________________
મને આત્માનો વિકાસ ક્રમ નામ ર૦૩
આત્મા, કર્મ, ધર્મ અને મોક્ષમાર્ગ અંગે ઉચી સમજણ લઈને ફરનારાઓ પણ આ સ્થાન આગળ આવીને અટકેલા હોય છે. દાખલા તરીકે કોઇ દેવી ભક્ત યજ્ઞો કરાવતો હોય, હિંસાદિક આચરણો કરતો હોય અને છતાં ‘ભગત' કહેવાતો હોય તો તેનું સ્થાન આ પહેલી ભૂમિ ઉપર જ છે, એ જ રીતે આત્મસાધના કરતો સાધક પણ જો સત્ય માર્ગ ઉપર ના હોય તો તેની ભૂમિકા પણ આ ‘મિથ્યાત્વ ગુણસ્થાનક માં જ હોય છે. મોટા મોટા પંડિતો, સાધકો, તપસ્વીઓ અને ધનવાન દાતાઓ પણ આ શ્રેણીમાં હોય છે. સામાન્ય રીતે કહીએ તો થોડાક ભાગ્યશાળીઓને બાદ કરતાં, લગભગ બધા આજે આ ગુણશ્રેણીની આ પ્રાથમિક ભૂમિકા પર જ છે.
આમ છતાં, આ ગુણસ્થાનક પર આપણે જો ગુણ લઈ આવીને ઉભા છીએ તો એ પણ આપણી એક પ્રાથમિક સિદ્ધિ જ છે; કેમકે “મૈત્રીલક્ષણા મિત્રા દૃષ્ટિ” પ્રાપ્ત કરીને આ પ્રથમ ગુણસ્થાનક ઉપર આવ્યા છીએ.
આ મિત્રા: દૃષ્ટિ, આત્માને પ્રાપ્ત થતી આઠ દૃષ્ટિઓમાંની પ્રથમ સિદ્ધિ છે, આત્મામાં ચિત્તની મૃદુતા, તત્ત્વ પ્રત્યે અદ્દેષ વૃત્તિ, અનુકમ્પા, અંશે પણ અહિંસા, સત્ય આદિ અનેક કલ્યાણદાયક સાધનોની વાંછના જેવા પ્રાથમિક સદ્ગણો આ ‘મિત્રા દૃષ્ટિ થી પ્રગટેલા હોય છે; આ દષ્ટિ પ્રાપ્ત થવાના ફળ સ્વરૂપ આત્મા આ પ્રથમ ગુણસ્થાનકમાં આવીને પ્રવૃત્તિ કરે છે; પરંતુ સમ્ય દૃષ્ટિથી તે જયાં સુધી વંચિત હોય છે, અરે! મિથ્યાદષ્ટિ છોડતો નથી ત્યાં સુધી તેની કક્ષા આગળ વધતી નથી, અનેક પ્રકારના ભ્રમ અને સંભ્રમથી ભરેલી પ્રવૃત્તિઓ તે કરતો રહે છે. ભૌતિક ક્ષેત્રમાં તે વિવિધ પ્રકારની સિદ્ધિઓ મેળવતો રહે છે અને મિત્રા દૃષ્ટિથી પ્રાપ્ત થએલા સદ્ગણોનો તે ઉપયોગ પણ કરતો રહે છે. પરંતુ જયાં સુધી “સમ્યમ્ દર્શન’ તેને પ્રાપ્ત થતું નથી, કે મિથ્યાદર્શન મૂકાતું નથી ત્યાં સુધી આ પ્રથમ ગુણસ્થાનકના સ્ટેશનેથી તેની ગાડી છૂટતી નથી.
આ મિથ્યાત્વ ગુણસ્થાનકને આપણે “સંભ્રમ સદન” એ નામ આપી શકીએ.
આ પ્રથમ ગુણસ્થાનકથી આગળ વધવા માટે “સમ્યક્ત એક સાધન છે. એ સાધનની પ્રાપ્તિ માટે અનેકાંત દૃષ્ટિની અને સ્યાદ્વાદ તત્ત્વવિજ્ઞાનની સહાયતા મેળવવાની પ્રવૃત્તિ ઉપકારક નીવડે છે, (૨) સાસ્વાદન ગુણસ્થાન :
જો સમ્યમ્ દષ્ટિ પ્રાપ્ત કરવામાં આવે તો પછી પ્રથમ ગુણસ્થાનકેથી ચોથા ગુણસ્થાનકે જવાની આત્માની વિકાસયાત્રા તો શરૂ થઈ જાય છે. પરંતુ આ વિકાસ યાત્રા ઉર્ધ્વગામી-પર્વતની ટોચ તરફ ગતિ કરનારી-હોવાથી કદાય માર્ગમાં અટકી જઈ લપસીને થોડાક નીચે સરકી બીજા સાસ્વાદન ગુણસ્થાનકે આવવાનું બને છે.