________________
નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ
૯૫
આ બાબતને ‘નિક્ષેપ’ એવા નામથી રજુ કરવામાં આવી છે. આ નિક્ષેપ ચાર છે એના નામ નીચે મુજબ છે ઃ(૧) નામ નિક્ષેપ.
(૨) સ્થાપના નિક્ષેપ.
(૩) દ્રવ્ય નિક્ષેપ.
(૪) ભાવ નિક્ષેપ.
આ નિક્ષેપ શબ્દ પારિભાષિક હોવાથી એને આપણે બરાબર સમજી લઇએ. નિક્ષેપ એટલે વિભાગ. કોઇપણ એક શબ્દના ચાર વિભાગ પડે છે. એક તો ‘સંજ્ઞા' અથવા નામ; બીજો ‘આકૃતિ’; ત્રીજો ‘દળ’ અને ચોથો ‘ભાવ’ એટલે ગુણધર્મ અને આચાર. આ ચાર પૈકી કોઇ એકનો તે વસ્તુ સાથે સંબંધ જોડવો તેને ‘નિક્ષેપ કર્યો' એમ કહેવામાં આવે છે.
કોઇપણ એક શબ્દમાં જ્યારે અમુક અર્થનો આપણે સંબંધ જોડીએ છીએ, ત્યારે, અથવા કોઇ અર્થમાં અમુક શબ્દનો સંબંધ આપણે જોડીએ છીએ, ત્યારે, તેને ‘નિક્ષેપ’ શબ્દથી જૈનતત્ત્વવેત્તાઓ ઓળખાવે છે. કોઇપણ પદાર્થનું આપણે કંઇ નામ આપીએ, એને ઓળખવાની કંઇક સંજ્ઞા નક્કી કરીએ અને પછી એના મૂળ શબ્દ સાથે જે સંબંધ જોડીએ તેને ‘નામનિક્ષેપ કર્યો' એમ કહેવામાં આવે છે. તેને 'Naming a substance' એમ કહેવામાં આવે છે. આપણી ભાષામાં આપણે એને ‘નામાભિધાન’ અથવા ‘નામકરણ’ કહીશું તો ચાલશે.
નિક્ષેપને ‘શબ્દનું અર્થકરણ' પણ કહી શકાશે. આમાં ખૂબી એ છે, કે કોઇ શબ્દના ભલે ગમે તેટલા અર્થ કરવામાં આવે, ઉપર જે ચાર નિક્ષેપો બતાવ્યા છે તે ચાર નિક્ષેપો-નામ, સ્થાપના,દ્રવ્ય અને ભાવ મારફતે જ તેનો અર્થ તારવી અને સમજી શકાશે.
આ ‘નિક્ષેપ’ એ ફક્ત ત્રણ અક્ષરનો પારિભાષિક શબ્દ છે. ઉપર જણાવ્યા મુજબનો એનો અર્થ જો આપણે બરાબર સમજી લઇએ, તો પછી, એને માટે વિસ્તૃત શબ્દાવલિનો ઉપયોગ કરવાને બદલે, ‘નિક્ષેપ’ શબ્દનો ઉપયોગ જ આપણે ક૨શું તો એને સમજવામાં વાંધો નહિ આવે.
આ ચાર નિક્ષેપને હવે આપણે ક્રમશઃ સમજીએ.
નામ નિક્ષેપ : વ્યવહાર સમજવા માટે અને આપણી સમજણને સ્પષ્ટ તથા નિયંત્રિત કરવા માટે, કોઇપણ વસ્તુને ઓળખવાના હેતુથી, એને માટે કોઇ સંજ્ઞા અથવા નામ આપણે નક્કી કરીએ જ છીએ એને ‘નામ નિક્ષેપ’ કહે છે. દાખલા તરીકે કોઇ એક પુનમચંદભાઇના પાંચ પુત્રોને ઓળખવા માટે દરેકને જે જુદા જુદા