________________
(૨૦)
અનેાંત અને સ્યાદ્વાદ
અવિરતિમાંથી છૂટીને વિરતિમાં પ્રયત્નશીલ થવાની ઝંખના જીવંત અને જવલંત હોય છે. પાપકર્મમાંથી વિરત (મુક્ત) થવું એનું નામ ‘વિરતિ’ અને પાપાચરણથી વિરત ન થવું તેનું નામ ‘અવિરતિ.’ આ પારિભાષિક શબ્દો છે.
આ ગુણસ્થાનકમાં સમ્યક્ દૃષ્ટિ હોવા છતાં ‘અવિરતિ’ (અશુભ આચરણોની પ્રવૃત્તિ પણ) રહે છે એટલે એને ‘અવિરત સમ્યગ્ દિષ્ટ’ નામ આપ્યું. આ કક્ષા આત્મવિકાસની મૂળ આધારભૂત હોવાથી આપણે એને ‘વિકાસ સદન’ એવું નામ આપીશું તો તે લગભગ બરાબર કહેવાશે.
આ સ્થાનકમાંથી આગળ વધવાનો ઉપાય ‘અણુવ્રત પાલન’છે. શ્રી નવકાર મંત્રની નિષ્ઠા અને રટણ અહીં ખૂબ ખૂબ ઉપયોગી નીવડે છે. પ્રાથમિક ભૂમિકાવાળા તમામ આત્માઓનું ક્રમિક લક્ષ્યસ્થાન (coveted place) આ ચતુર્થ ગુણસ્થાનક છે અને તે આત્માના વિકાસક્રમની નિશ્ચિત એક આશાસ્પદ ભૂમિકા છે.
(૫) દેશવિરતિ ગુણસ્થાન ઃ
જૈન તત્ત્વવેત્તાઓએ આત્મ વિકાસના અમૂલ્ય સાધનો સમા બે પ્રકારના માર્ગ બતાવ્યા છે. એક દેશિવરતિ અને બીજો સર્વવિરતિ. અલબત્ત, દેશવિરતિમાંથી સર્વવિરતિ માર્ગે તો આવવું જ પડે છે. આમાં ‘દેશવિરતિ’ માર્ગ સંસારમાં રહેલા ગૃહસ્થોનો અનુસરવા માટેનો છે અને બીજો ‘સર્વવિરતિ’ માર્ગ વૈરાગ્ય પામી સાધુ થનારા ત્યાગીવર્ગને અનુસરવા માટેનો છે. સંસારમાં રહેનારાઓની મર્યાદાને લક્ષ્યમાં લઇને સંસારી આત્માઓ જેનું નિર્વિઘ્ને પાલન કરી શકે તેવી, ત્યાગમાર્ગીઓની અપેક્ષાએ કેટલીક છુટછાટોવાળો આ ‘દેશવિરતિ’ માર્ગ છે. આમાં ત્રસની હિંસાનો ત્યાગ વગેરે ૫ સ્કૂલ વ્રતો-અણુવ્રતો, તથા ૩ ગુણ વ્રત અને ૪ શિક્ષાવ્રત, એમ બાર વ્રતની પ્રક્રિયા છે. આ માર્ગનું અનુસરણ કરતા સંસારીજનો પાપયોગથી સર્વથા વિમુખ બની શકતા નથી; પરંતુ અંશતઃ પાપવિમુખતા અને પુણ્ય સન્મુખતા તેમને અવશ્ય લબ્ધ બને છે. આ દેશવિરતિ અને સર્વવિરતિની પૂરેપૂરી સમજણ માટે, શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા શ્રાવક-ધર્મ અને સાધુ-ધર્મ અંગે માહિતી મેળવી લેવી.
આ પંચમ ગુણસ્થાનકે આવેલો આ આત્મા વીતરાગતાથી ઘણો દૂર હોવા છતાં, અંશતઃ વીતરાગતાનો માનસિક અનુભવ કરી શકે છે અને એ દૃષ્ટિએ આત્માના વિકાસક્રમની આ એક સુભગ અવસ્થા છે. આ દેશવિરતિ ધર્મનું પાલન કરતો કરતો આત્મા સર્વવિરતિ માટે રુચિમાન અને ઈચ્છાવાળો બને છે અને એક વિશિષ્ટ પ્રકારની ઉત્થાનવાંછનાનો અધિકારી બને છે.
આ ગુણસ્થાનકને આપણે ‘ઉત્થાન સદન’ નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. આ પંચમ ગુણસ્થાનકથી આગળ વધવાનો માર્ગ ‘સર્વવિરતિ’