SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (४१) व्याध्यभिभूतो यद्वन्निर्विण्णस्तेन तकियां कत्मात् । सम्यक्करोति तद्वद्दीक्षित इह साधुसच्चेष्टा ना અર્થ : મોટા રોગોથી હેરાન-પરેશાન થયેલો અને માટે જ ખૂબ કંટાળી ગયેલો રોગી જેમ વૈદ્ય કહેલી એ રોગ મટાડવાની બધી જ ક્રિયાઓ એકદમ પ્રયત્નપૂર્વક કરે છે, પ્રમાદ નથી કરતો એમ સંસારરોગથી હેરાન થયેલો, કંટાળેલો દીક્ષિત આત્મા પણ સાધુજીવન સંબંધી શુભ ચેષ્ટાઓ અવશ્ય સારી રીતે કરે. (४२) गुरुविनयः स्वाध्यायो योगाभ्यासः परार्थकरणं च । इतिकर्तव्यतया सह विज्ञेया साधुसच्चेष्टा ।। અર્થ: દીક્ષિત સાધુએ પાંચ શુભ ચેષ્ટાઓ આચરવાની છેઃ (૧) ગુરુવિનય, (૨) સ્વાધ્યાય, (૩) યોગાભ્યાસ, (૪) પરાર્થકરણ, (૫) ઈતિકર્તવ્યતા. (४३) औचित्याद् गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः ।। અર્થ : ગુરુવિનય ઃ (૧) ઔચિત્યપૂર્વક ગુરુની ભરપૂર સેવા કરવા દ્વારા સૂચિત થતો ગુરુ ઉપર અસીમ બહુમાનભાવ. (૨) “ગુરુએ મારા ઉપર કેવા કેવા ઉપકારો કરેલા છે એને બરાબર જાણતો-સમજતો હોય. ગુરુના ઉપકારોને ભૂલી ન જાય. (૩) ગુરુની આજ્ઞાનો ક્યારેય અસ્વીકાર ન કરે. સહર્ષ સ્વીકારે. (૪) એટલું જ નહિ, બરાબર એ આજ્ઞાનું પાલન કરે. આ ચાર વસ્તુ હોય તો ગુરુવિનય કહેવાય. (४४) यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो विनिर्दिष्टः ।। અર્થ : વિધિપૂર્વક ક્રમશઃ જે વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારના સ્વાધ્યાયનું આસેવન કરવામાં આવે તે સ્વાધ્યાય કહેવાયેલો છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૫૫
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy