________________
માં ૯૨ મતદાનમાં અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ છે, તો પછી, એને એકાંત કે મિથ્યાજ્ઞાન કેમ ન કહેવાય?
આ પ્રશ્નનો સાધારણ ખુલાસો તો અગાઉ કરેલો જ છે, આમ છતાં, એ પ્રશ્નનો બરાબર જવાબ મેળવીને અને વિષયને સમજીને પછી આપણે આગળ ચાલીએ તો પાછળથી કોઇ શંકા કે કુતર્ક માટે સ્થાન નહિ રહે.
એકાંત ક્યારે કહેવાય ? કોઈ એક અંતથી નિર્ણય કરીને, વસ્તુના બીજા સ્વરૂપોનો સ્વીકાર કરવાનો જો ઇન્કાર કરીએ છીએ તો જ તે એકાંત અથવા મિથ્યાજ્ઞાન બને. નય વિષયમાં એવું નથી. એક નય જયારે વસ્તુના એક જ સ્વરૂપને ગ્રહણ કરે છે, ત્યારે બીજા નય અનુસાર જણાવવામાં આવતા વસ્તુના બીજા સ્વરૂપનો તે ઇનકાર નથી કરતો. બીજા નયો દ્વારા રજુ કરવામાં આવતી બાબત, વસ્તુનું બીજું સ્વરૂપ, તેના પ્રથમ સ્વરૂપ કરતાં વિરોધી હોવા છતાં, એ બીજા સ્વરૂપ, તેના પ્રથમ સ્વરૂપ કરતાં વિરોધી હોવા છતાં, એ બીજા સ્વરૂપને પણ, બીજા નય અનુસાર હકીકત તરીકે સ્વીકારવાનો તે વિરોધ કરતો નથી. જેમકે, “સંગ્રહ’ નયની સમજણ . મુજબ વસ્તુનું સ્વરૂપ “અમુક' છે એમ કહેવામાં આવે છે, તેથી. “નૈગમ' નય અનુસારના વસ્તુના બીજા ગુણધર્મનો વિરોધ કે અસ્વીકાર કરવામાં આવતો નથી. એથી ઉલટું. સાતે સાત નય, વસ્તુના જે જુદા જુદા સ્વરૂપો બતાવે છે. તે દરેક નયમાં, તે તે સ્વરૂપે, ગૌણપણે સ્વીકૃત જ છે. એટલે, નયજ્ઞાન મિથ્યાં ઠરતું નથી.
બીજી એક વાત ખાસ યાદ રાખવાની છે. તે એ કે, આ બધા નયો, સ્યાદ્વાદના એક અંગ અથવા અવયવ સમા હોઇ, સ્વાવાદમાં જે ‘ચાત્' શબ્દ છે, તેની છત્રછાયામાં જ કામ કરે છે. આ “ચા” શબ્દનું પ્રયોજન નયોની સાપેક્ષતા સૂચવવા માટે પણ છે. પરસ્પર વિરોધી એવા ગુણધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવા માટે અને એ સ્વીકારને એના સ્વીકારને વ્યાજબી તેમજ સત્ય ઠરાવવા માટે જ “ચાત્' પદનો પ્રયોગ છે. સ્યાદ્વાદ સિદ્ધાંતની આવશ્યકતા અને વિશિષ્ટતા તેથી જ છે, એ આપણે પૂર્વે સમજી લીધેલું છે.
નયની ચર્ચા કરતાં કરતાં પ્રમાણ’ વિષેની સામાન્ય સમજુતી આપણે મેળવી લીધી. એ જ રીતે, આ વિચારણાને આગળ ચલાવતા પહેલા એક બીજી વાત સમજી લઇશું તો ઠીક રહેશે. નયને સમજવામાં આ બાબત પ્રમાણ કરતાં પણ વધારે ઉપયોગી છે.
આગળ આપણે જોઈ ગયા છીએ કે વસ્તુ માત્ર સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપે હોય છે. આનો અર્થ એ થયો કે આપણે જ્યારે કોઈપણ એક વસ્તુની વાત કરીએ, ત્યારે, એ વસ્તુની એના સામાન્ય અર્થમાં વાત કરીએ છીએ કે વિશેષ (ખાસ) અર્થમાં વાત કરીએ છીએ આ બાબતને ધ્યાનમાં લેવાનું અને લેવડાવવાનું