________________
ધરાવે છે, ભાવ-મન સાથે નહિ. દ્રવ્ય-મન પુદ્ગલ સ્વરૂપ છે, ભાવ-મન જીવનો અધ્યવસાય છે, લાગણી છે.
આ પુલ શબ્દનો સીધો સાદો અર્થ કરવો હોય તો એમ કહી શકાય કે જે ‘પૂરણ અને ગલન એટલે ભેગા થઈ શકે અને છૂટાં પડી શકે તથા જેને રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઇત્યાદિ ગુણો હોય તે “પુદ્ગલ'. ' - નરી આંખે જોઈ શકાય યા પ્રયોગશાળામાં માનવકૃત સાધનો દ્વારા જેનું નિરીક્ષણ થઇ શકે એ જ પુદ્ગલ, એમ જો આપણે માની લઇએ, તો માનવીની સંશોધન વૃત્તિનો અંત જ આવી જાય; માણસે જે જોયું છે તે સિવાય બીજું કશું જ નથી એમ માનવું પડે. આવું માનવા આપણે તૈયાર નથી. કોઈ પણ સમજદાર માણસ એવું માનવા તૈયાર નહિ થાય.
આજ સુધી વિજ્ઞાને જે શોધખોળો કરી છે, જે નવું નવું સંશોધન હજી થઇ રહ્યું છે અને જે અવનવા પ્રયોગો ચાલી રહ્યા છે, એ બધામાંથી ફળસ્વરૂપ, દીવા જેવી સ્પષ્ટ એક હકીકત આપણી પાસે આવે છે. “હજુ ઘણું ઘણું જાણવાનું બાકી છે” એવી સ્પષ્ટ અને નિશ્ચિત વાત, એ બધામાંથી આપણને જાણવા મળે છે.
આધુનિક વિજ્ઞાનપ્રયોગોમાંથી એવી જ એક બીજી, વધારે મહત્વની વાત પણ આપણને જણવા મળે છે. આ વાત એ છે કે “નવી નવી શોધો દ્વારા જે બધું અવનવું પરિણામ આપણી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે, તેમાં ‘નવું કશું જ નથી.” આત્મજ્ઞાનીઓએ અને કેવળજ્ઞાની ભગવંતોએ આ જગતના સ્વરૂપ વિષે હજારોલાખો વર્ષ પહેલાં જે ભાખ્યું હતું, કહ્યું હતું, શાસ્ત્રગ્રંથોમાં લખાઈ લખાઈને જે આપણી પાસે આવ્યું હતું, એમાં ના હોય એવી કોઈ પણ નવી વાત આપણે જાણી નથી, પ્લાસ્ટીક અને બેકેલાઈટ જેવા પદાર્થોની બનાવટો હજારો વર્ષ પહેલાંની દટાઈ ગએલી સંસ્કૃતિનો ખ્યાલ આપતાં તાજેતરમાં ખોદી કાઢવામાં આવેલાં પ્રાચીન નગરોના અવશેષોમાં જોવા મળે છે.
આ વાત બતાવવા પાછળ આધુનિક વિજ્ઞાનશાસ્ત્રને ઉપાલંભ આપવાનો હેતું નથી. વર્તમાન વિશ્વમાં વૈજ્ઞાનિક સંશોધનોનું મહત્વ જેવું તેવું નથી. એમણે જે શોધ્યું, બતાવ્યું અને હજુ શોધી રહ્યા છે તે પાછળ કામ કરી રહેલ બુદ્ધિશક્તિ માટે તેઓ આપણા હાર્દિક અભિનંદનને પાત્ર છે. એમની રીતે, વૈજ્ઞાનિકો પણ જગતના ઉચ્ચ કોટિના ઉપકારક આત્માઓ છે. અલબત્ત, માનવસંહારનાં સાધનોને શોધનારા પુરૂષો તરફ આપણે ઉપકારકભાવથી જોઈ શકીશું નહિ. વીસમી સદીમાં કહો અથવા સર્વ કાળ માટે કહો, વૈજ્ઞાનિક સંશોધનો માનવની બુદ્ધિશક્તિની તવારિખમાં ચળકતાં તારા સમા છે, અને એ વાતનો ઈન્કાર કરી શકાય નહિ. અફસોસ માત્ર એટલો જ