________________
શાસ્તસુધારસ (१) यदि भवभ्रमखेदपराङ्मुखम्, यदि च चित्तमनन्तसुखोन्मुखम् ।
श्रृणुत तत्सुधियः शुभभावनाऽमृतरसं मम शान्तसुधारसम् ।। અર્થ : રે આત્મન્ ! અનંતકાળથી આ સંસારમાં ભટકી ભટકીને તને ખૂબ
થાક લાગ્યો હશે જ. શું તું એ થાકથી ત્રાસ્યો છે? શું તારું મન અનંત સુખની પ્રાપ્તિ માટે ઉત્સુક બન્યું છે ? જો હા, તો પછી ઓ બુદ્ધિમાન્! તું શુભ ભાવનાઓ રૂપી અમૃતરસથી ભરેલા મારા
શાન્ત સુધારસ ગ્રન્થને સાંભળ. (२) सुखमनुत्तरसुरावधि यदतिमेदुरम्, कालतस्तदपि कलयति विरामम् ।
कतरदितरत्तदा वस्तु सांसारिकम्, स्थिरतरं भवति चिन्तय निकामम् ।। અર્થ : અહો ! પેલા અનુત્તરવાસી દેવોનું સુખ ! ૩૩ સાગરોપમ સુધી
ટકનારું ! કેટલું બધું મનોહર ! પણ બિચારું એ સુખ પણ ૩૩ સાગરોપમને અંતે વિરામ પામે છે, નષ્ટ થાય છે. તો પછી આત્મન્ ! તું ખૂબ સારી રીતે વિચાર કે આવું ૩૩ સાગરોપમ જેટલો વિશાળ કાળ ટકનાર સુખ પણ જો અસ્થિર હોય તો સંસારની બીજી કઈ વસ્તુ વધારે સ્થિર હોઈ શકે ? બધું જ
અનિત્ય છે. (३) यैः समं क्रीडिता ये च भृशमीडिताः यैः सहाकृष्महि प्रीतिवादम् ।
तान् जनान् वीक्ष्य बत भस्मभूयंगतानिर्विशङ्काः स्म इति धिक प्रमादम् ।। અર્થ : ચેતન ! જે મિત્રો, ભાઈઓ સાથે બાળપણમાં તું રમતો હતો, જે
માતા-પિતા, કલાચાર્ય, વડીલોની તેં પૂજા-ભક્તિ ખૂબ કરી હતી, જે સ્વજનાદિની સાથે તું મીઠી, સ્નેહભરપૂર વાતો કરતો હતો એવા કેટલાય મિત્રો વગેરેને તેં તારી આંખ સામે શ્મશાનની ભડભડ બળતી આગમાં રાખ બનતા જોયા છે. શું આ જોયા પછી પણ તારી આંખ ઉઘડતી નથી? તને તારા મોતનો ડર લાગતો નથી? ખરેખર,
તારા આ પ્રમાદને કરોડો ધિક્કાર હો ! (૪). कवलयन्नविरतं जङ्गमाजङ्गमम् जगदहो नैव तृप्यति कृतान्तः ।
मुखगतान् खादतस्तस्य करतलगतैर्न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ)
૧૫૯