________________
૧૪૦
મને ભાદા અનેકાંત અને સ્યાદ્વાદ
એટલા માટે જ એ ફોર્મ્યુલામાં ‘સ્યાત્’ શબ્દ એ દરેક ભંગમાં રાખવામાં આવ્યો છે. એ સાતે સાત સ્વરૂપોને આપણે સમગ્રપણે નીરખીશું, ત્યારે એક સંપૂર્ણ ચિત્ર તૈયાર થશે. પરંતુ, એ રીતે એક સંપૂર્ણ ચિત્રને તૈયાર કર્યા પછી પણ, ‘સ્યાત્’ શબ્દને આપણે વિદાય નહિ આપી શકીએ. એમાંથી ‘યાત્’ શબ્દને આપણે કાઢી નાખીએ, તો પછી, રજુ થયેલું એ સંપૂર્ણ ચિત્ર, બીજા અંગ ઉપાંગ વગરનું છે એવી ભ્રમણામાં આપણે પડી જઇશું. એ રીતે વળી પાછા આપણે ‘એકાંતિક નિર્ણયનાં દોષમાં પડીશું. કેમકે સ્વાદ વિના તો એ ભાવ પણ નીકળી શકે કે એક કાળે ‘અસ્તિ’ છે અને ભિન્નકાળે ‘નાસ્તિ’ છે. સ્યાપદની સહાયથી જે કાળે ‘અસ્તિ’છે અને ભિન્નકાળે ‘નાસ્તિ’ છે. સ્યાપદની સહાયથી જે કાળે ‘અસ્તિ’ છે, તે જ કાળે ‘નાસ્તિ’ છે. એ વાત સમજાવતા વાસ્તવિક અનેકાંતનો મહાન લાભ મળે છે.
આ દૃષ્ટિથી જોતાં, આમાં જે ‘યાત્’ શબ્દ રહ્યો છે તે સર્વ સંજોગોમાં અનિવાર્ય Indispensable છે, આ એક ઘણી મહત્ત્વની અને સર્વદેશીય વાત છે. એટલા માટે જ, જૈન તત્ત્વજ્ઞાનને ‘સ્યાદ્વાદ’ નામ આપવામાં આવ્યું છે. એમાંના ‘સ્યાત્’ શબ્દને જો કાઢી નાંખો, તો પછી, શેષ કંઇ પણ રહેતું નથી. આ વાત આ સપ્તભંગી દ્વારા તદ્દન સ્પષ્ટ અને નિશ્ચિત થાય છે.
આ સપ્તભંગી મુજબની, ‘છે,’ ‘નથી’, ‘છે અને નથી, વિગેરે પ્રથમ નજરે ગુંચવાડા ભરી લાગતી વાતોમાં કશો પણ ગુંચવાડો કે ગરબડ નથી એ વાત હવે બરાબર સમજાઇ હશે, એના અનુરૂપ અનેક દૃષ્ટાંતો રજુ કરી શકાય તેમ છે.
‘પોટેશિયમ સાઇનાઇડ’ નામનો એક પદાર્થ છે આ એક ‘કાતીલ વિષ’છે, એનું એકાદું રજકણ માણસના રક્ત સાથે મળતાં વેંત જ શરીરમાંથી તરફડી તરફડીને પ્રાણ ચાલ્યો જાય છે. આમ છતાં એનાં ઔદ્યોગિક - Industrial ઉપયોગ પણ ઘણા છે. ઇલેક્ટ્રોપ્લેટીંગના ઉદ્યોગમાં એમાંથી બનાવેલા એક દ્રવ્યનો - Salt નો - ઉપયોગ થાય છે. ફોટોગ્રાફિક ક્ષેત્રમાં ફિલ્મની પટ્ટીઓ તથા પ્લેટો ધોવામાં પણ એના પ્રવાહી – Solution - નો ઉપયોગ થાય છે. એ સિવાય, બીજા પણ એના ઘણા ઉપકારક ઉપયોગો છે.
આ પોટેશિયમ સાઇનાઇડ, વૈજ્ઞાનિકો માટે એક મોટી સમસ્યા છે. એ કોયડાને હજુ સુધી પૂર્ણ રીતે વૈજ્ઞાનિકો ઉકેલી શકતા નથી. એ પદાર્થનો ‘સ્વાદ’ કેવો છે એ વાત હજુ સુધી જગતને જાણવા મળી નથી.
મનુષ્યની જિજ્ઞાસાવૃત્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગીરથ પુરૂષાર્થ શરૂ કર્યો છે, એનું આ પોટેશિયમ સાઇનાઇડનો સ્વાદ એ એક જ્વલંત ઉદાહરણ છે. જગતને એ જણાવવા માટે આજ પર્યંત કેટલા વૈજ્ઞાનિકોએ પોતાના જીવનનાં રાજીખુશીથી