Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 159
________________ દાક્ષિણ્ય, (૩) પાપજુગુપ્સા, (૪) નિર્મળ બોધ, (૫) પ્રાયઃ લોકપ્રિયતા. (ર૪) મૌવાર્ય રાખ્યત્યા કિનારાનહમ્ | गुरुदीनादिष्वौचित्त्यवृत्ति कार्येतदत्यन्तम् ।। અર્થ: કંજુસાઈ છોડી દઈને જે ચિત્તની વિશાળતા કેળવવી એ ઉદારતા છે. આ ઉદારતા હોય તો એ જીવ માતા-પિતા, વિદ્યાદાતા, ધર્મગુરુ વગેરે ગુરુજનોને વિશે અને દીન, અનાથ વગેરેને વિશે અત્યન્તપણે ઔચિત્યનું સેવન કરે. અર્થાત્ જ્યારે જ્યાં જે આપવું પડે તે આપી દે. એમાં કંજુસાઈ ન રાખે, કંજુસાઈ ચાર પ્રકારે થાય. (૧) પૈસા, વસ્ત્રાદિ ન આપી શકે એ દ્રવ્યથી, (૨) ગુર, દીનાદિને ઉચિત સ્થાન ન આપી શકે એ ક્ષેત્રથી, (૩) તેઓ માટે પોતાનો ઉચિત સમય ન ફાળવે એ કાળથી (૪) સંકુચિતભાવ રાખે એ ભાવથી કંજુસાઈ) (२५) पापजुगुप्सा तु तथा सम्यक्परिशुद्धचेतसा सततम् । पापोद्वेगोऽकरणं तदचिन्ता चेत्यनुक्रमतः ।। અર્થ : પાપજુગુપ્સાના ત્રણ વિભાગ છે. (૧) સમ્યમ્ શુદ્ધ મનથી સતત જીવનમાં થઈ ગયેલા પાપો બદલ ભારોભાર ઉદ્વેગ, ખેદ, દુઃખની લાગણી. (ર) વર્તમાનમાં ફરીથી એ પાપો ન કરવા. (૩) ભવિષ્યમાં “આ પાપ હું કરીશ.” એવો વિચાર સુદ્ધા ન કરવો. (२६) निर्मलबोधोऽप्येवं शुश्रूषाभावसंभवो ज्ञेयः । शमगर्भशास्त्रयोगात् श्रुतचिन्ताभावनासारः ।। અર્થ : આત્મામાં તત્ત્વશ્રવણની તીવ્ર ઈચ્છા પડી હોય અને સમભાવપ્રધાન એવા શાસ્ત્રોના વાંચન, શ્રવણથી જે બોધ થાય એ નિર્મલબોધ કહેવાય. એ ત્રણ પ્રકારનો હોઈ શકે. (૧) શ્રુતજ્ઞાન, (૨) ચિન્તાજ્ઞાન, (૩) ભાવનાજ્ઞાન. (જીવનમાં ઉતરી ગયેલું જ્ઞાન.) (२७) युक्तं जनप्रियत्वं शुद्धं तद्धर्मसिद्धिफलदमलम् । धर्मप्रशंसनादे/जाधानादिभावेन ।। અર્થ : લોકપ્રિયતા એ યોગ્ય જ છે, એ કંઈ ખરાબ વસ્તુ નથી, કેમકે ધર્મી માણસ જો લોકપ્રિય હોય તો લોકો એના ધર્મકાર્યની પ્રશંસા વગેરે ૧૫૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194