________________
(૨૭) નિરાત્તિ નિયમન ધારા, તિતિ વસુધા યેન !
तं विधस्थितिमूलस्तम्भम्, त्वां सेवे विनयेन ।। અર્થ: આ પૃથ્વી કોઈપણ જાતના આલંબન વિના, નિરાધાર બનીને ઊભી
છે એ આ જિનધર્મનો જ પ્રભાવ છે. ઓ આ વિશ્વની સ્થિતિના
મૂલસ્તંભ ! હું તારી વિનયપૂર્વક સેવા કરું છું. (२२) दानशीलशुभभावतपोमुख-चरितार्थीकृतलोक ।
शरणस्मरणकृतामिह भविनाम, दूरीकृतभयशोक ।। અર્થ: ઓ જિનધર્મ! તારા ચાર મુખ છેઃ (૧) દાન, (૨) શીલ, (૩) તપ,
(૪) ભાવ. આ ચાર વડે તું આખાય લોકને કૃતાર્થ બનાવે છે. તારું શરણ યાદ કરનારા ભવ્યજીવોના તમામ ભયો અને લોકોને તું દૂર
ધકેલી દે છે. (२३) बंधुमवंधुजनस्य दिवानिशमसहायस्य सहाय ।
भ्राम्यति भीमे भवगहनेऽङ्गी, त्वां बान्धवमपहाय ।। અર્થ: ઓ જિનધર્મ ! જેઓને કોઈ બાંધવ નથી, તારા શરણે આવેલા તે
લોકો માટે તું બાંધવ સમાન છે. અસહાય લોકો માટે તું રાત ને દિ' સહાયક છે. આ બિચારા જીવો ! મૂર્ખ બની તને છોડી દેવાની ભૂલ
કરે છે અને માટે જ ભયાનક સંસારરૂપી જંગલમાં ભટકે છે. (ર૪) દ્રપતિ દિન ગતિ કૃશાનુ, તિ નથિરવિન !
तव कृपयाखिलकामितसिद्धिर्बहुना किं नु परेण, पाल० ।। અર્થ: જિનધર્મ ! તારી કૃપાથી તો અમારા માર્ગમાં આવેલા જંગલ પણ
નગર બની જાય છે. તારી કૃપાથી અમને બાળનારી આગ અમને ઠારનાર પાણી બની જાય છે. તારી કૃપાથી સમુદ્ર પણ ઝડપથી ખુલ્લું મેદાન થઈ જાય છે. શું વધારે કહું? તારી કૃપાથી અમારી તમામે
તમામ ઈચ્છિત વસ્તુઓની સિદ્ધિ થાય છે. (२५) इह यच्छसि सुखमुदितदशाङ्गम् प्रेत्येन्द्रादिपदानि ।
क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि ।। અર્થ : ઓ જિનધર્મ ! તું તો મારી માતા છે. અમારી કેટલી બધી કાળજી કરે
૧૬૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧