________________
કરી
છે
(૧૩) શ્રી જીવાનુશાસ્તિ કુલા (૧૧) રે નીવ ! ચિંતરિ તુમ, નિમિત્તમાં જે ફ તુ !
असुहपरिणामजणियं फलमेयं पुव्वकमाणं ।। અર્થ: રે જીવ ! તું એટલું વિચારજે કે તને જે કંઈપણ દુઃખો પડે છે એમાં
બીજાઓ તો નિમિત્તમાત્ર છે. હકીકતમાં તારા પૂર્વભવના ખરાબ
પરિણામોથી ઉત્પન્ન થયેલા એ પૂર્વકનો જ આ વિપાકફળ છે. (९६) रे जीव ! कम्मभरिओ उवएसं कुणसि मूढ ! विवरीअं ।
दुग्गइगमणमणाणं, एस च्चिय हवइ परिणामो ।। અર્થ : ઓ મૂઢ ! તું આ શું કરે છે? ગુરુ તને જે કરવાનો ઉપદેશ આપે છે
એ કરવાને બદલે ભારેકર્મી તું ઊંધું જ કરે છે. પણ સાચી વાત છે. જેઓ દુર્ગતિમાં જવાની ઈચ્છાવાળા હોય તેને આવા ઊંધું કરવાના
જ પરિણામો જાગે. (९७) रे जीव ! मा विसायं जाहि तुमं पिच्छिऊण पररिद्धी ।
धम्मरहियाण कुत्तो संपज्जइ विविहसंपत्ती ।। અર્થ: હે જીવ ! તને ઋદ્ધિ-સમૃદ્ધિ નથી મળી અને એટલે તું બીજાઓની
ઋદ્ધિ જોઈને વિષાદ-ખેદ કરે છે. પણ એ ખેદ છોડી દે, કેમકે તેં એવો કોઈ ધર્મ કર્યો નથી કે કરતો નથી તો પછી ધર્મરહિત જીવોને તો શી
રીતે વિવિધ સંપત્તિઓ-સમૃદ્ધિઓ=સુખો મળે ? (९८) रे जीव ! किं न कालो, तुज्झ गओ परमुहं नीयंतस्स ।
जं इच्छियं न पत्तं, तं असिधारावयं चरसु ।। અર્થ : આત્મન્ ! ખોટું ન લગાડે તો એક વાત કરું? સુખો મેળવવા માટે
સતત બીજાઓના જ મોઢાઓ જોતા એવા તારો કાળ શું નકામો નથી ગયો? અર્થાત્ તને એમાં સફળતા મળી નથી તો હવે જો તને તારી ઈચ્છિત વસ્તુ નથી જ મળી તો મારી વાત માન. અને આ તલવારની ધાર જેવા વ્રતોનું પાલન કર.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ)
૯૭