________________
(१२) न प्रणिधानाधाशयसंविद्व्यतिरेकतोऽनुबन्धि तत् ।
भिन्नग्रंथेनिर्मलबोधवत: स्यादियं च परा ।। અર્થ: પણ ઉત્પન્ન થયેલી એ શુદ્ધિ અને પુષ્ટિ પ્રણિધાન, પ્રવૃત્તિ,
વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ એ પાંચ આશયોના સંવેદન વિના વૃદ્ધિ પામતી નથી. આ પાંચથી જ ઉત્પન્ન થયેલ શુદ્ધિ-પુષ્ટિ કુદકે ને ભુસકે વધવા માંડે છે. આ પ્રણિધાનાદિ પાંચ આશયોનું ઊંચા પ્રકારનું સંવેદન તો ગ્રન્થિભેદ કરી ચૂકેલા, નિર્મળ બોધવાળા સમ્યગ્દષ્ટિને જ હોય છે. (મિથ્યાત્વીને એ સંવેદન મંદકક્ષાનું હોય
છે.)
(૧૩) પ્રથાનં તત્સમયે સ્થિતિમત્ તક પાનુ વૈવ
निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ।। અર્થ: પહેલો આશય પ્રણિધાન છે. એમાં ચાર વસ્તુ સમાયેલી છે.
(૧) દા.ત. ૫૦મી ઓળી શરૂ કરી તો ૫૦ દિવસ સુધી મનમાં ચંચળતા ન આવે. એ ઓળી કરવાની દઢતા રહે. “કોઈપણ ભોગે ઓળી કરવી છે.” એવો સંકલ્પ નબળો ન પડે. (ર) જેઓ ઓળી કરવાને બદલે નવકારશી કરે છે એવા સાધુઓ પ્રત્યે દ્વેષભાવ ન કરે પણ કરૂણા કરે. (૩) ઓળી ગુરુની રજા વિના કરવી, આધાકર્મી વાપરીને કરવી, ચાર કલાક ઉંઘવું વગેરે સાવદ્ય વસ્તુવાળી ઓળી ન કરે. પણ ગુર્વાજ્ઞા હોવી, નિર્દોષ વાપરવું વગેરે નિરવદ્ય વસ્તુવાળી ઓળી કરે. (૪) પરોપકાર-કરણવાળી ઓળી કરે. સારી મળેલી વસ્તુ બીજા તપસ્વીઓને વપરાવવી, એકલા ખાઈ ન જવી,
આંબિલ હોવા છતાં વિગઈ ખાનારાઓની પણ ભક્તિ કરવી. (१४) तत्रैव तु प्रवृत्तिः शुभसारोपायसङ्गताऽत्यन्तम् ।
___अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ।। અર્થ એ ૫૦મી ઓળીમાં જ પ્રવૃત્તિ કરવી એ પ્રવૃત્તિ નામનો બીજો
આશય છે. એમાં ત્રણ વસ્તુ સમાયેલી છે. (૧) શુભ, સારભૂત ઉપાયવાળી પ્રવૃત્તિ હોય. આધાકર્મી ગરમાગરમ રસોઈ એ ઓળી
૧૪૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧