________________
મને પાંચ કરણ
૮૧ . છે. કોઇ વળી ઉદ્યમની સાથે નિયતિને જોડે છે; તો કોઇ વળી, પ્રારબ્ધ, કર્મ અને ભવિતવ્યતાના ત્રિવેણી સંગમમાં વિશ્વાસ ધરાવે છે.
પરંતુ, આ બાબતમાં, પૂરતી ચકાસણી પછી, પુરતા પ્રમાણો મેળવીને અને તમામ આધારો તથા લક્ષણોને તપાસીને તથા સર્વજ્ઞ ભગવંતોના કથન વડે યુક્ત બનીને, જૈન દાર્શનીકો એ પાંચે પાંચ કારણોને એક સમૂહમાં રજુ કરે છે. એમનું કહેવું છે કે “સામાન્ય રીતે, જ્યાં સુધી, આ પાંચેય કારણો ભેગા મળતા નથી, ત્યાં સુધી કશું બનતું નથી.” એમની વાત સર્વથા સત્ય અને બરાબર સમજી લેવા જેવી છે. જૈન તત્ત્વવેત્તાઓનો અભિપ્રાય આપણે હવે ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈએ -
પાંચ કારણવાદ: આપણે પાછળ જોઈ ગયા છીએ કે પ્રત્યેક વસ્તુના ગુણધર્મને અને કાર્યકારણભાવને તપાસવાની જેનતત્ત્વવેત્તાઓની રીત અનોખી અને નિરાળી છે. તેઓ વસ્તુના કોઇ એક અંતમાં એક સ્વરૂપમાં-એકાંતમાં માનતા નથી. એમની દષ્ટિ “અનેકાંત છે. એટલે, આ બાબતમાં તેઓ કહે છે કે “કોઇપણ એક જ કારણથી બધું બને છે એમ કહેવું તે “એકાંતસૂચક છે. એકાંત એ મિથ્યાત્વ છે અને અનેકાંત એ સમ્યકત્વ છે.”
કાર્યકારણ બાબતમાં તેઓ કહે છે કે :
પાંચ આંગળીઓ અથવા બે હાથ ભેગા મળે છે ત્યારે જ કાર્ય થાય છે. હાથ વિના કંઈ પકડી શકાતું નથી, તો પગ વિના ચાલી શકાતું નથી. બે હાથ વિના તાલી પડતી નથી, આગ્રહમાં આવી જઇને કોઇપણ એક જ વસ્તુ યા કારણને મહત્ત્વ આપવાથી કશો અર્થ સરતો નથી.'
યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે સેનાપતિને આપણે યશ તો આપીએ છીએ; . પરંતુ, એકલા સેનાધ્યક્ષથી યુદ્ધ જીતાતું નથી. સેનાપતીની યુદ્ધકુશળતા, સૈન્યના
શક્તિ અને શિસ્ત, હથીયારોનું ચડિયાતાપણું, સાધનસામગ્રીની વિપુલતા, પૂરવઠાની સલામત વ્યવસ્થા અને છેલ્લે પ્રજાનું પીઠબળ, એ બધાની તેમાં જરૂર પડે છે. આ બધું હોવા છતાં ય યુદ્ધ માટેના હેતુની ધર્મપરાયણતા પણ એમાં ભાગ ભજવે છે.” ' “સુતરના તાંતણામાંથી કાપડ તૈયાર થાય છે. પણ તે પહેલા કપાસનું વાવવું, ઉગવું, કાલામાંથી રૂનું નીકળવું, એમાંથી સુતરનું તૈયાર થવું અને તે પછી, સુતરની જાત (તંતુનો સ્વભાવ) વણકરનો ઉદ્યમ, કાળનો ક્રમ, મિલમાલિકનું ભાગ્ય વગેરે બધા અંગોનો તેમાં સહકાર હોય છે. અરે, એ બધા પછી પણ, પહેરનારનું પ્રારબ્ધ જો ન હોય તો આગ કે એવા કોઇ બીજા કારણો સર, જેને Act of the Government or providence - સરકારી થવા કુદરતી કાર્ય કહે છે તેવા કારણો સર બન્યું બનાવ્યું એ કાપડ પણ વ્યર્થ જાય છે. એમાં પણ નિયતિ (ભવિતવ્યતા)