Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 156
________________ કરવા માટેનો સારભૂત ઉપાય ખરો, પણ શુભ ઉપાય ન કહેવાય. જ્યારે એકલા ઓદન, એક્લા મમરા, એક્લા પૌઆ જ વાપરવા એ શુભ ઉપાય ખરો, પણ સારભૂત ઉપાય નથી. ૫૦ દિવસ આવી રીતે આંબિલ થઈ જ ન શકે. પણ નિર્દોષ કે ગુર્વાજ્ઞા પ્રમાણે અલ્પદોષવાળા રોટલી, દાળ વગેરે શુભ અને સારભૂત ઉપાય ગણાય. એ ઉપાયોવાળી પ્રવૃત્તિ ૫૦મી ઓળીમાં કરે. (૨) ખૂબ ઉલ્લાસ-આદરપૂર્વક ઓળી કરે. ખેંચી ખેંચીને ન કરે. (૩) “ક્યારે આ ૫૦મી ઓળી પૂરી થાય એવી ઉત્સુક્તા ન હોય, તેમ “આ ઓળીનું ફળ તો કંઈ દેખાતું જ નથી. ફળ ક્યારે મળશે.” એવી ઉત્સુકતા પણ ન હોય. (१५) विघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टकज्वरमोहजयसमः प्रवृत्तिफलः ।। અર્થ : ત્રીજો વિધ્વજય નામનો આશય છે. (૧) રસ્તામાં મુસાફરને કાંટો વાગે એ કંટકવિM ગતિને ધીમી કરી નાંખે છે, એમ અહીં ઠંડીગરમી, સ્વજનોની મનાઈ, પારણું કરાવવાની જીદ વગેરે કંટકવિપ્ન છે. ભયંકર ગરમીમાં આંબિલ અઘરા પડવાથી ૫૦મી ઓળી અધવચ્ચે જ મૂકી દે. (૨) રસ્તામાં મુસાફરને તાવ આવે તો એ જ્વરવિપ્ન વધારે ખરાબ છે. એમ અહીં પણ માથું દુઃખવું, તાવ આવવો, કબજીયાત થવી વગેરે રોગો એ જ્વરવિપ્ન જેવા છે, જે આ ૫૦મી ઓળીને અટકાવે છે. (૩) રસ્તામાં મુસાફર રસ્તો જ ભૂલી જાય એ સૌથી ખરાબ દિલ્મોહ વિપ્ન છે. એમ અહીં “આંબિલ કરતા વિગઈ વાપરી સ્વાધ્યાયાદિ કરવા સારા. શાસ્ત્રમાં ય મનગમતી વસ્તુ વાપરી ધર્મ કરવાની વાત કરી છે. આંબિલમાં મન પ્રસન્ન નથી રહેતું.' વગેરે વિચારો એ દિલ્મોહ છે. આ ત્રણેય પ્રકારના વિદ્ગો ઉપર વિજય મેળવે તો એ ત્રીજો આશય ગણાય. (१६) सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया । अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ।। અર્થ : ૫૦મી ઓળી નિર્વિને પૂરી થવી એ સિદ્ધિ છે. શરૂ કરેલા તે તે કોઈપણ ધર્મસ્થાનની પ્રાપ્તિ એ સિદ્ધિ ગણાય. પણ સાચી સિદ્ધિ તો જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૪૭

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194