો સંબંધ છોડી દીક્ષા લે અને દીક્ષા લીધા બાદ પણ ક્યાંય પણ કોઈ પણ વસ્તુમાં સ્નેહ=રાગ ન કરીશ. તારા ઉપર સ્નેહ કરનારાઓ સાથે પણ તું તો સ્નેહ વિનાનો જ રહેજે. જો તું આમ કરીશ તો ભિક્ષુ એવો તું આ લોકના માનસિક સંતાપાદિ દોષો અને પરલોકના દુર્ગતિ વગેરે પ્રદોષોમાંથી મુક્ત બનીશ. (२३) कसिणपि जो इमं लोगं पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतुस्से इह दुष्पूरए इमे आया ।। આ જીવની તૃષ્ણા એટલી બધી ભયંકર છે કે, કોઈ આ જીવને આ સંપૂર્ણ ત્રણ લોક દાનમાં આપી દે તો પણ એટલાથી ય આ જીવ સર્વથા સંતોષી નહિ જ બને. આ આત્માનો તૃષ્ણાખાડો પૂરવો ખૂબ જ મુશ્કેલ છે. અર્થ : : (२४) जहा लाहो तहा लोहो लाहा लोहो पवड्ढइ । दो मासकयं कज्जं कोडीए वि न निद्विअं ।। અર્થ : જેમ જેમ ઈષ્ટ વસ્તુઓનો લાભ થતો જાય તેમ તેમ સંતોષ થવાને બદલે ઈષ્ટ વસ્તુઓનો લોભ વધતો જ જાય છે. જુઓ તો ખરા પેલા કપિલને ! બે માસા સોનાની જ ઈચ્છાથી નીકળેલો એ કપિલ એક કરોડ સુવર્ણમુદ્રાઓથી પણ સંતોષ ન પામ્યો. (२५) सुहं वसामो जीवामो जेसिंमो नत्थि किंचणं । मिहिलाए डज्झमाणीए न मे इज्झइ किंचणं ॥ અર્થ : (નમિરાજર્ષિ પોતાના વૈરાગ્યની પરીક્ષા કરવા આવેલા, બ્રાહ્મણરૂપમાં રહેલા ઈન્દ્રને કહે છે કે) અમે અમારા સંયમજીવનમાં સુખેથી રહીએ છીએ. સુખેથી જીવીએ છીએ. અમે એવા શ્રમણો છીએ કે જેઓની પાસે કંઈ જ નથી. અર્થાત્ જેઓને કોઈપણ વસ્તુ ઉપર લેશ પણ મમતા નથી. અને માટે જ મારી આખી મિથિલા #†††††††††††¦¦¦††††††††¿÷÷÷÷÷†††††††††††††††♪♪♪♪♪♪♪ મમમમમમ |††††††††††††††††††††††††††tt જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૦૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ નગરી બળી જાય તો પણ હે બ્રાહ્મણ ! મારા આત્માનું તો કંઈ જ બળતું નથી. (૨૬) ચૈત્તપુત્તતંત્તસ્મ નિવ્વાવારસ્સ મિલ્લૂનો | पिअं ण विज्जई किंचि अप्पिअं पि ण विज्जई ॥ અર્થ : હે બ્રાહ્મણ ! જે મુનિએ પુત્ર, સ્ત્રી વગેરેનો ત્યાગ કરી દીધો છે અને જે મુનિ તમામે તમામ પાપવ્યાપારોનો ત્યાગ કરી ચૂક્યો છે એને હવે આ જગત્માં કોઈપણ વસ્તુ પ્રિય કે અપ્રિય નથી. બધી જ સમાન છે. (२७) बहुं खु मुणिणो भदं अणगारस्स भिक्खूणो । सव्वओ विप्पमुक्कस्स एगंतमणुपस्सओ ।। અર્થ : જે મુનિ બાહ્ય અને અભ્યન્તર બે ય પ્રકારના પરિગ્રહો વિનાનો છે, ‘હું એકલો જ છું, મારું કોઈ નથી' એ રીતે જે પોતાના આત્માને જોઈ રહ્યો છે એવા ઘર છોડી ચૂકેલા, નિર્દોષ આહાર કરનાર મુનિને તો ઘણું સુખ છે, કલ્યાણ છે. (૨૮) નો સહાં સહસ્સાનું સંગ્રામે લુખ્ખણ નિને । एगं जिणिज्ज अप्पाणं एस से परमो जओ ।। અર્થ : હે બ્રાહ્મણ ! તું મને શત્રુઓ સાથે યુદ્ધ કરીને રાજ્ય વધારવાની શિખામણ આપે છે. પણ તને ખબર છે કે જે યુદ્ધમાં વિજય મેળવવો અતિ અઘરો હોય એવા યુદ્ધમાં જે સેનાપતિ ૧ લાખ સૈનિકો ઉપર જ્વલંત વિજય મેળવે એના કરતાં એક આત્મા વિષય-કષાયાદિ દોષોમાં ફસાયેલા પોતાના આત્માને એ દોષોમાંથી બચાવવા દ્વારા એના ઉપર વિજય મેળવે તો એ વિજય પેલા લાખ સૈનિકો ઉપરના વિજય કરતા પણ ઉત્કૃષ્ટ વિજય છે. (२९) अप्पणामेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ । अप्पणामेवमप्पाणं जइत्ता सुहमेहए ।। અર્થ : માટે જ હે જીવ ! તું તારા આત્માની સાથે જ યુદ્ધ કર. તારે આ બાહ્ય યુદ્ધ કરીને શું કામ છે ? સમજી રાખ કે તું તારા આત્મા વડે તારા કે Í÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ +||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ આત્માને જીતીને જ સુખને પામીશ. (३०) जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए । तस्सवि संजमो सेओ अदितस्सवि किंचणं ।। અર્થ : સર્વવિરતિધર્મનો આ કેવો મહિમા ! એક વ્યક્તિ દર મહિને ૧ લાખ ગાયોનું દાન કરતો હોય એ વ્યક્તિને પણ એ દાનધર્મવાળા સંસારનો ત્યાગ કરી સંયમધર્મ-સ્વીકાર એ જ શ્રેયસ્કર છે. ભલે એ વ્યક્તિ દીક્ષા લીધા બાદ એક ઘાસના તણખલા જેટલું પણ દાન ન આપે. (પ000 રૂ.ની એક ગાય ગણીએ તો દર મહિને ૫૦૦૦ x ૧ લાખ = પ00000000 = ૫૦ કરોડનું દાન થાય. વર્ષે ૫૦ કરોડ x ૧૨=૧00 કરોડ રૂા.નું દાન ગણાય. એ રીતે ધારો કે, ૨૦ વર્ષ સુધી દાન કરે તો ૬૦૦ કરોડ x ૨૦=૧૨૦૦૦ કરોડ રૂા.નું દાન થાય. આના કરતા પણ સર્વવિરતિધર્મ શ્રેયસ્કર છે.) (३१) मासे मासे उ जो बालो कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स कलं अग्घइ सोलसिं ।। અર્થ : સંસારના તમામે તમામ ધર્મો આ સર્વવિરતિધર્મની સામે કંઈ જ વિસાતમાં નથી. તે આ પ્રમાણે : કોઈ એક અવિવેકી વ્યક્તિ આખી જિંદગી માસક્ષમણને પારણે માસક્ષમણ કરે છે અને પારણે માત્ર ઘાસના અગ્રભાગમાં જેટલું ભોજન રહે એટલું જ વાપરે છે. આવો ઘોર તપ પણ સાધુધર્મરૂપી ચંદ્રની ૧૬ કળાઓમાંની એક કળા જેટલી કિંમત પણ ધરાવતો નથી. (३२) सुवण्णरूप्पस्स उ पव्वया भवे सिआ हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि कंचि इच्छा हु आगाससमा अणंतिआ ।। અર્થ: આ લોભી માણસોની ઈચ્છા ય કેવી છે? કૈલાસ પર્વત જેટલા મોટા અસંખ્ય એવા સોનાના અને રૂપાના પર્વતો આપવામાં આવે તો ય આ લોભી માણસો એના વડે જરાય સંતોષ પામતા નથી. ખરેખર ! ઈચ્છા એ તો આકાશની જેમ અનંતી છે. (३३) दुमपत्तए पंडुरए जहा निवडइ राइगणाणं अच्चए । एवं मणुयाण जीविअं समयं गोयम ! मा पमायए ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૦૬ Page #116 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જેમ શ્વેતવર્ણી બની ગયેલું પાકું વૃક્ષનું પાંદડું નીચે પડી જાય છે એમ જેમ જેમ રાત્રિ અને દિવસો પસાર થતા જાય છે તેમ તેમ મનુષ્યનું જીવન પણ ખલાસ થઈ જાય છે. માટે જ હે ગૌતમ ! તું ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરીશ. (३४) कुसग्गे जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुआण जीवियं समयं गोयम ! मा पमायए ।। અર્થ : ઘાસના અગ્રભાગ ઉપર બાઝેલું ઝાકળનું બિંદુ અલ્પકાળ જ રહે છે એમ આ મનુષ્યોનું જીવન પણ ઝાઝું ટકતું નથી. માટે હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ ન કરીશ. (३५) इइ इत्तरिअम्मि आउए जिविअए बहुपच्चवायए । विहुणाहि रयं पुरेकडं समयं गोयम ! मा पमायए ।। અર્થ : આમ જ્યારે આ મનુષ્યજીવન અલ્પકાળ જ ટકનારું છે અને એ ય પાછું ઘણી બધી મુશ્કેલીઓથી ભરેલું છે તો પછી તારે એક જ કામ કરવું જોઈએ. પૂર્વે બાંધેલા તારા કર્મોનો તું ખાત્મો બોલાવ. હે ગૌતમ ! આમાં એક ક્ષણ પણ પ્રમાદ ન કરીશ. ( ३६ ) दुल्लहे खलु माणुसे भवे चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणो समयं गोयम ! मा पमायए ।। અર્થ : ખરેખર તમામ જીવોને લાંબા કાળે પણ આ મનુષ્યભવની પ્રાપ્તિ અતિ-દુર્લભ છે. અને વળી આ કર્મોના વિપાકો પણ કેવા ભયંકર છે? માટે જ ગૌતમ ! જો તને આ માનવભવ મળ્યો છે, કર્મનાશ કરવાની તક મળી છે તો હવે સમય માત્ર પણ પ્રમાદ ન કરીશ. ( ३७ ) लध्धूण वि माणुसत्तणं आरिअत्तं पुणरवि दुल्लहं । बहवे दस्सुआ मिलक्खुआ समयं गोयम ! मा पमायए ।। અર્થ : કે ગૌતમ ! આવો દુર્લભ માનવભવ પણ મળી જાય પણ એ મળ્યા પછી પણ આર્યદેશમાં એ મનુષ્યભવ તો ઘણો જ દુર્લભ છે. ઘણા ચોરો, મ્લેચ્છો= અનાર્યો દેખાય જ છે. માટે જ તને તો આર્યદેશ પણ મળ્યો છે. તો પછી હવે ક્ષણમાત્ર પ્રમાદ ન કરીશ. +++++++++++++++†††††††ÿ÷÷÷÷÷÷÷♪♪♪| ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++++++++† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ (३८) लध्धूण वि आरिअत्तणं अहीणपंचिंदिअया हु दुल्लहा । विगलिंदिअया हु दीसई समयं गोयम ! मा पमायए ।। અર્થ : અરે ! આયેશમાં જન્મ પામ્યા પછી પણ પાંચેય ઈન્દ્રિયો સારી સંપૂર્ણ મળવી એ ખૂબ દુર્લભ છે. જો તો ખરો ! આ આદેશમાં પણ કેટલાય જીવો બહેરા-આંધળા-તુલા-લંગડા-રોગી દેખાય જ છે ને? તને તો પાંચ ઇન્દ્રિયો પણ સારી-સંપૂર્ણ મળી છે. તો પછી ગૌતમ ! હવે ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરીશ. (३९) अहीणपंचिंदिअत्तं पि से लहे उत्तमधम्मसुई उ दुल्लहा । कुतित्थिनिसेवए जणे समयं गोयम ! मा पमायए ।। અર્થ : કદાચ આદેશમાં સંપૂર્ણ ઈન્દ્રિયો સાથેનો માનવભવ પણ હજી મળી જાય પણ એમાં ઉત્તમધર્મનું જિનવાણીનું શ્રવણ તો ખૂબ જ દુર્લભ છે. જો તો ખરો ! બધા લોકો કુતીર્થિકોને=અજૈનોને, કુગુરુઓને જ સેવી રહ્યા છે. હે ગૌતમ ! તને તો મારી પાસે ઉત્તમધર્મનું શ્રવણ પણ મળ્યું છે. તો હવે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરીશ. (૪૦) ના વિ ઉત્તમ સુ સદા પુરી દુerદા | मिच्छत्तनिसेवए जणे समयं गोयम ! मा पमायए ।। અર્થ : ઉત્તમધર્મનું શ્રવણ તો હજી ય મળે પણ એ સાંભળ્યા પછી એ જિનવચનોમાં અકાટ્ય શ્રદ્ધા વળી ઘણી દુર્લભ છે. માટે જ તો ધર્મશ્રવણ કરનારાઓ પણ મિથ્યાત્વને સેવનારા દેખાય છે. (કુળદેવી, ગોત્રદેવી, રક્ષાબંધન વગેરે વગેરે) હે ગૌતમ ! તને તો જિનવચનમાં અવિહડ શ્રદ્ધા છે જ. માટે જ હવે એક ક્ષણ પણ પ્રમાદ ન કરીશ. (४१) धम्मपि हु सद्दहतया दुल्लहया काएण फासया । इह कामगुणेसु मुच्छिआ समयं गोयम ! मा पमायए ।। અર્થ : ઓ ગૌતમ ! તું ખરેખર મહાભાગ્યવાનું છે. અરે, જગતમાં જિનવચન ઉપર શ્રદ્ધા કર્યા પછી પણ કાયા વડે એ જિનવચનનું પાલન ખૂબ જ દુર્લભ છે. માટે જ તો મારા વચન ઉપર અગાધ ૧૦૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાવાળા એવા શ્રેણિકાદિ લાખો લોકો સંસારના સુખોમાં મૂચ્છિત થયેલા છે. તું તો એ બધું જ ત્યાગી સંયમી બન્યો છે. તો ગૌતમ ! એક ક્ષણ પણ હવે પ્રમાદ ન કરીશ. (४२) परिजूरइ ते सरीरयं केसा पांडुरया हवेति ते । से सव्वबले अ हायई समयं गोयम ! मा पमायए ।। અર્થ : કે ગૌતમ ! પ્રત્યેક ક્ષણે તારું શરીર ઘરડું થતું જાય છે. તારા વાળો ધોળા થઈ રહ્યા છે. તારી પાંચેય ઈન્દ્રિયો હવે નિર્બળ બનવા લાગી છે. માટે જ હવે ક્ષણ પણ પ્રમાદ ન કરીશ. (४३) वोच्छिंद सिणेहमप्पणो कुमुअं सारइअं वा पाणियं । से सव्वसिणेहवज्जिए समयं गोयम ! मा पमायए ।। અર્થ : શરદઋતુમાં ઉગેલું કમળ જેમ પાણીને છોડીને ઉપર આવી જાય છે એમ તું તારા આત્મામાં પડેલા સ્નેહને-રાગને છેદી નાંખ. અને એ રીતે સર્વસ્નેહનો ત્યાગ કરી વીતરાગ બન. ગૌતમ ! આ સંબંધમાં ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ. (४४) चिच्चा धणं च भारिअं पव्वईओ हि सि अणगारिअं । मा वंत्तं पुणोवि आविए समयं गोयम ! मा पमायए ।। અર્થ : સંસારમાં પુષ્કળ ધન અને પત્નીને છોડીને તેં સાધુતાનો સ્વીકાર કર્યો છે તો હવે એ વમી નાંખેલા વિષયસુખોને ફરી ચાટવાની ભૂલ ન કરીશ. ગૌતમ ! ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ. (४५) अवउज्झिअ मित्तवंधवं विउलं चेव धणोहसंचयं । मा तं बिइअं गवेसए समयं गोयम ! मा पमायए ।। અર્થ : તેં તારા મિત્રો છોડ્યા, ભાઈઓ, સ્વજનો, માત-પિતાઓ પણ છોડ્યા. તારો વિપુલ ધનસંચય પણ છોડી દીધો. હવે અહીં આવી પાછો એ માતાપિતાદિ સ્વજનો તરફ, ધન તરફ નજ૨ ન કરીશ. ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરીશ. ( ४६ ) तिन्नो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ । अभिरं पारंगमित्त समयं गोयम ! मा पमायए ।। (ઉત્તરાધ્યયન સૂત્રમ્) - જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો |+||||||||÷÷÷÷÷÷÷††††††††÷÷÷÷÷÷÷♪♪♪♪♪♪÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓↓↓↓ ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ અર્થ ઃ ગૌતમ ! તું તો વિશાળ ભવસમુદ્રને તરી ચૂક્યો છે. પણ હવે એ ભવસમુદ્રને છેક કાંઠે આવીને અટકી કેમ ગયો છે? એ સમુદ્રનો પાર પામવા માટે ઉતાવળ કર. ગૌતમ ! ક્ષણ પણ પ્રમાદ ન કર. (૪૭) દ વહિં ટાદિ વટ્ટમાળો : સંનg | अविणीए वुच्चइ सो उ निव्वाणं च न गच्छइ ।। । (४८) अभिक्खणं कोही भवइ पबंधं च पकुव्वइ । मित्तिज्जमाणो वमइ सुअं लक्षूण मज्जइ ।। (૪૬) સવિ પાવ-પરિવફ્લેવિ, કવિ મિત્તે Mડું | सुप्पियस्सावि मित्तस्स, रहे भासइ पावगं ।। (५०) पइण्णवाई दुहिले थद्धे लुद्धे अनिग्गहे । असंविभागी अवियत्ते अविणीएत्ति वुच्चइ ।। અર્થ : ચૌદ સ્થાનો એવા છે કે જેમાં વર્તતો સાધુ અવિનીત કહેવાય છે. અને તે સાધુ મોક્ષ પામતો નથી. (૧) કારણસર કે વગર કારણે વારંવાર ક્રોધ કરે. (૨) ગુર્વાદિ ઘણું સમજાવે તો પણ પોતાના ક્રોધને, દ્વેષને બિલકુલ ન છોડે. વૈરભાવ જાળવી રાખે. (૩) બીજા સાથેની મૈત્રી વમી નાંખી ગમેતેમ વર્તે. (૪) શ્રુતજ્ઞાન પામીને અભિમાન કરે. (૫) ગુરુ વગેરેના દોષો બોલનાર હોય. (૬) પોતાના મિત્રો ઉપર પણ ક્રોધ કરે. (૭) અત્યંત પ્રિય એવા પણ મિત્રની ગેરહાજરીમાં એ મિત્રના દોષો બોલે. (૮) “જકારપૂર્વક એકાંતે વાત કરનાર હોય. (૯) દ્રોહી હોય. (૧૦) “હું તપસ્વી છું વગેરે અભિમાનવાળો (૧૧) ભોજન વગેરેમાં આસક્ત (૧૨) ઈન્દ્રિયોનો નિગ્રહ ન કરે (૧૩) પોતાને મળેલ ગોચરી-પાણી વગેરે સાધુઓને આપવાની ઉદારતા ન દાખવે. (૧૪) જેની સાથે વાતચીત કરવી કે જેનું મોઢું જોવું લોકોને ન ગમે તેવો હોય. આવો સાધુ અવિનીત કહેવાય. (५१) अह पन्नरसहिं ठाणेहिं सुविणीएत्ति वुच्चई । नीआवत्ती अचवले, अमाई अकुऊहले ।। (५२) अप्पं च अहिक्खिवइ, पबन्धं च न कुव्वइ । मित्तिज्जमाणो भयइ सुअं. लटुं न मज्जइ ।। ૧૧૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ (૩) ય પવિપરિવવિ જ ય મિત્તલું સુખ अप्पिअस्सावि मित्तस्स, रहे कल्लाण भासइ । (५४) कलहडमरवज्जए, बुद्धे अ अभिजाइए । દિરિમં પસંનીને, સુવિળત્તિ વૃધ્યક્ | અર્થ: પંદર સ્થાનમાં વર્તતો સાધુ સુવિનીત કહેવાય છે. (૧) ગુરુઓ-વડીલો પ્રત્યે હંમેશા નમ્ર બની રહેનાર હોય, (૨). ચપળ ન હોય, (૩) માયાવી ન હોય, (૪) કુતૂહલ વિનાનો હોય, (૫) કોઈનો પણ તિરસ્કાર ન કરે, ક્રોધ ન કરે, (૬) ક્રોધ થઈ જાય તો પણ તરત ક્ષમાપના કરી લે. પણ લાંબો કાળ વૈરવૃત્તિ ન રાખે, (૭) મિત્ર વગેરે ઉપકારીના ઉપકારને યાદ રાખી એમને સહાય કરે, (૮) શ્રુતજ્ઞાન પામીને અભિમાન ન કરે, (૯) ગુરુ-વડીલાદિના દોષો ન જુએ, ન બોલે. (૧૦) મિત્રો ઉપર ક્રોધ ન કરે, (૧૧) જે મિત્ર અપ્રિય થઈ ગયો હોય તેની ગેરહાજરીમાં પણ તેને માટે સારું જ બોલે, (૧૨) ઝઘડા-મારામારી ન કરે, (૧૩) ઉત્તમ જાતિ વગેરેવાળો હોય, (૧૪) લજ્જાવાળો હોય, અર્થાત્ મનમાં ખરાબ વિચાર આવે તો પણ લજ્જાને લીધે ખરાબ કામ કરતો અટકે, (૧૫) હંમેશા ગુરુની પાસે જ રહેનાર હોય. કાર્ય આવી પડે તો જ ગુર્વાજ્ઞાથી ગુરુથી દૂર જનાર હોય. ' () વસે ગુરૂકુત્તે નિત્યં નોર્વે ડાળd | पिअंकरे पिअंवाई से सिक्खं लध्धुमरिहई ।। અર્થ : સાધુએ હંમેશા ગુરુકુલવાસમાં રહેવું જોઈએ. મન-વચન-કાયાના યોગો શુભ રાખવા જોઈએ. આગમ-શાસ્ત્રો સંબંધી ઉપધાન, જોગ કરવા જોઈએ. બધાને પ્રિય કામ કરવું જોઈએ. બધે પ્રિય બોલવું જોઈએ. જે સાધુ આટલું કરે છે તે જ શાસ્ત્રો ભણવાને અધિકારી છે. એ જ આરાધનાનો અધિકારી છે. (५६) गिरि नहेहिं खणह, अयं दंतेहिं खायह । जायते पाएहिं हणह, जे भिक्खुं अवमन्नह ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ અર્થ: ઓ સાધુનું અપમાન, અવગણના કરનારાઓ! તમે તો નખ વડે પર્વતને ખણવાની પ્રવૃત્તિ કરો છો. દાંતો વડે લોખંડ ખાઓ છો. પગ વડે અગ્નિને હણો છો. (અર્થાત્ આ બધું કરનારાઓ પોતાનું જ અહિત કરે છે એમ સાધુઓનું અપમાન, નિંદા કરનારાઓ પોતાનું અહિત કરે છે.) (५७) इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चमिमं अकिच्चं । तं एवमेव लालप्पमाणं हरा हरंतित्ति कहं पमाओ ? ।। અર્થ : “આ મારું છે, આ મારું નથી. મારે આટલું કામ કરવાનું બાકી છે. મારે આ બધા કાર્યો કરવાના નથી.” આ પ્રમાણે બકવાસ કરતા જીવને દિવસ અને રાત, આ ભવમાંથી ઉપાડી બીજા ભવમાં લઈ જાય છે. તો પછી શી રીતે પ્રમાદ કરાય? (५८) जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुएसिआ ।। અર્થ : જે જીવ મૃત્યુની સાથે મૈત્રી ધરાવતો હોય, મોત આવે ત્યારે જે જીવ એનાથી છટકીને ભાગી જવા સમર્થ હોય, જે જીવ એમ નક્કી જાણતો હોય કે, “હું મરવાનો નથી.” એ ભલે શાંતિથી ઉંધે. બાકી, બીજાને તો શાંતિથી ઉંઘવું કોઈપણ હિસાબે પરવડે એમ નથી. (५९) णो सक्किअमिच्छई न पूअं नो वि अ वंदणगं कओ पसंसं । से संजए सुव्वए तवस्सी सहिए आयगवेसए स भिक्खू ।। અર્થ : જે સાધુ કોઈની પાસેથી પોતાનો સત્કાર ન ઈચ્છે, પોતાની પૂજા ન ઈચ્છે, “બધા મને વંદન કરે એવી પણ ઈચ્છા ન કરે, “લોકો મારી પ્રશંસા કરે એવી અભિલાષા ન કરે તે સંયમી, સુંદર વ્રતપાલક, તપસ્વી, રત્નત્રયીધારક, આત્માની જ ગવેષણા કરનારો આત્મા સાચો ભિક્ષુ છે. (६०) गिहिणो जे पव्वइएण दिट्ठा अपव्वइएण व संथुआ हविज्जा । तेसिं इहलोइअफलट्ठा जो संथवं न करेइ स भिक्खू ।। અર્થ : દીક્ષા પહેલાના પરિચિત થયેલા અથવા દીક્ષા પછી પરિચિત થયેલા ૧૧૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થોનો જે સાધુ વસ્ત્ર, પાત્ર વગેરે આ લોકના ફળો મેળવવા પરિચય કરતો નથી તે ભિક્ષુ કહેવાય. (६१) सयणासणपाणभोअणं, विविहं खाइमसाइमं परेसिं । अदए पडिसेहिए निगंठे, जे तत्थ न पदूसई स भिक्खू ।। અર્થ : શ્રાવકો, ગૃહસ્થો શયન, આસન, પાન, ભોજન, વિવિધ ખાદિમ સ્વાદિમ સાધુને ન પણ આપે, સાધુને આપવાની ના પાડી દે તો પણ જે નિર્ઝન્થ તેઓ ઉપર દ્વેષ ન કરે તે સાચો ભિક્ષુ કહેવાય. (६२) जं किंचि आहारपाणं विविहं खाइमसाइमं परेसिं लर्छ । जो तं तिविहेण नाणुकंपे मणवयकायसुसंवुडे स भिक्खू ।। અર્થ: જે સાધુ ગોચરીમાં ગૃહસ્થો પાસેથી જે કંઈક આહાર, પાન, વિવિધ ખાદિમ, સ્વાદિમ મેળવ્યા પછી મન-વચન-કાયાથી પોતાના ગચ્છના બાળ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી વગેરેની વૈયાવચ્ચ-ભક્તિ ન કરે એ સાધુ ન કહેવાય. પણ જે મન-વચન-કાયાનો સંવર કરી વૈયાવચ્ચ-ભક્તિ કરે તે ખરો સાધુ કહેવાય. (૬૩) પાયામાં વેવ નવો વ તી સોવીર નવો ૨ | नो हीलए पिंडं नीरसं तु, पंतकुलाणि परिव्वए स भिक्खू ।। અર્થ : ગોચરીમાં ઓસામણ, જવનું ભોજન, ઠંડુ ભોજન, કાંજી, જવનું ધોવાણવાળું પાણી વગેરે જે નીરસ પિંડ મળે, સાધુએ તે રસહીન પિંડની હીલના ન કરવી જોઈએ. અને એવા દરિદ્ર ઘરોમાં ભિક્ષા લેવા જવું જોઈએ. તો જ એ ખરો ભિક્ષુ ગણાય. (૬૪) નં વિવિત્તમUફન્ન રહિયં થી નખ ય | बंभचेरस्स रक्खट्ठा, आलयं तु निसेवए ।। અર્થ : જે ઉપાશ્રય ગૃહસ્થોના ઘરો વગેરેથી ઘેરાયેલ ન હોય પણ અલાયદો હોય, લોકોની વધારે પડતી અવરજવર વિનાનો હોય, જે ઉપાશ્રયમાં સ્ત્રીઓ ન હોય. બ્રહ્મચર્યની રક્ષા માટે સાધુ આવા ઉપાશ્રયમાં રહે. (६५) मणपल्हायजणणिं कामरागविवड्ढणिं । बंभचेररओ भिक्खू, थीकहं तु विवज्जए ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ અર્થ : સ્ત્રી સાથે વાતચીતરૂપ સ્ત્રીકથા કે સ્ત્રી અંગેની વાતચીતરૂપ સ્ત્રીકથા એ મનમાં વિકારરૂપ આનંદને ઉત્પન્ન કરનારી છે, કામરાગને વધારનારી છે. બ્રહ્મચર્યમાં લીન સાધુ આવી સ્ત્રીકથા ન કરે. ન ܝ (६६) समं च संथवं थीहिं संकहं च अभिक्खणं । बंभररओ भिक्खू, णिच्चसो परिवज्जए ।। અર્થ : સ્ત્રીઓ સાથે પરિચય અને સ્ત્રીઓ સાથે વારંવાર વાર્તાલાપ આ બે ય વસ્તુને બ્રહ્મચારી સાધુએ કાયમ માટે છોડી દેવી જોઈએ. (६७) अंगपच्चंगसंठाणं चारुल्लविय पेहियं । बंभचेररओ थीणं चक्खुगेज्झं विवज्जए || અર્થ : સ્ત્રીઓના મસ્તકાદિ અંગો, વક્ષ:સ્થળાદિ ઉપાંગો, દેહની રચનારૂપ સંસ્થાન, મનોહર વચન બોલતું મુખ, કટાક્ષ ભરેલી દૃષ્ટિ આ બધી વસ્તુઓ ચક્ષુથી જોઈ શકાય એવી છે. પણ બ્રહ્મચારી સાધુ સ્ત્રીઓના આ ચક્ષુગ્રાહ્ય અંગાદિને જોતો નથી. (६८) कूइयं रुइयं गीयं हसियं थणियं कंदियं । बंभचेररओ थीणं, सोयगिज्झं विवज्जए । અર્થ : બ્રહ્મચર્યમાં લીન સાધુ સ્ત્રીઓના કૂજિત, રૂદન, ગીત, હાસ્ય, સ્તનિત કે આક્રંદને સાંભળતો નથી. (કૂજિત=મૈથુનકાળના શબ્દો,સ્તનિત=ભોગ સમયના જ અસ્પષ્ટ શબ્દો. દિવાલ વગેરેની આડશથી સંભળાતા આવા શબ્દોને સાધુ કદી ન સાંભળે.) (૬૧) પીય મત્તપાળ તુ, હિપ્નું મર્યાવવડ્યાં | बंभचेररओ भिक्खु णिच्चसो परिवज्जए । અર્થ : આ વિગઈભરપૂર ભોજન-પાન એ શીઘ્ર કામવાસનાને વધારનારા છે. માટે જ બ્રહ્મચર્યમાં લીન સાધુ કાયમ માટે એને છોડી દે. ( ७० ) धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं । नाइमत्तं तु भुंजेज्जा, बंभचेररओ सया ।। અર્થ : સંયમયાત્રા સારી ચાલે એવા એક માત્ર આશયથી શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે મેળવાયેલ એવો પ્રમાણસર આહાર જ મુનિ વાપરે. પણ +++++++++++++++++††††††††††††††††††††††††††|||||||||||||||||||||||||||||||||||||||†††††††††††††††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૧૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની સમાધિવાળો, બ્રહ્મચર્યમાં લીન એવો આ સાધુ કાયમ માટે અતિમાત્રામાં ન વાપરે, અર્થાત્ વધારે ન વાપરે. (૭૧) વિમૂલં પરિવન્ગેઝ્ના, સરીરરિમંડળ | बंभचेररओ भिक्खू सिंगारत्थं न धारए ।। અર્થ : બ્રહ્મચારી સાધુએ ચોક્ખા વસ્ત્રો પહેરવા, વારંવાર કાપ કાઢવો ઈત્યાદિ રૂપ વિભૂષાને છોડી દેવી જોઈએ. તથા પોતાના શરીરનો શણગાર થાય, પોતે દેખાવડો લાગે એવા આશયથી વાળ ઓળવા, મોઢું ધોવું વગેરે શરીરમંડન પણ બ્રહ્મચારી સાધુ ન કરે. ( ७२ ) देवदानवगंधव्वा जक्खरक्खसकिंनरा । बंभयारिं नमसंति, दुक्करं जे करंति ते ।। અર્થ : બ્રહ્મચર્યનો મહિમા અપરંપાર છે. માટે જ જે આત્માઓ દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે તેમને તો દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને કિન્નરો પણ નમસ્કાર કરે છે. (७३) जे केइ उ पव्वइए नियंठे, धम्मं सुणित्ता विणयोववणे । सुदुल्लाहं लहिउं बोहिलाभं विहरेज्ज पच्छा य जहासुहं तु ।। અર્થ : મોહનીયકર્મની આ તે કેવી તાકાત ? કેટલાક આત્માઓ ગુરુ મુખે ધર્મશ્રવણ કરી અત્યંત દુર્લભ એવા બોધિને-સમ્યગ્દર્શનને પામે છે. ગુરુ પ્રત્યે વિનયવંત બની સાચા વૈરાગ્યથી દીક્ષા લે છે. નિર્પ્રન્થ બને છે. પણ પછી કોણ જાણે શું થાય છે કે તેઓ પછી સુખશીલ બનીને સાધુજીવન જીવે છે. શિથિલાચારી બને છે. (७४) सेज्जा दढा पाउरणं मे अत्थि उप्पज्जइ भोत्तुं तहेव पाउं । जाणामि जं वट्टइ आउसुत्ति, किं नाम काहामि सुएण भंते ।। અર્થ : ગુરુ એને ભણવા કરવાની પ્રેરણા કરે તો આ સાધુઓ કહે છે કે, ગુરુદેવ ! આપણી પાસે સારામાં સારા ઉપાશ્રયો છે. પહેરવા માટે પૂરતાં વસ્ત્રો છે. ભોજન-પાણી કેવી રીતે મેળવવા ? એ બધું મને આવડે છે. એટલે ખાવાપીવાની કોઈ તકલીફ નથી. અને જીવાદિ નવ તત્ત્વો તો હું જાણું જ છું. આમ બધી રીતે સાધુજીવન સીધું પસાર ¡††††††††††††††††††††† +†††††††††||||†††††††††††††††††††††¡¡¡†††††††††††¿|♪♪♪♪♪♪♪♪♪÷÷÷÷||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ થાય છે તો પછી આ વધારે શ્રુતજ્ઞાન ભણવા વગેરેનું શું કામ છે ? (७५) जे केइ पव्वइए निद्दासीले पगामसो । भोच्चा पेच्चा सुहं सुअइ, पावसमणेत्ति वुच्चइ ।। અર્થ : દીક્ષિત બનેલા જે કોઈ સાધુઓ વારંવાર લાંબો કાળ ઉંઘવાના સ્વભાવવાળા બને છે અને ખાઈ-પીને સુખેથી ઉંઘવાનું જ કામ કરે છે તે પાપશ્રમણ કહેવાય છે. (७६) आयरियउवज्झाएहिं सुयं विणयं च गाहिए । ते व खिसई बाले, पावसमत्ति वच्च ।। અર્થ : દીક્ષાદાતા ગુરુ અને વિદ્યાદાતા ગુરુએ આ સાધુને ઘણું શ્રુતજ્ઞાન ભણાવ્યું, ઘણો વિનય શીખવાડ્યો. આ બધા ઉપકારોથી દબાયેલો એવો પણ એ મૂર્ખ સાધુ તે જ ગુરુઓની નિંદા કરે છે, જેમતેમ બોલે છે એ પાપશ્રમણ કહેવાય. (૭૭) આયરિયવન્નાયાળું, સમં ન પતિપ્પપુ । अप्पडिपूयए थद्धे, पावसमणेत्ति वच्चइ ।। અર્થ : જે સાધુઓ પોતાના આ બે ગુરુઓની-આચાર્ય, ઉપાધ્યાયની સારી રીતે સેવા-ભક્તિ ન કરે, એમની પૂજા ન કરે, અક્કડ-અભિમાની બની રહે એ પાપશ્રમણ કહેવાય. ( ७८ ) सम्ममाणे पापाणि बीयाणि हरियाणी य । असंजए संजयमन्नमाणो, पावसमणेत्ति वुच्चइ || અર્થ : અરેરે ! આ સાધુને જીવદયાનો કોઈ પરિણામ નથી. માટે જ પોતાના અસંયમી વર્તનથી કીડી વગેરે જીવોને, વનસ્પતિના બીજોને, લીલી વનસ્પતિ વગેરેને પીડા પહોંચાડે છે, મારી નાંખે છે. એ તો ઠીક ! પણ પોતે અસંયમી હોવા છતાં પોતાની જાતને સાધુ તરીકે માને છે. લોકોમાં પોતાને સાધુ તરીકે ઓળખાવે છે. આ તો પાપશ્રમણ કહેવાય. (७९) संथारं फलगं पीढं, निसिज्जं पायकंबलं । अप्पमज्जियमारुहइ, पावसमणेत्ति वुच्चइ । ¿¡¿¿¿¿¿¿¿¿¿¿¿¿¡÷÷÷÷/////÷÷÷÷÷÷÷÷||||| ૧૧૬ ||||||||||||||||||||||||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ–૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ અર્થ: સંથારો, પાટ, પીઠ, આસન, પાદકેબલ વગેરે ઉપર પૂજ્યા વિના જે ચડે છે, બેસે છે એ પાપશ્રમણ કહેવાય. (૮૦) વવસ ઘર, મિત્તે ય સમવસ્થi | उल्लंघणे य चंडे य, पावसमणेत्ति बुच्चइ ।। અર્થ : જે સાધુ જલ્દી જલ્દી ચાલે, વારંવાર સાધુક્રિયાઓમાં પ્રમાદ કરે, શાસ્ત્રીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરે, ક્રોધ કરે એ પાપશ્રમણ કહેવાય. (૮૦) પદે મિત્તે વડ પવિત્ત / पडिलेहणा अणाउत्ते, पावसमणेत्ति वुच्चई ।। અર્થ : જે સાધુ પાત્રા, વસ્ત્રાદિ ઉપકરણોનું પ્રતિલેખન વિધિપૂર્વક ન કરે, એમાં પ્રમાદ કરે અને પાત્ર, કામળી વગેરે ઉપકરણો ગમે ત્યાં મૂકી દે, બરાબર ન સાચવે, પ્રતિલેખનમાં ઉપયોગ ન રાખે એ પાપશ્રમણ કહેવાય. (૮૨) વહુનાથી મુરિ, યુદ્ધ સુદ્દે દે ! असंविभागी अचियत्ते पावसमणेत्ति वुच्चइ ।। અર્થ : જે સાધુ (૧) ડગલે ને પગલે માયા કરે. (૨) વધારે બકબક કરે. (૩) અક્કડ રહે, ગુર્નાદિ સામે પણ નમ્ર ન બને. (૪) ખાવામાંવસ્ત્રાદિમાં આસક્ત બને. () પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરે. (૬) પોતાને મળેલી વસ્તુઓ સહવર્તી સાધુઓને ન આપે, (૭) ગુરુ વગેરે પ્રત્યે અપ્રીતિને ધારણ કરે એ પાપભ્રમણ કહેવાય. (૮૩) વિવાર્થ ય વીરે, ૩ સત્તાઇURI | बुग्गहे कलहे रते, पावसमणेत्ति बुच्चइ ।। અર્થ : જે સાધુ શાંત થયેલા વિવાદ–ઝઘડાને ય પાછો ઊભો કરે, જે અધર્મી હોય, હિતકારી એવી બુદ્ધિને હણી નાંખે, મારામારી અને બોલાચાલીમાં જ જેને રસ હોય એ પાપશ્રમણ કહેવાય. (८४) अथिरासणे कुक्कुइए, जत्थ तत्थ निसीयइ । आसणम्मि अणाउत्ते, पावसमणेत्ति वुच्चइ ॥ : ::: : જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૧૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ અર્થ : એક આસને સ્થિર બેસી રહેવાને બદલે કારણ વિના પણ જે સાધુ આમતેમ ફર્યા કરે, નાટકીયાડૅડા કરે, ગમે ત્યાં બેસી જાય, આમ આસનમાં ઉપયોગ વિનાનો સાધુ પાપભ્રમણ કહેવાય. (૮૧) સુદ્ધી વિનો, સારા મળે રા ય તવોને, પાસનળત્તિ લુચ્ચક્ | અર્થ : જે સાધુ વારંવાર દૂધ-દહીં-ઘી વગેરે વિગઈઓ ખાય, તપ કરવામાં ક્યારેય આનંદ ન પામે એ પાપશ્રમણ કહેવાય. (८६) अत्यंतम्मि य सूरम्मि, आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ, पावसमणेत्ति वुच्चइ ।। અર્થ : જે સાધુ સૂર્યાસ્ત થાય ત્યાં સુધી વારંવાર નિષ્કારણ ગોચરી વાપરે, ગુરુ એને કોઈક પ્રેરણા કરે, ઠપકો આપે તો આ સાધુ સામે બોલે, ગુરુને તોડી પાડે એ સાધુ પાપભ્રમણ કહેવાય. (૮૭) સંનાર્ષ૬ નેને, નિચ્છ સામુળિયં गिहिनिसिज्जं च वाहेइ पावसमणेत्ति वुच्चइ ।। અર્થ : જે સાધુ પોતાના સ્વજન, ભક્તાદિના ઘરની જ સારી સારી ગોચરી વાપરે છે. પણ માંડલીમાં આવેલી સાધારણ ગોચરીને તો ઈચ્છતો પણ નથી અને ગૃહસ્થોના પલંગ, ખુરશી વગેરે ઉપર બેસે છે, ઉધે છે એ પાપશ્રમણ કહેવાય. (૮૮) દ્વારા ૩ સુવા દેવ, મિત્તા તહાં વંથવા ! जीवंतमणुजीवंति, मयं नाणुव्वयंति अ ।। અર્થ : પત્નીઓ હોય કે પુત્રો હોય, મિત્રો હોય કે ભાઈઓ હોય. દરેક જણ જીવતા માણસને અનુસરે છે ખરો, પણ એ મરી જાય તો પછી એ મરેલાને કોઈ અનુસરતું નથી. કોઈ એ મરેલાની પાછળ મરતું નથી. (૮૬) રૂ શરીર વ્યં, સુકું ૩સુમવું ! असासयावासमिणं, दुक्खक्केसाण भायणं ।। ૧૧૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ અર્થ: હે જીવ! તને તારા શરીર ઉપર ખૂબ રાગ થાય છે. પણ તને ખબર છે કે આ શરીર નાશવંત છે? આ શરીર ઉકરડા જેવું છે. આ શરીર માતાના લોહી અને પિતાના વીર્યરૂપ ખરાબ વસ્તુમાંથી ઉત્પન્ન થયેલું છે. આ શરીરમાં તું કાયમ માટે રહી શકવાનો નથી. એકલા દુઃખો અને સંક્લેશોનું જ ભાજન આ દેહ છે. (९०) अद्धाणं जो महंतं तु, अपाहेज्जो पवज्जई । गच्छंतो सो दुही होइ, छुहातण्हाइ पीडिओ ।। અર્થ : જે મુસાફર મોટી મુસાફરી કરવા નીકળે પણ સાથે ખાવા માટેનું ભાથું ન રાખે તો રસ્તામાં જતો જતો એ છેવટે ભૂખ-તરસથી પીડાય અને દુઃખી થાય. (९१) एवं धम्मं अकाऊणं जो गच्छइ परं भव । गच्छंतो सो दुही होइ, वाहिरोगेहि पीडिओ ।। અર્થ : એમ આ ભવ છોડી પરભવમાં જનારો આત્મા પણ ઘણી મોટી મુસાફરીએ જ નીકળેલો છે. એ જો ધર્મકાર્યો રૂપી ભાથું બાંધ્યા વિના જ પરભવમાં જાય તો વ્યાધિ અને રોગોથી પીડા પામેલો તે પરભવમાં દુઃખી થાય છે. (९२) जहा गेहे पलित्तंमि, तस्स गेहस्स जो पहू । सारभंडाणि नीणेइ, असारं अवउज्झइ ।। (९३) एवं लोए पलित्तंमि जराए मरणेण य । अप्पाणं तारइस्सामि, तुब्भेहिं अणुमन्निओ ।। (युग्मम्) અર્થ: જેમ ઘરમાં મોટી આગ લાગે તો એ ઘરનો સ્વામી ઘરમાંથી રત્નો, ઝવેરાતો વગેરે સારી વસ્તુઓ સૌપ્રથમ કાઢી લઈ બચાવી લે. ગાદલા, લાકડા વગેરે અસાર વસ્તુઓને છોડી દે છે. (જો એને આગથી બચાવવા જાય તો રત્ન વગેરે સારભૂત વસ્તુઓ ગુમાવવી પડે.) એમ સ્વજનો ! આ લોક પણ જરા અને મરણથી ભડકે બળે છે. એમાંથી હું અત્યંત સારભૂત એવા મારા આત્માને બહાર કાઢી લઉં. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ) ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ એને બચાવી લઉં. આપ મને અનુમતિ આપો એટલી જ વાર છે. ( ९४ ) समया सव्वभूएसु सत्तुमित्तेसु वा जगे । A पाणाइवायविरई जावज्जीवाय दुक्करं ।। અર્થ : આ સંયમજીવનનું પાલન ખૂબ ખૂબ કઠિન છે. જગત્ના તમામ જીવો ઉપર સમભાવ ધારણ કરવો પડે. કોઈકને પારકા અને કોઈકને પોતાના તરીકે ન જોવાય. શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવો પડે. આખી જીંદગી એકપણ જીવને મારી ન શકાય. આ ખૂબ દુષ્કર છે. (૧૯) નિઘ્યાનપ્રમત્તેળ, મુસાવાવિવપ્નાં । भासियव्वं हियं सच्चं, निच्चाउत्तेण दुक्करं ।। અર્થ : સાધુપણામાં ૨૪ કલાક અપ્રમત્ત રહીને હાસ્યથી, ક્રોધથી, ભયથી કે લોભથી સૂક્ષ્મ પણ મૃષાવાદ ન બોલાઈ જાય એની કાળજી રાખવી પડે અને હિતકારી તથા સત્ય એવું જ વચન સતત ઉપયોગ રાખીને બોલવું પડે. એ ખૂબ દુષ્કર છે. (૧૬) વંતસોહમામ્સ, અવત્તસ્સ વિવપ્ન་| अणवज्जेसणिज्जस्स, गिण्हणा अवि दुक्करं । અર્થ : ધનધાન્યાદિની વાત તો દૂર રહો ! પણ દાંતમાં ભરાયેલ દાણાઓ કાઢવા માટેની નાનકડી સળી પણ કોઈના આપ્યા વિના જાતે ન લેવાય. તથા જે કંઈપણ ભક્ત-પાન-વસ્ત્રાદિ લેવાના છે એ પણ અનવદ્ય અને ૪૨ દોષ વિનાના જ લેવાના હોય છે. આ ખૂબ દુષ્કર છે. (९७) विरई अबम्भचेरस्स, कामभोगरसन्नुणा । उग्गं महव्वयं बम्भं, धारेयव्वं सुदुक्करं ।। ઃ અર્થ : સંસારમાં રહી કામભોગના સુખનો રસાસ્વાદ માણી ચૂકેલાઓ માટે તો આ અબ્રહ્મસેવનથી વિરતિ અને ઉગ્ર મહાવ્રત બ્રહ્મચર્યનું પાલન એ ખરેખર દુષ્કર છે. ૧૨૦ ************* જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ઘધન્નપેસવો, પરિણાવવાનું ! सव्वारम्भपरिच्चाओ, निम्ममत्तं सुदुक्करं ॥ અર્થ : આ સર્વવિરતી કેવી ? એમાં એક પૈસા જેટલું પણ ધન સાથે ન રખાય. રાંધેલો કે કાચો એક ચોખાનો દાણો પણ પાસે ન રખાય. કામ કરનાર એક પણ નોકર ન રાખી શકાય. તમામ આરંભોહિંસાકારી કાર્યોનો અહીં ત્યાગ કરવો પડે. કોઈપણ વસ્તુમાં મમતા રાગ ન કરાય. આ બધું ખૂબ ખૂબ દુષ્કર છે. (૨૨) વાવીયા ના રૂના વિત્તિ, વેસોનો લવાળો | दुक्खं बम्भव्वयं घोरं, धारेउं अमहप्पणो ।। અર્થ : જેમ કબૂતરો અનાજના દાણા શંકા કરી કરીને ખાય એમ સાધુએ પણ ગોચરીમાં સતત દોષોની શંકા કરી કરીને નિર્દોષ જણાતી વસ્તુ જ વાપરવાની છે. અને આ માથાના વાળોનો લોચ તો અતિભયંકર છે! વળી, મહાત્માઓની વાત જવા દો. નબળા આત્માઓ માટે આ નિર્મળ, ઘોર બ્રહ્મચર્યનું પાલન અતિકઠિન છે. (१००) जावज्जीवमविस्सामो, गुणाणं तु महब्भरो । गुरुओ लोहभारुब्व, जो पुत्तो ! होइ दुव्वहो ।। અર્થ: (સ્વજનો દીક્ષાર્થી પુત્રને સમજાવે છે કે, સાધુજીવનમાં ક્ષમા, સરળતા, નમ્રતા, માર્દવ વગેરે હજારો-લાખો ગુણોનો ઘણો મોટો ભાર જરાય થાક ખાયા વિના આખી જિંદગી ઉપાડવાનો હોય છે. શું કોઈ મજૂર આખી જીંદગી વીસ મણ લોખંડનો ભાર ઉંચકી શકે ખરો? એમ હે પુત્ર ! તારા માટે પણ આ ગુણોનો ભાર ઉંચકવો અશક્ય પ્રાય: છે. (૧૦૧) માણે સોડવ્ય, પકોડવ્ય ઉત્તરો ! बाहाहिं सागरो चेव, तरियव्यो य गुणोदही ।। અર્થ : અર્જનો કહે છે કે આકાશમાં ગંગા નદી વહે છે. એ નદી જે દિશામાં વહેતી હોય એ જ દિશામાંથી એ નદીને પાર કરવી, એ નદીના ધસમસતા પ્રવાહને સામી દિશાએ ઓળંગવી ખૂબ અઘરો છે. બે જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ) ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ હાથ વડે સાગર તરવો અઘરો છે એમ સાધુજીવનમાં તીર્થકરોએ બતાવેલ ગુણોનો સમુદ્ર પાર કરવો અતિ અઘરો છે. (૧૨) વાળુવાવજો ચેવ, નિરસાઈ સંગને ! असिधारागमणं चेव, दुक्करं चरिउं तवो ।। અર્થ : શું ક્યારેય ગંગા કિનારે પડેલી રેતીના કોળીયાઓ મોઢામાં મૂકવાથી કોઈ સ્વાદ આવે ખરો? ન જ આવે. એમ આ સંયમજીવન પણ નીરસ છે. એમાં કોઈ સુખાસ્વાદ છે જ નહિ. તલવારની ધાર ઉપર ચાલવું જેમ અઘરું છે તેમ આ ચારિત્રનું પાલન ખૂબ જ દુષ્કર છે. (१०३) जहा अग्गिसिहा दित्ता, पाउं होइ सुदुक्करा । तह दुक्करं करेउं जे, तारुण्णे समणत्तणं ।। અર્થ : જેમ દેદીપ્યમાન અગ્નિની જ્વાળા મોઢેથી પી જવી એ અતિશય દુષ્કર છે એમ ભરયૌવનમાં પાંચ મહાવ્રતોરૂપ સાધુપણું પાળવું પણ અતિશય દુષ્કર છે. (१०४) जहा दुक्खं भरेउं जे, होइ वायस्स कुत्थलो । तहा दुक्खं करेउं जे, कीवेणं समणत्तणं ।। અર્થ : કાથાની દોરીનો બનેલો કોથળો વાયુથી ભરી રાખવો શક્ય નથી એમ સત્વહીન આત્માઓ માટે સાધુપણું પાળવું લગભગ શક્ય નથી. (૧૦૧) નદી તુણા, તો , યુવર મંવરો રિ | तहा निहुअनीसंक, दुक्करं समणत्तणं ।। અર્થ : શું મેરુપર્વતને આ ત્રાજવામાં તોલી શકાય ખરો? ના, ન જ તોલી શકાય. એમ નિશ્ચલ મનથી, નિઃશંકપણે સાધુપણું પાળવું પણ અતિશય દુષ્કર છે. (૧૦૬) સો વિતમૂપિરો, વનેચં નદીઉં ! इहलोए निप्पिवासस्स, नत्थि किंचि वि दुक्करं ।। અર્થ : માતા-પિતાની શિખામણો બાદ હવે મૃગાપુત્ર પ્રત્યુત્તર આપે છે કે આપે જે કહ્યું એ તદ્દન સાચું જ છે. પણ એક વાત સમજી રાખો કે જે આત્માને આલોક સંબંધી કોઈપણ ઈચ્છા-પિપાસા નથી, જે જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૨૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ આત્માને માત્ર પરલોક અને પરલોકની જ ચિત છે એને માટે તો કંઈ જ દુષ્કર નથી. (१०७) सारीरमाणसा चेव, वेयणा उ अणंतसो । मए सोढाओ भीमाओ, असई दुक्खभयाणि य ।। અર્થ : હે માતા ! પિતા ! તમને મારા અનાદિ સંસારની શી ખબર હોય? આજ સુધીમાં મેં અનંતીવાર અતિભયાનક શારીરિક અને માનસિક વેદનાઓ સહન કરી છે. ડગલે ને પગલે દુઃખો અને ભયોને સહન કર્યા છે. (१०८) जहा इहं अगणी उण्हो, इत्तो णन्तगुणो तहिं । नरएसु वेयणा उण्हा, अस्साया वेइया मए ।। અર્થ : આ લોકમાં રહેલો અગ્નિ ઉષ્ણ છે. એને સ્પર્શવાની પણ મારી તૈયારી નથી. પણ એના કરતા તો અનંતગણી ઉષ્ણતા=ગરમી નરકમાં છે. અને એની અશાતાવેદના મેં અનંતીવાર સહન કરી છે. (૧૦૬) નદી રૂ૪ રૂમ લીવું, રૂત્તો બન્ત તહિં ! નરસું વેચાસીયા, રસાયા વેફયા મા ! અર્થ : મહા માસની ભયંકર ઠંડીમાં શરીર ઉપર બરફ સ્પર્શે તો ય એ સહન કરવાની તાકાત નથી. જ્યારે એની શીતળતા કરતા અનંતગણી શીતળતા=ઠંડી નરકોમાં છે. અને એ મેં અનંતીવાર સહન કરી છે. (99) વંતો વેવસુરી, ઉડ્ડપાયો હોસિરો ! हुयासणे जलन्तम्मि, पक्कपुव्वो अणंतसो ।। અર્થ : એ નારકોમાં મારી શી દશા થઈ હતી? એ મને બરાબર ખબર છે. લોખંડની મોટી કઢાઈ જેવી કુંભમાં મને ઉપર ઉધો લટકાવ્યો. મારા પગ ઉપર અને મસ્તક નીચે ! નીચે પરમાધામીઓએ અગ્નિ પેટાવ્યો અને એમાં મને પકાવ્યો. અનંતીવાર આ વેદના હું સહી ચૂક્યો છું. હું ચીસો પાડતો રહ્યો પણ કોઈએ મને ન છોડાવ્યો. (१११) अइतिक्खकण्टगाइण्णे, तुंगे सिंबलिपायवे । खेवियं पासबद्रेणं, कड्ढोकड्ढाहिं दुक्करं ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ અર્થ : એ નરકની દુનિયામાં વૈક્રિય પુદ્ગલોના શાલ્મલી વૃક્ષો છે એકલા કાંટાઓથી ભરેલા ! એ પરમધામીઓ મને દોરડા વગેરે દ્વારા બરાબર બાંધી અને એ કાંટાઓના ઝુંડમાં મને ફેંકતા. ત્યાંથી મને ખેંચતા. એ વખતે આખા શરીરમાં ઘૂસેલા કાંટાઓની અતિ-અતિ ભયંકર વેદનાઓ મેં સહન કરી. (૧૧૨) મહાનંનુત્તુ છૂવા, બારતનો સુમેરવું | पीलिओमि सकम्मेहिं, पावकम्मो अणंतसो ।। અર્થ : : આ વિશ્વમાં જેમ મોટા યંત્રોમાં શેરડીઓ પીલાય એમ એ પરમાધામીઓ મને મોટા યંત્રોમાં આખો ને આખો પીલી નાંખતા. હું અતિભયંકર ચીસો પાડતો. પણ મારો આત્મા પુષ્કળ પાપકર્મો બાંધીને જ તો નરકમાં આવેલો હતો. એ મારા પોતાના કર્મોનો જ આ વિપાક હતો. કોણ મને બચાવે ? આવી વેદના ય એક વાર નહિ, અનંતીવાર મેં સહન કરી. (૧૧૩) વંતો જોવમુળäિ, સામેäિ સવìહિં ચ । पाडिओ फालिओ छिन्नो, विप्फुरन्तो अणेगसो || અર્થ : શ્યામ અને શંબલ નામના પરમાધામીઓ ભૂંડ અને કુતરાનું રૂપ ધારણ કરતા અને નરકના દુઃખોથી ત્રાસીને રડી રહેલા મારા ઉપર તૂટી પડતા. મને ધરતી ઉપર પછાડી દેતા. અને પછી પોતાના તીક્ષ્ણ દાંતો, નખો વડે મારું આખું શરીર ફાડી નાંખતા. એના અંગેઅંગ છેદી નાંખતા. તે વખતે અસહ્ય વેદનાથી હું તરફડતો. મારું શરીર પણ ધ્રૂજતું પણ એ પરમાધામીઓને તો દયા આવે જ ક્યાંથી ? અનંતીવાર આ ય વેદનાઓ મેં સહન કરી. (૧૧૪) વસો ોહરદે ખુત્તો, ખત્તે સમિાનુ! | चोइओ तुत्तजुत्तेहिं, रुज्झो वा जह पाडिओ || અર્થ : અહીંના ભવોમાં સ્વચ્છંદી બનીને એવા તો પાપો કર્યા કે જેનાથી હું નરકોમાં ગયો. અને ત્યાં મારી સ્વચ્છંદતા છિનવાઈ ગઈ. પરમાધામીઓ સામે મારું શું ચાલે ? તેઓ મને લોખંડના અતિભારે ૧૨૪ *********** ***************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ રથમાં બળદના સ્થાને જોડતા. અને રથનું જે લાકડું બળદના માથા ઉપર આવે એ લોખંડનો ભાગ મારા ગળા ઉપર આવ્યો. એટલું જ નહિ, અગ્નિથી તપાવેલા લાલચોળ લોખંડ જેવો અતિ-અતિ ગરમ ભાગ મારા ગળે ઝીંકાયો. આટલું બધું વજન અને આ દાહની વેદના ! હું ચાલી ન શક્યો. ત્યાં તો પરમાધામીઓએ ચાબૂકાદિ વડે મને સખત માર્યો. ગામડાના રોઝની જેમ મને ધરતી ઉપર પાડી દીધો. (૧૧) હૈયાસને નાંમિ, વિયાવુ મહિસો વિવ । दड्ढो पक्को य अवसो, पावकम्मेहिं पाविओ ।। : અર્થ : ચિતામાં જેમ પાડાને સળગાવે એમ ભડભડ બળતી જ્વાળાઓમાં મને નાંખ્યો, બાળ્યો, પકાવ્યો. હું લાચાર હતો. મારા જ પાપકર્મોએ મને નરકમાં પહોંચાડ્યો હતો. (૧૧૬) તાાિંતો થાવંતો, પત્તો લેયર િનવું । जलं पाहंति चिंतंतो, खरधाराहिं विवाइओ ॥ અર્થ : અહીંના સૌથી વધારે તરસ્યા માણસની તરસ કરતા અનંતગણી તરસ નારકના પ્રત્યેક જીવને આખી જીંદગી માટે હોય. હું ય એ તરસથી પીડાઈને પાણી શોધતો હતો. ત્યાં મને દૂર વૈતરણી નદી દેખાઈ. હું દોડ્યો, નદી પાસે પહોંચ્યો. ‘આનું પાણી પી લઈ તરસ છિપાવું’ એવો વિચાર કરતો હતો ત્યાં તો તીક્ષ્ણ છરો મારા ગળામાં મારી એ પરમાધામીએ મને અતિશય દુઃખી કર્યો. (૧૧૭) રદ્દામિતત્તો સંવત્તો, સિવત્ત મહાવાં । असिपत्तेहिं पडतेहिं, छिन्नपुव्यो अणेगसो । અર્થ : ભયંકર ગરમીથી ત્રાસીને હું ક્યાંક છાંયડો શોધતો હતો ત્યાં તો મને મોટા પાંદડાઓના વૃક્ષોવાળું એક વિશાળ વન દેખાયું. મને હાશકારો થયો. દોડીને એ વનમાં ઘૂસી ગયો. એક ઝાડ નીચે ઊભો રહ્યો. પણ મને શી ખબર ! મારા જેવાઓને ત્રાસ આપવા માટે જ પરમાધામીઓએ એ કૃત્રિમ વન ઊભું કરેલું. જેવો હું ઝાડ નીચે ઊભો રહ્યો કે ઉપરથી એક મોટું પાંડું પડ્યું. તલવાર કરતાં ય વધુ ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷| ******** #++++++†††††††††††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ તીક્ષ્ણ! મારા શરીરના ઊભા ને ઊભા બે ફાડચાં એ પર્ણ કરી નાંખ્યા. (૧૧૮) તત્તારૂં તમ્બોહારૂં, તન્નારૂં સીસાળિકય । पाइओ कलकलंताई, आरसन्तो सुभेरवं ।। અર્થ : એ પરમાધામીઓ તપાવેલ તાંબુ, લોઢું, ત્રપુ, સીસું કાયમ તૈયાર જ રાખતા. એ પ્રવાહીરૂપ બની ગયા હોય અને એમાંથી વરાળ નીકળતી હોય. ખદબદ થતાં, કળકળ કરતા એ પ્રવાહી બળજબરીથી મારું મોઢું ખોલાવી એમાં નાંખતા. હું ભયંકર રાડ પાડી ઊઠતો. મારું તાળવું, ગળું ફાટી જતું. (૧૧૧) દુખિયારૂં મંસારૂં, હંકારૂં મુન્નાનિ ચ । खाविओ मि समंसाई, अग्गिवण्णाई णेगसो । અર્થ : “કેમ ? તને પૂર્વભવમાં માંસ ખૂબ ભાવતું હતું ને ? અગ્નિમાં પકાવેલા માંસના ટુકડાઓ તું આનંદથી ખાતો હતો ને ? તો અહીં પણ ખા.” એમ કહી મારા જ શરીરના અંગો કાપી, એના ટુકડાઓ કરી, અગ્નિમાં પેટાવી અતિગરમ ટુકડાઓ મને બળજબરીથી ખવડાવતા. (૧૨૦) નિષ્યં મીત્તે તત્શેખ, કુદ્દિપળ રૂળ ય | परमा दुहसंबद्धा, वेणा वेइया मए ।। અર્થ : હે સ્વજનો ! શું વધારે કહું ? એ નારકના ભવોમાં મારી સેકંડ સેકંડ ભયમાં પસાર થતી. પ્રત્યેક સમય મારો ત્રાસમાં વીતતો. હું અતિશય દુઃખી થતો. ખૂબ વ્યથાઓ અનુભવી. મેં એકલી દુઃખથી ભરેલી વેદનાઓ જ ત્યાં વેઠી. (૧૨) નરિસા માનુસે તોપુ, તાયા ! ટીર્કાન્ત વેયળા। इतो अनंतगुणिया, नरएस दुक्खवेयणा ।। અર્થ : માતા-પિતાઓ ! આ મનુષ્યલોકમાં જે સૌથી ઉત્કૃષ્ટ વેદના દેખાય છે એના કરતાં અનંતગુણ દુઃખવેદના નારકમાં છે. +++++++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૨૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ (૦૨૨) સવ્વમવેસુ સસ્સાયા, વેળા વેફયા મા ! निमिसन्तरमित्तंपि, जं साया नत्थि वेयणा ।। અર્થઃ માત્ર નારકભવની જ ક્યાં વાત કરો છો ? તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવોમાં પણ મેં સતત દુઃખવેદના જ અનુભવી છે. આંખના પલકારા જેટલો વખત પણ મેં શાતા અનુભવી નથી. દેવલોકના સુખો પણ ઈર્ષ્યા, અતૃપ્તિ વગેરેથી મિશ્ર હોવાથી એ દષ્ટિએ અશાતાવાળા જ ગણ્યા છે.) (१२३) जहा मिगस्स आयंको, महारण्णम्मि जायई ।। अच्छंतं रुक्खमूलंमि को णं ताहे तिगिच्छई ।। અર્થ: (માતા-પિતાએ કહ્યું કે દીક્ષા બાદ રોગ વગેરે થાય તો હું શું કરીશ? એના પ્રશ્નનો ઉત્તર આપે છે કે, એક મોટા જંગલમાં કોઈક હરણિયાને શરીરમાં રોગ થાય, ભયંકર જ્વર થાય અને એટલે એ બિચારું હરણ કોઈક વૃક્ષ નીચે થરથર ધ્રૂજતું બેસી જાય તો ત્યારે કોણ એની સારવાર કરે ? (१२४) को वा से ओसहं देइ ? को वा से पुच्छई सुहं ? को से भत्तं व पाणं वा ? आहरित्तु पणामई ।। અર્થ : ત્યાં ક્યો વૈદ્ય એ હરણને ઔષધ આપે છે? ક્યો સ્વજન એની પાસે જઈ નેહાળ હાથ ફેરવી પૂછે છે કે, “હરણ ! તું સુખી છે ને ? કંઈ તકલીફ નથી ને ?” ભૂખ્યા અને તરસ્યા થયેલા, જાતે ભોજન લાવવા અસમર્થ એ હરણને કોણ ભોજન લાવી આપે છે ? કોણ પાણી લાવી પીવડાવે છે ?” (१२५) जया य से सुही होइ, तया गच्छइ गोयरं । भत्तपाणस्स अठाए, वल्लराणि सराणि य ।। અર્થ : બિચારું એ જંગલનું પ્રાણી ! દિવસો સુધી દુઃખ વેઠે જ છે ને? જે દિવસે એની મેળે રોગ મટી જાય, શરીર સારું થઈ જાય ત્યારે એ હરણ ચાલતું ચાલતું ભોજન અને પાણી મેળવવા વનમાં અને સરોવરમાં ચાલી નીકળે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ) ૧૨૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ (१२६) खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य । मिगचारियं चरित्ताणं, गच्छई मिगचारियं ।। અર્થ: વનમાં ઘાસ ખાઈને અને સરોવરોમાંથી પાણી પીને, મૃગચર્યા કુદકા મારવા વગેરે) કરીને યોગ્ય આશ્રયભૂમિમાં એ હરણ જતું રહે છે. (૦ર૭) વં સમુદિ વિષ્ણુ, મેવ જાણ | मिगचारियं चरित्ताणं, ऊड्ढं पक्कमई दिसि ।। અર્થ : ઓ સ્વજનો ! એ જ પ્રમાણે સંયમાનુષ્ઠાનોમાં યત્નવાળો સાધુ હરણની જેમ અનેક સ્થાનોમાં ફરે છે અને હરણની જેમજ ચર્યા કરીને, કર્મક્ષય પામીને ઉર્ધ્વદિશામાં મોક્ષમાં જતો રહે છે. (૧૨૮) ૩Mા નડું વેકરી, પપ્પા ને કન્મિની अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ।। અર્થ : આ આત્મા જ નરકની વૈતરણી નદી છે. આ આત્મા જ નરકના વજકંટકવાળા શાલ્મલિ વૃક્ષ છે. (આત્મા પાપો કરે છે માટે નરકમાં જાય છે એટલે આવી ઉપમા આપી છે.) આ આત્મા જ કામધેનુ ગાય છે. (સુંદર સંયમ પાળે તો આત્મા જે ઈચ્છે એ પામી શકે. એ કારણથી એ કામધેનુ છે.) આ આત્મા જ દેવલોકનું નંદનવન છે. (१२९) अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठियसुपट्ठियओ ।। અર્થ: આ આત્મા જ દુઃખો અને સુખોનો કર્તા છે. આ આત્મા જ દુઃખો અને શોકોને દૂર ફેંકનારો છે. મન-વચન-કાયાના શુભ યોગોવાળો આત્મા પોતે જ પોતાનો મિત્ર છે અને મન-વચન-કાયાના અશુભ યોગોવાળો આત્મા પોતે જ પોતાનો શત્રુ છે. (१३०) इमा हु अन्नावि अणाहया निवा, तामेगचित्तो निहुओ सुणेहि मे। नियंठधम्म लहियाण वि जहा, सीदंति एगे बहुकायरा नरा ।। અર્થ : (અનાથી મુનિ પોતાની સંસારી જીવનની અનાથતા બતાવ્યા બાદ હવે શ્રેણિકને કહે છે કે, હે રાજન્ ! આ મેં તને જે અનાથતા બતાવી જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ મનમમમમમમમમમમમ ૧૨૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ એ તો સામાન્ય છે. હું તને બીજી પણ એક અનામી શતાવું છું. તું એકચિત્ત બનીને મારી વાત સાંભળ. જે આત્માઓ નિર્ઝન્ય-ધર્મનો, સર્વવિરતિનો સ્વીકાર કર્યા બાદ અતિકાયર બની સંયમજીવનમાં સીદાય છે, સુખશીલ બને છે, જિનાજ્ઞાપાલનમાં લાચાર બને છે તેઓ લોકોત્તર અનાથ છે. (१३१) जे पव्वइत्ताण महब्बयाई, सम्मं च नो फासयई पमाया । अणिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिंदइ बंधणं से ।। અર્થ: ઓ રાજન્ ! જે સાધુ હોંશે હોંશે પાંચ મહાવ્રતો લીધા બાદ માત્ર પ્રમાદને કારણે એ મહાવ્રતોનું સમ્યફ પાલન ન કરે, પોતાના આત્માને દોષો સેવતા ન અટકાવે, માત્ર આહારમાં લંપટ-ગૃદ્ધઆસક્ત બની રહે તેઓ પોતાના કર્મોને મૂળથી છેદી શકતા નથી. અર્થાત્ એમનો સંસાર દીર્ઘ બની રહે છે. (१३२) आउत्तया जस्स य नत्थि काई, इरियाइ भासाइ तहेसणाए । आयाणनिक्खेव दुगुंछणाए, न वीरजायं अणुजाइ मग्गं ।। અર્થ : અરે, સંયમજીવનની મોટી વાતો બાજુ પર મૂકો ! પણ જે સાધુને સંયમજીવનની મૂળભૂત એવી ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એ પણાસમિતિ, આદાન-ભંડમા નિક્ષેપણાસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિમાં પણ ઉપયોગ નથી, એના પાલનમાં તત્પરતા નથી તેઓ આ મોક્ષમાર્ગમાં આગળ જઈ શકતા નથી. અરે ! આ માર્ગ તો વીરપુરુષો વડે જ કંડારાયેલો છે. એમાં તે વળી આવા કાયરો શી રીતે ચાલે? (१३३) चिरंपि से मुण्डरुई भवित्ता, अथिरख्यए तवनियमेहिं भट्ठे । चिरंपि अप्पाण किलेसइत्ता, न पारए होइ हु संपराए ।।। અર્થ : ભલે ને એ સમિતિઓ ન પાળનારા સાધુઓ વેષ પકડીને બેસી રહે. અને દર વર્ષે બે-ત્રણ લોચ કરાવે. ભલે ને તેઓ વિહાર વગેરે દ્વારા આખી જિંદગી આત્માને લેશ પમાડે તો પણ પાંચ મહાવ્રતોમાં અસ્થિર, તપ અને નિયમોથી ભ્રષ્ટ થયેલા એ સાધુઓ આ સંસારનો પાર પામી શકતા નથી. : : : : જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સુત્ર) ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ (१३४) कुसीललिगं इह धारइत्ता, इसिज्झयं जीविय व्हइत्ता । असंजए संजयलप्पमाणे, विणिधायमागच्छइ से चिरंपि ।। અર્થ: આ બિચારા શ્રમણો ! આખી જિંદગી શિથિલાચારથી ભરેલા સાધુવેષને પકડી રાખે છે. અને વળી તેઓ જાણે છે કે “આના દ્વારા જ આપણો જીવનનિર્વાહ થશે.” એટલે પોતાની આજીવિકા ચલાવવા એ સાધુના ચિહ્ન સમાન રજોહરણની ઉપબૃહણા પણ ખૂબ કરે છે. આ સાધુવેષ ખૂબ મહાન છે. એમ બોલે છે અને પોતાની જાત અસંયમી હોવા છતાં હું સંયમી છું, સાધુ છું એ રીતે પોતાની જાતને ઓળખાવે છે. આનું પરિણામ ? નારકાદિ દુર્ગતિઓમાં ચિરકાળ માટે તેઓ વિનિઘાત=વિનાશ-દુ:ખોને પામનારા બને છે. (१३५) विसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं । एसेव धम्मे विसओववन्नो, हणाइ वेयाल इवाविवन्नो ।। અર્થ : કાલકૂટ ઝેર પીનારો જીવતો શી રીતે બચે ? એ ઝેર એને મારી જ નાંખે. શસ્ત્ર પકડતા ન આવડતું હોવાથી ગમે તે રીતે પકડેલું શસ્ત્ર, શત્રુને મારવાને બદલે શસ્ત્ર પકડનારના જ મોતનું કારણ બને. એમ આ સર્વવિરતિ ધર્મ આમ તો અષ્ટકર્મનો ક્ષય કરનાર છે. પણ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોના ભોગવટા સાથેનો આ જ વિરતિધર્મ જીવને ખતમ કરી નાંખે છે, દુર્ગતિમાં મોકલી આપે છે. શસ્ત્ર કે મંત્રાદિથી વશ ન થયેલ વેતાળ-ભૂત સાધકને જ મારી નાંખે એમાં શી નવાઈ ? (१३६) उद्देसिअं कीअगडं निआगं, न मुंबई किंचि अणेसणिज्जं । अग्गी विवा सब्वभक्खी भवित्ता, इओ चुओ गच्छइ कटु पावं ।। અર્થ : અરેરે ! જે સાધુઓ પોતાના જ ઉદ્દેશથી બનાવેલી ગોચરી વાપરે છે. પોતાના માટે શ્રાવકોએ ખરીદેલી વસ્તુઓ સ્વીકારે છે. રોજ એક જ સ્થાનેથી ગોચરી વહોરે છે. ૪ર દોષોમાંથી કોઈપણ દોષથી દુષ્ટ બનેલી કોઈપણ વસ્તુ છોડતા નથી. બધું જ લે છે. આ બધા તો ૧૩૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ અગ્નિની જેમ સર્વભક્ષી છે. (અગ્નિમાં નાંખેલી બધી વસ્તુ અગ્નિ સ્વીકારી જ લે છે, ખાઈ જાય છે.) આ સાધુઓ અહીં પાપ કરી પછી દુર્ગતિઓમાં જાય છે. (१३७) न तं अरी कंठछित्ता करेइ, जं से करे अप्पणिआ दुरप्पा । से नाहिई मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ।। અર્થ : તલવારના એક ઝાટકે ગળું કાપી નાંખનારો શત્રુ તો શું અહિત કરે? એના કરતા પોતાનો દુષ્ટ આત્મા જ, શિથિલાચારી આત્મા જ વધુ અહિત કરનારો બને છે. પણ આ નિર્દય સાધુઓને આ વાતનું શી રીતે ભાન થાય? એ તો જ્યારે તેઓ મોતના મુખમાં પ્રવેશ કરશે ત્યારે જ એમને આ બધી વાત સમજાશે. પછી પશ્ચાત્તાપ કરશે કે, “મેં સુંદર સંયમ ન પાળ્યું.” પણ રાંડ્યા પછીનું ડહાપણ શું કામ આવે? (१३८) परीसहा दुव्विसहा अणेगे, सीयंति जत्थ बहुकायरा नरा । से तत्थ पत्ते न वहिज्ज भिक्खू, संगामसीसे इव नागराया ।। અર્થ: આ ઠંડી-ગરમી-ભૂખ-તરસ વગેરે ૨૨ પરીષહો સહન કરવા ખૂબ અઘરા છે. માટે જ કાયર માણસો તો એ પરીષદોમાં સીદાય છે, ગભરાય છે, પાછા પડે છે. પણ સાચો ભિક્ષુ તો એ ૨૨ પરીષદોમાં બિલકુલ મુંઝાતો નથી, ગભરાતો નથી. યુદ્ધના મોખરે રહેલો ગજરાજ શત્રુઓથી ગભરાય ખરો? (१३९) सीओसिणा दंसमसगा य फासा, आयंका विविहा फुसन्ति देहं । अकुक्कुओ तत्थऽहियासइज्जा, रयाई खेविज्ज पुराकडाई ।। અર્થ : શિયાળામાં ભયંકર ઠંડી પડે, ઉનાળામાં પુષ્કળ તાપ પડે, ડાંસ અને મચ્છરો શરીરનું લોહી પી જાય, શરીરમાં જાતજાતના રોગો-આતંકો ય ઉત્પન્ન થાય પણ શ્રમણ કોનું નામ ? એ તો કોઈપણ જાતનું આર્તધ્યાન કર્યા વિના બધું જ સહન કરે. અને એ દ્વારા પોતે પૂર્વે બાંધેલા કર્મોને ખપાવી દે. (૧૪૦) અને સરસા, મને વિકૃતિ જણના ! ते अ ते अभिगच्छंति, कहं ते णिज्जिआ तुमे ? ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ) ૧૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ અર્થઃ કિશી ગણધર ગૌતમસ્વામીને પ્રશ્ન પૂછે છે ને ગૌતમસ્વામી એના - ઉત્તરો આપે છે.) હે ગૌતમ ! હજારો શત્રુઓની વચ્ચે તમે રહો છે, તે શત્રુઓ તમને મારી નાંખવા માટે પ્રયત્નશીલ છે છતાં તમે એમને જીતી લીધા. એ શી રીતે ? (૧૪૦) અને નિg જિગા પડ્ય, પન્ન નિ નિ રસ | दसहा उ जिणित्ताणं, सव्वसतू जिणामहं ।। અર્થ : કેશી ગણધર ! મેં માત્ર એક જ શત્રુ ઉપર વિજય મેળવી લીધો. એ વિજયથી આપોઆપ બીજા ચાર શત્રુ (કુલ પાંચ) જીતાઈ ગયા. અને પાંચના વિજયથી વળી બીજા પાંચ પણ જીતાઈ ગયા. અને આ દસ મુખ્ય શત્રુઓને જીતી લઈ, પછી બાકીના હજારો શત્રુઓને જીતી લીધા. (૧૪૨) પાષા નિ: સત્ત, વસાયા કુંજિનિ ય ते जिणित्तु जहाणायं, विहरामि अहं मुणी ।। અર્થ: આ મારા વડે ન જીતાયેલો મારો આત્મા એ જ મારો ભયંકર શત્રુ હતો. એ ઉપરાંત ચાર કષાયો અને પાંચ ઈન્દ્રિયો મારી શત્રુ હતી. પણ યથાયોગ્ય રીતે તે બધાયને જીતીને હું શાંતિથી જીવું છું, વિચરું છું. (પ્રથમ મેં મારા આત્મા ઉપર વિજય મેળવ્યો. એનાથી ચાર કષાયો જીતાઈ ગયા. એનાથી પાંચ ઈન્દ્રિયો કાબુમાં આવી ગઈ. અને એનાથી બધા જ દોષો ઉપર વિજય મેળવ્યો.) (૧૪) ક્ષય સાથળો વૃત્તા, સુસીનતો નર્ત ! सुअधाराभिहया संता, भिन्ना हु न डहंति मे ।। અર્થ: ક્રોધાદિ ચાર કષાયો એ અગ્નિ છે તો શ્રુતજ્ઞાન, શીલ, સંયમ, તપ એ પાણી છે. એ પાણીની ધારાઓથી હણાયેલો ચાર કષાયોરૂપી અગ્નિ ઓલવાઈ ગયો છે. અને એટલે એ મને હવે બાળતો નથી. (૧૪૪) નવિ મુંડિW સમો, ન કેવળ વમળો ! न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ।। અર્થ: મસ્તક ઉપર મુંડન કરાવવા માત્રથી શ્રમણ ન બની શકાય. ૧૩૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૐૐકારના જાપ માત્રથી બ્રાહ્મણ ન કહેવાય. જંગલમાં નિવાસ કરવા માત્રથી મુનિ ન બનાય. વલાદિના વસ્ત્ર પહેરવા માત્રથી તાપસ ન બનાય. (૧૪૫) સમયાપુ સમનો ઢોર્ડ, હંમઘેરે કંમળો। नाणेण य मुणी होई, तवेणं होइ तावसो । અર્થ : જે સમતાને ધારણ કરે તે શ્રમણ. જે બ્રહ્મચર્ય અણિશુદ્ધ પાળે તે બ્રાહ્મણ. જે સમ્યજ્ઞાનનો ધારક હોય તે મુનિ. જે તપ કરે તે તાપસ. (૧૪૬) પદ્ધિત્તેદળ ાંતો, મિઠ્ઠો ઠ્ઠું ખરૂ નળવયદું વા | देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ।। અર્થ : જે સાધુ પ્રતિલેખન કરતા કરતા પરસ્પર એકબીજા સાથે વાતચીત કરે, રાજકથા વગેરે કરે, ચાલુ પ્રતિલેખનમાં બીજાને પચ્ચક્ખાણ આપે, બીજાને સૂત્રાદિ વંચાવે-આપે, પોતે જ બીજા પાસે સૂત્રો વગેરે ગ્રહણ કરે. (૧૪૭) પુવિ ઞાડવાળુ, તેવુ વાળ વળસ્તર તસાનું | पडिलेहणापमत्तो, छण्हंपि विराहओ होई ॥ અર્થ : આ પ્રતિલેખનામાં પ્રમત્ત સાધુ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ ષટ્કાયનો વિરાધક બને છે. (૧૪૮) પુવિ લાડવાળુ, તેડ યા વળસતકાળ | पडिलेहणा आउत्तो, छण्हंपि आराहओ होई ।। અર્થ : જ્યારે પ્રતિલેખનામાં બરાબર ઉપયોગ રાખનાર, દોષરહિત પ્રતિલેખના કરનાર સાધુ એ ષટ્કાયનો આરાધક બને છે. (૧૪) વાઞા સંશહિઞા લેવ, મત્તાને સિગા । जायपक्खा जहा हंसा, पक्कमंति दिसोदिसिं ।। અર્થ : ગચ્છમાં કેટલાક કુપાત્ર સાધુઓ એવા હોય છે કે ગુરુએ એમને સારું ભણાવ્યા હોય. ગુરુએ તેઓને સારી રીતે સાચવ્યા હોય. એ ભણાવેલા પદાર્થો દૃઢ કરાવ્યા હોય. ભોજન-પાણી વગેર દ્વારા *********** ***** ૧૩૩ *********** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) Page #143 -------------------------------------------------------------------------- ________________ શિષ્યોને પોષ્યા હોય. પણ એ કુપાત્ર શિષ્યો ! પંખીને=હંસને પાંખ આવે અને એ પોતાના માતા-પિતાને છોડીને ઉડી જાય એમ આ શિષ્યો શક્તિમાન બનતાંની સાથે ગુરુને છોડીને ચારે દિશામાં ભાગી જાય છે. (१५०) परमत्थसंथवो वा सुदिट्ठपरमत्थसेवणा वा वि । वावण्णकुदसणवज्जणा य, सम्मत्तसद्दहणा ।। અર્થ : સમ્યગ્દર્શનની હાજરી સૂચવતા ચાર પ્રકારના સમ્યકત્વશ્રદ્ધાન રૂપ લિંગો છે. (૧) જીવાદિ પદાર્થોના વારંવાર ચિંતનરૂપ / પરમાર્થસંસ્તવ (૨) જેઓએ આ અણમોલ પરમાર્થો-તત્ત્વો સારી રીતે જાણ્યા છે તેવા સદ્ગુરુઓની સેવા (૩) જેઓ સમ્યક્તથી ભ્રષ્ટ થયેલા છે તેવા કહેવાતા જૈન એવા પણ શિથિલાચારી સાધુ વગેરેના પરિચયાદિનો ત્યાગ, (૪) મિથ્યાત્વી અજૈન સંન્યાસી વગેરેના પરિચયાદિનો ત્યાગ. (१५१) नादंसणिस्स नाणं, नाणेण विणा न होन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ।। અર્થઃ સમ્યગ્દર્શન વિના જ્ઞાન હોઈ શકતું નથી. અને એ સમ્યજ્ઞાન વિના ચારિત્રના ગુણો સંભવિત નથી. અને ચારિત્રગુણો વિનાના જીવને તો મોક્ષ ન જ મળે. અને મોક્ષ વિના નિર્વાણ અનંતસુખની પ્રાપ્તિ શક્ય નથી. (માટે ૨૪૬મી ગાથામાં બતાવેલ ચાર ભેદરૂપ સમ્યગ્દર્શન જ પ્રથમ પ્રાપ્ત કરવું.) (१५२) गुरुसाहम्मियसुस्सूसणयाए णं भंते ! जीवे किं जणयइ ? गुरुसाहम्मियसुस्सूसणयाए णं विणयपडिवत्ति जणयइ विणयपडिवण्णे अ णं जीवे अणच्चासायणासीले नेरइअतिरिक्खजोणिअमणुस्स-देव-दुग्गइओ निरंभइ वण्णसंजलणभत्तिबहुमाणयाएमणुस्सदेवसुग्गइओ निबंधइ सिद्धिसोग्गइं च विसोहेइ, पसत्थाई च णं विणयमूलाई सव्वकज्जाई साहेइ अन्ने अ बहवे जीवे विणइत्ता ભફ ! ૧૩૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ અર્થ : હે ભંતે ! ગુરુ અને ગુરુભાઈઓ વગેરેની શુશ્રુષા-સેવા કરવા દ્વારા જીવ શું પ્રાપ્ત કરે ? હે શિષ્ય ! આ શુશ્રુષાથી જીવ વિનયનું આચરણ કરે છે. અને વિનયવાનું એ જીવ અતિ-આશાતનાનો ત્યાગ કરનાર બને છે. એના દ્વારા નારક અને તિર્યંચની દુર્ગતિઓને અટકાવે છે. મનુષ્ય અને દેવગતિમાં પણ હલકા ભવોને અટકાવે છે. ગુરુ વગેરેની પ્રશંસા, ગુરુ આવે ત્યારે ઊભા થવું, ગુરુભક્તિ અને ગુરુબહુમાન દ્વારા એ સુંદર મનુષ્યગતિ કે સુંદર દેવગતિને જ પામે છે. મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શનાદિને વિશુદ્ધ કરે છે. વિનયમૂલક તમામ કાર્યો સાથે છે. અને બીજા પણ ઘણા જીવો આ સાધુને વિનય કરતો જોઈને વિનયી બને છે. (१५३) आलोयणयाए णं भंते ! जीवे किं जणयइ ? आलोयणयाएणं मायानियाणमिच्छादसणसल्लाणं मोक्सामग्गविग्घाणं अणंतसंसारवद्धणाणं उद्धरणं करेइ उज्जुभावं च णं जणयइ. उज्जुभावपडिवन्ने अ णं जीवे अमाई इथिवेयं नपुंसगवेयं च न बंधइ, पुवबद्धं च નિમ્બરડું | હે ભગવંત ! ગુરુ પાસે પોતાના પાપો પ્રગટ કરવા રૂપ આલોચના દ્વારા જીવને શું લાભ થાય? હે શિષ્ય ! આ આલોચનાથી ઘણા લાભ થાય : (૧) અનંતસંસાર વધારનારા, મોક્ષમાર્ગમાં વિદ્ધભૂત એવા માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યનો ઉદ્ધાર થાય છે. અર્થાત્ જીવ આ ત્રણ કાંટાઓ વિનાનો બને છે. (૨) સરળતા ગુણને પામે છે. (૩) સરળતાને પામેલો જીવ અમાયાવી હોવાથી સ્ત્રીવેદને કે નપુંસકવેદને ન બાંધે. અને પૂર્વે બાંધેલા એ બે ય વેદોનો ક્ષય કરે છે. (१५४) निंदणयाए णं भंते ! जीवे किं जणयइ ? निंदणयाए णं पच्छाणुतावं जणयइ, पच्छाणुतावेणं विरज्जमाणे करणगुणसेटिं पडिवज्जइ, करणगुणसेढिं पडिवन्ने अ अणगारे मोहणिज्ज कम्मं उग्घाएइ ।। અર્થ : હે ભગવંત જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ) ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ અર્થ: હે ભગવંત ! આત્મસાક્ષીએ પોતાના આત્માની નિંદા, પોતાના દોષોની નિંદા કરવાથી જીવને શું લાભ થાય ? હે શિષ્ય! આ પ્રમાણે સ્વદોષનિંદા કરવાથી પશ્ચાત્તાપભાવ ઉત્પન્ન થાય. એ પશ્ચાત્તાપભાવથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી અપૂર્વકરણાદિ ગુણસ્થાનોવાળી ક્ષપકશ્રેણી માંડે છે. અને એના દ્વારા એ સાધુ મોહનીયકર્મનો ખાત્મો કરે છે. (१५५) खमावणयाएणं भंते ! जीवे किं जणयइ ? खमावणयाएणं पल्हायणभावं जणयइ, पल्हायणभावमुवगए अ जीवे सव्वपाणभूयजीवसत्तेसु मित्तिभावं उप्पाएइ, मित्ताभावमुपगए आवि जीवे भावविसोहिं काऊण निब्भए भवइ ।। અર્થ : હે ભગવંત ! જીવો સાથે ક્ષમાપના કરવાથી, મિચ્છા મિ દુક્કડ કરવાથી શું લાભ થાય ? હે શિષ્ય ! ક્ષમાપના દ્વારા જીવમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. પ્રસન્નતાને પામેલો જીવ સર્વજીવો વિશે મૈત્રીભાવને પામે છે. મૈત્રીભાવને પામેલો જીવ પોતાના ભાવોની વિશુદ્ધિ કરીને નિર્ભય બને છે. (જેને બધા જ જીવો મિત્ર જ છે એને કોનાથી ભય હોય? ભય શત્રુથી હોય.) (૧૬) વૈયાવચ્ચેનું અંતે ! નીવે વિં નાયડુ ? वेया० तित्थयरनामगो कम्मं निबंधइ ।। અર્થ: હે ભગવંત! વૈયાવચ્ચ વડે શું લાભ થાય? શિષ્ય ! વૈયાવચ્ચ વડે તીર્થકર નામકર્મ બંધાય. (१५७) नाणस्स सव्वस्स पगासणाए, अण्णाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगंतसोक्खं समुवेइ मोक्खं ।। અર્થ: આત્મા જ્યારે (૧) સર્વ જ્ઞાનનો પ્રકાશ થાય, (૨) અજ્ઞાન-મોહનો ત્યાગ થાય, (૩) રાગ અને દ્વેષનો ક્ષય થાય ત્યારે એકાંતે સુખથી ભરેલા એવા મોક્ષને પામે છે. ૧૩૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ ( १५८) तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा । सज्झायएगंतनिसेवणा य, सुत्तत्थसंचिंतणया धिई य ॥ અર્થ : એ મોક્ષને મેળવવાનો માર્ગ આ પ્રમાણે છે. (૧) ગુરુજનો, વયોવૃદ્ધો, વડીલો, જ્ઞાનીઓની સેવા કરવી, (૨) શિથિલાચારી વગેરેનો દૂરથી જ ત્યાગ કરવો. એમની સાથે પરિચયાદિ ન કરવા. (૩) એકાન્તમાં બેસી સ્વાધ્યાય કરવો (૪) સૂત્રના અર્થોનું ચિંતન કરવું, (૫) ધીરજભાવ ધારણ કરવો. (१५९) आहारमिच्छे मिअमेसणिज्जं, सहायमिच्छे निउणट्टबुद्धिं । निकेअमिच्छेज्ज विवेगजोगं समाहिकामे समणे तवस्सी || અર્થ : ઓ શ્રમણ ! તપસ્વી ! તું તારા જીવનમાં સમાધિ, પ્રસન્નતા, સ્વસ્થતાને ઈચ્છે છે ને ? તો ત્રણ કામ કરજે. (૧) તું ૪૨ દોષ વિનાનો, અચિત્ત, પ્રમાણસર જ આહાર વાપરજે. (૨) વિશિષ્ટ જ્ઞાની મહાત્માઓને જ તારા સહાયક તરીકે બનાવજે. (૩) સ્ત્રીપશુ-પંડકાદિ વિનાના ઉપાશ્રયમાં જ તું રહેજે. (૧૬૦) યુવલ્લું ચં નસ્ય ન હોર્ મોદ્દો, મોઢો ઢગો નસ્સ ન હોર્ તન્ના | तन्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाइ || અર્થ : જે જીવને મોહ નથી એના દુઃખ નાશ પામે છે. (મોહ=અજ્ઞાનાદિ) જે જીવને તૃષ્ણા નથી એનો મોહ નાશ પામે છે. જે જીવને લોભ નથી એની તૃષ્ણા નાશ પામે છે. જે જીવની પાસે કંઈ જ નથી એનો લોભ નાશ પામે છે. ( १६१) रागं च दोसं च तहेब मोहं उद्धत्तुकामेण समूलजालं । जे जे उवाया पडिवज्जियव्वा ते कित्तइस्सामि अहाणुपुव्विं ।। અર્થ : રાગ, દ્વેષ અને મોહને મૂળથી ઉખેડવાની ઈચ્છાવાળાએ કયા કયા ઉપાયો અજમાવવા જોઈએ એ હું હવે તમને બતાવીશ. (૧૬૨) રસા પનામ (પાન) ન નિસેવિત્રવ્વા પાયં રસા વિત્તિધરા નરાળ दित्तं च कामा समभिद्दवंति, दुमं जहा सादुफलं व पक्खी ।। અર્થ : ઓ મોક્ષાભિલાષી શ્રમણો ! મારી પહેલી વાત તો આ જ છે કે તમે ** [÷÷÷÷$$÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷| નનન+નનનન+ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ વિગઈઓ=મિષ્ટાન્નો વધારે પડતા, વારંવાર ન વાપરશો, કેમકે આ વિગઈઓ પ્રાયઃ મનુષ્યોને કામવિકારી બનાવે છે. અને અંદર વાસના=વિકારથી ભરેલાને એ બાહ્ય નિમિત્તો પરેશાન કર્યા વિના રહેતા નથી. સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષ ઉપર પક્ષીઓ તૂટી પડે એમ વિગઈઓ ખાવાથી અંદર કામવિકારોના દારૂગોળાવાળા જીવોને સ્ત્રી વગેરે નિમિત્તો ક્ષણવારમાં પછાડી દેનારા બને છે. (૧૬૨) નન્હા વવની પરિધને વળે, સમાગો નોવસમ વે । एविंदिअग्गी वि पगामभोइणो, न बंभयारिस्स हिआय कस्सइ ।। અર્થ : મોટા ભયંકર જંગલમાં આગ લાગી. એને પુષ્કળ લાકડાઓ, વૃક્ષો, ઘાસ રૂપી ઈંધણ પણ મળી ગયું. અને વળી પવન ફુંફાડા મારતો વાય છે. શી રીતે એ અગ્નિ શાંત થાય ? ન જ થાય. એમ જેઓ ખૂબ ખાનારા છે તે બિચારાઓની ઈન્દ્રિયોરૂપી અગ્નિ એમના કોઈના પણ હિતને માટે થતી નથી. એમના બ્રહ્મચર્યની શુદ્ધિ ટકી શકતી નથી. (૧૬૪) નન્હા વિરાભાવસહસ્ય મૂત્તે, ન મૂસાનું વસહી પસત્યા । मेव इत्थीनिलयस्स मज्झे, न बंभयारिस्स खमो निवासो ।। અર્થ : અરે ભાઈ ! બિલાડાના ઘરની બાજુમાં જ ઉંદરડાઓ પોતાનું ઘર બાંધે એ શું પ્રશંસનીય છે ? એ ઉંદરો જીવતા બચે ખરા ? એમ સ્ત્રીઓના ઘરની વચ્ચે બ્રહ્મચારી સાધુનો નિવાસ બિલકુલ યોગ્ય નથી. (જ્યાં સ્ત્રીઓ હોય, સ્ત્રીઓની અવરજવર હોય, સ્ત્રીઓના શબ્દ સંભળાતા હોય, આજુબાજુના ફ્લેટોમાં રહેલી સ્ત્રીઓ દેખાતી હોય તેવા તમામ સ્થાનો માટે આ લાલબત્તી છે.) (१६५) न रूवलावण्णविलासहासं न जंपिअं इंगिअ पेहिअं वा । इत्थिण चित्तंसि निवेसइत्ता, दठ्ठे ववस्से समणे तवस्सी || અર્થ : : આ સ્ત્રીનું રૂપ સુંદર છે, આ સ્ત્રીનું લાવણ્ય મનોહર છે, આ સ્ત્રીના વિલાસ, હાસ્ય, વચનો, ચેષ્ટાઓ, કટાક્ષો અદ્ભુત છે. આવા પ્રકારના વિચારો કરીને એ બધું જોવા માટેનો પ્રયત્ન સાધુએ કદાપિ કરવો ન જોઈએ. (સ્ત્રીઓના રૂપાદિનું સ્મરણ પણ ન કરવું અને એ નનનનનનનન+ ↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓†††††††††††††††††↓↓↓↓↓↓↓↓ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ +++ ૧૩૮ . Page #148 -------------------------------------------------------------------------- ________________ જોવાનો પ્રયત્ન પણ ન કરવો.) (१६६) अदंसणं चेव अपत्थणं च, अचिंत्तणं चेव अकित्तणं च । ___ इत्थीजणस्सारियझाणजुग्गं, हि सया बंभचेरे रयाणं ।। અર્થ : જે સાધુઓ બ્રહ્મચર્યના કટ્ટર પક્ષપાતી છે તેઓ માટે તો સ્ત્રીનું મુખ જ ન જોવું, સ્ત્રીની પ્રાર્થના=ઈચ્છા ય ન કરવી, સ્ત્રીનો મનમાં વિચાર પણ ન કરવો, સ્ત્રી સંબંધી કોઈપણ વાત પણ ન કરવી એ જ હિતકારી છે, એ જ એ સાધુને ધર્મધ્યાન લાવી આપનાર છે. (१६७) कामं तु देवीहिं विभूसिआहिं, न चाइआ खोभइउं तिगुत्ता । तहावि एगंतहिअंति नच्चा, विवित्तभावो मुणिणं पसत्थो ।। અર્થ : અલબત્ત, એ વાત અમને કબૂલ છે કે મન-વચન-કાયાની ગુપ્તિવાળા સાધુઓને તો સોળ શણગાર સજીને આવેલી દેવાંગનાઓ પણ ચલિત કરવા, પતિત કરવા સમર્થ નથી. પણ એથી કંઈ એ સાધુઓને સ્ત્રીદર્શનાદિ કરવાની છૂટ નથી મળતી, કેમકે સ્ત્રીથી તદ્દન અળગા રહેવું એ તો એકાંતે હિતકારી છે. અને એ જાણીને સાધુઓ માટે આ સ્ત્રીથી તદ્દન અળગા રહેવું એ જ પ્રશંસનીય છે. (१६८) मोक्खाभिकंखिस्सऽवि माणवस्स, संसारभीरुस्स ठियस्स धम्मे । नेयारिसं दुत्तरमत्थि लोए, जहित्थिओ बालमणोहराओ ।। અર્થ : અરે ! અમે શું કહીએ ? આ સંસારથી ભય પામેલા, મોક્ષની અભિલાષાવાળા, ધર્મમાં દઢ બનેલા એવા મનુષ્ય માટે પણ આ મૂર્ણોને મનોહર લાગતી સ્ત્રીઓ રૂપી નદીઓ જેટલી દુસ્તર છે એટલું બીજું કંઈ જ દુસ્તર નથી. (ધસમસતા ગંગાના પ્રવાહમાં ડુબકી મારી બે બાહુના બળથી એ નદી હજી તરી શકાય. પણ આ સ્ત્રીઓના પરિચયાદિ બાદ પણ કામવિકારાદિ ન જાગવા એ અશક્ય પ્રાયઃ છે.) (१६९) एए अ संगे समइक्कमिता सुहत्तरा चेव हवंति सेसा । जहा महासागरमुत्तरित्ता, नई भवे अवि गङ्गा समाणा ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ અર્થ: જે આત્માઓ આ સ્ત્રીના સંગને ઓળંગી ચૂક્યા છે, એ સ્ત્રીરૂપી નદીને પાર કરી ચૂક્યા છે તેઓ માટે બાકી બધું જ સાવ સરળ છે. મહાસાગરને તરી ગયા બાદ ગંગા સમાન નદી એ સાગરના તરવૈયા માટે શી વિસાતમાં? (१७०) कामाणुगिद्धिप्पभवं खु दुक्खं, सव्वस्स लोगस्स सदेवगस्स । जं काइअं माणसिअं च किंचि तस्संतगं गच्छइ वीअरागो ।। અર્થ: દેવલોકના દેવોથી માંડી આ આખુંય વિશ્વ કામવાસનાઓથી ઉત્પન્ન થયેલા જે કોઈ શારીરિક કે માનસિક દુઃખો વેઠે છે, વીતરાગી આત્મા એ તમામ દુઃખોનો વિનાશ કરે છે. (१७१) न कामभोगा समयं उविंति, न यावि भोगा विगई उविंति । जे तप्पओसी अ परिग्गही अ, सो तेसु मोहा विगई उवेइ ।। અર્થ: આ કામભોગો કંઈ સમતાને ન લાવી આપે. (એમ હોત તો કામભોગવાળા બધા જ સમતાવાળા હોત.) એમ કામભોગો વિકારોને પણ ઉત્પન્ન કરનાર નથી. (જો એમ હોત તો કામભોગશબ્દાદિ વિષયો તીર્થંકરાદિને પણ વિકારો ઉત્પન્ન કરત.) તો પછી આ સમતા કે વિષમતા કોને આભારી ? જે જીવો અનિષ્ટ કામભોગોમાં ‘ષ કરે છે અને ઈષ્ટ કામભોગોનો પરિગ્રહ કરે છે તેઓ જ બિચારા અજ્ઞાનથી વિકૃતિને પામે છે. (આવું ન કરનારાઓ સમતાને પામે છે.) (9૭૨) મનોદશં ચિત્તથ, મધૂળ વાસિષ | सकवाडं पंडरुल्लोअं, मणसावि न पत्थए ।। (१७३) इंदियाणि उ भिक्खुस्स, तारिसम्मि उवस्सए । दुक्काराई निवारेउं, कामराग विवडणे ।। અર્થ : જે સ્થાન ખૂબ આકર્ષક હોય, જે સ્થાનમાં જાતજાતના ચિત્રો હોય, જે સ્થાન સુગંધી વસ્તુથી સુવાસિત હોય, જે સ્થાનમાં બારણાઓ હોય, જે સ્થાનમાં સફેદ ચંદરવા લટકતા હોય. આવા પ્રકારના સ્થાનોને સાધુ મનથી પણ ન ઈચ્છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૪૦ Page #150 -------------------------------------------------------------------------- ________________ કારણ કે આવા સ્થાનો કામરાગને વધારનારા છે. આવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુ માટે પોતાની ઇન્દ્રિયો કાબૂમાં રાખવી એ અતિકપરું કામ છે. (૧૭૪) ન સયં નિહારૂં વિન્ના, નેવ નહિં જારવે । गिहकम्मसमारम्भे, भूआणं दिस्सए वहो ।। (१७५) तसाणं थावराणं य, सुहुमाणं बायराण च । तम्हा गिहकम्मसमारम्भं, संजओ परिवज्जए || અર્થ : સાધુ પોતે જાતે ઘર, ફલેટ ન બનાવે, બીજા દ્વારા ન બનાવડાવે, કેમકે આ ઘર બનાવવાદિ કાર્યોમાં જે સમારંભ થાય છે એમાં પુષ્કળ ત્રસ અને સ્થાવર નાના અને મોટા જીવોનો વધ થતો દેખાય જ છે. તેથી સંયમી સાધુ ઘર બનાવવાદિ કોઈપણ સમારંભ ન કરે. (૧૭૬) નનયનનિસિઞા પાળા, પુવિટ્ટુનિસિયા । हम्मति भत्तपाणेसु, तम्हा भिक्खु न पयायए । અર્થ : સાધુ જો પોતાના માટે જ રસોઈ બનાવડાવે તો એમાં તો પાણીમાં અને અનાજમાં રહેલા જીવો મરી જાય. એ લાકડા, માટી-પૃથ્વી વગેરેમાં રહેલા જીવો પણ રસોઈ બનાવવામાં, પાણી કરાવવામાં મરી જાય. માટે સાધુ ક્યારેય આધાકર્મી ન કરાવે. (૧૭૭) વિસળે સત્વો ધરે, વદુવાળિવિનાસને । नत्थि जोइसमे सत्थे, तम्हा जोइं न दीवए ।। અર્થ : તલવાર તો એકસાથે એક જ દિશામાં સરકે. અગ્નિ તો એક સાથે બધી દિશામાં આગળ વધે. તલવારને એક બાજુ ધાર છે. આ અગ્નિમાં તો બધી બાજુ ધાર જ છે. માટે જ અગ્નિ એ ઘણા જીવોની હિંસા કરનાર છે. આથી જ વિશ્વમાં અગ્નિ જેવું કોઈ હિંસક શસ્ત્ર નથી. એટલે જ સાધુ ક્યારેય અગ્નિ ન પ્રગટાવે. (લાઈટ વગેરે પણ ન કરાવે.) (૧૭૮) હિરનૂં ખાયાં હૈં, મળસાવિ ન પત્થપુ । समलेठुकंचणे भिक्खू, विरए कयविक्कए ।। ++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) |+++++++†††††††††††††††¡¡¡¡¡¡¡¡¡♪♪♪♪++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓♪♪♪♪♪♪♪♪♪+++|†† ૧૪૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ચાંદી, સોનું વગેરેને તો સાધુ મનથી પણ ન ઈચ્છે. સાધુ તો પત્થર અને સુવર્ણ બે ય માં સમાન દૃષ્ટિવાળો હોય અને કોઈપણ પ્રકારની વસ્તુઓના ખરીદ-વેચાણમાં સાધુ ન પડે. (૧૭૧) વિવંતો વો દો, વિવિગંતો * વાળિયો | कयविकमि वट्टतो, भिक्खू न हवइ तारिसी । અર્થ : સાધુ જો કોઈપણ વસ્તુની ખરીદીમાં પડે તો એ ક્રાયક=ખરીદી કરનાર બની જાય. અને સાધુ જો કોઈપણ વસ્તુના વેચાણમાં પડે તો એ વાણિયો જ બની જાય. માટે સાધુ ખરીદ-વેચાણની પ્રવૃત્તિ કરવા દ્વારા ક્રાયક કે વાણિયો ન બને. (१८०) भिक्खिअव्वं न केअव्वं भिक्खुणा भिक्खवत्तिणा । कयविक्कओ महादोसो भिक्खावित्ती सुहावहा ।। અર્થ : સાધુએ કોઈપણ વસ્તુ ભિક્ષા માંગીને મેળવવાની છે. ખરીદીને, ખરીદાવીને મેળવવાની નથી, કેમકે આ ખરીદ-વેચાણ એ ઘણો મોટો દોષ છે. ભિક્ષાવૃત્તિ એ જ સુખદાયી છે. * ************** ૧૪૨ |||||||||||||†††††††† +++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ ષોડશક (१) बाह्यं लिंगमसारं तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः । धारयति कार्यवशतो यस्माच्च विडंवकोऽप्येतत् ।। અર્થ: ઓ શ્રમણો ! સાધુવેષ મળી જવા માત્રથી સંતોષ ન માનશો, કેમકે આ બાહ્ય લિંગ-સાધુવેષ તો અસાર છે. ધર્મની પ્રાપ્તિ એ કંઈ આ બાહ્યલિંગ સાથે જોડાયેલી નથી. અરે, પેલા નાટકીયાઓ પણ નાટક દેખાડવાદિ માટે સાધુવેષ ધારણ કરે જ છે ને? તેઓ કંઈ એટલા માત્રથી ધર્મપ્રાપ્તિ કરી શકતા નથી. (२) बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि । कंचुकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ।। અર્થ : તમે કદાચ કહેશો કે માત્ર અમે સાધુવેષ સ્વીકાર્યો છે એટલું નથી. પણ અમે ધન-ધાન્ય-સ્વજનાદિ ઘણું બધું છોડ્યું છે તો પછી અમે કેમ સાચા શ્રમણ ન કહેવાઈએ ? પણ સાંભળી લો ! આ ધન-ધાન્ય-સ્વજનાદિ રૂપ બાહ્ય ગ્રન્થિઓનો ત્યાગ કરવા માત્રથી આ સાધુવેષ એ સુંદર, પ્રશંસનીય બની શકતો નથી, કેમકે બાહ્ય ગ્રન્થિઓનો ત્યાગ તો બીજાઓ પણ કરી શકે છે. એટલા માત્રથી સાચા સાધુ ન બનાય. પેલો સાપ ! પોતાના શરીર ઉપરની કાંચળી ઉતારી નાંખે છે. શું એટલા માત્રથી એ ઝેર વિનાનો બની જાય ખરો? (3) જુવોપારમિતા ધ્યરયત્નો નિપુણધીમઃ | सनिंदादेश्च तथा ज्ञायत एतन्नियोगेन ।। અર્થ : સર્વવિરતિ પામી ચૂકેલાઓના તપ, વૈયાવચ્ચ, સંયમ, સ્વાધ્યાયાદિ અનુષ્ઠાનો મોક્ષ મેળવી આપનારા છે કે નથી? એ જાણવાનો ઉપાય એ છે કે (૧) જેઓ એકબાજુ નાના નાના દોષો ન સેવવામાં આદર કરે અને બીજી બાજું મોટા દોષો સેવે. (દા.ત. વનસ્પતિ જીવોની વિરાધનારૂપી નાના દોષને ન સેવવા અંડિલ-માત્રુ વગેરે ક્યારેય ઘાસાદિ ઉપર ન પરવે. પણ બીજી બાજુ એવી રીતે એ પરઠવે કે જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૪૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ શાસનહીલના થાય.) (૨) સારા આત્માઓની નિંદા કરે. આ બે દોષવાળાના સંયમાદિ અનુષ્ઠાનો અશુદ્ધ જાણવા. ક (४) बाह्यचरणप्रधाना कर्तव्या देशनेह बालस्य । स्वयमपि च तदाचारस्तदग्रतो नियमतः सेव्यः ।। અર્થ : ગુરુઓએ બાળજીવો આગળ લોચ, વિહારાદિ બાહ્ય ચારિત્રની જ મુખ્યતયા દેશના આપવી જોઈએ. એટલું જ નહિ પણ જે આચારનું નિરૂપણ કરે એ આચાર તે ગુરુએ પણ તેઓની આગળ અવશ્ય આદરવો જોઈએ. (૧) ૩ષ્ટ સાથુમિનિરાં માતર રૂવ માતિર પ્રવચનસ્ય | नियमेन न मोक्तव्याः परमं कल्याणमिच्छद्भिः ।। અર્થઃ ઓ સાધુઓ ! તમે પરમ કલ્યાણભૂત એવા મોક્ષને ઈચ્છો છો ને? તો ખ્યાલ રાખજો કે ક્યારેય પણ અષ્ટ પ્રવચનમાતાઓનો ત્યાગ ન કરતા. કોઈપણ ભોગે એ માતાઓનું પાલન કરજો. બાળક જેમ માતાને ન છોડે એમ તમે ય અષ્ટપ્રવચનમાતાને પકડી રાખજો. (६) एतत्सचिवस्य सदा साधोर्नियमान्न भवभयं भवति । भवति च हितमत्यंतं फलदं विधिनाऽऽगमग्रहम् ।। અર્થ : સદાય માટે અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરનારા સાધુને સંસારનો ભય ન જ હોય. એ સાધુને તો અત્યંત હિતકારી, ફલદાયી એવું વિધિપૂર્વક આગમગ્રહણ પ્રાપ્ત થાય છે. गुरुपारतन्त्र्यमेव च तद्बहुमानात्सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह बीजं तस्माच्च मोक्ष इति ।। અર્થ : “આ ગુરુ મારા સંસારનાશનું કારણ છે' એવા પ્રકારના સુંદર આશય-પૂર્વકનું, ગુરુ પ્રત્યેના બહુમાનભાવ સહિતનું જે ગુરુપારતન્ય છે એ પરમગુરુ-તીર્થંકરની પ્રાપ્તિનું બીજ છે. અને એ તીર્થકરની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મળે છે. (૭). LT VT ૧૪૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ (८) वचनाराधनया खलु धर्मस्तद्वाध्या त्वम् इति र इदमत्र धर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य ।। અર્થ : જિનેશ્વરદેવોના વચનોની આરાધનાથી જ ધર્મ છે. અને એના વચનોને બાધા પહોંચાડવાથી જ અધર્મ થાય છે. આ જ અહીં ધર્મનું રહસ્ય છે. ધર્મનું સર્વસ્વ પણ આ જિનવચન જ છે. (3) મિન્ હૃદયસ્થ સતિ હૃદયસ્પર્વતો મુનીન્દ્ર રૂતિ | हृदयस्थिते च तस्मिन्नियमात् सर्वार्थसंसिद्धिः ।। અર્થ : જો જિનેશ્વરદેવની આજ્ઞા હૃદયમાં વસેલી હોય તો પરમાર્થથી જિનેશ્વર જ હૃદયમાં વસેલા જાણવા. અને જિનેશ્વર હૃદયમાં હોય પછી તો પૂછવું જ શું? નિયમથી સર્વ પદાર્થોની સિદ્ધિ થાય. - તૃતીય (१०) रागादयो मला: खल्वागमसद्योगतो विगम एषाम् । तदयं क्रियाऽत एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य ।। અર્થ : (પુષ્ટિ+શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે. શુદ્ધિ=મલનો નાશ. એ શી રીતે થાય? એ બતાવે છે કે, રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ જે દોષો છે એ જ આત્મા ઉપર અનાદિકાળથી ચોટેલો મળ છે. જો આગમ-જિનાજ્ઞા પ્રમાણે સદ્યોગ-ક્રિયાઓ કરવામાં આવે તો અવશ્ય આ મળ નાશ પામે. જિનાજ્ઞા પ્રમાણે વિધિ-પ્રતિષેધાત્મક પ્રવૃત્તિ એ જ મળનાશનો રામબાણ ઉપાય છે. આ જિનાજ્ઞાપૂર્વકનો સદ્યોગ એ જ ક્રિયા છે. આનાથી જ ચિત્તની પુષ્ટિ + શુદ્ધિ થાય છે. (૧૧) પુષ્ટિ: પુષોપચય: શુદ્ધિા પાપયે નિર્માતા ! अनुबंधिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया ।।। અર્થ: (પણ એ પુષ્ટિ વગેરેનો અર્થ શું?) પુણ્યાનુબંધી પુણ્યનો બંધ એ પુષ્ટિ છે અને પાપનો ક્ષય થવાથી આત્મામાં જે નિર્મલતા ઉત્પન્ન થાય છે એ શુદ્ધિ છે. (આ બે ની ઉત્પત્તિ જિનાજ્ઞા પ્રમાણે વિધિપ્રતિષેધાત્મક પ્રવૃત્તિ કરવાથી થાય છે એ વાત બતાવી દીધી.) આ બે ક્રમશઃ વધતા જ જાય અને છેવટે મોક્ષની પ્રાપ્તિ થાય. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ (१२) न प्रणिधानाधाशयसंविद्व्यतिरेकतोऽनुबन्धि तत् । भिन्नग्रंथेनिर्मलबोधवत: स्यादियं च परा ।। અર્થ: પણ ઉત્પન્ન થયેલી એ શુદ્ધિ અને પુષ્ટિ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ એ પાંચ આશયોના સંવેદન વિના વૃદ્ધિ પામતી નથી. આ પાંચથી જ ઉત્પન્ન થયેલ શુદ્ધિ-પુષ્ટિ કુદકે ને ભુસકે વધવા માંડે છે. આ પ્રણિધાનાદિ પાંચ આશયોનું ઊંચા પ્રકારનું સંવેદન તો ગ્રન્થિભેદ કરી ચૂકેલા, નિર્મળ બોધવાળા સમ્યગ્દષ્ટિને જ હોય છે. (મિથ્યાત્વીને એ સંવેદન મંદકક્ષાનું હોય છે.) (૧૩) પ્રથાનં તત્સમયે સ્થિતિમત્ તક પાનુ વૈવ निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ।। અર્થ: પહેલો આશય પ્રણિધાન છે. એમાં ચાર વસ્તુ સમાયેલી છે. (૧) દા.ત. ૫૦મી ઓળી શરૂ કરી તો ૫૦ દિવસ સુધી મનમાં ચંચળતા ન આવે. એ ઓળી કરવાની દઢતા રહે. “કોઈપણ ભોગે ઓળી કરવી છે.” એવો સંકલ્પ નબળો ન પડે. (ર) જેઓ ઓળી કરવાને બદલે નવકારશી કરે છે એવા સાધુઓ પ્રત્યે દ્વેષભાવ ન કરે પણ કરૂણા કરે. (૩) ઓળી ગુરુની રજા વિના કરવી, આધાકર્મી વાપરીને કરવી, ચાર કલાક ઉંઘવું વગેરે સાવદ્ય વસ્તુવાળી ઓળી ન કરે. પણ ગુર્વાજ્ઞા હોવી, નિર્દોષ વાપરવું વગેરે નિરવદ્ય વસ્તુવાળી ઓળી કરે. (૪) પરોપકાર-કરણવાળી ઓળી કરે. સારી મળેલી વસ્તુ બીજા તપસ્વીઓને વપરાવવી, એકલા ખાઈ ન જવી, આંબિલ હોવા છતાં વિગઈ ખાનારાઓની પણ ભક્તિ કરવી. (१४) तत्रैव तु प्रवृत्तिः शुभसारोपायसङ्गताऽत्यन्तम् । ___अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ।। અર્થ એ ૫૦મી ઓળીમાં જ પ્રવૃત્તિ કરવી એ પ્રવૃત્તિ નામનો બીજો આશય છે. એમાં ત્રણ વસ્તુ સમાયેલી છે. (૧) શુભ, સારભૂત ઉપાયવાળી પ્રવૃત્તિ હોય. આધાકર્મી ગરમાગરમ રસોઈ એ ઓળી ૧૪૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ કરવા માટેનો સારભૂત ઉપાય ખરો, પણ શુભ ઉપાય ન કહેવાય. જ્યારે એકલા ઓદન, એક્લા મમરા, એક્લા પૌઆ જ વાપરવા એ શુભ ઉપાય ખરો, પણ સારભૂત ઉપાય નથી. ૫૦ દિવસ આવી રીતે આંબિલ થઈ જ ન શકે. પણ નિર્દોષ કે ગુર્વાજ્ઞા પ્રમાણે અલ્પદોષવાળા રોટલી, દાળ વગેરે શુભ અને સારભૂત ઉપાય ગણાય. એ ઉપાયોવાળી પ્રવૃત્તિ ૫૦મી ઓળીમાં કરે. (૨) ખૂબ ઉલ્લાસ-આદરપૂર્વક ઓળી કરે. ખેંચી ખેંચીને ન કરે. (૩) “ક્યારે આ ૫૦મી ઓળી પૂરી થાય એવી ઉત્સુક્તા ન હોય, તેમ “આ ઓળીનું ફળ તો કંઈ દેખાતું જ નથી. ફળ ક્યારે મળશે.” એવી ઉત્સુકતા પણ ન હોય. (१५) विघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टकज्वरमोहजयसमः प्रवृत्तिफलः ।। અર્થ : ત્રીજો વિધ્વજય નામનો આશય છે. (૧) રસ્તામાં મુસાફરને કાંટો વાગે એ કંટકવિM ગતિને ધીમી કરી નાંખે છે, એમ અહીં ઠંડીગરમી, સ્વજનોની મનાઈ, પારણું કરાવવાની જીદ વગેરે કંટકવિપ્ન છે. ભયંકર ગરમીમાં આંબિલ અઘરા પડવાથી ૫૦મી ઓળી અધવચ્ચે જ મૂકી દે. (૨) રસ્તામાં મુસાફરને તાવ આવે તો એ જ્વરવિપ્ન વધારે ખરાબ છે. એમ અહીં પણ માથું દુઃખવું, તાવ આવવો, કબજીયાત થવી વગેરે રોગો એ જ્વરવિપ્ન જેવા છે, જે આ ૫૦મી ઓળીને અટકાવે છે. (૩) રસ્તામાં મુસાફર રસ્તો જ ભૂલી જાય એ સૌથી ખરાબ દિલ્મોહ વિપ્ન છે. એમ અહીં “આંબિલ કરતા વિગઈ વાપરી સ્વાધ્યાયાદિ કરવા સારા. શાસ્ત્રમાં ય મનગમતી વસ્તુ વાપરી ધર્મ કરવાની વાત કરી છે. આંબિલમાં મન પ્રસન્ન નથી રહેતું.' વગેરે વિચારો એ દિલ્મોહ છે. આ ત્રણેય પ્રકારના વિદ્ગો ઉપર વિજય મેળવે તો એ ત્રીજો આશય ગણાય. (१६) सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया । अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ।। અર્થ : ૫૦મી ઓળી નિર્વિને પૂરી થવી એ સિદ્ધિ છે. શરૂ કરેલા તે તે કોઈપણ ધર્મસ્થાનની પ્રાપ્તિ એ સિદ્ધિ ગણાય. પણ સાચી સિદ્ધિ તો જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ : એ જ ગણાય કે જેમાં બે વસ્તુ સમાયેલી હોય : (૧) પોતાનાથી ઊંચા આત્માઓ વિશે વિનય, બહુમાનાદિ હોય, એમના પ્રત્યે તિરસ્કાર, ઈર્ષ્યા, હરિફાઈ ન હોય. દા.ત. ૫૦મી ઓળી પૂરી કરનારો સાધુ ૭૦મી ઓળીના આરાધકનો વિનય, વૈયાવચ્ચ, બહુમાનાદિ કરે. (૨) પોતાનાથી નીચા આત્માઓને વિશે દયા, વાત્સલ્ય વગેરે હોય. દા.ત. ૫૦મી ઓળીવાળો સાધુ ઓળી ન કરી શકનારાઓ પ્રત્યે દયા રાખે, વાત્સલ્ય રાખે, એમની અવગણના, હીલના ન કરે. (१७) सिद्धेश्चोत्तरकार्यं विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसंपत्त्या सुन्दरमिति तत् परं यावत् ।। અર્થ : સિદ્ધિ પછીના કાળમાં થનારું કાર્ય એ વિનિયોગ છે. પોતાને જે ઓળી વગેરે ધર્મસ્થાનની સિદ્ધિ થઈ છે એ ઓળી બીજા જીવને પણ આત્મસાત્ કરાવે. બીજાને પોતાનું ધર્મસ્થાન પમાડે તો એ વિનિયોગ છે. આ વિનિયોગ થાય તો સિદ્ધ થયેલું ધર્મસ્થાન ક્યારેય નિષ્ફળ ન જાય. પરંતુ ઉપર-ઉપરના ધર્મસ્થાનો અપાવવા દ્વારા યાવત્ સૌથી ઊંચું ધર્મસ્થાન પણ અપાવે. દા.ત. ૫૦મી ઓળીવાળો સાધુ બીજાને પણ ઓળી વગેરે કરાવે તો એની એ ૫૦મી ઓળી ૫૧, ૫૨, ૫૩ વગેરે ઓળીઓ નિર્વિઘ્ને પૂરી થાય અને એ રીતે ૧૦૦ ઓળી પૂરી કરાવે. (આ પાંચ આશય આ રીતે સ્વાધ્યાય, વૈયાવચ્ચ, અહિંસા વગેરે હજારો ધર્મસ્થાનોમાં લગાડવા.) (१८) आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥ અર્થ : આ પ્રણિધાનાદિ પાંચ વસ્તુઓ દેખાવમાં ભલે આચારસ્વરૂપ હોય. પણ પરમાર્થથી તો એ આશયના જ =માનસિક વિચારના જ ભેદો જાણવા. અને આ પાંચ આશયો એ જ ભાવ શબ્દથી ઓળખાય છે. આ ભાવ વિનાની ઊંચામાં ઊંચી ક્રિયાઓ પણ દ્રવ્યક્રિયા ગણાય છે. અને એ દ્રવ્યક્રિયા તુચ્છ છે. (१९) अस्माच्च सानुबन्धाच्छुद्ध्यन्तोऽवाप्यते द्रुतं क्रमश: । एतदिह धर्मतत्त्वं परमो योगो विमुक्तिरसः ।। ++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૪૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ અર્થ: આ પ્રણિધાનાદિ પાંચ ભાવો એ જો અનુબંધવાળા બને, વૃદ્ધિ પામે તો એના દ્વારા ક્રમશઃ ઝડપથી ઉત્કૃષ્ટ શુદ્ધિની પ્રાપ્તિ થાય. માટે જ આ પાંચ આશયો એ જ ધર્મતત્ત્વ છે. આ જ પરમયોગ છે. આ ભાવ જ મોક્ષમાં પ્રીતિવિશેષ સ્વરૂપ છે. (ર૦) અમૃતરસાસ્વાજ્ઞિ: સુમવત્તરસનાનિતોડ વહુશાસ્ત્રમ્ | | त्यक्त्वा तत्क्षणमेनं वाञ्छत्युच्चैरमृतमेव ।। અર્થ : (પાંચ આશયો દ્વારા જીવ અનાદિકાળથી સેવેલા પાપોને શી રીતે છોડી દે? એનો ઉત્તર આપે છે કે, ઘણો કાળ ખરાબ ભોજનનો રસ જ માણનારો પણ જ્યારે અમૃતરસનો આસ્વાદ માણે છે ત્યારે તે જ ક્ષણે લાંબા કાળથી સેવેલા એવા પણ કુભોજનને છોડીને અમૃતરસની જ તીવ્ર ઈચ્છા કરે છે. (२१) एवं त्वपूर्वकरणात् सम्यक्त्वामृतरसज्ञ इह जीवः । चिरकालासेवितमपि न जातु बहु मन्यते पापम् ।। અર્થ: એમ અપૂર્વકરણ કરીને સમ્યગદર્શન રૂપી અમૃતરસના આસ્વાદને માણી ચૂકેલો આત્મા પછી લાંબા કાળથી સેવેલા એવા પણ રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ પાપોને બહુમાન આપતો નથી. (२२) यद्यपि कर्मनियोगात् करोति तत् तदपि भावशून्यमलम् । अत एव धर्मयोगात् क्षिप्रं तत्सिद्धिमाप्नोति ।। અર્થ : જો કે ચારિત્રમોહનીય કર્મોની બળજબરીને લીધે એ જીવ સમ્યક્ત પામ્યા પછી પણ પાપ કરે ખરો તો પણ એ ભાવ વિના, તીવ્રતા વિના જ કરે અને માટે જ ધર્મની પ્રાપ્તિ કરીને તે ઝડપથી મોક્ષને પામે છે. (२३) औदार्य दाक्षिण्यं पापजुगुप्साऽथ निर्मलो बोधः । लिंगानि धर्मसिद्धेः प्रायेण जनप्रियत्वं च ।। અર્થ: આત્મામાં પુષ્ટિ+શુદ્ધિવાળા ચિત્તરૂપી ધર્મની સિદ્ધિ થઈ છે કે નહિ? એ જાણવા માટેના પાંચ ચિહ્નો લિગો છે. (૧) ઉદારતા, (૨) જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ દાક્ષિણ્ય, (૩) પાપજુગુપ્સા, (૪) નિર્મળ બોધ, (૫) પ્રાયઃ લોકપ્રિયતા. (ર૪) મૌવાર્ય રાખ્યત્યા કિનારાનહમ્ | गुरुदीनादिष्वौचित्त्यवृत्ति कार्येतदत्यन्तम् ।। અર્થ: કંજુસાઈ છોડી દઈને જે ચિત્તની વિશાળતા કેળવવી એ ઉદારતા છે. આ ઉદારતા હોય તો એ જીવ માતા-પિતા, વિદ્યાદાતા, ધર્મગુરુ વગેરે ગુરુજનોને વિશે અને દીન, અનાથ વગેરેને વિશે અત્યન્તપણે ઔચિત્યનું સેવન કરે. અર્થાત્ જ્યારે જ્યાં જે આપવું પડે તે આપી દે. એમાં કંજુસાઈ ન રાખે, કંજુસાઈ ચાર પ્રકારે થાય. (૧) પૈસા, વસ્ત્રાદિ ન આપી શકે એ દ્રવ્યથી, (૨) ગુર, દીનાદિને ઉચિત સ્થાન ન આપી શકે એ ક્ષેત્રથી, (૩) તેઓ માટે પોતાનો ઉચિત સમય ન ફાળવે એ કાળથી (૪) સંકુચિતભાવ રાખે એ ભાવથી કંજુસાઈ) (२५) पापजुगुप्सा तु तथा सम्यक्परिशुद्धचेतसा सततम् । पापोद्वेगोऽकरणं तदचिन्ता चेत्यनुक्रमतः ।। અર્થ : પાપજુગુપ્સાના ત્રણ વિભાગ છે. (૧) સમ્યમ્ શુદ્ધ મનથી સતત જીવનમાં થઈ ગયેલા પાપો બદલ ભારોભાર ઉદ્વેગ, ખેદ, દુઃખની લાગણી. (ર) વર્તમાનમાં ફરીથી એ પાપો ન કરવા. (૩) ભવિષ્યમાં “આ પાપ હું કરીશ.” એવો વિચાર સુદ્ધા ન કરવો. (२६) निर्मलबोधोऽप्येवं शुश्रूषाभावसंभवो ज्ञेयः । शमगर्भशास्त्रयोगात् श्रुतचिन्ताभावनासारः ।। અર્થ : આત્મામાં તત્ત્વશ્રવણની તીવ્ર ઈચ્છા પડી હોય અને સમભાવપ્રધાન એવા શાસ્ત્રોના વાંચન, શ્રવણથી જે બોધ થાય એ નિર્મલબોધ કહેવાય. એ ત્રણ પ્રકારનો હોઈ શકે. (૧) શ્રુતજ્ઞાન, (૨) ચિન્તાજ્ઞાન, (૩) ભાવનાજ્ઞાન. (જીવનમાં ઉતરી ગયેલું જ્ઞાન.) (२७) युक्तं जनप्रियत्वं शुद्धं तद्धर्मसिद्धिफलदमलम् । धर्मप्रशंसनादे/जाधानादिभावेन ।। અર્થ : લોકપ્રિયતા એ યોગ્ય જ છે, એ કંઈ ખરાબ વસ્તુ નથી, કેમકે ધર્મી માણસ જો લોકપ્રિય હોય તો લોકો એના ધર્મકાર્યની પ્રશંસા વગેરે ૧૫૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ કરવાના જ. એનાથી તે લોકોમાં આવતા ભવમાં જૈનધર્મની પ્રાપ્તિનું બીજ પડી જાય. અને એ બીજાધાન દ્વારા આ શુદ્ધ લોકપ્રિયતા અત્યંતપણે ધર્મસિદ્ધિના ફળને આપનાર બને છે. (२८) आरोग्ये सति यद्वद् व्याधिविकारा भवन्ति नो पुंसाम् । तद्वद्धर्मारोग्ये पापविकारा अपि ज्ञेयाः ।। અર્થ : (ધર્મની સિદ્ધિ થઈ ગઈ હોય તો ઉદારતાદિ ગુણો પ્રગટે એ વાત કર્યા પછી, ધર્મસિદ્ધિ થઈ ગયા પછી કયા દોષો કેમ ન હોય એ બતાવવા કહે છે કે) જેમ આરોગ્યની પ્રાપ્તિ થયા બાદ જ્વર વગેરે વ્યાધિથી ઉત્પન્ન થનારા ધ્રુજારી, માથાનો દુઃખાવો વગેરે વિકારો ન થાય એમ ધર્મરૂપી આરોગ્ય પ્રાપ્ત થયા પછી જીવને પાપ-વિકારો પણ ન થાય. (२९) तत्रास्य विषयतृष्णा प्रभवत्युच्चैर्न दृष्टिसम्मोहः । अरुचिर्न धर्मपथ्ये न च पापा क्रोधकण्डूतिः ।। અર્થ : એ ધર્મસિદ્ધિવાળા જીવમાં આટલા પાપવિકારો ન હોય. (૧) વિષયતૃષ્ણા, (૨) દૃષ્ટિસંમોહ, (૩) ધર્મમાં અરૂચિ, (૪) ક્રોધની ખંજવાળ. (३०) गम्यागम्यविभागं त्यक्त्वा सर्वत्र वर्तते जन्तुः । विषयेष्ववितृप्तात्मा यतो भृशं विषयतृष्णेयम् ।। અર્થ : વિષયતૃષ્ણા : સ્વસ્ત્રી, અનાજ, દૂધ વગેરે ગમ્ય છે જ્યારે પરસ્ત્રી, માંસ વગેરે અગમ્ય છે. પણ વિષયસુખોમાં અતૃપ્ત એવો જે આત્મા આ ગમ્ય-અગમ્યનો વિભાગ બાજુ પર મૂકી બધાયનું સેવન કરે તો એ વિષયતૃષ્ણા કહેવાય. (વિષયાસક્તિ હોવા છતાં નિર્દોષ વાપરવું, દોષિત ન જ લેવું ઇત્યાદિ કટ્ટરતા હોય તો સાધુઓ વિષયતૃષ્ણારહિત ગણાય. પણ સાધુઓ માટે અગમ્ય એવી દોષિત ગોચરી, વિજાતીયપરિચયાદિ જેઓ કરે તેઓ વિષયતૃષ્ણાવાળા ગણાય. તેમનામાં ધર્મસિદ્ધિ માની ન શકાય.) (३१) गुणतस्तुल्ये तत्त्वे संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो दोषः खलु दृष्टिसंमोहः ।। ***+++++ નનનનન જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) *********************llllllllllll ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ અર્થ : બે પદાર્થો ગુણની અપેક્ષાએ સરખા હોવા છતાં માત્ર નામભેદને આગળ કરીને જીવ આગમથી વિરુદ્ધ દૃષ્ટિવાળો જે દોષને લીધે થાય છે એ દષ્ટિસંમોહ નામનો અધમ દોષ છે. (દા.ત. ગુરુ સ્વયં વિજાતીય સાથે પરિચયાદિ કરે પણ એ પરોપકાર, કરૂણા મનાય. અને શિષ્ય જે વિજાતીય પરિચય કરે એ પાપ=બહિર્મુખતા મનાય. ગુણથી ફળની અપેક્ષાએ તો બે ય વસ્તુ સરખી હોવા છતાં પરોપકાર અને પાપ એ નામભેદ પડવાથી લોકો ગુરુને પરોપકારી અને શિષ્યને પાપી કહે છે. આ દષ્ટિસંમોહ છે. આવા લાખો પ્રકારના દષ્ટિસંમોહ હોય છે.) (३२) धर्मश्रवणेऽवज्ञा तत्त्वरसास्वाइविमुखता चैव । धार्मिकसत्त्वासक्तिश्च धर्मपथ्येऽरुचेर्लिङ्गम् ।। અર્થ: (૧) ધર્મનું શ્રવણ કરવામાં અનાદર કરે, (૨) તાત્ત્વિક પદાર્થોનો રસાસ્વાદ ચાખવાનો બિલકુલ ન ગમે, (૩) ધાર્મિક જીવો સાથે પરિચયાદિ ન કરે એ ધર્મરૂપી પથ્ય વસ્તુમાં અરુચિ હોવાના ચિહ્નો (३३) सत्येतरदोषश्रुतिभावादन्तर्बहिश्च यत् स्फुरणम् । अविचार्य कार्यतत्त्वं तच्चिह्न क्रोधकण्डूतेः ।। અર્થ : પારકાઓના સાચા કે ખોટા દોષો સાંભળીને હૃદયમાં જે ખરાબ વિચારો જાગે અને મોઢા વગેરે ઉપર જે અપ્રસન્નતાદિ છવાઈ જાય અને વગર વિચાર્યું કંઈપણ કરી બેસે તો એ બધું ક્રોધખંજવાળનું ચિહ્ન છે. (કોકે કહ્યું કે, “પેલા સાધુએ તમારી તરાણી તોડી છે.” એ વાત સાચી હોય કે ખોટી પણ એ સાંભળી મનમાં એ સાધુ માટે ગમે તેવા વિચાર આવે, મુખની રેખાઓ તંગ થઈ જાય અને આગળપાછળનો વિચાર કર્યા વિના એ સાધુ માટે ગમે તેવા અસભ્ય વચનો બોલી દે એ ક્રોધકંડૂતિની નિશાની છે.) (३४) एते पापविकारा न प्रभवन्त्यस्य धीमतः सततम् । धर्मामृतप्रभावाद् भवन्ति मैत्र्यादयश्च गुणाः ।। #########################++++++++++++++++++++++++ ++++++++ ૧૫૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ અર્થ : આ ચાર પાપવિકારો બુદ્ધિમાન, ધર્મવાનું આ આત્માને ક્યારેય હોતા નથી. ઉલ્યું, એનામાં રહેલા ધર્મના પ્રભાવથી એ જીવમાં મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યચ્ય એ ચાર ગુણો ઉત્પન્ન થાય છે. (३५) येषामेषा (अविधिसेवा) तेषामागमवचनं न परिणतं सम्यक् । अमृतरसास्वादज्ञः को नाम विषे प्रवर्तेत ? ।। અર્થ : જે જીવો અવિધિનું સેવન કરે છે તેઓ ભલે ગમે એટલો આગમનો બોધ ધરાવતા હોય તો ય એ આગમવચનો એમને સમ્યફ પરિણમ્યા નથી જ. સાવ સરળ વાત છે કે, અમૃતરસના આસ્વાદને માણ્યા બાદ કોણ વળી ઝેર પીવા જાય ? એમ આગમવચનોને સમ્યફ પરિણમાવી ચૂકેલો આત્મા અવિધિનું સેવન ન કરે. (३६) उदकपयोऽमृतकल्पं पुंसां सज्ज्ञानमेवमाख्यातम् । विधियत्नवत्तु गुरुभिर्विषयतृडपहारि नियमेन ।। અર્થ: શ્રુતજ્ઞાન એ પાણી જેવું છે. તરસ છિપાવે પણ ભૂખ ન મટાડે. ચિન્તાજ્ઞાન એ દૂધ જેવું છે. ભૂખ મટાડે પણ મોત ન મટાડે. જ્યારે ભાવનાજ્ઞાન એ અમૃત જેવું છે. મોત પણ મટાડી દે. ગુરુજનો કહે છે કે. આ ત્રણેય જ્ઞાન અવશ્ય વિધિમાં યત્ન કરાવે. અર્થાત જે સાચો શ્રુતજ્ઞાની, ચિન્તાજ્ઞાની કે ભાવનાજ્ઞાની હોય તે પોતાના જ્ઞાનથી જણાયેલી વિધિમાં યત્ન કરે જ. અને આ જ્ઞાન વિષયસુખોની તૃષ્ણાને હરણ કરી લેનાર છે. (३७) श्रृण्वन्नपि सिद्धान्तं विषयपिपासातिरेकतः पापः । प्राप्नोति न संवेगं तदाऽपि यः सोऽचिकित्स्य इति ।। અર્થ : ગુરુ જ્યારે વૈરાગ્યનો ઉપદેશ આપતા હોય, સિદ્ધાન્તનું વર્ણન કરતા હોય એ વખતે જે પાપી શિષ્ય સિદ્ધાન્ત સાંભળતો હોવા છતાં એ સાંભળતી વખતે પણ સંવેગને ન પામે એ અચિકિત્સ્ય-ત્રીજા સ્ટેજના જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક). ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ કેન્સરવાળો જાણવો. (ગુરુ વિગઈની ભયંકરતા વર્ણવે તે વખતે તો શિષ્યને થાય જ કે, “મારે આ બધું છોડી દેવું જોઈએ.” પણ એટલું પણ ન થાય તો એ અચિકિત્સ્ય બને.) (३८) नैवंविधस्य शस्तं मण्डल्युपवेशनप्रदानमपि । कुर्वन्नेतद् गुरुरपि तदधिकदोषोऽवगन्तव्यः ।। અર્થ: આવા પ્રકારના અપાત્ર આત્માને સૂત્રમાંડલી કે અર્થમાંડલીમાં બેસવાની પણ રજા આપવી એ યોગ્ય નથી. જે ગુરુ આવા અપાત્રોને પણ સૂત્રમાંડલી વગેરેમાં બેસવાની રજા આપે છે એ ગુરુ એ અપાત્ર શિષ્ય કરતા પણ વધારે ગુન્હેગાર બને છે. () યોજાનાશિવાળવ્ય સનાં મતે રીતિ . सा ज्ञानिनो नियोगाद् यथोदितस्यैव साध्वीति ।। અર્થ: “દી એટલે વિશ્વને કલ્યાણનું દાન, “ક્ષા એટલે આત્માના દોષોનો, આપત્તિઓનો ક્ષય. જે દીક્ષા જગતને કલ્યાણનું દાન કરે અને આત્માના દોષાદિનો ક્ષય કરે તે જ દીક્ષા સજ્જનોને માન્ય છે. આવી જિનેશ્વરોએ કહેલી વાસ્તવિક દીક્ષા તો જ્ઞાનીની પાસે જ હોય. (४०) यो निरनुबन्धदोषाच्छ्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः । गुरुभक्तो ग्रहरहितः सोऽपि ज्ञान्येव तत्फलतः ।। અર્થ : 'તો પછી જ્ઞાની ન બનેલા, અભણ, મંદબુદ્ધિવાળાઓ પાસે સાચી દીક્ષા નહિ ને? એનો ઉત્તર આપે છે કે, અજ્ઞાની, અલ્પજ્ઞાની એવા પણ જે આત્માના દોષો અનુબંધ વિનાના થઈ ગયા હોય અને માટે જે શ્રદ્ધાવાળો બનેલો હોય, જેને માત્ર તીવ્ર બુદ્ધિના અભાવને લીધે જ શાસ્ત્રોના ગૂઢ પદાર્થોનું જ્ઞાન ન હોય. (નહિ કે મિથ્યાત્વના ઉદયથી, ભણવા છતાં એમાં શ્રદ્ધા ન બેસવાથી. અજ્ઞાની અનાભોગવાનું) જે પાપભીરું હોય, ગુરુનો ભક્ત હોય, કદાગ્રહ વિનાનો હોય તે પણ ખરેખર તો જ્ઞાની જ કહેવાય, કેમકે જ્ઞાનીને જે ફળ મળે એ જ આને પણ મળે અને એટલે આવા જ્ઞાની આત્માને પણ સાચી દીક્ષા હોય. ૧૫૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ (४१) व्याध्यभिभूतो यद्वन्निर्विण्णस्तेन तकियां कत्मात् । सम्यक्करोति तद्वद्दीक्षित इह साधुसच्चेष्टा ना અર્થ : મોટા રોગોથી હેરાન-પરેશાન થયેલો અને માટે જ ખૂબ કંટાળી ગયેલો રોગી જેમ વૈદ્ય કહેલી એ રોગ મટાડવાની બધી જ ક્રિયાઓ એકદમ પ્રયત્નપૂર્વક કરે છે, પ્રમાદ નથી કરતો એમ સંસારરોગથી હેરાન થયેલો, કંટાળેલો દીક્ષિત આત્મા પણ સાધુજીવન સંબંધી શુભ ચેષ્ટાઓ અવશ્ય સારી રીતે કરે. (४२) गुरुविनयः स्वाध्यायो योगाभ्यासः परार्थकरणं च । इतिकर्तव्यतया सह विज्ञेया साधुसच्चेष्टा ।। અર્થ: દીક્ષિત સાધુએ પાંચ શુભ ચેષ્ટાઓ આચરવાની છેઃ (૧) ગુરુવિનય, (૨) સ્વાધ્યાય, (૩) યોગાભ્યાસ, (૪) પરાર્થકરણ, (૫) ઈતિકર્તવ્યતા. (४३) औचित्याद् गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः ।। અર્થ : ગુરુવિનય ઃ (૧) ઔચિત્યપૂર્વક ગુરુની ભરપૂર સેવા કરવા દ્વારા સૂચિત થતો ગુરુ ઉપર અસીમ બહુમાનભાવ. (૨) “ગુરુએ મારા ઉપર કેવા કેવા ઉપકારો કરેલા છે એને બરાબર જાણતો-સમજતો હોય. ગુરુના ઉપકારોને ભૂલી ન જાય. (૩) ગુરુની આજ્ઞાનો ક્યારેય અસ્વીકાર ન કરે. સહર્ષ સ્વીકારે. (૪) એટલું જ નહિ, બરાબર એ આજ્ઞાનું પાલન કરે. આ ચાર વસ્તુ હોય તો ગુરુવિનય કહેવાય. (४४) यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो विनिर्दिष्टः ।। અર્થ : વિધિપૂર્વક ક્રમશઃ જે વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારના સ્વાધ્યાયનું આસેવન કરવામાં આવે તે સ્વાધ્યાય કહેવાયેલો છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ (४५) स्थानोर्णालम्बनतदन्ययोगपरिभावनं सम्यक् । परतत्त्वयोजनमलं योगाभ्यास इति तत्त्वविदः ।। અર્થ : પ્રતિક્રમણાદિ સર્વ ક્રિયાઓમાં (૧) યોગમુદ્રા, જિનમુદ્રાદિ બધી મુદ્રાઓ સાચવે. (સ્થાન) (૨) સૂત્રોનો ઉચ્ચાર સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ મુજબ કરે. (ઉણ) (૩) એના અર્થમાં ઉપયોગ રાખે. (૪) તે તે સૂત્રોના આલંબનભૂત અરિહંતાદિમાં ઉપયોગ રાખે. (૫) છેલ્લે આલંબન પણ છોડી એકાકાર બની જાય. આ પાંચ પ્રકારના યોગોનું સારી રીતે સેવન ઝડપથી મોક્ષને આપનાર છે. અને આ જ યોગાભ્યાસ કહેવાય છે. (४६) विहितानुष्ठानपरस्य तत्त्वतो योगशुद्धिसचिवस्य । भिक्षाटनादि सर्च परार्थकरणं यते यम् ।। અર્થ: જે સાધુ પરમાત્માએ બતાવેલા સાધુજીવનને ઉચિત અનુષ્ઠાનમાં લીન બની ગયો હોય, જેના મન-વચન-કાયાના યોગો શુદ્ધ હોય એ સાધુની ભિક્ષાટન, વિહાર, ચંડિલભૂમિગમન, લોચાદિ તમામ ક્રિયાઓ પરાર્થકરણ જ જાણવું. (४७) सर्वत्रानाकुलता यतिभावाव्ययपरा समासेन । कालादिग्रहणविधौ क्रियेतिकर्त्तव्यता भवति ।। અર્થ : ચાલવું, ખાવું, પ્રતિક્રમણાદિ તમામે તમામ ક્રિયાઓમાં બિલકુલ ઉતાવળ ન કરે અને એને લીધે જે સમભાવરૂપી સાધુતા છે એનો લેશ પણ વ્યાઘાત ન થાય. તથા કાલગ્રહણાદિની વિધિમાં પ્રવૃત્તિ કરે એ ઈતિકર્તવ્યતા કહેવાય. (४८) इति चेष्टावत उच्चैर्विशुद्धभावस्य सद्यतेः क्षिप्रम् । मैत्रीकरुणामुदितोपेक्षाः किल सिद्धिमुपयान्ति ।। અર્થ : આ પ્રમાણે ગુરુવિનયાદિ પાંચ પ્રકારની ચેષ્ટાઓને જે સાધુ સારી રીતે આચરે, વિશુદ્ધ ભાવવાળા એવા તે સાધુના આત્મામાં ખૂબ ઝડપથી મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યશ્મ એ ચાર ભાવનાઓ સિદ્ધ થાય છે. ૧૫૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ (४९) एता: चतुर्विधाः खलु भवन्ति सामान्यतश्चतस्रोऽपि । एतद् भावपरिणतावन्ते मुक्तिर्न तत्रैताः ।। અર્થ : આ ચાર ભાવનાઓને સારી રીતે આત્મસાત્ કરવી હોય તો એનો વારંવાર અભ્યાસ કરવો પડે. જે આત્માઓ જિનાજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, જેઓ સુંદર આચારવાળા અને સતત શ્રદ્ધાવાળા છે તે આત્માઓ આ ચાર ભાવનાઓને વારંવાર ભાવીને આત્મસાત્ કરે છે. (५०) अभ्यासोऽपि प्रायः प्रभूतजन्मानुगो भवति शुद्धः । कुलयोग्यादीनामिह तन्मूलाधानयुक्तानाम् ।। અર્થ : (અમે પણ મૈત્યાદિ ભાવનાનો અભ્યાસ કરીએ છીએ છતાં એ ભાવનાઓ આત્મસાત્ થતી દેખાતી નથી તેનું શું કારણ ?) અશુદ્ધ અભ્યાસથી કામ ન થાય. શુદ્ધ અભ્યાસથી કામ થાય. અને પ્રાયઃ કરીને ઘણા બધા ભવોમાં આ મૈત્ર્યાદિનો અભ્યાસ કરીએ ત્યારે ઘણા ભવો પછી એ શુદ્ધ બને. અને એ પણ એ મૈત્યાદિના બીજના વાવેતરવાળા કુલયોગીઓ વગેરેને શુદ્ધ બને. (જૈનાદિ કુટુંબોમાં જન્મેલા અને એમના સુંદર ધર્મને અનુસરનારાઓ કુલયોગી કહેવાય.) (५१) अविराधनया यतते यस्तस्यायमिह सिद्धिमुपयाति । गुरुविनयः श्रुतगर्भो मूलं चास्या अपि ज्ञेयः ।। અર્થ,: વળી, જે સાધુઓ કોઈપણ જાતની વિરાધનાઓ કર્યા વિના સંયમમાં પ્રવૃત્તિ કરે છે તેઓને આ મૈત્ર્યાદિ ભાવનાઓનો અભ્યાસ સિદ્ધ થાય છે. પણ એ અવિરાધનાનું મૂળ કોણ છે ? એ છે, શ્રુતગર્ભિત એવો ગુરૂવિનય. શાસ્ત્રાનુસારી ગુરુવિનય તમામ વિરાધનાઓને ભગાડી મૂકવા સમર્થ છે. (५२) सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव । दुष्कृतसुकृतविपाकालोचनमय मूलमस्यापि । *÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ +++++++++++ મનનનનનનનન જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ અર્થ : આવા ચૈત્ર્યાદિ ભાવનાઓના અભ્યાસને શુદ્ધ કરનાર શ્રુતગર્ભિત વિનયનું મૂળ કોણ ? કોણ આ વિનય અપાવે ? એ ગુરુવિનય અપાવનાર ચાર વસ્તુઓ છે. (૧) સિદ્ધાન્તકથા-શાસ્ત્રોનો સ્વાધ્યાય, (૨) સત્પુરુષો સાથે સંપર્ક-સદ્ગુરુઓનો સંગ, (૩) પોતાના મોતનો વિચાર, (૪) પાપોના અને પુણ્યોના વિપાકોનું ચિંતન. (५३) एतस्मिन्खलु यत्नो विदुषा सम्यक् सदैव कर्त्तव्यः । आमूलमिदं परमं सर्व्वस्य हि योगमार्गस्य ।। અર્થ માટે બુદ્ધિમાને હંમેશા આ સિદ્ધાન્તકથાદિ ચાર વસ્તુમાં જ સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ. મોક્ષ અપાવનાર યોગમાર્ગનું મૂળ કારણ આ ચાર વસ્તુ છે. કેટલો સુંદર ક્રમ છે ? (૧) સિદ્ધાન્તકથાદિ ચાર વસ્તુઓ સાધો, (૨) એનાથી શ્રુતગર્ભિત ગુરુવિનય પામો, (૩) એનાથી મૈત્ર્યાદિ ભાવનાઓના અભ્યાસની શુદ્ધિ પામો, (૪) એનાથી મૈત્ર્યાદિ ભાવનાઓને સિદ્ધ કરો, (૫) એનાથી મોક્ષ પામો. (५४) धर्मश्रवणे यत्नः सततं कार्यो बहुश्रुतसमीपे । हितकाङ्क्षिभिर्नृसिंहैर्वचनं ननु हारिभद्रमिदम् ।। અર્થ : સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મહારાજનું આ વચન છે કે, “પોતાના આત્માનું હિત ઇચ્છતા એવા ઉત્તમપુરુષોએ બહુશ્રુત-જ્ઞાની એવા મહાત્માઓ પાસે ધર્મનું શ્રવણ કરવામાં સતત પ્રયત્ન કરવો જોઈએ.” મનનનનન+ ૧૫૮ *********** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ શાસ્તસુધારસ (१) यदि भवभ्रमखेदपराङ्मुखम्, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । श्रृणुत तत्सुधियः शुभभावनाऽमृतरसं मम शान्तसुधारसम् ।। અર્થ : રે આત્મન્ ! અનંતકાળથી આ સંસારમાં ભટકી ભટકીને તને ખૂબ થાક લાગ્યો હશે જ. શું તું એ થાકથી ત્રાસ્યો છે? શું તારું મન અનંત સુખની પ્રાપ્તિ માટે ઉત્સુક બન્યું છે ? જો હા, તો પછી ઓ બુદ્ધિમાન્! તું શુભ ભાવનાઓ રૂપી અમૃતરસથી ભરેલા મારા શાન્ત સુધારસ ગ્રન્થને સાંભળ. (२) सुखमनुत्तरसुरावधि यदतिमेदुरम्, कालतस्तदपि कलयति विरामम् । कतरदितरत्तदा वस्तु सांसारिकम्, स्थिरतरं भवति चिन्तय निकामम् ।। અર્થ : અહો ! પેલા અનુત્તરવાસી દેવોનું સુખ ! ૩૩ સાગરોપમ સુધી ટકનારું ! કેટલું બધું મનોહર ! પણ બિચારું એ સુખ પણ ૩૩ સાગરોપમને અંતે વિરામ પામે છે, નષ્ટ થાય છે. તો પછી આત્મન્ ! તું ખૂબ સારી રીતે વિચાર કે આવું ૩૩ સાગરોપમ જેટલો વિશાળ કાળ ટકનાર સુખ પણ જો અસ્થિર હોય તો સંસારની બીજી કઈ વસ્તુ વધારે સ્થિર હોઈ શકે ? બધું જ અનિત્ય છે. (३) यैः समं क्रीडिता ये च भृशमीडिताः यैः सहाकृष्महि प्रीतिवादम् । तान् जनान् वीक्ष्य बत भस्मभूयंगतानिर्विशङ्काः स्म इति धिक प्रमादम् ।। અર્થ : ચેતન ! જે મિત્રો, ભાઈઓ સાથે બાળપણમાં તું રમતો હતો, જે માતા-પિતા, કલાચાર્ય, વડીલોની તેં પૂજા-ભક્તિ ખૂબ કરી હતી, જે સ્વજનાદિની સાથે તું મીઠી, સ્નેહભરપૂર વાતો કરતો હતો એવા કેટલાય મિત્રો વગેરેને તેં તારી આંખ સામે શ્મશાનની ભડભડ બળતી આગમાં રાખ બનતા જોયા છે. શું આ જોયા પછી પણ તારી આંખ ઉઘડતી નથી? તને તારા મોતનો ડર લાગતો નથી? ખરેખર, તારા આ પ્રમાદને કરોડો ધિક્કાર હો ! (૪). कवलयन्नविरतं जङ्गमाजङ्गमम् जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतैर्न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૫૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ અર્થ : આ નિર્દય યમરાજ ! જરાય થાક્યા વિના સતત આ સ્થાવર-જંગમ વિશ્વને, વિશ્વમાં રહેલી વસ્તુઓને કોળીયા બનાવી ખાઈ રહ્યો છે. યમરાજના મોઢામાં પહોંચી ગયેલા કરોડો જડ-ચેતન પદાર્થોને એ ચાવી રહ્યો છે. અને આપણે ? આપણે અત્યારે એના હાથમાં કોળીયા તરીકે પહોંચી ચૂક્યા છીએ. એ યમરાજ આપણને મોઢામાં મૂકે એટલી જ વાર છે. આવી આપણી દશા છે તો શું આપણે બચી શકશું? શું મરણ નહિ પામીએ ? પામશું જ. (५) ये षट्खंडमहीमहीनतरसा निर्जित्य बभ्राजिरे । ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुरा: । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैर्निर्दल्यमाना हठा दत्राणाः शरणाय हा दशदिशः प्रेक्षन्त दीनाननाः ।। અર્થ : પેલા ચક્રવર્તીઓ ! ષખંડની ધરતીને પોતાના અમાપ બળ વડે જીતીને વિશ્વમાં શોભતા હતા. પેલા સ્વર્ગને ભોગવનારા દેવો ! પોતાના બાહુબળના ભારે અભિમાનવાળા તેઓ આનંદથી મસ્ત રહેતા હતા. પણ જ્યારે યમરાજે પોતાના મુખના દાંતો વડે એમને ચાવવાની શરૂઆત કરી કે એ બિચારાઓને બચાવનાર કોઈ ન રહ્યું. રક્ષણ વિનાના એ ચક્રવર્તીઓ અને દેવો ભિખારી જેવા દીન મુખવાળા બની શરણ મેળવવા દશેય દિશાઓમાં જોવા લાગ્યા. (૬) તાવયેવ મવિભ્રમમાળી, તાવડેવ મુળૌરવશાળી | यावदक्षमकृतान्तकटाक्षैनेक्षितो विशरणो नरकीटः || અર્થ : આ બાપડો કીડા જેવો મનુષ્ય ત્યાં સુધી જ અહંકારના વિલાસવાળો અને પોતાના ગુણોના ગૌરવવાળો હોય છે જ્યાં સુધી યમરાજ પોતાના અસહ્ય કટાક્ષો વડે એ શરણહીન કીડાને જોતો નથી. અર્થાત્ મોત સામે આવે એટલે બધી હોંશિયારીઓ ખલાસ થઈ જાય છે. (७) सहित्वा सन्तापानशुचिजननी कुक्षिकुहरे, ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्स्पृशति कथमप्यर्तिविरतिं, जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ।। ************** ૧૬૦ |||||||||||| |÷÷÷÷††††††††††††††††††††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ અર્થ: ઓ જીવ ! તું તારા જન્મથી માંડીને મરણ સુધીના જીવનનું સરવૈયું તો કાઢ. સૌ પ્રથમ તો તે વિષ્ઠાથી ભરેલી માતાની કુણિરૂપી ગુફામાં ઊંધે માથે લટકીને પુષ્કળ સંતાપ સહન કર્યો. ત્યારબાદ પુષ્કળ કષ્ટોને વેઠી, હેરાન-પરેશાન થઈ તું જન્મ પામ્યો. હવે ખાવાપીવા, સ્ત્રી વગેરે રૂપ આભાસિક સુખો વડે જ્યાં તું માંડ માંડ દુઃખોને દૂર કરી રહ્યો છે ત્યાં તો મૃત્યુની બહેનપણી જરા-ઘડપણ જ તારા શરીરને કોળીયો બનાવી ગળી જશે. તું શું પામ્યો? (૮) વન વિમા સુર્વમવનું, સંતરંથ સાવ રે विप्रलम्भयति शिशुमिव जनम्, कालबटुकोऽयमत्रैव रे ।। અર્થ: આ કાળબટુક ખરેખર મોટો ઠગ છે ! એ કાળ જીવને કંઈક ધન, સ્ત્રી, પુત્રાદિ સુખવૈભવને દેખાડે છે. જીવ એમાં લોભાય છે. અને એ હજી સુખને ભોગવે-ન ભોગવે ત્યાં તો કાળ અચાનક જ એ વૈભવને પાછો ખેંચી લે છે. મોટાઓ જેમ છોકરાને લોભાવીને ઠગે એમ આ કાળ લોકોને ઠગી રહ્યો છે. (3) કૃતિનાં સ્થિતિ ચિન્તન, પારેવું યથા વિપત્ત ! विविधार्तिभयावहं तथा, परभावेषु ममत्वभावनम् ।। અર્થ: સજ્જનો જો પારકાની પત્નીઓને વિશે “આ મારી પત્ની છે એવો વિચાર પણ કરે તો એમને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વખત આવે. તો જેમ બીજાની પત્ની એ પારકી હોવાથી વિપત્તિકારક છે તેમ આત્મા માટે તો જગતના સર્વપદાર્થો પારકા છે. એ પારકા પદાર્થોમાં મમત્વભાવના-આ મારું ઘર, મારા પિતા, મારી માતા... એ વિચારો જાતજાતના દુઃખો અને ભયોને નોંતરનારા છે. માટે ક્યાંય મમતા ન કરવી. (१०) परः प्रविष्टः कुरुते विनाशम्, लोकोक्तिरेषा न मृषेति मन्ये । निर्विश्य कर्माणुभिरस्य किं किं ज्ञानात्मनो नो समपादि कष्टम् ? અર્થ : એવી એક લોકવાયકા છે કે, “પારકો કોઈ માણસ ઘરમાં પેસી જાય તો એ ઘરનું નખ્ખોદ કાઢે.” જો કે આ તો લોકવાયકા છે. પણ મને જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્ત સુધારસ) ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ તો લાગે છે કે આ વાત ખોટી નથી, કેમકે મને એનો સાક્ષાત્ અનુભવ થયો છે. જુઓને ! આ પારકા કર્મપુદ્ગલોએ મારા અનંતજ્ઞાની આત્મગૃહમાં પ્રવેશ કરી બિચારા એ આત્માને કયા કયા કષ્ટો નથી આપ્યા ? કર્મોએ આત્માના ઘરમાં ઘૂસી એ આત્માને અધમુઓ કરી નાંખ્યો. (११) यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिशं मोदसे । यद्यच्छोचसि यद्यदिच्छसि हृदा यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषु निजस्वभावममलं निर्लोठ्य लालप्यसे । तत्सर्वं परकीयमेव भगवन्नात्मन्न किञ्चित्तव || ', અર્થ : ચેતન ! તું જે શિષ્ય, ઉપધિ, ભોજનાદિ મેળવવાને માટે પુષ્કળ પ્રયત્નો કરે છે. જે સાપ વગેરેથી ખૂબ ભય પામે છે. જે અનુકૂળ ભોજન, સંથારાદિમાં તું આનંદ માણે છે. જે અનુકૂળ વસ્તુઓ ન મળવાથી તું એને માટે શોક કરે છે. જે ઇષ્ટવસ્તુઓને તું સતત ઝંખે છે. જે વસ્તુઓને પામીને તું ખૂબ ખૂબ રાજી થાય છે. જે વિષયસુખોમાં સ્નેહ કરીને તું તારા જ નિર્મળ સ્વભાવને પણ બાજુ ૫૨ મૂકી ગમે તેમ બોલ બોલ કરે છે એ શિષ્યો, ઉપધિ, ભોજન, સર્પ, વિષયસુખો વગેરે વગેરે બધું જ પારકું છે. ઓ ભગવન્ ! આત્મન્ ! એમાં મારું તો કંઈ જ નથી. (१२) दुष्टाः कष्टकदर्थनाः कति न ताः सोढास्त्वया संसृतौ । तिर्यङनारकयोनिषु प्रतिहतश्छिन्नो विभिन्नो मुहुः । सर्वं तत्परकीयदुर्विलसितं विस्मृत्य तेष्वेव हा । रज्यन्मुह्यसि मूढ ! तानुपचरन्नात्मन्न किं लज्जसे ।। અર્થ : આત્મન્ ! તું એ તો વિચાર કે આ સંસારમાં તે કેટલા દુષ્ટ કષ્ટો, કેટલી દુષ્ટ કદર્થનાઓ સહન નથી કરી ? બધું જ સહ્યું છે. તિર્યંચ અને નારકની યોનિઓમાં તો તું અનંતીવાર છેદાયો છે, ભેદાયો છે, હણાયો છે. એ બધું જ એકમાત્ર પરપુદ્ગલોનું જ કારસ્તાન છે. એ ભોજન, સ્ત્રી વગેરે પારકા પુદ્ગલોએ તને આસક્ત ÷††††††††¦¦÷÷÷÷÷÷÷÷÷÷÷÷///////////÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૬૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ બનાવ્યો. એનાથી તે પુષ્કળ કર્મપુદ્ગલો બાંધ્યા. અને એ ય પારકા કર્મોએ તારી આ દશા કરી. શું તું આ બધું જ ભૂલી ગયો? અને ભૂલીને પાછો એ જ પુદ્ગલોમાં રાણ કરે છે ? એમાં મૂઢ બને છે. ઓ મૂઢ! એ વિષયસુખોનું સેવન કરતા તને શરમ નથી આવતી ? (१३) स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिर्वारं वारं बत मलतनुं चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमला प्रीतिमित्याश्रयन्ते नो शुध्यन्ते कथमवकरः शक्यते शोधुमेवम् ।। અર્થ : બિચારા મૂઢ જીવો ! શુદ્ધ પાણી વડે નાહીને ય વારંવાર સ્નાન કરે છે. મેલા શરીરને નવડાવે છે. ત્યારબાદ ચંદન અને અત્તરના વિલેપન કરે છે. કરૂણાપાત્ર એ જીવો એમ સમજે છે કે, ‘અમે મેલ વિનાના શુદ્ધ બની ગયા’ અને એમ માની આનંદિત થાય છે. હકીકત એ છે કે તેઓ ક્યારેય શુદ્ધ બનતા જ નથી. શરીર એકલી ગંદકીથી ભરેલું જ છે. બહાર પણ ૯/૧૨ દ્વારોથી ગંદકી નીકળ્યા જ કરે છે. આ મૂઢ લોકોને કોણ સમજાવે કે, ઉકરડો શુદ્ધ કરવો શી રીતે શક્ય બને ? (१४) यदीयसंसर्गमवाप्य सद्यो भवेच्छुचीनामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्वपुषोऽस्य शौचसङ्कल्पमोहोऽयमहो महीयान् ।। અર્થ : આ શરીરની વિચિત્રતા તો જુઓ ! જે જે પવિત્ર વસ્તુઓ આ શરીરના સંસર્ગમાં આવે છે તે બધી જ વસ્તુઓ અશુચિ-અપવિત્ર બની જાય છે. ૩૨ પકવાનો શરીરનો સંબંધ પામી વિષ્ઠા અને ઉલ્ટી બને છે. અત્તર પરસેવા સાથે ભળી છેવટે દુર્ગંધી બને છે. પીધેલા દૂધપાક, સરબત મૂત્ર અને પરસેવો બને છે. અરેરે ! આ શરીર તો ગંદકીઓનું જ ઉત્પત્તિસ્થાન છે. આ શરીરને પવિત્ર માનવું, આ શરીરને પવિત્ર કરવાનો સંકલ્પ કરવો એ તો ઘણું મોટું અજ્ઞાન છે. ++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷1 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ++++†††††††††††††††††††♪♪||÷÷÷÷÷÷÷÷÷†††††† ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ (१५) यावत्किञ्चिदिवानुभूय तरसा कर्मेह निर्जीर्यते । तावच्चाश्रवंशत्रवोऽनुसमयं सिञ्चन्ति भूयोऽपि तत् । हा कष्टं कथमाश्रवप्रतिभटाः शक्या निरोद्धं मया । संसारादतिभीषणान्मम हहा मुक्तिः कथं भाविनी ।। અર્થ: ઓ ભગવન્! હજી તો હું મારી શક્તિ પ્રમાણે કંઈ ને કંઈ પાપકર્મોને ભોગવી ભોગવીને ખલાસ કરું ત્યાં તો બીજી બાજુ આશ્રવકર્મબંધના કારણો-વિષયકષાયાદિ પ્રત્યેક સમયે બીજા અનંતા કર્મો મારા આત્મામાં નાંખતા જ જાય છે. ઓ પ્રભો! કહો તો ખરા ! આ આશ્રવરૂપી શત્રુસૈનિકોને મારે શી રીતે અટકાવવા? અને જો એ નહિ અટકે તો પછી આ અતિભયંકર સંસારમાંથી મારો મોક્ષ શી રીતે થશે? (१६) यस्य प्रभावादिह पुष्पदन्तौ, विधोपकाराय सदोदयेते । ग्रीष्मोष्मभीष्मामुदितस्तडित्वान्, काले समाश्वासयति क्षितिं च ।। અર્થ : ચારિત્રધર્મના પ્રભાવથી જ આ જગતમાં વિશ્વના જીવો ઉપર ઉપકાર કરવા માટે રોજ સૂર્ય-ચંદ્ર ઉદય પામે છે. અરે, આ આકાશમાં આવી ગયેલા વાદળો ઉનાળાની ભયંકર ગરમીથી ધગી ઉઠેલી ધરતીને પાણી વરસાવીને શીતળ બનાવવાનું જે કામ કરે છે એ પણ ચારિત્રધર્મનો જ પ્રભાવ છે ! (१७) उल्लोलकल्लोलकलाविलासैर्न प्लावयत्यम्बुनिधिः क्षितिं यत् । न घ्नन्ति यद्व्याघ्रमरुद्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ।। અર્થ : ઊંચા ઉછળતા મોજાઓના વિલાસો વડે સમુદ્ર આ ધરતીને ડુબાડી નથી દેતો એ પણ ચારિત્રધર્મનો જ પ્રભાવ છે. આ જંગલી પશુઓ, વંટોળીયાઓ, દાવાનળો સમગ્ર વિશ્વનો નાશ નથી કરી દેતા એ પણ ચારિત્રધર્મનો જ સઘળો પ્રભાવ છે. (૧૮) यस्मिन्नैव पिता हिताय यतते, भ्राता च माता सुतः । सैन्यं दैन्यमुपैति चापचपलम्, यत्राऽफलं दोर्बलम् । तस्मिन् कष्टदशाविपाकसमये, धर्मस्तु संवर्मितः । सज्जः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोद्यमः ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૬૪ Page #174 -------------------------------------------------------------------------- ________________ : અર્થ : જીવનમાં એવી કોઈ જોરદાર આફતો, મુશ્કેલીઓ આવી પડે કે જેમાં સગો બાપ પણ આપણા હિત માટે પ્રયત્ન ન કરે. ભાઈ, દીકરો કે બા પણ આપણું હિત ન કરી શકે. કદાચ આપણે રાજા હોઈએ તો ય એ મુશ્કેલીમાં આપણું સૈન્ય પણ દીન બની જાય. આપણું બાહુબળ ઈન્દ્રધનુષ્યના જેવું ચંચળ, નિષ્ફળ બની જાય. એવી અતિભયંકર આફતના સમયે કોણ બચાવે ? હા ! એ વખતે આ આરાધેલો ચારિત્રધર્મ જ આપણી રક્ષા કરે. જાણે કે એ ધર્મરાજ બાર પહેરી આપણી રક્ષા કરવા માટે સજ્જ બની જાય. અરે, એ ધર્મરાજ તો આખા વિશ્વનું રક્ષણ કરવા માટે ઉદ્યમશાળી સજ્જન પુરુષ છે. (१९) प्राज्यं राज्यं सुभगदयिता, नन्दना नन्दनानाम् । रम्यं रूपं सरसकविताचातुरी सुस्वरत्वम् । नीरोगत्वं गुणपरिचयः, सज्जनत्वं सुबुद्धिम् । किं नु ब्रूमः फलपरिणतिम्, धर्मकल्पद्रुमस्य ।। અર્થ : : આ ચારિત્રધર્મ તો કલ્પવૃક્ષ છે. એના ફળોનું તો અમે શું વર્ણન કરીએ ઃ (૧) વિશાળ રાજ્ય, (૨) સૌભાગ્યવંતી પત્ની, (૩) દીકરાઓને ત્યાં પણ દીકરાઓ, (૪) મનોહર રૂપ, (૫) સુંદર કવિતાઓ રચવાની ચતુરાઈ, (૬) કર્ણપ્રિય બને એવો મધુર સ્વર, (૭) નીરોગી શરીર, (૮) આત્મગુણોનો પરિચય-અભ્યાસ, (૯) સજ્જનતા, (૧૦) સત્બુદ્ધિ આ બધા ચારિત્રધર્મના ફળો છે. (२०) पालय पालय रे पालय मां जिनधर्म । मङ्गलकमलाकेलिनिकेतन, करुणाकेतन धीर । शिवसुखसाधन भवभयबाधन, जगदाधार गम्भीर, पाल० ।। અર્થ : ઓ જિનધર્મ ! ઓ ચારિત્રધર્મ ! તું મારી રક્ષા કર, રક્ષા કર, રક્ષા કર. તમામ મંગલોરૂપી લક્ષ્મીનું ક્રીડાગૃહ ! કરૂણાનું ઘર ! ધીર ! શિવસુખનું સાધન ! સંસારના ભયોનો નાશક ! જગત્ને માટે આધાર ! ગંભીર ! હે જિનધર્મ ! તું મારી રક્ષા કર. *****~*~**~**~************* જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) +††††††¡¡¡÷÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷†††† ૧૬૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ (૨૭) નિરાત્તિ નિયમન ધારા, તિતિ વસુધા યેન ! तं विधस्थितिमूलस्तम्भम्, त्वां सेवे विनयेन ।। અર્થ: આ પૃથ્વી કોઈપણ જાતના આલંબન વિના, નિરાધાર બનીને ઊભી છે એ આ જિનધર્મનો જ પ્રભાવ છે. ઓ આ વિશ્વની સ્થિતિના મૂલસ્તંભ ! હું તારી વિનયપૂર્વક સેવા કરું છું. (२२) दानशीलशुभभावतपोमुख-चरितार्थीकृतलोक । शरणस्मरणकृतामिह भविनाम, दूरीकृतभयशोक ।। અર્થ: ઓ જિનધર્મ! તારા ચાર મુખ છેઃ (૧) દાન, (૨) શીલ, (૩) તપ, (૪) ભાવ. આ ચાર વડે તું આખાય લોકને કૃતાર્થ બનાવે છે. તારું શરણ યાદ કરનારા ભવ્યજીવોના તમામ ભયો અને લોકોને તું દૂર ધકેલી દે છે. (२३) बंधुमवंधुजनस्य दिवानिशमसहायस्य सहाय । भ्राम्यति भीमे भवगहनेऽङ्गी, त्वां बान्धवमपहाय ।। અર્થ: ઓ જિનધર્મ ! જેઓને કોઈ બાંધવ નથી, તારા શરણે આવેલા તે લોકો માટે તું બાંધવ સમાન છે. અસહાય લોકો માટે તું રાત ને દિ' સહાયક છે. આ બિચારા જીવો ! મૂર્ખ બની તને છોડી દેવાની ભૂલ કરે છે અને માટે જ ભયાનક સંસારરૂપી જંગલમાં ભટકે છે. (ર૪) દ્રપતિ દિન ગતિ કૃશાનુ, તિ નથિરવિન ! तव कृपयाखिलकामितसिद्धिर्बहुना किं नु परेण, पाल० ।। અર્થ: જિનધર્મ ! તારી કૃપાથી તો અમારા માર્ગમાં આવેલા જંગલ પણ નગર બની જાય છે. તારી કૃપાથી અમને બાળનારી આગ અમને ઠારનાર પાણી બની જાય છે. તારી કૃપાથી સમુદ્ર પણ ઝડપથી ખુલ્લું મેદાન થઈ જાય છે. શું વધારે કહું? તારી કૃપાથી અમારી તમામે તમામ ઈચ્છિત વસ્તુઓની સિદ્ધિ થાય છે. (२५) इह यच्छसि सुखमुदितदशाङ्गम् प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि ।। અર્થ : ઓ જિનધર્મ ! તું તો મારી માતા છે. અમારી કેટલી બધી કાળજી કરે ૧૬૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ છે ? આ લોકમાં તો તું અમને ધન, ધાન્ય, મિત્ર વગેરે દશ સુખકારી વસ્તુઓવાળું સુખ આપે છે. પરલોકમાં અમને ઈન્દ્ર વગેરે પદવીઓ આપે છે. અને ક્રમશઃ મોક્ષસુખને લાવી આપનાર સભ્યજ્ઞાનદર્શન-ચારિત્ર પણ તું જ અમને લાવી આપે છે. અમારો ઈહલોક, પરલોક, પરમલોક તારા થકી જ છે. (૨૬) બનાવી નિોવન્યપે સ્થિતાનામનસ્ત્ર નનુમૃત્યુદુઃહાર્વિતાનામ્। परीणामशुद्धिः कुतस्तादृशी स्याद्, यया हन्त तस्माद्विनिर्यान्ति जीवाः ।। અર્થ : જેની શરૂઆત-આરંભ જ નથી એવા નિગોદરૂપી અંધકુવામાં જ તમામ જીવો અનાદિ કાળથી છે. ત્યાં જ સતત જન્મ અને મરણના દુઃખોથી દુ:ખી થયેલા છે. હવે એવા એ જીવોને તેવા પ્રકારની પરિણામશુદ્ધિ તો શી રીતે પ્રાપ્ત થાય કે જેના સહારે તે જીવો નિગોદરૂપી અંધકુવામાંથી બહાર નીકળે ? (૨૭) તતો નિર્માતાનાપ સ્થાવરત્વમ્, સત્યં પુનર્નુત્તમ કેઃમાનામ્ । त्रसत्वेऽपि पञ्चाक्षपर्याप्तसंज्ञि-स्थिरायुष्यवद्दुर्लभं मानुषत्वम् ।। અર્થ : રે ! ગમે તેમ કરીને પણ નિગોદમાંથી તો એ જીવો બહાર નીકળે, પણ એ પછી પણ સ્થાવરપણું જ મળે છે, ત્રસપણું તો દુર્લભ જ છે. ત્રસપણું મળે તો ય પાંચ ઈન્દ્રિયો દુર્લભ છે. પંચેન્દ્રિયત્વ મળે તો પર્યાપ્તપણું દુર્લભ છે. એ મળે તો ય સંક્ષિપણું દુર્લભ છે. એ મળે તો ય છેલ્લે સ્થિર-દીર્ઘ આયુષ્યવાળું મનુષ્યજીવન તો ઘણું દુર્લભ છે. (૨૮) વેતનનુષ્યત્વમાવ્યાપિ મૂળે મહામોદમિથ્યાત્વમાયોપભૂ: । भ्रमन् दूरमग्नो भवागाधगर्ते, पुनः क्व प्रपद्येत तद्बोधिरत्नम् ।। અર્થ : : આવું અત્યંત દુર્લભ મનુષ્યજીવન પામીને પણ મહામોહ મિથ્યાત્વ અને માયાથી ભરેલો આ મૂઢ જીવ ભમતો ભમતો ફરી પાછો આ સંસારરૂપી ઊંડા ખાડામાં જ ખૂબ ઊંડે સુધી ખુંપી જાય છે. શી રીતે એને બોધિ-જિનધર્મ રૂપી રત્નની પ્રાપ્તિ થાય ? (२९) विभिन्नाः पन्थानः प्रतिपदमनल्पाश्च मतिनः । कुयुक्तिव्यासङ्गैर्निजनिजमतोल्लासरसिकाः । ↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓♪♪♪♪♪♪♪÷♪♪÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓÷÷÷÷÷÷ +|||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૬૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ न देवाः सान्निध्यं विदधति, न वा कोऽप्यतिशय- । स्तदेवं कालेऽस्मिन् य इह दृदधर्मा स सुकृती ।। અર્થ : આ હળાહળ કળિયુગ છે. (૧) એમાં સેંકડો જુદા જુદા ધર્મો નીકળ્યા છે. (૨) ડગલે ને પગલે ઊંધું-ચત્તુ સમજાવી દેનારા, શ્રદ્ધા ડગાવી દેનારા પુષ્કળ બુદ્ધિમાનો ભટકાય છે. (૩) બધા જ લોકો કુતર્કોના સહારે પોતપોતાના મતને ઊંચો લાવવામાં, સાચો સાબિત કરવામાં જ રસ ધરાવે છે. મતરાગી આ લોકોને સત્ય સાથે, તત્ત્વ સાથે, મોક્ષ સાથે કોઈ જ લેવાદેવા નથી. (૪) મોટી મુશ્કેલી તો એ છે કે આ કાળમાં દેવો સાન્નિધ્ય કરતા નથી, દેવો આવતા હોત તો એમના દ્વારા જૈનધર્મની મહાનતા સ્થાપિત થવાથી એનું પાલન બધાને માટે સરળ થઈ જાત. (૫) જૈનધર્મની ક્રિયાઓ, નમસ્કાર મહામંત્ર વગેરેના એવા કોઈ ચમત્કારો પણ દેખાતા નથી, જેનાથી જિનધર્મમાં શ્રદ્ધા વધે, ઉલ્લાસ વધે. આવા અતિવિચિત્રકાળમાં પણ જેઓ દૃઢપણે જિનધર્મનું સેવન કરે છે, ચારિત્રધર્મને પાળે છે તે ખરા ધર્મી છે. (३०) विविधोपद्रवं देहमायुश्च क्षणभङ्गुरम् । कामालम्ब्य धृतिं मूढैः, स्वश्रेयसि विलम्ब्यते ।। અર્થ : : આ શરીર જાતજાતના ઉપદ્રવોથી ભરેલું છે. ગમે ત્યારે ગમે તે રોગાદિ થઈ જાય. તો બીજી બાજુ આયુષ્ય પણ ક્ષણિક છે. ક્યારે, કઈ પળે મૃત્યુ થાય એ ખબર પણ ન પડે. આમ હોવા છતાં મને આ જ સમજાતું નથી કે આ મૂઢ જીવો એવી તે કઈ ધીરજને ધારણ કરીને પોતાનું હિત કરવામાં વિલંબ કરે છે ? (३१) बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा, जलधिजलपतितसुररत्नयुक्त्या । सम्यगाराध्यतां स्वहितमिह साध्यताम्, बाध्यतामधरगतिरात्मशक्त्या ।। અર્થ : હે આત્મન્ ! તું બોધ પામ, બોધ પામ. આ સમ્યગ્દર્શન રૂપી બોધિરત્ન અતિદુર્લભ છે. હાથમાં આવેલું ચિંતામણિ રત્ન પ્રમાદથી છટકીને ભરદરિયામાં પડી જાય પછી શું એ સહેલાઈથી પાછું મળે ખરું ? માટે આ મળેલા વિરતિધર્મની, બોધિની સમ્યગ્ આરાધના ~~~~~~~~~~************************~~**~~*~********* ||||||||||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૬૮ Page #178 -------------------------------------------------------------------------- ________________ કરી લે. તારા આત્માનું હિત સાધી લે. અને તારી આત્મશક્તિ દ્વારા અધોગતિને અટકાવી દે. (૩૨) મિોન્યાવિરિવ નરમવો દુર્લમો, ગ્રામ્યતાં થોરસંસારશે । बहुनिगोदादिकायस्थितिव्यायते, मोहमिथ्यात्वमुखचोरलक्षे || અર્થ : ચક્રવર્તીના રસોડાનું ભોજન બિચારા ભિખારીને તો કેટલું બધું દુર્લભ હોય ? એમ આ મનુષ્યભવ પણ આ ઘોર સંસારવનમાં ભમતા જીવને અતિ દુર્લભ છે. કારણ ? કારણ એ જ કે આ સંસારવનમાં નિગોદાદિની કાયસ્થિતિઓ ઘણી મોટી છે. જીવ બિચારો એ વિશાળ કાયસ્થિતિ જ ભોગવ્યા કરે. વળી લાખો મોહનીય કર્મ, મિથ્યાત્વ વગેરે ચોરો આ સંસારવનમાં પડેલા છે. માટે જીવને મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. (૩૩) નવ્ય હૃદ નરમવોડનાર્યવેશેજી ય, સ મતિ પ્રત્યુતાનર્થòારી । जीवहिंसादिपापाश्रवव्यसनिनाम्, माघवत्यादिमार्गानुसारी ।। અર્થ : અનંતકાળે મનુષ્યભવ મળી પણ જાય. પણ એ જો અનાર્યદેશોમાં મળે તો તો એ માનવભવ ઉલ્ટો અનર્થકારી જ બને, કેમકે ત્યાંના મનુષ્યો તો જીવોની ઘોર હિંસા વગેરે પાપો કરવાના વ્યસનવાળા હોય છે. એટલે એ અનાર્યદેશનો માનવભવ તો બિચારા એ જીવોને સાતમી નારકના માર્ગ ઉપર જ ધકેલી દે છે. (३४) आर्यदेशस्पृशामपि सुकुलजन्मनाम्, दुर्लभा विविदिषा धर्मतत्वे । रतपरिग्रहभयाहारसंज्ञार्तिभिर्हन्त ! मग्नं जगदुः स्थितत्वे ।। અર્થ : વળી ઘણા પુણ્યો ભેગા થવાથી આર્યદેશમાં જન્મ મળે. જૈન કુટુંબમાં જન્મ મળે પણ એ પછી ય ધર્મતત્ત્વને જાણવાની ઈચ્છાતત્ત્વજિજ્ઞાસા થવી દુર્લભ છે. આ જુઓને ! આ જૈનોથી માંડીને આખું જગત્ અબ્રહ્મ, પરિગ્રહ, ભય અને ભોજનની સંજ્ઞાના દુઃખો વડે દુર્દશામાં ખૂંપેલું છે. (३५) विविदिषायामपि श्रवणमतिदुर्लभम् धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्रसावेशतो, विविधविक्षेपमलिनेऽवधाने ।। ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૬૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ અર્થ : કદાચ તત્ત્વજિજ્ઞાસા થાય પણ એ જિજ્ઞાસા સંતોષનાર તત્ત્વશ્રવણ ઘણું દુર્લભ છે, કેમકે આ ધર્મશાસ્ત્રોનું શ્રવણ તો ગુરુની પાસે જ થાય. એવા ગુરુઓ પણ છે પણ જીવને ખોટી વિકથા વગેરેમાં જ રસ છે. અને એ રસને લીધે એનું મન જાતજાતના વિક્ષેપોથી મલિન હોય છે. પછી શી રીતે એ સદ્ગુરુ પાસે જઈ ધર્મશ્રવણ કરે? (३६) धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यमम्, कुर्वतो वैरिवर्गोऽन्तरङ्गः । रागद्वेषश्रमालस्यनिद्रादिको, बाधते निहतसुकृतप्रसङ्गः ।। અર્થ: આગળ વધીને તું સદ્ગુરુ પાસે ધર્મ સાંભળીશ, પ્રતિબોધ પામીશ અને એ ચારિત્રધર્મમાં ઉદ્યમ કરવા કટિબદ્ધ બનીશ પણ તારા કટ્ટર આંતરશત્રુઓ-રાગ, દ્વેષ, થાક, આળસ, ઉંઘ વગેરે તારા સુકૃત કરવાના અવસરે જ તને પરેશાન કરશે. (દા.ત. રાત્રે બે કલાક સ્વાધ્યાય કરવાનો સમય છે. પણ આળસ, ઉંઘ વગેરે એ સુકૃત કરવા નહિ દે.) (३७) चतुरशीतावहो योनिलक्षेष्वियम्, क्व त्वयाकर्णिता धर्मवार्ता । प्रायशो जगति जनता मिथो विवदते, ऋद्धिरसशातगुरुगौरवार्ता ।। અર્થ : ઓ જીવ! તું એક વાતનો તો જવાબ આપ કે, આ ચૌદરાજલોકમાં, ૮૪ લાખ યોનિઓમાં તું અનંતકાળ ભટક્યો છે. શું તને ક્યાંય આ ધર્મની વાતો સાંભળવા મળી છે? અરે, આ જગતમાં ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવથી દુઃખી થયેલી જનતા કાયમ માટે પરસ્પર વિવાદ-ઝઘડાઓ જ કર્યા કરે છે. એમાં વળી ધર્મવાર્તા તો શી રીતે સાંભળવા મળે ? (३८) मैत्री परेषां हितचिन्तनं यद्भवेत्प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरुजां जिहीर्षेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ।। અર્થ : “જગતના સર્વજીવોનું હિત થાઓ એવું ચિંતન એ મૈત્રીભાવના છે. માર્ગાનુસારીથી માંડીને તીર્થકરો, સિદ્ધો સુધીના ગુણવાનોના ગુણોને વિશે પક્ષપાત-અનુરાગ એ પ્રમોદભાવના છે. દુઃખી જીવોના રોગો, દુખો, દોષોને દૂર કરવાની ઈચ્છા એ કરૂણાભાવના છે. દુષ્ટ ૧૭૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવાળાઓ તરફ આંખમિંચામણા કરવા એ ઉપેક્ષાભાવના છે. ( ३९ ) सर्वत्र मैत्रीमुपकल्पयात्मन्, चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । किनिस्थायिनि जीवितेऽस्मिन् किं खिद्यसे वैरिधिया परस्मिन् ।। અર્થ : આત્મન્ ! તું જગત્ના પ્રત્યેક જીવો પ્રત્યે મૈત્રીભાવને ધારણ કરજે. આ જગમાં કોઈને પણ તું તારો શત્રુ, તારો દ્વેષી ન માનીશ. અરે ભાઈ ! તારે વળી કેટલા દિવસ જીવવાનું છે ? તો થોડાક જ દિવસ સ્થિર રહેનાર આ નાનકડા માનવભવમાં બીજાઓને શત્રુ માની, એમના ઉપર દ્વેષ કરી તું શા માટે દુઃખી થાય છે ? (४०) सर्वेऽप्यमी बन्धुतयानुभूताः सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ । जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ।। અર્થ : અનાદિકાળથી આ સંસારસમુદ્રમાં ભમતા તે તમામે તમામ જીવોને હજારો વખત તારા પ્રિય ભાઈ તરીકે અનુભવ્યા છે. આજે તને જેના ઉપર દ્વેષ થાય છે તે બધા જીવો હજારો વખત તારા પ્રિય ભાઈ બની ચૂક્યા છે. તો હવે પરમાર્થથી તો આજે પણ તે બધા તારા ભાઈઓ જ છે. કોઈ તારો શત્રુ નથી. આ વાતને તું સ્વીકાર. पितृभ्रातृपितृव्यमातृ-पुत्राङ्गजास्त्रीभगिनीस्नुषात्वम् । ( ४१ ) सर्वे जीवाः प्रपन्ना बहुशस्तदेतत्कुटुम्बमेवेति परो न कश्चित् ।। અર્થ : બધા જ જીવો અનેક વાર તારા પિતા, ભાઈ, કાકા, બા, પુત્ર, પુત્રી, પત્ની, બહેન અને પુત્રવધૂ બન્યા છે. તો એનો અર્થ જ એ કે વિશ્વના સર્વ જીવો તારા કુટુંબના જ સભ્યો છે. તારા અત્યંત નજીકના સ્વજનો છે. કોઈ પરજન-પારકો નથી. (૪૨) ન્દ્રિયાઘા પદન્ત નીવા:, पञ्चेन्द्रियत्वाद्यधिगत्य सम्यक् I बोधं समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभिया विरामम् ।। અર્થ : મને તો એવા વિચાર આવે છે કે આ નિગોદાદિમાં પડેલા એકેન્દ્રિય વગેરે અનંતા જીવો ક્યારે પંચેન્દ્રિયપણાને પામી, સારી રીતે જિનધર્મની આરાધના કરી આ વારંવાર સંસારમાં ભટક્યા કરવાના ભયથી મુક્તિને પામશે ? +++††††††††† ||||||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) મ ૧૭૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ (૪૩) વિનય વિચિન્તય મિત્રતાનું, ત્રિનાનિ નનતાણું ! कर्मविचित्रतया गतिम्, विविधां गमितासु ।। અર્થ : વિનય ! ત્રણ જગતની જનતાઓને વિશે તું મૈત્રીભાવના ભાવ કે જે બિચારી જનતા કર્મની વિચિત્રતાને લીધે જાતજાતની ગતિઓમાં પહોંચી ગઈ છે. (૪૪) સર્વે તે પ્રિયવાવાસ, ર દિ રિપુરિદ વોઝરિ ! मा कुरु कलिकलुषं मनो, निजसुकृतविलोपि ।। અર્થ: બધા જ જીવો તારા પ્રિય બાંધવ છે. અહીં કોઈ તારો શત્રુ નથી. વિનય ! તું તારા મનને કજીયા-ઝઘડા-સંક્લેશથી મલિન ન કર. આવું મન તો તારા બધા જ પુણ્યકર્મોને ખતમ કરી નાંખશે. (૪૬) વિ વો લુત્તે પરો, નિનવર્મવશેન ! अपि भवता किं भूयते, हृदि रोषवशेन ।। અર્થ : રે! કદાચ કોઈ પારકો માણસ તેના ક્રોધમોહનીય કર્મના ઉદયને લીધે તારા ઉપર ક્રોધ કરી પણ બેસે. પણ એટલે શું તું પણ હૃદયમાં ક્રોધને ધારણ કરે એ યોગ્ય છે? (४६) अनुचितमिह कलहं सताम्, त्यज समरसमीन । भज विवेककलहंसताम्, गुणपरिचयपीन ।। અર્થ : આ માનવભવમાં, સાધુજીવનમાં પરસ્પર ઝઘડો કરવો એ સારા આત્માઓ માટે તો બિલકુલ ઉચિત નથી. આત્મન્ ! સમતારસમાં તરનારી માછલી બનીને તું આ કજીયા-કંકાસને છોડી દે. એના બદલે વિવેકગુણથી મનોહર એવો હંસપક્ષી બન. બીજાના ગુણોના પરિચયથી પુષ્ટ બન. (४७) शत्रुजनाः सुखिनः समे, मत्सरमपहाय । सन्तु गन्तुमनसोऽप्यमी, शिवसौख्यगृहाय ।। અર્થ: મારા કહેવાતા તમામ શત્રુઓ ક્રોધને, ઈર્ષ્યાને છોડી સુખી થાઓ. તેઓ પણ મોક્ષઘર તરફ જવા માટે ઉત્સુક બનો. ૧૭૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ (४८) सकृदपि यदि समतालवम्, हृदयेन लिहन्ति । विदितरसास्तत इह रतिम्, स्वत एव वहन्ति ।। અર્થ : જગતના જીવો જો એકવાર પણ પોતાના હૃદયથી સમતારસને માણે તો એનો રસ માણ્યા પછી તેઓ પોતાની મેળે જ એ રસાસ્વાદમાં જ લીન બની જાય. એમ થાય તો ઘણું સરસ ! (૪૨) વિભુત ગુમતિમ મૂચ્છિતા, રિતેષ પત્તિ | जिनवचनानि कथं हहा, न रसादुपयन्ति ।। અર્થ : મને એ જ સમજાતું નથી કે આ ખોટી માન્યતાઓના અહંકારથી મૂછિત થયેલા, ભાન ભૂલેલા જીવો શા માટે પાપકાર્યોમાં પડતા હશે? શા માટે તેઓ રસપૂર્વક આ જિનવચનને સ્વીકારતા નહિ હોય ? (५०) धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागा स्त्रैलोक्ये गन्धनागा: सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारा मारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ।। અર્થ : પેલા વીતરાગ ભગવંતો ! ક્ષપકશ્રેણીના માર્ગ ઉપર ગમન કરીને જેમણે ઘાતી કર્મોના સંબંધો તોડી નાંખ્યા અને તેની સાથે જ ઉત્પન્ન થયેલા જ્ઞાનથી જેમનામાં વૈરાગ્ય જાગૃત છે. માટે જ જેઓ ત્રણ લોકમાં ગંધહસ્તી સમાન છે. જેઓ આત્મશુદ્ધિ વડે તમામ ચંદ્રકળાઓ જેવી નિર્મળ એવી ધ્યાનધારામાં આરૂઢ થઈને મુક્તિપદપ્રાપ્તિની પૂર્વે જ પૂર્વભવોમાં કરેલા સેંકડો સુકૃતોથી ઉપાર્જિત કરેલી આઈજ્યલક્ષ્મીને પામ્યા એ વીતરાગ ભગવંતો ધન્ય છે. (५१) तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै - यिं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतस्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्यमौखर्यमग्नाम् ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૭૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ અર્થ : એ વીતરાગ ભગવંતોના આત્મામાં કર્મના ક્ષયને લીધે ઘણા વિશાળ ગુણોનો રાશિ પ્રગટ થયેલો છે. એ ગુણોને સ્તવનમાં ગૂંથી લઈ, એ સ્તવનો-સ્તુતિઓ ગાઈ ગાઈને મારા આઠ વર્ણસ્થાનોને પવિત્ર કરું છું. (તાળવું, કંઠ, હોઠ વગેરે). રે ! આ વિશ્વમાં પરમાત્માના સ્તોત્રોની વાણીના રસને જાણનારી એવી જ મારી જીભને હું ધન્ય માનું છું. એ સિવાય ખોટી લોકકથાઓ કરવામાં વાચાળ બનનારી મારી આ જીભને હું અજ્ઞાની માનું છું. (५२) निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागह्वरान्तर्निविष्टा । धर्मध्यानावधाना समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः । शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ।। અર્થ : પેલા નિર્ચન્હો ! પર્વતની ઊંડી ગુફાઓની અંદર બેસી ગયા છે, ધર્મધ્યાનમાં એકતાન બન્યા છે, સમરસનો આસ્વાદ માણે છે. રે ! પંદર દિવસના, મહિનાના ઉપવાસો કરે છે એમને મારા કોટિ કોટિ વંદન છે ! અને પેલા જ્ઞાની શાસનપ્રભાવકોને શું ભૂલું? કે જેઓ શ્રુતજ્ઞાનથી વિશાળ બુદ્ધિના સ્વામી બન્યા છે અને ભવ્યલોકોને ધર્મોપદેશ આપે છે. શાંત, ઇન્દ્રિયવિજેતા એવા તેઓ વિશ્વમાં પરમાત્માના શાસનને પ્રકાશિત કરે છે. તેઓ ય ધન્ય છે. (५३) दानं शीलं तपो ये विदघति गृहिणो भावनां भावयन्ति । धर्मं धन्याश्चतुर्धा श्रुतसमुपचितश्रद्धयाराधयन्ति । साध्व्यः श्राव्यश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्य स्तान्सर्वान्मुक्तगर्वाः प्रतिदिनमसकृद्भाग्यभाज: स्तुवन्ति ।। અર્થ : જે શ્રાવકો દાન, શીલ અને તપની આરાધના કરે છે, શુભ ભાવનાઓ ભાવે છે અને આ રીતે શ્રુતજ્ઞાનથી પુષ્ટ બનેલી દઢશ્રદ્ધા વડે ચાર પ્રકારના ધર્મને આરાધે છે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. તો બીજી બાજુ સાધ્વીઓ અને શ્રાવિકાઓ પણ શ્રુતજ્ઞાનથી ૧૭૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ થયેલી બુદ્ધિના બળે શીલધર્મનું નિર્મળ પાલન કરે છે. તેઓ પણ ધન્ય છે. આ અરિહંતો, સાધુઓ, શ્રાવકો, સાધ્વીઓ અને શ્રાવિકાઓ વગેરે સર્વ ધન્યાત્માઓની ભાગ્યશાળી આત્માઓ રોજ વારંવાર પોતાનું અભિમાન છોડી દઈને સ્તવના કરે છે. (५४) मिथ्यादृशामप्युपकारसारम्, संतोषसत्यादिगुणप्रसारम् । वदान्यता- वैनयिकप्रकारम्, मार्गानुसारीत्यनुमोदयामः || અર્થ : આ બધા વિરતિ અને સમ્યક્ત્વથી શોભતા સંઘના સભ્યોની વાત તો દૂર રહો ! જે મિથ્યાત્વી આત્માઓમાં પણ પરોપકારપ્રધાન એવા સંતોષ, સત્યાદિ ગુણોનો વિસ્તાર જોવા મળે છે, તેઓમાં પણ જે ઉદારતા, વિનયાદિ જોવા મળે છે એ બધા ગુણો માર્ગાનુસારી હોવાથી, મોક્ષમાં લઈ જનારા હોવાથી હું એ ગુણોની ભારોભાર અનુમોદના કરું છું. (५५) जिह्वे ! प्रवीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना । भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णी । वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतं लोचने रोचनत्वं । संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ।। અર્થ : ઓ જીભ ! તું તૈયાર થા ! સજ્જનોના સુંદર આચારોને બોલવામાં તું પ્રસન્ન થા. અને આ મારા બે કાન આજે બીજાઓના ગુણો, કીર્તિ, પ્રશંસા સાંભળવામાં રસિક બનો. એ દ્વારા સાચા કાન બનો. અને બીજાઓની ભરપૂર લક્ષ્મી, સુખસાહ્યબી, ગુણવૈભવાદિ જોઈને મારી આંખોમાં આનંદ, પ્રસન્નતા ઉત્પન્ન થાઓ. ખરેખર ! આ અસાર સંસારમાં જે જન્મ મળ્યો છે તેનું મુખ્ય ફળ આ પ્રમોદભાવના જ છે. (५६) प्रमोदमासाद्य गुणैः परेषां येषां मतिर्मज्जति साम्यसिन्धौ । देदीप्यते तेषु मनःप्रसादो गुणास्तथैते विशदीभवन्ति ॥ અર્થ : બીજાઓના ગુણોને જોઈને જેઓ ખૂબ હર્ષ પામે છે, ઇર્ષ્યા નથી ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ +++++++++++++++†††††↓↓↓↓↓÷÷÷÷÷÷÷++++++++ ††††††††††††ittit†† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૭૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ કરતા અને એ હર્ષ પામ્યા બાદ જેમની બુદ્ધિ સમતાસમુદ્રમાં ડુબી જાય છે તે આત્માઓમાં માનસિક પ્રસન્નતા દીપી ઉઠે છે. અને જે ગુણોને જોઈ તેઓ હર્ષ પામ્યા એ જ ગુણો તે આત્માઓમાં ખીલી ઉઠે (५७) येषां मन इह विगतविकारम्, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरितानाम्, नाम जपामो वारंवारम् ।। અર્થ : સ્થૂલભદ્રજી, સુદર્શન શેઠ વગેરે જેવા કે મહાત્માઓના મન સ્ત્રી બાબતમાં તદ્દન નિર્વિકારી છે અને જેઓ આ ધરતી ઉપર, લોકો ઉપર ઉપકાર કરે છે તે ઉચિત આચારવાળા મહાત્માઓનું નામ હું વારંવાર જપું છું. (५८) अहह तितिक्षागुणमसमानम्, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानम्, झटिति विघटते कर्मवितानम् ।। અર્થ : અહો ! આ પરમાત્મા મહાવીરદેવમાં રહેલો અપૂર્વકોટિનો સહનશીલતા ગુણ તો જુઓ ! મને તો લાગે છે કે પ્રભુના હૃદયમાં એ ગુણનો વાસ થવાથી પ્રભુના આત્મામાં જે કર્મો રહેલા તેઓ અભિમાનથી વિચારવા લાગ્યા કે, “આ સહનશીલતા ગુણની સાથે રહેવાનું અમને ન ફાવે. અને એટલે જ અહંકારી કર્મો પોતાની મેળે જ ઝડપથી પ્રભુના આત્માને છોડીને ચાલ્યા ગયા. (५९) स्पर्धन्ते केऽपि केचिद् दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धा । युद्ध्यन्ते केप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः । केचिल्लोभाल्लभन्ते विपदमनुपदं दूरदेशानटन्तः । किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विधमेतत् ।। અર્થ : કેટલાક મૂઢ જીવો પરસ્પર સ્પર્ધા કરે છે. ક્રોધથી દાઝેલા કેટલાક લોકો પરસ્પર એકબીજા પ્રત્યે દ્વેષ ધારણ કરે છે. કોઈથી પણ નહિ અટકાવાયેલા કેટલાક વળી ધન, સ્ત્રી, પશુ, પ્રદેશ વગેરે તુચ્છ વસ્તુઓ માટે ખૂંખાર યુદ્ધો ખેલે છે. કેટલાક વળી પુષ્કળ ધન કમાઈ લેવાના લોભથી દૂર-દૂર દેશોમાં ભટકે છે અને ડગલે ને પગલે ૧૭૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ વિપત્તિઓ પામે છે. આ બધું જોઈ અમને ખૂબ દુઃખ થાય છે પણ અમે શું કરીએ ? શું બોલીએ ? ખરેખર આ આખું ય વિશ્વ સેંકડો પ્રકારના દુઃખો, સંક્લેશોથી વ્યાકુળ બનેલું છે. (६०) स्वयं खनन्तः स्वकरण गर्तान्, मध्ये स्वयं तत्र तथा पतन्ति । यथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधः प्रपाताद्विरमन्ति नैव ।। અર્થ : બિચારા આ અજ્ઞાની જીવો ! ખોટા કાર્યો કરવા દ્વારા તેઓ પોતાના જ હાથે મોટો ખાડો ખોદે છે. અને પછી જાતે જ એ ખાડામાં એવા તો પડે છે કે એમાંથી બહાર નીકળવાની વાત તો દૂર રહો પણ નીચે ને નીચે પડતા અટક્તા પણ નથી. વધુ ને વધુ અંદર પડ્યા જ કરે (६१) शृण्वन्ति ये नैव हितोपदेशम्, न धर्मलेशं मनसा स्पृशन्ति । रुजः कथङकारमथापनेयास्तेषामुपायस्त्वयमेक एव ।। અર્થ : રે ! જેઓ અમારા વડે અપાતા હિતોપદેશને ય સાંભળતા નથી, મનથી ય નાનકડા ધર્મને ય જેઓ સ્પર્શતા નથી તેઓના રોગો, દુઃખો, દોષો શી રીતે અમારે દૂર કરવા ? કેમકે હિતોપદેશશ્રવણ, ધર્મારાધના એ જ એકમાત્ર રોગાદિનાશનો ઉપાય છે. એ તો આ જીવો આચરતા જ નથી. (દર) પરવું પ્રતીકારવં ધ્યાત્તિ યે રિ | लभन्ते निर्विकारं ते सुखमायतिसुन्दरम् ।। અર્થ : આ પ્રમાણે જેઓ પારકાના દુઃખોનો નાશ કરવાનો વિચાર પોતાના હૃદયમાં કર્યા કરે છે તેઓ પરિણામમાં પણ સુંદર એવા નિર્વિકાર, સ્વચ્છ, શુદ્ધ સુખને પામે છે. (૬૩) વરિદરળીયો ગુજરવિવેદી, શ્રમતિ રો મતિમન્નમ્ | सुगुरुवचः सकृदपि परिपीतम्, प्रथयति परमानन्दं रे ।। અર્થ : શું કરવું કે શું ન કરવું? વગેરે વિવેકબુદ્ધિ જે ગુરુ પાસે નથી એ અવિવેકી ગુરુનો ત્યાગ કરવો જોઈએ, કેમકે એ ગુરુ તો જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૭૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ મંદબુદ્ધિવાળાઓને સંસારસાગરમાં ભમાવનારા બને છે. જ્યારે સદ્ગુરુનું વચનામૃત એકવાર પણ પીધું હોય તો એ પરમ આનંદને વિસ્તારે છે. (६४) कुमततमोभरमीलितनयनम्, किमु पृच्छत पन्थानम् । दधिबुद्ध्या नर जलमन्थन्याम्, किमु निदधत मन्थानं रे ।। અર્થ : ઓ શિષ્ય ! ખોટી માન્યતારૂપી અંધકારના સમૂહથી જેના નેત્રો ઘેરાઈ ગયેલા છે એવા ગુરુને કેમ મોક્ષમાર્ગ પૂછે છે? “અરે ભાઈ! આ દહીં છે.” એમ ખોટું સમજીને પાણીમાં રવૈયો ફેરવનાર માણસ શું ક્યારેય માખણ પામે ખરો? (६५) अनिरुद्धं मन एव जनानाम्, जनयति विविधातङ्कम् । सपदि सुखानि तदेव विधत्ते, आत्माराममशङ्क रे ।। અર્થ: આ સ્વચ્છંદી મન જ જાતજાતના આતંકો-ઉપદ્રવો-દુઃખોને ઉત્પન્ન કરનાર છે. જો એ મનને કાબૂમાં લઈ આત્મામાં જ લીન કરી દેવામાં આવે તો એ જ મન ખૂબ ઝડપથી બધા સુખોની ભેટ ધરી દે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. (६६) सह्यत इह किं भवकान्तारे, गदनिकुरम्बमपारम् । अनुसरताऽऽहितजगदुपकारम्, जिनपतिमगदङ्कारं रे ।। અર્થ : ઓ મૂર્ખ ! આ સંસારરૂપી જંગલમાં જેનો અંત જ ન આવે એવા આધ્યાત્મિક રોગોના ઢગલાને તું ફોગટ કેમ સહન કરે છે? અરે, આ વિશ્વોપકારી જિનેશ્વર નામના વૈદ્યના શરણે જા. તારા તમામ રોગો દૂર થઈ જશે. (६७) मिथ्या शंसन् वीरतीर्थधरेण, रोर्बु शेके न स्वशिष्यो जमालिः । अन्यः को वा रोत्स्यते केन पापात्तस्मादौदासीन्यमेवात्मनीनम् ।। અર્થ: તું બીજાઓને પ્રતિબોધ પમાડવા પુષ્કળ ઉપદેશ આપે છે છતાં જ્યારે તેઓ પ્રતિબોધ નથી પામતા ત્યારે તને આઘાત લાગે છે, નિરાશા જાગે છે, ક્રોધ જાગે છે. પણ તું એ વિચાર કે) ઉસૂત્રપ્રરૂપણા કરનારા પોતાના જ શિષ્ય, પોતાના જ જમાઈ એવા પણ જમાલિને ૧૭૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ ખુદ તીર્થપતિ પ્રભુવીર પણ ઉસૂત્રપ્રરૂપણા કરતા અટકાવી શક્યા નથી. માટે આ વિષયમાં તો ઉદાસીનતા એ જ આત્મહિતકારી છે. (६८) अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किम्, धर्मोद्योगं कारयेयुः प्रसह्य । ___ दधुः शुद्धं किन्तु धर्मोपदेशम्, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ।। અર્થ : આખા વિશ્વને મુઠ્ઠીમાં ચોળી નાંખવાની શક્તિ ધરાવનારા અરિહંતો પણ શું કોઈની પણ પાસે બળજબરીથી ધર્મ કરાવે છે ખરા ? ના, તેઓ તો માત્ર શુદ્ધ ધર્મોપદેશ જ આપે છે, જે ધર્મોપદેશનું આચરણ કરનારાઓ દસ્તર ભવસમુદ્રને તરે છે. ન કરનારાઓ ડુબે છે. (६९) परिहर परचिन्तापरिवारम्, चिन्तय निजमविकारं रे । तव किं कोऽपि चिनोति करीरम्, चिनुतेऽन्यः सहकारं रे ।। અર્થ : ઓ મન ! પારકાની ચિંતાઓનું પોટલું માથે લઈને ફરે છે. પણ એ બધી પારકી ચિંતાઓ છોડી દે. એક માત્ર નિર્વિકારી, શુદ્ધ તારા આત્માનો વિચાર કર. અરે ! કોઈક કાંટાઓ ભેગા કરે તો બીજો કોઈક વળી આંબા ઉપરથી કેરીઓ ભેગી કરે, પણ એમાં તારે શું? પારકાના કાંટા કે કેરીથી તને દુઃખ-સુખ મળવાના નથી. (७०) योऽपि न सहते हितमुपदेशम्, तदुपरि मा कुरु कोपं रे । निष्फलया किं परजनतप्त्या, कुरुषे निजसुखलोपं रे ।। અર્થ : તું ભલે ભવ્યજીવોને, શિષ્યોને હિતોપદેશ આપ. પણ જે શિષ્યાદિ તારા હિતોપદેશને ન સ્વીકારે, સામે પડે તેની ઉપર તું ક્રોધ ન કરીશ. આ નકામી પારકા લોકોની ચિંતા દ્વારા તું તારા આત્મસુખનો લોપ શા માટે કરે છે ? (७१) सूत्रमपास्य जडा भाषन्ते, केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहतपयसो, यदि पीयन्ते मूत्रं रे ।। અર્થ : કેટલાક જડ લોકો શાસ્ત્રોને બાજુ પર મૂકી ઉસૂત્રપ્રરૂપણા કરે છે. ઉત્સુત્રજીવન પણ જીવે છે. પણ એથી શું ? દૂધ છોડીને બધા મૂત્ર પીવા લાગી પડે તો અમે શું કરીએ ? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્ત સુધારસ) ૧૭૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ (७२) पश्यसि किं न मनःपरिणामम्, निजनिजगत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यम्, तद्भवता दुर्वारं रे ।। અર્થ : એક વાત ધ્યાનમાં રાખ કે દરેક આત્માનું ભવિષ્ય પહેલેથી નક્કી જ છે. એટલે ભવિષ્યમાં જેની જે ગતિ થવાની હશે તે જ પ્રમાણે તે આ ભવમાં પ્રવૃત્તિ કરશે. તો પોતપોતાની ભવિષ્યની ગતિને અનુસાર જ તેઓના માનસિક પરિણામો થાય છે એ તું કેમ નથી જોતો? જેનું જે ભાવિ નક્કી થઈ ચૂક્યું છે એને અટકાવવાની તારી કોઈ જ તાકાત નથી. ભાગ-૧ સમાપ્ત ૧૮૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ નવી પેઢીના શિક્ષણયુક્ત સંસ્કરણનો સફળ પ્રયોગ તપોવન સંસ્કારપીઠ અમીયાપુર, પો. સુઘડ, સાબરમતી પાસે, પ્રેરક : પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ સ્થળઃ સાબરમતી પાસે ૩૬ વીઘા, સ્થાપના ઈ.સ. ૧૯૯૪, જૂન, ધો. બાર. --- સુંદરઃ સુદઢ શિક્ષણ વિભાગો ભારતીય પ્રજા – ખાસ કરીને તેની નવી પેઢી – ઉપર પશ્ચિમની ઝેરી જીવનશૈલીનું વાવાઝોડું કાતીલ વેગથી ધસતું રહ્યું છે. આમાંથી નવી પેઢીને ઉગારી લેવા માટે તપોવનનું ધરતી ઉપર અવતરણ થયું છે. મેકોલે શિક્ષણ અત્યંત બેઘાઘંટુ હોવા છતાં; સંસ્કરણ ક્ષેત્રે “શૂન્ય' આંક ધરાવતું હોવા છતાં એનો ગાળીઓ ભારતીય પ્રજાના ગળે એવો ભીંસાવાયો છે કે તેનાથી - ક્રોડો સંતાનોના જીવનનો અમૂલ્ય સમય બરબાદ થવા છતાં તે અનિવાર્ય અનિષ્ટ તરીકે પ્રજાની સાથે બરોબર એકરસ થઈ ગયું છે. આથી તપોવનને એ શિક્ષણ સ્વીકારવું પડ્યું છે. તેના વિના સંસ્કરણનો વેલો ચડવો લગભગ મુશ્કેલ બન્યો છે. છતાં તપોવનના સંચાલકોની એવી ભાવના ખરી કે તેને દૂર કરાય તો સારું, બાકી આજે તો શિક્ષણ-વિભાગને પણ વધુને વધુ સુંદર અને સુદઢ કરવાની ફરજ પડી છે. આથી જ અહીં: (૧) ધો. પાંચથી અંગ્રેજી વર્ગો ફરજિયાત છે. (૨) ધો. પાંચથી બાળકો અંગ્રેજીમાં ધારાવાહી રૂપે બોલી શકે તે માટેના ખાસ વર્ગો લીંગ્વીસ્ટીક લેંગ્વજ લેબોરેટરી તથા સ્પોકન ઈગ્લીશ રાખવામાં આવ્યા છે. કૉપ્યુટરનો વિશિષ્ટ કોર્સ કરવા માટે કોમ્યુટર સેન્ટર ખોલવામાં આવેલ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ (આઈ.એ.એસ. કક્ષાની વિશિષ્ટ તાલીમ સાબરમતી તપોવનમાં ધો. ૧૧, ૧૨ છે તેમાં કોમર્સ સ્ટ્રીમ રાખવામાં આવી છે વળી ત્યાં કોમ્યુટરનો એકદમ વિશિષ્ટ કોર્સ કરાવાય છે. ધો. બારમાંથી નીકળેલા તેજસ્વી વિદ્યાર્થીઓને આઈ.એ.એસ. કક્ષાના અધિકારીઓ બનાવવાની તાલીમ ચાલુ થઈ છે. સંભવતઃ આ તાલીમ દિલ્હી વિદ્યાલયમાં આપવામાં આવશે. એવો સ્પષ્ટ ખ્યાલ છે કે જો ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા કરવી હશે તો આ તાલીમ પામેલા આપણા માણસો વિના ચાલી શકશે નહિ. પણ સબૂર : આ બધુ શિક્ષણ તેને જ ફળે જે માણસ હોય. જેને પરંપરાગત મૂલ્યો પ્રત્યે આદર હોય; અને જે પરંપરાગત વ્યવસ્થાઓનો તથા ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિનો કટ્ટર પક્ષપાતી હોય. આ પાયા વિનાની પેલી ઈમારત તદ્દન નકામી છે. વર્તમાનમાં પ્રજાની જે ખરાબ હાલત થઈ છે તેના મૂળમાં આ ભૂલ છે. તપોવનમાં “માણસ તૈયાર કરાય છે. એ માટે ધર્મના પવિત્ર ક્રિયાકાંડોનું ચુસ્તપણે પાલન કરાય છે. વળી રોજની પ્રભુભક્તિ વડે બાળકોને એવા પુણ્યવાનું અને શુદ્ધિમાન બનાવાય છે. જેથી તેમને દુઃખો જોવા ન મળે અને દોષોના સેવનથી ભ્રષ્ટ થવું ન પડે. ના, આવી સફળતા હાંસલ કરવાની શક્તિ મેકોલે શિક્ષણમાં ધરાર નથી. પર્યપણપર્વ તાલીમ તપોવની બાળકોને ચૂંટીને પર્યુષણ પર્વની તાલીમ આપવામાં આવે છે. તેથી કુલ ૪૦ થી ૫૦ બાળકો ૩-૩નાં જૂથમાં વહેંચાઈ જઈને ૧૫ જેટલા ક્ષેત્રોમાં જ્યાં મુનિ ભગવંતો વગેરે પહોંચી શક્યા નથી ત્યાં પર્વાધિરાજની આરાધના કરાવવા જાય છે. તેમનું ધાર્મિક વક્તવ્ય, કથાઓ ઉપરની પકડ, ક્રિયાઓમાં શુદ્ધિ, વિધિ અંગેનું સંપૂર્ણ જ્ઞાન, તથા વિનય-વિવેક જોઈને ગામેગામનાં સંઘો સ્તબ્ધ બને છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ એવું લાગે છે કે તૈયાર થઈને, જીવંત બનીને, દોડવા લાગેલું તપોવનનું આ મોડેલ જો ઠેર ઠેર ઊભું થઈ જાય તો ભારતીય પ્રજાનું જીવન-સ્તર બધી રીતે ઉન્નત થાય. તપોવનની “ એટલી બધી ઓછી છે કે તપોવનને દર વર્ષે ૧૨ થી ૨૦ લાખ રૂા. નો તોટો આવે છે. “કોર્પસ કરવા દ્વારા - વ્યાજમાંથી આ તોટામાંથી ઝટ નીકળી જવાનો પ્રયત્ન ચાલુ છે. તપોવનના પ્રેરકપ.ચન્દ્રશેખરવિજયજીનું સ્વપ્ન હતું કે તપોવન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વિભૂતિઓ પેદા કરવી. દા.ત. (૧) રાજકીય ક્ષેત્રે સુભાષચન્દ્ર બોઝ કે ચન્દ્રશેખર આઝાદ પેદા થાય. (૨) સંસ્કૃતિરક્ષાના ક્ષેત્રે સ્વામી વિવેકાનંદ પ્રગટ થાય. (૩) ધર્મક્ષેત્રે હેમચન્દ્રાચાર્યજી કે ગૂર્જરેશ્વર કુમારપાળ જન્મ પામે. આવી આઠ દસ વિભૂતિઓ પેદા થાય તોય ભયોભયો ! આજના વિષમકાળમાં તો આટલુંય ઘણું બધું! હા, તેમને ખબર છે કે આંબાની કલમવાવનારને આંબાની કેરીઓ ખાવાનું કે જોવાનું સૌભાગ્ય સાંપડતું નથી. પણ તેનો કોઈ વાંધો નથી. બીજ વાવવાનું; પહેલી ઈંટ મૂકવાનું સૌભાગ્ય પણ અતિ દુર્લભ છે. ચાલો, આપણે સહુ-તેમના ભક્તો-તેમનું સ્વપ્ન ધરતી ઉપર અવતારીએ. તેમણે આંખો મીંચી દીધી હશે તો સ્વર્ગેથી આપણે મેળવેલા રૂડા ફળોને તે જોયા કરશે. કોઈ પણ પ્રકારની માહિતી મેળવવાનું સંપર્ક સ્થળ: તપોવન સંસ્કારપીઠ) અમીયાપુર, પો. સુઘડ, તા. ચાંદખેડા, જિ. ગાંધીનગર, (ગુજરાત) તપોવન ઃ ફોન = .T.D. (૦૭૯) ૩ર૦૦ર૦૩, ૩૨૦૩૪૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ પૂ પં. પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની પ્રેરણાને ઝીલીને હવે.. | દેશ વિદેશમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધના કરાવવા માટે યુવાનોની સાથે તપોવનીઓ સુસજ્જ જૈન સંઘના અગ્રણી માનનીય ટ્રસ્ટીવ ! આપના ગામ કે નગરમાં જે પવધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો તે માટે અમારા યુવાનો તથા તપોવની બાળકોને દર વર્ષે જરૂરથી બોલાવજે. આ યુવાનો તથા તપોવનીઓ આપના જૈન સંઘમાં (૧) અષ્ટાલિકા તથા કલ્પસૂત્રની પ્રતનું સુંદર વાંચન કરશે. (૨) રાત્રે પરમાત્મભક્તિમાં બધાને રસતરબોળ કરી દેશે. (૩) બન્ને ટાઈમના પ્રતિક્રમણ વિધિ-શુદ્ધિપૂર્વક કરાવશે. (૪) શ્રીસંઘના ઉલ્લાસ પ્રમાણે રસપ્રદ વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે. જો આપના સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો જ નીચેના સરનામેથી ફોર્મ મંગાવીને ભરીને અમને મોકલી આપો. નસ સૂચના: ફોર્મ ભરીને મોકલવાનું સરનામું આરાધના કરાવવા | પર્યુષણ વિભાગ સંચાલક શ્રી શ્રીયુત લલિતભાઈ ધામી | રાજુભાઈ આવનારને ગાડીભાડું વગેરે || clo. તપોવન સંસ્કારપીઠ શ્રી સંઘે બહુમાનરૂપે || મુ. અમીયાપુર, પોસ્ટઃ સુઘડ ગાંધીનગર - ૩૮૨૪૨૪. આપવાનું રહેશે. ફોન : ૦૭૯-૩ર૦ર૦૩ Page #194 -------------------------------------------------------------------------- _