Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 181
________________ (૪૩) વિનય વિચિન્તય મિત્રતાનું, ત્રિનાનિ નનતાણું ! कर्मविचित्रतया गतिम्, विविधां गमितासु ।। અર્થ : વિનય ! ત્રણ જગતની જનતાઓને વિશે તું મૈત્રીભાવના ભાવ કે જે બિચારી જનતા કર્મની વિચિત્રતાને લીધે જાતજાતની ગતિઓમાં પહોંચી ગઈ છે. (૪૪) સર્વે તે પ્રિયવાવાસ, ર દિ રિપુરિદ વોઝરિ ! मा कुरु कलिकलुषं मनो, निजसुकृतविलोपि ।। અર્થ: બધા જ જીવો તારા પ્રિય બાંધવ છે. અહીં કોઈ તારો શત્રુ નથી. વિનય ! તું તારા મનને કજીયા-ઝઘડા-સંક્લેશથી મલિન ન કર. આવું મન તો તારા બધા જ પુણ્યકર્મોને ખતમ કરી નાંખશે. (૪૬) વિ વો લુત્તે પરો, નિનવર્મવશેન ! अपि भवता किं भूयते, हृदि रोषवशेन ।। અર્થ : રે! કદાચ કોઈ પારકો માણસ તેના ક્રોધમોહનીય કર્મના ઉદયને લીધે તારા ઉપર ક્રોધ કરી પણ બેસે. પણ એટલે શું તું પણ હૃદયમાં ક્રોધને ધારણ કરે એ યોગ્ય છે? (४६) अनुचितमिह कलहं सताम्, त्यज समरसमीन । भज विवेककलहंसताम्, गुणपरिचयपीन ।। અર્થ : આ માનવભવમાં, સાધુજીવનમાં પરસ્પર ઝઘડો કરવો એ સારા આત્માઓ માટે તો બિલકુલ ઉચિત નથી. આત્મન્ ! સમતારસમાં તરનારી માછલી બનીને તું આ કજીયા-કંકાસને છોડી દે. એના બદલે વિવેકગુણથી મનોહર એવો હંસપક્ષી બન. બીજાના ગુણોના પરિચયથી પુષ્ટ બન. (४७) शत्रुजनाः सुखिनः समे, मत्सरमपहाय । सन्तु गन्तुमनसोऽप्यमी, शिवसौख्यगृहाय ।। અર્થ: મારા કહેવાતા તમામ શત્રુઓ ક્રોધને, ઈર્ષ્યાને છોડી સુખી થાઓ. તેઓ પણ મોક્ષઘર તરફ જવા માટે ઉત્સુક બનો. ૧૭૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194