________________
પાંચ જ્ઞાન
પાછળ મેળવવા લાયક બીજા ગમે તે શબ્દને આપણે મૂકી શકીએ. બીજો શબ્દ મૂકવામાં શરત માત્ર એટલી જ રહે કે ત‚ શબ્દ પ્રાપ્તિના પદાર્થનો અથવા હેતુનો સૂચક- Objective હોવો જોઇએ, ‘જ્ઞાન અને ક્રિયા દ્વારા પર્વતારોહણ' એમ આપણે કહી શકીશું, ‘જ્ઞાન અને ક્રિયા દ્વારા પર્વત' એમ આપણાથી નહિ કહી શકાય.
આ જે સૂત્ર છે તે સર્વસ્થળે અને સર્વ કાળે, પ્રાંસ કરવાના વિષયવાળી તમામ વસ્તુઓ માટે વાપરી શકાય તેવું- Universally applicable-સર્વદેશીય-સૂત્ર છે. અલબત, આ વિધાનને સાપેક્ષ, બીજી અપેક્ષાઓને આધીન સમજવાનું છે.
આમાં મજા તો ત્યારે આવશે, જ્યારે એ વાક્યની પાછળ આપણે જ્ઞાન શબ્દ લગાડીશું.
જ્ઞાનયિામ્યાં જ્ઞાનમ્ । જ્ઞાન મેળવવા માટે પણ ‘જ્ઞાન અને ક્રિયાની જરૂર છે;' અથવા, ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા દ્વારા જ જ્ઞાન મેળવી શકાય છે.
આ વાત બરાબર સમજવા જેવી છે. અહીં આપણે જ્ઞાનના બે વિભાગ પાડીએ છીએ. એક તો, ‘મેળવવું તે જ્ઞાન.' બીજું, એને મેળવવા માટે જરૂરી જ્ઞાન.’ આમાં પહેલું ‘સાધ્ય’ છે; બીજું ‘સાધન’ છે.
મુંબઇથી ટોકીઓ જવું હોય. તો ટોકીઓ જવા માટેના માર્ગોનું જ્ઞાન આપણને હોવું જોઇએ. ગમે તે ગાડી, આગબોટ કે વિમાનમાં ચડી બેસવાથી ટોકીઓ પહોંચી શકાતું નથી. અહિં પ્રથમ આપણે ટોકીઓ જવું છે, એ નક્કી કરીએ છીએ; પછી ત્યાં પહોંચવાના માર્ગો શોધીએ છીએ. અનુકુળતા અને આવશ્યકતા મુજબ, દ્રવ્ય અને કાળના સંયોગો અનુસાર આપણે આગબોટ યા વિમાનનો માર્ગ નક્કી કરીએ છીએ. અને પછી, ટોકીઓ પહોંચવા માટેની આવશ્યક, જ્ઞાન અનુસારની ક્રિયા આપણે કરીએ છીએ.
આપણે સમુદ્રના દર્શન કરવા છે. આ માટે, જ્યાં સમુદ્ર હોય; સાગર કાંઠો હોય, એવા સ્થળની આપણે પસંદગી કરીએ છીએ. એમ કરવાને બદલે ગીરનાં જંગલોમાં કે હિમાલયની પર્વતમાળાઓમાં આથડવાનું આપણે શરૂ કરીએ તો સમુદ્રનાં દર્શન થશે?
‘જ્ઞાનક્રિયાભ્યાં જ્ઞાનપ્’ એમ જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે તેમાંથી આટલી વસ્તુઓ નક્કી થાય છેઃ
૧.
આપણે જ્ઞાન મેળવવું છે.
૨.
જે જ્ઞાન આપણે મેળવવા માગીએ છીએ તે મેળવવાના માર્ગ રૂપી જ્ઞાન જો આપણી પાસે નહિ હોય તો તે જ્ઞાન આપણને મળી શકશે નહિ.