________________
મ સપ્તભંગી
ન ૧૨૯ ફુલદાનીમાં રહેલા અપેક્ષાભાવનું સૂચન થયું અને “એવ’ શબ્દથી નિશ્ચિતભાવ આવ્યો. આ રીતે નિર્ણય કરવામાં આપણે યોગ્ય માર્ગે (On right path) છીએ.
એટલે આ પ્રથમ કસોટીએ એક નિર્ણય આપણને આપ્યો કે “ઘડો છે.” કસોટી ૨ : સ્થાવ ઘરા આ વાક્યની સંધી છૂટી પાડતાં નીચે મુજબ વંચાશે :રીત + + + વરિત + + ઘી: છે આનો અર્થ થયો : “કથંચિત ઘડો નથી જ.”
ઉપરપહેલી કસોટીમાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાથી ઘડો છે જ.' એવો નિર્ણય કર્યા પછી આપણે વિચાર કરવા લાગ્યા કે “શું ત્યારે ઘડો નથી પણ ખરો? આવો બીજો કોઈ નિર્ણય થઈ શકે તેમ છે ?' બીજા પ્રકારની જિજ્ઞાસા દ્વારા તપાસવા જતાં, આ બીજા ભંગ દ્વારા આપણને એ જાણવાનું મળ્યું કે ઘડો જે છે તે “સ્વદ્રવ્ય ક્ષેત્રકાળભાવની અપેક્ષાથી. પરન્તુ એ જ ઘડો, પદ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાથી નથી. અર્થાત પૂર્વોક્ત ઘડો છે તે ખરો પણ તે તાંબાનો નથી, અંદરના ખંડમાં નથી, માગશર માસમાં નથી, લાલ રંગનો નથી. - પેલી ફુલદાની પણ, આ રીતે નથી એમ નક્કી થશે. “સ્વ”ની અપેક્ષાથી જે હતી, તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાથી નથી જ એમ કહેવામાં કશી ગુંચવણ નથી. એમાંની એક જ અપેક્ષાનો ઉપયોગ કરતાં, એમાંના ફુલ કાઢી લઈને તેમાં મગ ભરી દેવામાં આવે તો તે ફુલદાની મટી જાય છે. આમ છતાં, આપણે તો આ ચારે ચાર અપેક્ષાઓને રાખીને જ નિર્ણય કરીએ છીએ કે ‘કુલદાની
. નથી.”
- આ બધું બરાબર વિચારતાં આપણને સ્પષ્ટ સમજાશે કે “સ્વ'ની અપેક્ષાથી જે ઘડો હતો તે “પરની અપેક્ષાથી રહેતો નથી. ફુલદાનીનું અસ્તિત્વ પણ “સ્વ'ની અપેક્ષાથી નિર્ભર હતું અને પરની અપેક્ષાથી વિચારતાં તે નાસ્તિત્વ' બની ગયું.
આ બીજી કસોટી આપને કહે છે કે :(૧) તાંબાની ધાતુ (પદ્રવ્ય)ની અપેક્ષાથી ઘડો નથી. (૨) અંદરના ખંડ (પરક્ષેત્ર)ની અપેક્ષાથી ઘડો નથી. (૩) માગશર માસ (પરકાળ)ની અપેક્ષાથી ઘડો નથી. (૪) લાલ રંગ (પરભાવ)ની અપેક્ષાથી ઘડો નથી.
આજ રીતે, પેલી ફુલદાની પણ માટીની નથી, દિવાનખાનાની બહાર નથી, તેમાં ફુલ જે સમયે ન હોય તે સમયે નથી અને દિવાનખાનાની શોભામાં વૃદ્ધિ કરતી નથી ત્યારે પણ નથી.