Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બીજા વિકલ્પનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબનો સ્વભાવ-હાનિનો પ્રસંગ તો ન આવે પરંતુ પૂર્વસ્વભાવ, ઉત્તરસ્વભાવનો વિરોધી હોવાથી તેના ત્યાગ વિના શરીરના સંબંધનો સંભવ જ નથી. આશય સમજી શકાય છે કે શરીરની સાથે સંબદ્ધ થવાની પૂર્વે આત્માનું સ્વરૂપ શરીરાસંબદ્ધ હતું. તેનો ત્યાગ કરીને તે શરીરસંબદ્ધ બની શકે પરંતુ તેથી સ્વભાવની હાનિ થાય છે. શરીરાસંબદ્ધત્વનો ત્યાગ ન કરે તો તે શરીરસંબદ્ધત્વનો વિરોધી હોવાથી શરીરસંબદ્ધત્વની વિદ્યમાનતામાં શરીરનો સંબંધ જ નહીં થાય. આ રીતે એકાંતનિત્યપક્ષમાં બંન્ને રીતે દોષ છે.
આત્માને વિભુ(સર્વગત-લોકવ્યાપી) માનવામાં આવે તો એક ભવથી બીજા ભવમાં જવા રૂપ એટલે કે પરલોકગમનસ્વરૂપ વાસ્તવિક (ઉપચારરહિત-મુખ્ય) સંસારની ઉપપત્તિ થતી નથી. અથવા ઉપર જણાવેલા શ્લોકમાં વિમત્રેન આ સ્થાને વિમુત્વે ૨' - આવો પાઠ સમજી લઈએ તો ઉપર જણાવ્યા મુજબ વિભુ એવા આત્માને સંસારનો સંભવ જ નથી અને હોય તો તે નિઃસંદેહ કલ્પિત છે, મુખ્ય-વાસ્તવિક નથી - આ પ્રમાણે અર્થ સમજવો. આ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે – “આત્માને નિત્ય માનવાથી જ તેનો શરીરની સાથે સંબંધ શક્ય બનતો નથી અને તે સર્વગત હોવાથી તેનો અકલ્પિત-મુખ્ય (વાસ્તવિક ઉપચારરહિત) સંસાર પણ સંગત થતો નથી.” I૮-૧ણા
પર: શતેઆત્માને એકાંતે નિત્ય માનનારા સંસારને ઉપપન્ન કરતાં જણાવે છે–
अदृष्टाद् देहसंयोगः स्यादन्यतरकर्मजः ।
इत्थं जन्मोपपत्तिश्च न तद्योगाविवेचनात् ॥८-१८॥ अदृष्टादिति-अदृष्टात् प्राग्जन्मकृतकर्मणो लब्धवृत्तिकात् । देहसंयोगोऽन्यतरकर्मजः स्यात् । आत्मनो विभुत्वेनोभयकर्माभावेऽपि देहस्य मूर्तत्वेनान्यतरकर्मसम्भवादिति । इत्थं जन्मनः संसारस्योपपत्तिरूव॑लोकादौ शरीरसम्बन्धादेवोर्ध्वलोकगमनादिव्यपदेशोपपत्तेः । इत्थमपि विभुत्वाव्ययात् पूर्वशरीरत्यागोत्तरशरीरोपादानैकस्वभावत्वाच्च न नित्यत्वहानिः, एकत्र ज्ञाने नीलपीतोभयाकारवदेकत्रोक्तैकस्वाभाव्याविरोधात् कार्यक्रमस्य च सामग्र्यायत्तत्वादित्याशयः । सिद्धान्तयति-न तद्योगस्य शरीरसंयोगस्याविवेचनात् । तथाहि-किमयमात्मशरीरयोर्भिन्नो वा ? आये तत्सम्बन्धभेदादिकल्पनायामनवस्था । अन्त्ये च धर्मिद्वयातिरिक्तसम्बन्धाभावेऽतिप्रसङ्ग इति ।।८-१८।।
કોઈ એકની ક્રિયાથી ઉત્પન્ન થનાર શરીરસંયોગ અદષ્ટથી થાય છે, આ રીતે જન્મ(સંસાર)ની ઉપપત્તિ શક્ય બને છે - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ; કારણ કે શરીરસંયોગનું વિવેચન કર્યું નથી.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વજન્મમાં ઉપાર્જિત એવા વિપાકોનુખ થયેલા કર્મના કારણે આત્માની સાથે શરીરનો સંયોગ
એક પરિશીલન
૨૫