________________
અર્થ : બીજાના ગુણોના ઉત્કર્ષને સાંભળીને જો તું ઈર્ષ્યા કરશે, હૃદયમાં
બળશે તો નક્કી માનજે કે આ સંસારમાં તારે બધે જ પરાભવને= તિરસ્કારને સહન કરવો પડશે. કેમકે ઈર્ષાળુઓના પુણ્યો બળી
જાય છે.) (૬) गुणवंताण नराणं ईसाभरतिमिरपूरिओ भणसि ।
जइ कहवि दोसलेसं ता भमसि भवे अपारम्मि ।। અર્થ: ઈર્ષાના સમૂહરૂપી અંધકારથી ભરેલો એવો તું જો કોઈ પણ રીતે એ
ગુણવાન્ આત્માઓના દોષોનો લેશ પણ બોલીશ, એમની લેશ પણ
નિંદા કરીશ તો અપાર સમુદ્રમાં તું ભમીશ. (૭) = સન્મસેફ નીવો, ગુi ર હોઉં ૨ નમિ |
तं परलोए पावई अब्भासेणं पुणो तेणं ।। અર્થ : જીવ આ જન્મમાં ગુણો કે દોષો જેનો અભ્યાસ કરે, જેને વારંવાર
સેવે એ જ ગુણ કે દોષ એ અભ્યાસના કારણે એને આવતા ભવમાં
મળે. માટે જ ક્રોધીઓ સાપ થાય, ઈર્ષાળુઓ કૂતરા થાય.) (८) जो जंपइ परदोसे गुणसयभरिओ वि मच्छरभरेणं ।
सो विउसाणमसारो पलालपुंज ब्व पडिभाइ ।। અર્થ : સેંકડો ગુણોનો ભંડાર એવો પણ જે જીવ એક માત્ર ઈષ્પદોષને લીધે
પારકાના દોષો જ બોલ્યા કરે છે એ જીવ વિદ્વાનોને તો ઘાસના પૂળાની જેમ તુચ્છ-અસાર લાગે છે. એના સેંકડો ગુણોની એ વિદ્વાનો
કોઈ જ કિંમત કરતા નથી. (૧) નો પરવોએ શિષ્ટ, સંતાડસંતવિ ગુમાવેગે !
सो अप्पाणं बंधइ, पावेण निरत्थएणावि ।। અર્થ: બીજામાં દોષો હોય કે ન હોય, પણ જે આત્મા ઈષ્ય વગેરે
દુષ્ટભાવોને લીધે પારકાના છતાં-અછતાં દોષોને ગ્રહણ કરે છે એ તો
બિચારો નકામો પોતાના આત્માને પાપથી બાંધે છે. (१०) तं नियमा मुत्तव्वं जत्तो उप्पज्जए कसायग्गी ।
तं वत्थु धारिज्जा जेणुवसमो कसायाणं ।।
૭૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧