________________
આવા ૮૬ મતદારો અનેવંત અને સ્યાદ્વાદ પણ
નયવિચાર - પ્રમાણ અને નિક્ષેપ
નય સંબંધી વાત શરૂ કરતાં પહેલા, “નય’ શબ્દનો અર્થ આપણે બરાબર સમજી લઇએ. આ શબ્દ, જૈન તત્ત્વજ્ઞાનનો એક પારિભાષિક શબ્દ છે. એનો સામાન્ય અર્થ, “જ્ઞાન” એવો થાય છે. પરંતુ આ “જ્ઞાન” શબ્દ અહીં એના વિશાળ અર્થમાં વપરાયો નથી, મર્યાદિત અર્થમાં વપરાયો છે.
કોઈપણ વસ્તુને જાણવા માટે અથવા સમજવા માટે કોઇને કોઇ જ્ઞાનની આવશ્યક્તા તો પડે જ છે. શાળાઓમાં જે જુદા જુદા વિષયો ભણાવવામાં આવે છે, તે દરેક વિષય, કોઈ એક જ્ઞાનનો વિષય છે.
જૈન તત્ત્વવેત્તાઓએ આ નય શબ્દની એક વ્યાખ્યા આપેલી છે. તેઓ કહે છે :“કોઈપણ વસ્તુના એક ગુણ, ધર્મ યા સ્વરૂપને જે સમજાવે તે નય ,
અગાઉ આપણે જોઈ ગયા કે વસ્તુના ગુણધર્મો અનેક હોય છે. વસ્તુના આ બધા જુદા જુદા ગુણોને જુદી જુદી રીતે સમજવા માટે જૈન શાસ્ત્રકારોએ સાત જુદા જુદા નય બતાવ્યા છે. એટલે, જ્યારે આપણે નયની વાત અહીં કરીએ છીએ ત્યારે સાત નયનો ઉલ્લેખ કરીએ છીએ તેમ સમજવું. આનો વિશેષ અર્થ એ થયો કે એક જ વસ્તુના સાત જુદા જુદા સ્વરૂપોને, ગુણોને કે ધર્મોને જાણવા માટે અને ઓળખવા માટે સાત જુદા જુદા નયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. .
આ નયના બે ઉપયોગ છે. એક તો પોતાને સમજવા માટે, એને “જ્ઞાનાત્મક કહે છે, બીજો અન્યને સમજવા માટે, એને “વચનાત્મક' કહે છે.
આ જે “નય છે. તેને આપણે સ્યાદ્વાદ સમજવાનું એક “વ્યાકરણ’ કહીશું તો પણ ચાલશે. પ્રત્યેક ભાષાનું પોતપોતાનું વ્યાકરણ હોય છે. સંસ્કૃત ભાષા જો. બરાબર શીખી લેવી હોય, તો સૌ પ્રથમ એના વ્યાકરણનો અભ્યાસ આપણે કરવો પડે છે. એક વખત વ્યાકરણ જો બરાબર આવડી ગયું તો એ મહાનું વાડ્મય સમજવામાં કે સમજાવવામાં કશી મુશ્કેલી આપણને નડતી નથી.
એવી જ રીતે, અનેકાંતવાદ તત્ત્વજ્ઞાનને બરાબર સમજી લેવા જે સ્યાદ્વાદ પદ્ધતિનો આપણે ઉલ્લેખ કર્યો છે, તે પદ્ધતિને સમજવાનું આ એક વ્યાકરણ છે, એમ કહીશું તો પણ ચાલશે. એને આખો ય અનેકાન્તવાદ સમજવાનું વ્યાકરણ આપણે માનીશું તો પણ વાંધો નથી.
આ નય રૂપી વ્યાકરણનો સાદૂર્વાદ સાથેનો સંબંધ આપણે પ્રથમ સમજી લઈએ. અલંકારિક ભાષામાં ઉપમા આપીને આ વસ્તુ સમજવી હોય, તો આપણે એમ કહી શકીશું કે “ના” એટલે “નદી’ અને ‘સ્યાદ્વાદ” એટલે “સમુદ્ર'. બધી