________________
(૭૨) ઘરોધદવિનોનું, શમર સશક્ત વિરિચય |
चपल एष मनःकपिरखच्चकैः, रसवणिग् विदधातु मुनिस्तु किम् ॥४॥ અર્થ: રસનો વેપારી વણિમુનિ બિચારો શું કરે ?
ચારિત્ર્ય યોગરૂપી એના ઘડાઓને ઊંધા પાડી દઈને એમાં ભરેલો * બધો ય શમરસ ચંચળ પેલો મન-મર્કટ ધરતી ઉપર એકદમ ઢોળી
નાંખે છે ! (७३) चरणगोपुरभङ्गपरः स्फुरत् समयबोधतरूनपि पातयन् ।
भ्रमति यद्यतिमत्तमनोगजः, क्व कुशलं शिवराजपथे तदा ।।७।। અર્થ : મુનિવરને લોકો પૂછે છે કે, “મોક્ષનગરના રાજમાર્ગે તમને કુશળતા
છે ને?' પણ કુશળતાની તો શી વાત કરવી ? આ મનરૂપી ગજરાજ હવે ગાંડોતૂર બન્યો છે. રે ! ચારિત્ર્યરૂપી કિલ્લાના દરવાજા તોડી નાંખવા એ કટિબદ્ધ બન્યો છે ! શાસ્ત્રબોધરૂપી વૃક્ષોને જડમૂળથી ઉખેડી દઈને ધરતી ઉપર
ઢાળી રહ્યો છે ! (७४) अनिगृहीतमना विदधत्परां न वपुषा वचसा च शुभक्रियाम् ।
गुणमुपैति विराधनयाऽनया, बत दुरन्तभवभ्रममञ्चति ।।९।। અર્થ : જે મુમુક્ષુ પોતાના મનનો નિગ્રહ કરતો નથી તે ગમે તેટલી ક્રિયાઓ
- વાણીથી કે કાયાથી – ભલે ને કરતો રહે તો પણ તેને કોઈ લાભ તો ન જ થાય, પરતુ “મનનો નિગ્રહ ન કરવા સ્વરૂપ વિરાધના
કરવાથી અને વિરાટ આ ભવરાનમાં ભટક્યા જ કરવું પડે. (७५) मनसि लोलतरे विपरीततां, वचननेत्रकरेङ्गितगोपना ।
व्रजति धूर्ततया ह्यनयाऽखिलं, निबिडदम्भपरैर्मुषितं जगत् ।।११।। અર્થ : જ્યારે મન વધુ ચંચળ (અસ્થિર) બને છે ત્યારે એ આત્મા વાણીમાં
જે ગુપ્તિ રાખે છે, નેત્રમાં જે નિર્વિકારિતા જાળવે છે અને હાથની ચેષ્ટામાં પણ જે યતના જાળવે છે તે બધું ય તેને તો સદ્ગતિનું ફળ આપવાને બદલે દુર્ગતિના ફળ ચખાડવા દ્વારા ઊંધું જ પડે છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)
૧૯