Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
न वा केचिदपि अविशेषाद् । अदृष्टविशेषान्मिताणुग्रहोपपत्तिर्भविष्यतीति चेन्न, अदृष्टे पुण्यपापरूपे साङ्कर्याज्जातिरूपस्य विशेषस्यासिद्धेः । मिताणुग्रहार्थस्य विशेषस्य जातिरूपस्यादृष्टकल्पनापेक्षया क्रियावत्त्वरूपस्यात्मन्येव कल्पयितुं युक्तत्वात् । तत्सङ्कोचविकोचादिकल्पनागौरवस्योत्तरकालिकत्वेनाबाधकत्वाच्छरीरावच्छिन्नपरिणामानुभवस्य सार्वजनीनत्वेन प्रामाणिकत्वाच्चेति भावः । तथा आत्मनः क्रियां विना नियतशरीरानुप्रवेशानभ्युपगमे सर्वेषां शरीराणां संयोगाविशेषेण सर्वभोगावच्छेदकत्वापत्तिभिया तदात्मभोगे तदीयादृष्टविशेषप्रयोज्यसंयोगभेदादिकल्पनापि कथं युज्यते ? अनन्तसंयोगभेदादिकल्पने गौरवाद् । अवच्छेदकतया तदात्मवृत्तिजन्यगुणत्वावच्छिन्नं प्रति तादात्म्येन तच्छरीरत्वेन हेतुत्वे तु बाल्यादिभेदेन शरीरभेदाद्व्यभिचारः । अवच्छिन्नत्वसम्बन्धेन तद्व्यक्तिविशिष्टे तद्व्यक्तित्वेन हेतुत्वे तु सुतरां गौरवमिति न किञ्चिदेतदधिकं लतायाम् ।।८-१९।।
“આત્માની ક્રિયા વિના શરીરપ્રાયોગ્ય પરમાણુઓનું ગ્રહણ કઇ રીતે શક્ય છે ? તેમ જ સંયોગવિશેષાદિની કલ્પના પણ કઇ રીતે યોગ્ય છે ?' - આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આત્માને વિભુ માનવામાં આવે તો તે નિષ્ક્રિય હોવાથી પોતાના સર્વ પ્રદેશોથી એક ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયા કરી ન શકે અને તેથી એ ક્રિયા વિના, શરીરનો આરંભ કરનારા નિયત પરમાણુઓનું ગ્રહણ કઇ રીતે શક્ય બને ? કારણ કે આત્માને વિભુ માનવામાં આવે તો તેનો સંબંધ જગતના બધા જ પદાર્થો સાથે હોવાથી સંબંધમાં કોઇ વિશેષતા ન હોવાના કારણે વિભુ આત્મા વડે લોકની અંદર રહેલા સમગ્ર પરમાણુઓનું ગ્રહણ થાય અથવા કોઇનું પણ ગ્રહણ ન થાય. કેમ કે ગ્રહણ અને અગ્રહણમાં કોઇ નિયામકવિશેષ નથી.
‘અદૃષ્ટવિશેષના કારણે પરિમિત પરમાણુઓનું ગ્રહણ આત્મા કરે છે.’ - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શરીર-પ્રયોજક પુણ્યપાપસ્વરૂપ અદૃષ્ટમાં; સાંકર્યદોષ આવવાથી જાતિસ્વરૂપ વિશેષની સિદ્ધિ થતી નથી. શરીરપ્રયોજક પુણ્ય સ્વરૂપ અદૃષ્ટમાં વૃત્તિ એ જાતિસ્વરૂપ વિશેષ; ભોગજનક પુણ્યમાં નથી. શરીરપ્રયોજક પાપસ્વરૂપ અદૃષ્ટમાં પુણ્યત્વ નથી. અને શરીરપ્રયોજક પુણ્યસ્વરૂપ અદૃષ્ટમાં એ જાતિવિશેષ અને પુણ્યત્વ બંન્ને છે. અર્થાત્ તાદેશવિશેષાભાવવત્ પુણ્યમાં (ભોગજનક પુણ્યમાં) પુણ્ડત્વ વૃત્તિ છે અને પુણ્યત્વાભાવવત્ તાદશ પાપમાં તાદેશ વિશેષ વૃત્તિ છે. તેમ જ શરીરપ્રયોજક પુણ્યસ્વરૂપ અદૃષ્ટમાં તાદૃશવિશેષ અને પુણ્યત્વ બંન્ને વૃત્તિ છે. આ રીતે પુણ્યત્વાદિની સાથે સાંકર્ય હોવાથી શરીરપ્રયોજક - અદૃષ્ટવિશેષવૃત્તિ જાતિવિશેષની સિદ્ધિ થતી નથી.
યદ્યપિ સાંકર્યને બધા જ દોષાધાયક માને છે એવું ન હોવાથી શરીરપ્રયોજક - અદૃષ્ટવિશેષવૃત્તિ જાતિવિશેષની સિદ્ધિ થઇ શકે છે અને તે સ્વરૂપે મિતાણુગ્રહણની ઉપપત્તિ શક્ય છે. પરંતુ આ રીતે મિતાણુગ્રહણની ઉપપત્તિ માટે ઉપર જણાવ્યા મુજબ અદૃષ્ટમાં એક પરિશીલન
૨૭