________________
ખુદ તીર્થપતિ પ્રભુવીર પણ ઉસૂત્રપ્રરૂપણા કરતા અટકાવી શક્યા
નથી. માટે આ વિષયમાં તો ઉદાસીનતા એ જ આત્મહિતકારી છે. (६८) अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किम्, धर्मोद्योगं कारयेयुः प्रसह्य ।
___ दधुः शुद्धं किन्तु धर्मोपदेशम्, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ।। અર્થ : આખા વિશ્વને મુઠ્ઠીમાં ચોળી નાંખવાની શક્તિ ધરાવનારા અરિહંતો
પણ શું કોઈની પણ પાસે બળજબરીથી ધર્મ કરાવે છે ખરા ? ના, તેઓ તો માત્ર શુદ્ધ ધર્મોપદેશ જ આપે છે, જે ધર્મોપદેશનું આચરણ
કરનારાઓ દસ્તર ભવસમુદ્રને તરે છે. ન કરનારાઓ ડુબે છે. (६९) परिहर परचिन्तापरिवारम्, चिन्तय निजमविकारं रे ।
तव किं कोऽपि चिनोति करीरम्, चिनुतेऽन्यः सहकारं रे ।। અર્થ : ઓ મન ! પારકાની ચિંતાઓનું પોટલું માથે લઈને ફરે છે. પણ એ
બધી પારકી ચિંતાઓ છોડી દે. એક માત્ર નિર્વિકારી, શુદ્ધ તારા આત્માનો વિચાર કર. અરે ! કોઈક કાંટાઓ ભેગા કરે તો બીજો કોઈક વળી આંબા ઉપરથી કેરીઓ ભેગી કરે, પણ એમાં તારે શું?
પારકાના કાંટા કે કેરીથી તને દુઃખ-સુખ મળવાના નથી. (७०) योऽपि न सहते हितमुपदेशम्, तदुपरि मा कुरु कोपं रे ।
निष्फलया किं परजनतप्त्या, कुरुषे निजसुखलोपं रे ।। અર્થ : તું ભલે ભવ્યજીવોને, શિષ્યોને હિતોપદેશ આપ. પણ જે શિષ્યાદિ
તારા હિતોપદેશને ન સ્વીકારે, સામે પડે તેની ઉપર તું ક્રોધ ન કરીશ. આ નકામી પારકા લોકોની ચિંતા દ્વારા તું તારા આત્મસુખનો
લોપ શા માટે કરે છે ? (७१) सूत्रमपास्य जडा भाषन्ते, केचन मतमुत्सूत्रं रे ।
किं कुर्मस्ते परिहतपयसो, यदि पीयन्ते मूत्रं रे ।। અર્થ : કેટલાક જડ લોકો શાસ્ત્રોને બાજુ પર મૂકી ઉસૂત્રપ્રરૂપણા કરે છે.
ઉત્સુત્રજીવન પણ જીવે છે. પણ એથી શું ? દૂધ છોડીને બધા મૂત્ર પીવા લાગી પડે તો અમે શું કરીએ ?
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્ત સુધારસ)
૧૭૯