Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 162
________________ અર્થ : આ ચાર પાપવિકારો બુદ્ધિમાન, ધર્મવાનું આ આત્માને ક્યારેય હોતા નથી. ઉલ્યું, એનામાં રહેલા ધર્મના પ્રભાવથી એ જીવમાં મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યચ્ય એ ચાર ગુણો ઉત્પન્ન થાય છે. (३५) येषामेषा (अविधिसेवा) तेषामागमवचनं न परिणतं सम्यक् । अमृतरसास्वादज्ञः को नाम विषे प्रवर्तेत ? ।। અર્થ : જે જીવો અવિધિનું સેવન કરે છે તેઓ ભલે ગમે એટલો આગમનો બોધ ધરાવતા હોય તો ય એ આગમવચનો એમને સમ્યફ પરિણમ્યા નથી જ. સાવ સરળ વાત છે કે, અમૃતરસના આસ્વાદને માણ્યા બાદ કોણ વળી ઝેર પીવા જાય ? એમ આગમવચનોને સમ્યફ પરિણમાવી ચૂકેલો આત્મા અવિધિનું સેવન ન કરે. (३६) उदकपयोऽमृतकल्पं पुंसां सज्ज्ञानमेवमाख्यातम् । विधियत्नवत्तु गुरुभिर्विषयतृडपहारि नियमेन ।। અર્થ: શ્રુતજ્ઞાન એ પાણી જેવું છે. તરસ છિપાવે પણ ભૂખ ન મટાડે. ચિન્તાજ્ઞાન એ દૂધ જેવું છે. ભૂખ મટાડે પણ મોત ન મટાડે. જ્યારે ભાવનાજ્ઞાન એ અમૃત જેવું છે. મોત પણ મટાડી દે. ગુરુજનો કહે છે કે. આ ત્રણેય જ્ઞાન અવશ્ય વિધિમાં યત્ન કરાવે. અર્થાત જે સાચો શ્રુતજ્ઞાની, ચિન્તાજ્ઞાની કે ભાવનાજ્ઞાની હોય તે પોતાના જ્ઞાનથી જણાયેલી વિધિમાં યત્ન કરે જ. અને આ જ્ઞાન વિષયસુખોની તૃષ્ણાને હરણ કરી લેનાર છે. (३७) श्रृण्वन्नपि सिद्धान्तं विषयपिपासातिरेकतः पापः । प्राप्नोति न संवेगं तदाऽपि यः सोऽचिकित्स्य इति ।। અર્થ : ગુરુ જ્યારે વૈરાગ્યનો ઉપદેશ આપતા હોય, સિદ્ધાન્તનું વર્ણન કરતા હોય એ વખતે જે પાપી શિષ્ય સિદ્ધાન્ત સાંભળતો હોવા છતાં એ સાંભળતી વખતે પણ સંવેગને ન પામે એ અચિકિત્સ્ય-ત્રીજા સ્ટેજના જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક). ૧૫૩

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194