Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 266
________________ દમ નમસ્કાર મહામંત્ર પર ર૪૩ મંત્રો, આ રીતે અસ્તિત્વમાં આવ્યા છે. એનું સ્વરૂપ, આ રીતે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય છે, મંત્રો દ્વારા અમુક પ્રકારના કાર્યો થયા હોવાની જે વાતો આપણે વાંચીએ છીએ એ બધી જ વાતો કપોળકલ્પિત નથી. મનુષ્યસ્વભાવસહજ અતિશયોક્તિ તેમાં હોય એટલું જ. આજે પણ એવા ઘણા મંત્રો આપણને મંત્રશાસ્ત્રના ગ્રંથોમાંથી મળે છે. પરંતુ એના પરિણામની પ્રાપ્તિ, મંત્રના અસ્તિત્વ માત્રથી સાંપડી જતી નથી. ગમે તે માણસ, ગમે તે મંત્રને લઈને જમવા બેસી જાય, તેથી એ મંત્ર ફળદાયક બની જતો નથી, એની ઉત્પત્તિમાં જેમ ત્રણ મહત્ત્વના કારણો કામ કરે છે, તેમ એની સિદ્ધિમાં પણ ચોક્કસ શરતો રહેલી હોય છે. મુખ્ય શરતો આમા પાંચ હોય છે - ૧. શ્રદ્ધા. ૨. એકાગ્રતા ૩.દઢતાં. • ૪. વિધિ. ૫. હેતુ આમાં, સર્વ પ્રથમ આવશ્યક્તા શ્રદ્ધાની છે. આ “શ્રદ્ધા” શબ્દ “આંધળી શ્રદ્ધા', એવા અર્થમાં વાપરવામાં આવ્યો નથી. જૈન તત્વવેત્તાઓએ બુદ્ધિ અને શ્રદ્ધા એ ઉભયને એક સરખુ મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું છે, કે “શ્રદ્ધા વિનાની બુદ્ધિ, - વૈશ્યા છે અને બુદ્ધિ વિનાની શ્રદ્ધા, વંધ્યા છે.” આનો સ્પષ્ટ અર્થ એ થાય છે, કે શ્રદ્ધા વિનાની બુદ્ધિ, માણસ પાસે, ગમે તેવા મર્કટવેડા કરાવે છે અને બુદ્ધિવિહોણી શ્રદ્ધા, વંધ્યાની જેમ,કશું ફળ આપતી નથી. શ્રદ્ધા અને બુદ્ધિના સુયોગ્ય સુમેળની વાત, બહુ સમજવા જેવી છે. જૈન તત્ત્વજ્ઞાનને જગતમાં અધિકાધિક બુદ્ધિગમ્ય (Most Rational) તત્ત્વજ્ઞાન ગણવામાં . આવ્યું છે. આ એક અદ્દભુત તત્ત્વજ્ઞાન છે' એવી પાકી અને સાચી સમજણ મેળવવા માટે, સૌથી પ્રથમ શરુઆત તો શ્રદ્ધાથી કરવી પડે છે. આમ છતાં, પોતાની સ્થિતિ વિષે ચોક્કસ જ્ઞાન ધરાવનાર જૈન તત્વવેત્તાઓ કહે છે. કે “શ્રદ્ધાપૂર્વક આવો, પણ બુદ્ધિને સાથે લઈને આવો.” બુદ્ધિને મૂકીને આવવાની વાત તેઓ કરતા નથી. માણસ, કોઈ એક વાતને ફક્ત શ્રદ્ધાથી જ સાચી માને છે, ત્યારે શ્રદ્ધાના પરિબળથી એ વાત ઉપર તે પૂરેપુરો આસક્ત થઈ ગયેલો હોય છે. પરંતુ, એ વાત બીજાને સમજાવવાની શક્તિ એની પાસે હોતી નથી. શ્રદ્ધાના પરિબળથી

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280