________________
એક ઉપવાસ મારી શક્તિ પ્રમાણે કરીશ.
(૧૨) વૈચિત્તાŞાયા, વિષે વિશે મિહા મહેઞવ્યા | जीयम्मि जओ भणिअं पच्छित्तमभिग्गहाभावे ।।
અર્થ : આ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને રોજેરોજ અવનવા અભિગ્રહો લેવા જોઈએ, કેમકે જીતકલ્પમાં આ અભિગ્રહો ન લેનારાને પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
(५३) विरियायारनियमे गिहे कइवि जहासत्ति ।
दिण पणगाहाइणं, अत्थं गिहे मणेण सया ।।
અર્થ : વીર્યાચારના કેટલાક નિયમો યથાશક્તિ ગ્રહણ કરું છું. એમાં રોજ પાંચ ગાથાઓના અર્થ ગ્રહણ કરીશ, પછી મનથી એનું ચિંતન કરીશ.
(५४) पणवारं दिणमज्झे पमाययंताण देमि हियसिक्खं ।
एगं परिठवेमि अ मत्तयं सव्वसाहूणं ।।
અર્થ : આખા દિવસમાં સંયમયોગોમાં તે તે પ્રમાદ કરનારા મારા ગુરુભાઈ વગેરેને પાંચ વાર હિતશિક્ષા આપીશ. તથા તમામ સાધુઓનું એકવાર માત્રક (માત્રાદિનો પ્યાલો) પરઠવીશ.
(५५) निधाइपमाएणं मंडलिभंगे करेमि अंबिलयं ।
नियमा करेमि एगं विस्सामणयं च साहूणं ।।
અર્થ : નિદ્રા વગેરે પ્રમાદને લીધે જો પ્રતિક્રમણમાંડલીનો ભંગ કરૂં, અલગ પ્રતિક્રમણ કરું તો એ નિમિત્તે એક આંબિલ કરીશ તથા રોજ સાધુઓમાં એકવાર તો વૈયાવચ્ચ કરીશ.
(५६) वसहीपवेसि निग्गंमि, निसीहिआवस्सियाण विस्सरणे । पायाऽपमज्जणे वि य, तत्थेव कहेमि नवकारं ।।
અર્થ : ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે જો નિસીહિ બોલવાનું ભૂલી જાઉં, ઉપાશ્રયમાંથી નીકળતી વખતે જો આવહિ બોલવાનું ભૂલી જાઉં તથા ગામમાં પ્રવેશતા કે નીકળતા પગ પ્રમાર્જવાના ભૂલી જાઉં તો ત્યાં જ એક નવકાર ગણીશ. (જ્યારે ભૂલ ખ્યાલ આવે ત્યારે.)
+++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷¡÷÷†÷÷÷÷†††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓↓↓i નનનનન+**
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
८८