________________
ષોડશક (१) बाह्यं लिंगमसारं तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः ।
धारयति कार्यवशतो यस्माच्च विडंवकोऽप्येतत् ।। અર્થ: ઓ શ્રમણો ! સાધુવેષ મળી જવા માત્રથી સંતોષ ન માનશો, કેમકે
આ બાહ્ય લિંગ-સાધુવેષ તો અસાર છે. ધર્મની પ્રાપ્તિ એ કંઈ આ બાહ્યલિંગ સાથે જોડાયેલી નથી. અરે, પેલા નાટકીયાઓ પણ નાટક દેખાડવાદિ માટે સાધુવેષ ધારણ કરે જ છે ને? તેઓ કંઈ એટલા
માત્રથી ધર્મપ્રાપ્તિ કરી શકતા નથી. (२) बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि ।
कंचुकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ।। અર્થ : તમે કદાચ કહેશો કે માત્ર અમે સાધુવેષ સ્વીકાર્યો છે એટલું નથી.
પણ અમે ધન-ધાન્ય-સ્વજનાદિ ઘણું બધું છોડ્યું છે તો પછી અમે કેમ સાચા શ્રમણ ન કહેવાઈએ ? પણ સાંભળી લો ! આ ધન-ધાન્ય-સ્વજનાદિ રૂપ બાહ્ય ગ્રન્થિઓનો ત્યાગ કરવા માત્રથી આ સાધુવેષ એ સુંદર, પ્રશંસનીય બની શકતો નથી, કેમકે બાહ્ય ગ્રન્થિઓનો ત્યાગ તો બીજાઓ પણ કરી શકે છે. એટલા માત્રથી સાચા સાધુ ન બનાય. પેલો સાપ ! પોતાના શરીર ઉપરની કાંચળી ઉતારી નાંખે છે. શું એટલા માત્રથી એ ઝેર વિનાનો
બની જાય ખરો? (3) જુવોપારમિતા ધ્યરયત્નો નિપુણધીમઃ |
सनिंदादेश्च तथा ज्ञायत एतन्नियोगेन ।। અર્થ : સર્વવિરતિ પામી ચૂકેલાઓના તપ, વૈયાવચ્ચ, સંયમ, સ્વાધ્યાયાદિ
અનુષ્ઠાનો મોક્ષ મેળવી આપનારા છે કે નથી? એ જાણવાનો ઉપાય એ છે કે (૧) જેઓ એકબાજુ નાના નાના દોષો ન સેવવામાં આદર કરે અને બીજી બાજું મોટા દોષો સેવે. (દા.ત. વનસ્પતિ જીવોની વિરાધનારૂપી નાના દોષને ન સેવવા અંડિલ-માત્રુ વગેરે ક્યારેય ઘાસાદિ ઉપર ન પરવે. પણ બીજી બાજુ એવી રીતે એ પરઠવે કે
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક)
૧૪૩