Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 203
________________ ૧૮૦ માં અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ સ્વરૂપે જાણે છે. કેવળજ્ઞાન અને સ્યાદ્વાદ એ બંને સર્વતત્ત્વપ્રકાશ છે; એક પ્રત્યક્ષ રૂપે અને બીજાં પરોક્ષ રૂપે. અર્થાત, સ્યાદ્વાદથી તત્ત્વનું જે પરોક્ષ જ્ઞાન થાય છે તે કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ થાય છે.” આ વાત સર્વથા સત્ય છે. અન્ય દર્શનોમાં જ્ઞાની માનવામાં આવતા મહાશયોએ જે વાત તેમના અનુભવ મુજબ અનુભવીને લખી છે, તે માનવા માટે કેવળ શ્રદ્ધા સિવાય બીજો કોઈ સાધન નથી. કેવળજ્ઞાની ભગવંતોએ પોતાના પ્રત્યક્ષ અનુભવો દ્વારા જોયેલાં જે તત્ત્વનો જગતને લાભ-બોધ આપ્યો છે, તે બુદ્ધિગમ્ય રીતે પરોક્ષ પણે સમજવા માટે એક શાસ્ત્રની, એક વૈજ્ઞાનિક પદ્ધતિની પણ તેમણે જગતને ભેટ આપી છે. એ પદ્ધતિ છે, “સ્યાદ્વાદ.” એને જોવા, જાણવા અને સમજવા માટે સૌ કોઈને આમંત્રણ આપણે નિઃશંક અને નિસકોચ આપી શકીશું; અલબત, બુદ્ધિને શ્રદ્ધાથી શણગારીને પછી જ આવવું. કર્મના વિષય ઉપર પાછા આવતા, પાછળ આપણે જોયું કે ફ્રેન્ડેન્ટીનને પેદા કરનાર પેલો વૈજ્ઞાનિક તો ગયો. એણે પોતે જ સર્જેલા યંત્ર માનવ” નો તો તે નાશ કરી શક્યા નોહ, આત્માનું એવું નથી. કર્મ રૂપી ફ્રેન્ડેન્ટીનને આત્માએ પોતે પોતાના કર્મો દ્વારા તૈયાર કર્યો છે, એનો વિનાશ ક્ષય -પણ આત્મા કરી શકે છે. એક ખાસ નોંધવા જેવી અને યાદ રાખવા જેવી વાત એ છે, કે આ કાર્ય, આત્મા જ્યારે મનુષ્ય રૂપી શરીરમાં હોય, ત્યારે જ કરી શકે છે. એકેન્દ્રિયથી માંડીને તે તિર્યંચ પંચેન્દ્રિય સુધીમાં શરીરોમાં આત્માની આ શક્તિ, પૂર્ણ પણે પ્રગટ થતી નથી. કર્મનાં આવરણો, મનુષ્ય સિવાયના આત્માના ભવમાં, આત્માની તે શક્તિને પ્રગટ થવા દેતા નથી. આથી, મનુષ્ય ભવન-મનખાદેહને, લાગેવળગે છે ત્યાં સુધી, આત્માના પરિભ્રમણમાં પ્રાપ્ત થતી અવસ્થામાં એ ઉંચામાં ઉંચી સ્થિતિ છે. સ્વર્ગ લોકમાં કે વૈમાનિક લોકમાં દેવ બનીને જતો આત્મા, પોતાની મુક્તિ માટે ત્યાં ઉત્કૃષ્ટ ઉદ્યમ કરી શકતો નથી. જન્મમરણના ફેરામાં થઈ મુક્તિ મેળવવા માટે એ આત્માને મનુષ્ય શરીરમાં આવવું જ પડે છે. મનુષ્ય શરીર સિવાય આત્માનો ઉદ્ધાર નથી. મનુષ્ય ભવની- માનવ દેહની આ ઉજ્જવળ બાજ છેપરંતુ, એની બીજી બાજો પણ છે. કર્મને છોડવા માટે, મનુષ્ય શરીર જેમ આત્માનું ઉત્તમોત્તમ સાધન છે, તેમ, બીજી બાજુથી નરક તરફ આત્માને દોરી જતી પ્રવૃત્તિઓ પણ, આ મનુષ્ય ભવમાં જ વધારે થાય છે. વધારેમાં વધારે કર્મ છેદનની જેમ, વધારેમાં વધારે કર્મબંધન અને કર્મ વચ્ચેની ભારે કહી શકાય તેવી રસારસી, આ મનુષ્ય દેહમાં આત્મા હોય, ત્યારે જ થાય છે.

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280