________________
પૂછ્યા વિના, એમની રજા વિના જો લઉં તો એક આંબિલ કરીશ. (४७) एगित्थीहिं वत्तिं, न करे परिवाडिदाणमवि तासि ।
इगवरिसारिहमुवहिं ठावे अहिगं न ठावेमि ।।
અર્થ : એકલી સ્ત્રી સાથે (સાધ્વીઓ માટે એકલા પુરુષ સાથે) વાતચીત નહિ કરું. એકલી સ્ત્રીને પરિપાટિદાન-અધ્યાપન પણ નહિ કરાવું. અર્થાત્ એકલી સ્ત્રીઓને નહિ ભણાવું.
તથા એક વર્ષ ચાલે એટલી ઉપધિ રાખીશ. એનાથી વધારે નહિ રાખું.
(४८) महारोगे वि अ काढं, न करेमि निसाइ पाणीयं न पिबे । सायं दोघडियाणं, मज्झे नीरंपि न पिबेमि ||
અર્થ : મોટો રોગ થાય તો પણ ક્વાથ-આધાકર્મી ઉકાળા વગેરે નહિ કરાવીશ. રાત્રે પાણી નહીં પીઉં અને સાંજે છેલ્લી બે ઘડીમાં પાણી નહીં વાપરું. (છેવટે ૨૦,૧૦ મિનિટનો નિયમ)
(४९) तवआयारे गिण्हे, अह नियमे कइवि सत्तीए ।
',
ओगाहियं न कप्पइ, छट्ठाइ तवं विणा उ जोगं च ।। અર્થ : હવે તપાચાર વિશે હું શક્તિ પ્રમાણે કેટલાક નિયમો ગ્રહણ કરીશ. છઠ્ઠ વગેરે તપ વિના કે યોગોહન વિના હું અવગાહિમનીવિયાતા પક્વાન્નાદિ નહિ વાપરું.
(५०) निव्वियतिगं च अंबिल-दुगं विणु नो करेमि विगयमहं । विगइ दिणे खंडाई - णकारनियमो अ जाजीवं ॥
અર્થ : એકસાથે ત્રણ નીવી કે બે આંબિલ કર્યા પછીના દિવસે હું દૂધ વગેરે વિગઈ લઈશ. એ વિના વિગઈ નહિ લઉં. તથા જે દિવસે વિગઈ વાપરું એ દિવસે પણ એ દૂધ વગેરેમાં ખાંડાદિ સ્વાદ ઉત્પન્ન કરનારી વસ્તુ નહિ લઉં. આ નિયમ યાવજ્જીવ માટે લઉં છું.
(५१) अट्ठमीचउदसीसुं, करे अहं निब्बियाई तिन्नेव ।
अंबिलदुगं च कुव्वे, उववासं वा जहासत्ति
અર્થ : આઠમ-ચૌદશના દિવસે હું ત્રણ નીવી કરીશ અથવા બે આંબિલ કે
2llllllllll
++++++++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓↓ 1111111111111111**********************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ)
૮૭