________________
એમ પાંચ કરણ કામ
૮૫ અનેકાંતવાદની દૃષ્ટિ રાખીને જૈન તત્ત્વજ્ઞાનીઓ કહે છે, કે વ્યવહાર દષ્ટિથી, જ્યારે જે કારણને આગળ કરવાથી ઉદ્યમને પોષણ તથા ચિત્તને સમાધાન પ્રાપ્ત થાય ત્યારે, તે કારણને આગળ કરવું એ અનેકાંતવાદનો યથાર્થ ઉપયોગ છે. પરંતુ, કોઈ પણ એક જ કારણને પકડીને બેસી રહેવું, બીજા કોઈ પણ કારણની ઉપયોગિતા સ્વીકારવાનો ઇન્કાર કરવો, એ અજ્ઞાન છે. મિથ્યાત્વ છે. દુરાગ્રહ છે, રાગદ્વેષની વૃત્તિને પોષનાર છે અને “એકાંતવાદી છે. એ જ રીતે, એકાંતવાદ એ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, દુરાગ્રહ છે અને રાગદ્વેષી વૃત્તિને પોષનાર છે. જે કારણને આગળ કરવાથી અસમાધાન પુષ્ટ થાય, તે કારણને આગળ કરવું તે પણ ‘મિથ્યાત્વ' - “એકાંતવાદ' છે.
* “અનેકાંતવાદ' એ “સમ્યક્ત્વ છે. “જ્ઞાન” છે. નિરાગ્રહિતા અને સમાનતાને પુષ્ટ કરનાર છે. જીવનનો એ એક જ સાચો માર્ગ છે. અનુભવ સિદ્ધ છે. ઉપર જણાવ્યા છે તે પાંચેય કારણોનો આ પાંચ કારણવાદ' એ અનેકાંતવાદનું જ એક અંગ છે. '
પાંચ કારણો અંગેની અલગ અલગ કારણવાદીઓની જે ભિન્ન ભિન્ન દલીલો છે, તેના વિરોધમાં અને પાંચ કારણવાદની તરફેણમાં ઘણું વિસ્તારપૂર્વક કહી કે લખી શકાય તેમ છે. પરંતુ વાચકોની વિવેકબુદ્ધિ અને સમજણશક્તિ પરત્વે સંપૂર્ણ માન ધરાવીને અને વિશ્વાસ મૂકીને અહીં આટલું સંક્ષિપ્ત વિવેચન જ કર્યું છે. - હવે આપણે, “સાત નય, પ્રમાણ અને નિક્ષેપ અંગેની વિચારણા તરફ આગળ વધીએ.